By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: રાષ્ટ્ર અને સમાજના ઉત્કર્ષ માટે યુવાનો પોતાની જ્ઞાનસંપદાનો શ્રેષ્ઠ ઉપયોગ કરે પ્રફુલભાઈ પાનસેરીયા
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > રાષ્ટ્ર અને સમાજના ઉત્કર્ષ માટે યુવાનો પોતાની જ્ઞાનસંપદાનો શ્રેષ્ઠ ઉપયોગ કરે પ્રફુલભાઈ પાનસેરીયા
ગાંધીનગરગુજરાતશિક્ષણ

રાષ્ટ્ર અને સમાજના ઉત્કર્ષ માટે યુવાનો પોતાની જ્ઞાનસંપદાનો શ્રેષ્ઠ ઉપયોગ કરે પ્રફુલભાઈ પાનસેરીયા

Web Editor Panchat
Last updated: February 21, 2023 8:06 pm
Web Editor Panchat Published February 21, 2023
Share
SHARE

ગાંધીનગરની ઇન્સ્ટિટયૂટ ઓફ એડવાન્સ રિસર્ચ યુનિવર્સિટીનો છઠ્ઠો પદવીદાન સમારંભ યોજાયોઃ ૧૪ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા વિવિધ શાખા ના ૩૧૩ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી

ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટયૂટ ઓફ એડવાન્સ રિસર્ચ યુનિવર્સીટીના છઠ્ઠા પદવીદાન સમારોહ પ્રસંગે પદવીધારક યુવાનોને શુભકામનાઓ પાઠવતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરિયાએ યુવાનોને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને રિસર્ચ, ઇનોવેશન અને સ્ટાર્ટ-અપ થકી સાકાર કરવા આહ્વાન કર્યું હતું. મંત્રીએ આ પ્રસંગે જણાવ્યુ હતું કે, પદવીધારક યુવાઓ રાષ્ટ્ર અને સમાજના સર્વાંગી ઉત્કર્ષ માટે પોતાની જ્ઞાનસંપદાનો શ્રેષ્ઠ ઉપયોગ કરે. યુવાનોને સત્યના માર્ગ પર કર્તવ્યધર્મના પાલન દ્વારા સતત કાર્યશીલ રહેવા અનુરોધ કરતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, કરેલું કર્મ ક્યારેય વ્યર્થ નથી જતું. જેવું કર્મ કરવામાં આવે તેવું જ હંમેશાં ફળ મળે છે. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે, તમે સમાજને જેટલું આપશો તેટલું સમાજ પરત આપશે. મંત્રીશ્રીએ ગુરુકુલ શિક્ષા પદ્ધતિમાં ગુરુ શિષ્યના સંબંધોને આદર્શરૂપ ગણાવ્યા હતા. મંત્રીએ વિચારોની શક્તિનો પરિચય આપતા જણાવ્યુ હતું કે, જેવું વિચારશો તેવું જ જીવન નિર્માણ પામશે.

આ દીક્ષાંત સમારોહમાં કુલ ૧૪ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા વિવિધ શાખા ના ૩૧૩થી વધારે વિદ્યાર્થીઓને સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી હતી.
આ ઉપરાંત મંત્રીએ સુવર્ણ ચંદ્રક વિજેતા વિદ્યાર્થીઓ તથા સ્નાતકોને જણાવ્યું હતું કે આવનારો સમય ખૂબ જ ગતિશીલ છે, ત્યારે ગુણવત્તાયુક્ત શિક્ષણ તથા સ્કીલ બેઝ નોલેજ હશે તો જ ટકી શકાશે. તેમણે પદવીધારક વિદ્યાર્થીઓને રિસર્ચ તથા ઇનોવેશન દ્વારા કંઈક અલગ કરીને પોતાની પ્રતિભાથી અને દેશ તથા દુનિયાને પ્રભાવિત કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રો. રાવ ભામિદીમારીએ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી. એક્ટિંગ પ્રોવોસ્ટ ડો. મનીષ શર્મા તથા રજીસ્ટર ડોક્ટર મનીષ પરમાર દ્વારા સમારંભના મુખ્ય મહેમાન મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રેસિડેન્ટ પ્રોફેસર રાવે શિક્ષણ મંત્રીનો આભાર માની સર્વે પદવી ગ્રહણ કરતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. પદવિદાન સમારંભમાં યુનિવર્સિટીના પદાધિકારી, વાલીગણ તથા ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જશુભાઇ પટેલ તેમજ અન્ય હોદ્દેદારોએ વિશેષ ઉપસ્થિત રહયા હતા. અંતમાં યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો.મનીષ પરમાર દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. સમગ્ર પદવીદાન સમારંભનું સંચાલન પ્રેસીડેન્ટ પ્રોફેસર રાવના માર્ગદર્શન હેઠળ રજીસ્ટ્રાર ડો. મનીષ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:prafl panseriyaઇન્સ્ટિટયૂટ ઓફ એડવાન્સ રિસર્ચ યુનિવર્સીટીપ્રધાનમંત્રીશિક્ષણસ્ટાર્ટ-અપ
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?