By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ભ્રષ્ટ ભાજપ ગમે તેટલો CBI અને EDનો દુરુપયોગ કરે પણ આ વખત ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીનો સાથ આપવાનું નક્કી કરી દીધું છે: ઈસુદાન ગઢવી
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > ભ્રષ્ટ ભાજપ ગમે તેટલો CBI અને EDનો દુરુપયોગ કરે પણ આ વખત ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીનો સાથ આપવાનું નક્કી કરી દીધું છે: ઈસુદાન ગઢવી
ગાંધીનગરગુજરાતરાજકારણ

ભ્રષ્ટ ભાજપ ગમે તેટલો CBI અને EDનો દુરુપયોગ કરે પણ આ વખત ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીનો સાથ આપવાનું નક્કી કરી દીધું છે: ઈસુદાન ગઢવી

Web Editor Panchat
Last updated: September 28, 2022 6:30 pm
Web Editor Panchat Published September 28, 2022
Share
SHARE

અરવિંદ કેજરીવાલ માટે અડચણ ઊભી થાય એ માટે ગઈકાલે આમ આદમી પાર્ટીના એક સામાન્ય કાર્યકર્તા વિજય નાયરની CBIએ ધરપકડ કરી છે: ઈસુદાન ગઢવી

સ્ટ્રેટેજી અને પ્લાનિંગનું કામ કરીને વિજય નાયરે પંજાબમાં આમ આદમી પાર્ટીને વિજય બનાવી અને ગુજરાતમાં પણ તેઓ સ્ટ્રેટેજી પ્લાનર છે એટલા માટે વિજય નાયરની ધરપકડ કરી છે: ઈસુદાન ગઢવી

વિજય નાયરને શરાબ કાયદા સાથે કોઈ લેવાદેવા નથી, તેમની પાસે કોઈ સરકારી પદ પણ નથી: ઈસુદાન ગઢવી

વિજય નાયરના ઘરે CBI બે વખત જઈ આવી અને અત્યાર સુધી તેમના ઘરેથી કશું મળ્યું નથી: ઈસુદાન ગઢવી

ભ્રષ્ટ ભાજપના કહેવાથી CBIના અધિકારીઓએ વિજય નાયરને એવી પણ ધમકી આપી કે “તમે મનીષ સિસોદિયાનું નામ આપી દો.”: ઈસુદાન ગઢવી

ભ્રષ્ટ ભાજપ ગમે તેટલો CBI અને EDનો દુરુપયોગ કરે પણ આ વખત ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીનો સાથ આપવાનું નક્કી કરી દીધું છે: ઈસુદાન ગઢવી

આખા ગુજરાતમાં અરવિંદ કેજરીવાલનું વર્ચસ્વ વધી રહ્યું છે એટલે ભાજપ ડરી ગયું છે: ઈસુદાન ગઢવી

ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ પરેશાન થાય, બાળકોને સારું શિક્ષણ ન મળે, પેપર લીક વગર પરીક્ષા ના લેવાય, બેરોજગારો બેરોજગાર જ રહે, ખેડૂતોને પૂરતા ભાવ ના મળે અને તેઓ પાયમાલ રહે અને ગુજરાતમાં અરવિંદ કેજરીવાલજીની સરકાર ન બને એટલા માટે ભાજપ અરવિંદ કેજરીવાલને રોકવા માટે અડચણ ઊભી કરી રહ્યું છે: ઈસુદાન ગઢવી

અમારામાં પણ એ શક્તિ છે કે મોદીજીના કાર્યક્રમમાં જઈને અમારા 20 લોકો ‘ચોર ચોર’ના નારા લગાવે પણ અમે એવી હલકી માનસિકતા નથી ધરાવતા: ઈસુદાન ગઢવી

મારી ગુજરાતની જનતાથી વિનંતી છે કે ભાજપ ભ્રમ ફેલાવશે, ભાજપ અત્યાચાર કરશે તેનો જવાબ મતદાન કરીને તમારે આપવાનો છે: ઈસુદાન ગઢવી

2018 માં તલાટીની પરીક્ષાના 25 લાખ ફોર્મ ભરાયા છે, કેમ હજી સુધી પરીક્ષા લેવાઈ નથી?: ઈસુદાન ગઢવી

ભાજપના લોકો એવું નથી કહેતા કે અમે તમને શિક્ષણ અને સારું આરોગ્ય આપીશું તેઓ એમ કહે છે કે અરવિંદ કેજરીવાલજી આવા છે, ઈસુદાન ગઢવી તેવા છે: ઈસુદાન ગઢવી

પાછલા 27 વર્ષથી પ્રજાએ તો જોઈ જ લીધું છે કે 50 લાખ બેરોજગાર યુવાનો છે છતાંય એક પેપર ભાજપના લોકોથી લેવાયું નથી: ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીની સરકાર હવે ગુજરાતમાં આવી રહી છે, ભ્રષ્ટ ભાજપ જઈ રહી છે, અને એટલે જ ભ્રષ્ટ ભાજપના નેતાઓ બોખલાઈ ગયા છે, કોઈ રેવડી કહે છે, તો કોઈ સમાજનું અપમાન કરી રહ્યું છે: ઈસુદાન ગઢવી

 

 

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધીને જણાવ્યું કે, આજે આખા ગુજરાતમાં અરવિંદ કેજરીવાલનું વર્ચસ્વ વધી રહ્યું છે. સમગ્ર ગુજરાતના લોકોનો વિશ્વાસ અરવિંદ કેજરીવાલપર વધી રહ્યો છે કારણ કે અરવિંદ કેજરીવાલએ દર મહિને 300 યુનિટ મફત વીજળીની, બેરોજગારી ભથ્થાની, મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવાની, સમયસર પેપર લેવાની અને પેપર લીક અટકાવવાની જેવી અનેક ગેરેન્ટીઓ આપી છે. અને એના કારણે ગુજરાતના દરેક લોકો અરવિંદ કેજરીવાલજી સાથે જોડાઈ રહ્યા છે. આ બધી બાબતોથી ભાજપ ડરી ગયું છે અને ગુજરાતમાં અરવિંદ કેજરીવાલજી પરેશાન થાય, ગુજરાતના બાળકોને સારું શિક્ષણ ન મળે, પેપર લીક વગર પરીક્ષા ના લેવાય, બેરોજગારો બેરોજગાર જ રહે, ખેડૂતોને પૂરતા ભાવના મળે, ખેડૂતો પાયમાલ રહે અને ગુજરાતમાં અરવિંદ કેજરીવાલજીની સરકાર ન બને એટલા માટે ભાજપ અરવિંદ કેજરીવાલજીને અને આમ આદમી પાર્ટીને રોકવા માટે અડચણ ઊભી કરી રહ્યું છે.

અરવિંદ કેજરીવાલ માટે અડચણ ઊભી થાય એ માટે ગઈકાલે આમ આદમી પાર્ટીના એક સામાન્ય કાર્યકર્તા વિજય નાયરની CBIએ ધરપકડ કરી છે. સ્ટ્રેટેજી અને પ્લાનિંગનું કામ કરીને વિજય નાયરે પંજાબમાં આમ આદમી પાર્ટીને વિજય બનાવી અને ગુજરાતમાં પણ તેઓ સ્ટ્રેટેજી પ્લાનર છે અને તેમને શરાબ કાયદા સાથે કોઈ લેવાદેવા નથી, તેમની પાસે કોઈ સરકારી પદ પણ નથી. તેમના ઘરે CBI બે વખત જઈ આવી અને અત્યાર સુધી તેમના ઘરેથી કશું મળ્યું નથી. ભ્રષ્ટ ભાજપના કહેવાથી CBIના અધિકારીઓએ વિજય નાયરને એવી પણ ધમકી આપી કે “તમે મનીષ સિસોદિયાનું નામ આપી દો.” પરંતુ વિજય નાયરે આવા કોઈ દબાણમાં આવીને મનીષ સિસોદિયાનું નામ આપ્યું નહીં. અને અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવી ન શકે, ગુજરાતના લોકોનું ભલું ન થાય, ગુજરાત ભ્રષ્ટાચાર મુક્ત ન થાય, એટલા માટે વિજય નાયરની ધરપકડ કરવામાં આવી છે. અમને પૂરો વિશ્વાસ છે કે ભ્રષ્ટ ભાજપ ગમે તેટલો CBI અને EDનો દુરુપયોગ કરે પણ આ વખત ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીનો સાથ આપવાનું નક્કી કરી દીધું છે. હૉલ ન આપવો, દિવાલ ઉપર લાગેલા પોસ્ટરોને ચેકી મારવા, કોઈ જગ્યાએ આમ આદમી પાર્ટીના કાર્યકર્મો ન થાય, આવા ઘણા અત્યાચારો તેવો આમ આદમી પાર્ટીને રોકવા માટે કરી રહ્યા છે.

મને ભાજપના લોકો ઉપર હસી આવે છે કે અરવિંદ કેજરીવાલ આવે ત્યારે તેમના લોકોને મોકલીને ‘મોદી મોદી’ના નારા લગાવડાવે છે. તમે વિચાર કરજો કે અમારામાં પણ એ શક્તિ છે કે મોદીજીના કાર્યક્રમમાં જઈને અમારા 20 લોકો ‘ચોર ચોર’ના નારા લગાવે પણ અમે એવી હલકી માનસિકતા નથી ધરાવતા. આ બધા નાટકો દર્શાવે છે કે અરવિંદ કેજરીવાલજીની આમ આદમી પાર્ટીની સરકાર હવે ગુજરાતમાં આવી રહી છે, ભ્રષ્ટ ભાજપ જઈ રહી છે. અને એટલે જ ભ્રષ્ટ ભાજપના નેતાઓ બોખલાઈ ગયા છે. કોઈ રેવડી કહે છે, તો કોઈ કોઈ સમાજનું અપમાન કરી રહ્યું છે, કોઈ મજાક ઉડાડી રહ્યું છે.

ભાજપના લોકો એવું નથી કહેતા કે અમે તમને શિક્ષણ અને સારું આરોગ્ય આપીશું તેઓ એમ કહે છે કે અરવિંદ કેજરીવાલ આવા છે, ઈસુદાન ગઢવી તેવા છે, તમે જોઈ લેજો ભ્રમિત ન થતા. મારે તેમને કહેવું છે કે પાછલા 27 વર્ષથી પ્રજાએ તો જોઈ જ લીધું છે કે 50 લાખ બેરોજગાર યુવાનો છે છતાંય એક પેપર ભાજપના લોકોથી લેવાયું નથી. 2018 માં તલાટીની પરીક્ષાના 25 લાખ ફોર્મ ભરાયા છે, કેમ હજી સુધી પરીક્ષા લેવાઈ નથી? અમને ખબર જ છે કે પેપર ફૂટશે. અને એટલે જ ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ ફેબ્રુઆરીમાં અમે તલાટીની પરીક્ષા લઈશું. એટલે હું તે 25 લાખ બેરોજગાર યુવાનોને અને તેમના માતા-પિતાને કહેવા માગું છું કે આમ આદમી પાર્ટીને મત આપજો તો ફેબ્રુઆરીમાં પરીક્ષા લેવાઈ જશે. મારી ગુજરાતની જનતાથી વિનંતી છે કે ભાજપ ભ્રમ ફેલાવશે, ભાજપ અત્યાચાર કરશે તેનો જવાબ મતદાન કરીને તમારે આપવાનો છે.

You Might Also Like

1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે

AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું

શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના

અમદાવાદ વિમાન દુર્ઘટના – અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા

અમદાવાદ પ્લેન દુર્ઘટના – સિવીલ હોસ્પિટલ તંત્ર અને રાજ્ય સરકાર આ કપરા સમયમાં દરેક પીડિત પરિવારની પડખે: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

૧૯ જૂન – વિશ્વ સિકલ સેલ નાબૂદી દિવસ વહેલા નિદાન અને યોગ્ય સારવારથી સિકલ સેલ મુક્ત બનશે ગુજરાત
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત હેલ્થ
અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપતો રાજ્ય મંત્રીમંડળનો શોકદર્શક પ્રસ્તાવ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
મૃતકોનાં પરિવારજનોની વ્યવસ્થા સાચવવા માટે માર્ગ અને મકાન વિભાગ અહર્નિશ ખડેપગે
અમદાવાદ ગુજરાત
ગુજરાત યોગ બોર્ડના સફળ છ વર્ષ: 1.5 લાખ પ્રશિક્ષકોને તાલીમ, 5000થી વધુ દૈનિક સત્રો, 5 લાખથી વધુ નાગરિકો નિયમિત યોગાભ્યાસ કરતા થયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
સિવિલ હોસ્પિટલમાં પાર્થિવ દેહના પોસ્ટમોર્ટમ, ફોરેન્સિક તપાસ અને સ્ટોરેજની અત્યાધુનિક સુવિધા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?