By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: અરવિંદ કેજરીવાલની ગેરંટીઓમાં લોકો દેશનું ભવિષ્ય જોઈ રહ્યા છે: અમન શેર સિંહ શૈરી કલસી
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ભરૂચ > અરવિંદ કેજરીવાલની ગેરંટીઓમાં લોકો દેશનું ભવિષ્ય જોઈ રહ્યા છે: અમન શેર સિંહ શૈરી કલસી
ગુજરાતભરૂચરાજકારણ

અરવિંદ કેજરીવાલની ગેરંટીઓમાં લોકો દેશનું ભવિષ્ય જોઈ રહ્યા છે: અમન શેર સિંહ શૈરી કલસી

Web Editor Panchat
Last updated: March 16, 2025 11:25 pm
Web Editor Panchat Published October 14, 2022
Share
SHARE

પંજાબના ધારાસભ્ય અમન શેર સિંહ શૈરી કલસીજીની આગેવાની હેઠળ નર્મદા જિલ્લામાં ‘આપ’ દ્વારા ડોર ટુ ડોર સંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો.

પંજાબના ધારાસભ્ય અમન શેર સિંહ શૈરી કલસીજી સહિત ‘આપ’ ગુજરાતના મહામંત્રી મનોજ સોરઠીયાએ 149 ડેડીયાપાડા વિધાનસભાના સેલંબા ગામમાં અરવિંદ કેજરીવાલ એ આપેલી ગેરંટીનું પત્રિકા વિતરણ કર્યું.

’આપ’ દ્વારા 149 ડેડીયાપાડા વિધાનસભાના સેલંબા ખાતે આપનો ‘જન સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

અરવિંદ કેજરીવાલની ગેરંટીઓમાં લોકો દેશનું ભવિષ્ય જોઈ રહ્યા છે: અમન શેર સિંહ શૈરી કલસી

આમ આદમી પાર્ટી, એ દેશના ભ્રષ્ટાચાર સામે એક વિકલ્પ છે: અમન શેર સિંહ શૈરી કલસી

ગુજરાતના આદિવાસી સમાજના લોકો અરવિંદ કેજરીવાલની ગેરંટી સાથે છે: અમન શેર સિંહ શૈરી કલસી

આદિવાસીઓ અરવિંદ કેજરીવાલની ગેરંટીઓ સાથે વિશ્વાસથી જોડાઈ રહ્યા છે: મનોજ સોરઠીયા

 

આમ આદમી પાર્ટી દ્વારા અરવિંદ કેજરીવાલની ગેરંટીઓ માટે જનસંવાદ કાર્યક્રમના માધ્યમથી 149 ડેડીયાપાડા વિધાનસભાના સેલંબા ખાતે કર્યો ડોર ટુ ડોર સંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આમ આદમી પાર્ટીના પંજાબ સરકારના યુવા ધારાસભ્ય અમન શેર સિંહ શૈરી કલસીજીની અધ્યક્ષતામાં સફળ કરવામાં આવ્યો. જેમાં અમન શેર સિંહ શૈરી કલસીજી સાથે ડેડીયાપાડા અને સાગબારા ક્ષેત્રના આદિવાસીઓ, દલિત અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ તથા વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ડોર ટુ ડોર સંપર્ક કાર્યક્રમના સ્વાગત ભાષણમાં ડૉ.દયારામ વસાવાએ સામેલ થયેલા લોકોને સંબોધતા કહ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની મજબૂત સરકાર બનવા જઈ રહી છે. ગુજરાતના લોકો અરવિંદ કેજરીવાલની ગેરંટીઓ સાથે લાખોની સંખ્યામાં જોડાઈ રહ્યા છે અને હું જોઈ રહ્યો છું કે ગુજરાતના આદિવાસીઓમાં પરિવર્તનની એક લહેર જોવા મળી રહી છે. આદિવાસીઓ અને બીજા પણ અન્ય સમાજના લોકો અરવિંદ કેજરીવાલની ગેરંટીઓ સાથે વિશ્વાસથી જોડાઈ રહ્યા છે.

પંજાબના ધારાસભ્ય અમન શેર સિંહ શૈરી કલસીજીએ જનતાને સંબોધતા કહ્યું કે, આમ આદમી પાર્ટી, એ દેશના ભ્રષ્ટાચાર સામે એક વિકલ્પ છે. ગુજરાતના લોકો વર્ષોથી એક વિકલ્પની શોધમાં હતા અને તે વિકલ્પ તેમને આમ આદમી પાર્ટીના રૂપે મળ્યો છે. લોકો એક આંદોલનના રૂપમાં પરિવર્તન માટે લડવા તૈયાર છે. ગુજરાતના આદિવાસીઓ અરવિંદ કેજરીવાલની ગેરંટી સાથે છે. અરવિંદ કેજરીવાલની ગેરંટીઓમાં લોકો દેશનું ભવિષ્ય જોઈ રહ્યા છે.

સેલંબા ખાતેના બિરસા મુંડા સ્મારક ચોક ખાતે થયેલી જનસભામાં ‘આપ’ ગુજરાતના મહામંત્રી મનોજ સોરઠીયાએ કહ્યું કે, દેશના આદિવાસીઓ સાથે ઐતિહાસિક અન્યાય થયો છે. તેમને વિકાસમાં પાછળ ધકેલી દેવાયા છે. તેમના બંધારણીય અધિકારોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું છે. ત્યારે આદિવાસી સમાજના લોકો અરવિંદ કેજરીવાલજીની ગેરંટીઓ સાથે વિશ્વાસથી જોડાઈ રહ્યા છે. આજે આદિવાસી વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને પાયાની સુવિધાઓ કથડી ગઈ છે.

પંજાબના ધારાસભ્ય અમન શેર સિંહ શૈરી કલસી સહિત ‘આપ’ ગુજરાતના મહામંત્રી મનોજ સોરઠીયાએ 149 ડેડીયાપાડા વિધાનસભાના સેલંબા ગામમાં અરવિંદ કેજરીવાલ એ આપેલી ગેરંટીનું પત્રિકા વિતરણ કર્યું.

આ મહત્વપૂર્ણ ડોર ટુ ડોર સંપર્ક કાર્યક્રમમાં પંજાબના ધારાસભ્ય અમન શેર સિંહ શૈરી કલસીજી સાથે ‘આપ’ ગુજરાતના મહામંત્રી મનોજ સોરઠીયા, આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ગોહિલ, ડેડીયાપાડા પાર્ટી પ્રમુખ રાજેશભાઈ વસાવા, જોઇન્ટ સેક્રેટરી એસ.ટી. સેલ કિરણ વસાવા, એડવોકેટ હરિસિંહ વસાવા, ચેતરભાઇ વસાવા વગેરે આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:અમન શેર સિંહ શૈરી કલસીઅરવિંદ કેજરીવાલઆમ આદમી પાર્ટીડૉ.દયારામ વસાવાડોર ટુ ડોરપંજાબભ્રષ્ટાચાર
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?