રાહુલ ગાંધી : દેશના યુવાજગત માટે પ્રેરણારૂપ નેતૃત્વનું પ્રતીક
લેખક : હેમાંગ રાવલ
પ્રવક્તા, મીડિયા કો-કન્વીનર અને મીડિયા કોર્ડીનેટર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
—
રાહુલ ગાંધી : દેશમાં લોકશાહીનું પ્રતિક બની ઉભરેલા મજબૂત નેતા
રાજકારણના કઠોર ઘાટમાંથી પસાર થયેલા, રાજકીય વિરોધ અને ભયંકર દબાણોને પાર કરીને દેશના યુવાઓમાં નવી આશા જગાવતા એવા રાહુલ ગાંધી આજના ભારતના સૌથી શક્તિશાળી યુવા નેતાઓમાં સ્થાન પામે છે.
કોરોનાકાળમાં સતર્કતા અને જનહિત માટે અવિરત પ્રયત્નો
જ્યારે સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીમાં કંપાઈ રહ્યું હતું અને ભારત સરકારે પ્રારંભે ગંભીરતાથી પગલા લીધા ન હતા, ત્યારે રાહુલ ગાંધી પહેલાના દિવસે ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ જ કોરોનાને ગંભીરતાથી લેવા માટે ચિંતાની વાગોળ કરી હતી. સરકાર વ્યસ્ત રહી, પણ રાહુલ ગાંધી ગરીબો, શ્રમિકો અને મધ્યમ વર્ગ માટે તાત્કાલિક નકદ સહાય, શ્રમિક પરિવહન વ્યવસ્થા અને નાના ઉદ્યોગોને બચાવવાના આશયથી સતત સરકારને સતર્ક કરતાં રહ્યા.
શ્રમિકો સાથે સ્થળ પર જઈને તેમણે શ્રમિકોના દુઃખને સાંભળ્યું. કોંગ્રેસ કાર્યકરો તેમના માર્ગદર્શન હેઠળ રસીકરણ, ઓક્સિજન સપ્લાય અને દવા વિતરણ જેવા કાર્યોમાં દેશભરમાં આગળ રહ્યા. તેમણે અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાંતો સાથે ચર્ચા કરીને પણ દેશના અર્થતંત્ર માટે યોગ્ય રસ્તા સૂચવ્યા હતા.
કૃષિ કાયદા અને જમીન સંપાદન કાયદાની વિજયગાથા
ખેડૂતોના ત્રણ કાળા કૃષિ કાયદા પ્રત્યે તેમના નિર્ધારિત વિરોધ અને લાંબા સંઘર્ષના પરિણામે આખરે સરકારને તેને પાછા ખેંચવા મજબૂર થવું પડ્યું. માત્ર એટલું જ નહીં, અગાઉ જમીન સંપાદન કાયદામાં ખેડૂતોના હિતમાં જે ફેરફારો કર્યા હતા, તે કાયદાને પણ ભાજપ સરકારે રદ કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ રાહુલ ગાંધીના મજબૂત વીરોધથી તે કાયદો યથાવત રહ્યો.
ભૂતકાળનાં રાજકીય પ્રહાર અને તેમની અવિચલિત પ્રતિક્રિયા
રાહુલ ગાંધીના જીવનમાં રાજકીય વિરોધીઓએ દ્વેષપૂર્વક અનેક વખત હુમલાઓ કર્યા છે. એક સમયે ભાજપ શાસિત કેન્દ્ર સરકાર દ્વારા તેમના વિરુદ્ધ એક કેસ રચવામાં આવ્યો હતો અને રાજકીય દબાણ હેઠળ તેમની લોકસભાની સભ્યતા રદ કરી દેવામાં આવી. તેમને દિલ્હીમાં રહેઠાણ પણ ખાલી કરાવાયું. છતાં પણ તેઓ કોઈ પણ સમયે વિચલિત થયા નહીં. દેશના લોકશાહી સંસ્થાનો પર શ્રદ્ધા રાખીને તેઓ શાંતિપૂર્વક લડતા રહ્યા અને અંતે સુપ્રીમ કોર્ટમાં સમગ્ર કેસમાં તેમણે વિજય મેળવી ફરીથી સંસદમાં પ્રવેશ કર્યો.
ભવ્ય રાજકીય પુનરાગમન અને જનસેવાનું બળ
તેમણે માત્ર સભ્યતા જ પુનઃપ્રાપ્ત કરી નહીં પરંતુ અતિ મહત્વની લોકસભાની ચૂંટણીમાં બે જુદી જુદી બેઠકો પર લડીને ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો અને આજે દેશના પ્રતિપક્ષના નેતા તરીકે લોકશાહીને જીવંત રાખવાનું કાર્ય કરી રહ્યા છે. તેમના આ સહેજ પણ ન ડર્યા વગર સંઘર્ષથી સમગ્ર દેશમાં યુવાનોમાં નવો ઉત્સાહ અને વિશ્વાસથી લોકશાહીને સિદ્ધિ પ્રાપ્ત કરવાની પ્રેરણા મળી છે.
ભારત જોડો યાત્રા : જનજાગૃતિનું મજબૂત બળ
રાહુલ ગાંધીના રાજકીય જીવનનું એક મહત્વપૂર્ણ મોરચું રહ્યું છે તેમની ઐતિહાસિક ‘ભારત જોડો યાત્રા’ (૪૦૦૦ કિમી) અને ‘ભારત જોડો ન્યાય યાત્રા’ (૬૭૦૦ કિમી). જેમાં તેઓ જનજન સુધી પહોંચ્યા, લોકોને મળ્યા, તેમની વ્યથા-વેદનાઓ સાંભળી અને તેમના પ્રશ્નોને દેશના રાજકીય એજન્ડામાં લાવ્યા. ખાસ કરીને જાતિગત જનગણનાનો મુદ્દો તેમણે મજબૂતીથી ઊભો કર્યો અને આજે તે મુદ્દો રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બન્યો છે. રાજકીય દબાણો છતાં જનજાગૃતિનો તેઓએ જે પ્રવાહ ઊભો કર્યો તે લોકશાહીના નવા અધ્યાય તરીકે નોંધાયો છે.
આધ્યાત્મિક પંથમાં શિવભક્ત તરીકે આગવી ઓળખ
રાહુલ ગાંધી માત્ર રાજકારણ સુધી સીમિત નથી. તેઓએ ભારત જોડો યાત્રા દરમ્યાન અનેક મંદિરોના દર્શન કરીને પોતાની આધ્યાત્મિક અભિવ્યક્તિ પણ વ્યક્ત કરી છે. તેઓએ જણાવ્યું છે કે ભગવાન શંકર તેમના માટે સંઘર્ષ, શાંતિ અને બળનું પ્રતિક છે. સાચા અર્થમાં શિવભક્ત તરીકે તેઓએ દેશના યુવાનોમાં તટસ્થતા અને આત્મવિશ્વાસ જગાવ્યો છે.
ગુજરાતમાં ખાસ ઉમંગ અને નવી આશા
વિશેષ ગૌરવની વાત છે કે રાહુલ ગાંધી છેલ્લા કેટલાક વર્ષથી ગુજરાત કોંગ્રેસના સંગઠન પર ખાસ ધ્યાન આપી રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસનું સફળ અધિવેશન યોજાયું અને સંગઠનને મજબૂત બનાવવાના ઘણા નિર્ણયો લેવાયા છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે ગુજરાતના પ્રશ્નો માટે તેઓ હંમેશા હાજર છે. ગુજરાતમાં ભાજપ સામે તીવ્ર ટક્કર આપીને ચૂંટણીમાં કોંગ્રેસે મત ટકાવારીમાં નોંધપાત્ર વધારો કર્યો છે અને યુવાનોમાં પણ નવી રાજકીય જાગૃતિ સર્જી છે.
વિરોધીઓ મિમ્સમાંથી જાતે મિમ્સ બન્યા
જે લોકો રાહુલ ગાંધીની ઉપર મિમ્સ બનાવતા હતા, આજે દેશના રાજકીય માહોલમાં પોતાની જાતે મિમ્સ બની ચૂક્યા છે. રાહુલ ગાંધીનું સાદું, સાહસિક અને જનહિતમાં અડગ નેતૃત્વ હવે ભારતના રાજકારણમાં નવા યુગની શરૂઆત તરીકે દેખાય છે.
આતંકવાદ સામેની લડાઈમાં સરકારને સંપૂર્ણ સમર્થન
પહેલગામ હુમલા બાદ વિલંબ કર્યા વિના પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ સામેની લડાઈમાં ભારત સરકારને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું અને સરકાર રાષ્ટ્રહિતમાં જે કંઈ પણ નિર્ણય લે તે લેવા માટે છૂટ આપીને સાચો રાષ્ટ્રવાદ દર્શાવ્યો હતો.
આજના ભારત માટે રાહુલ ગાંધીનું નેતૃત્વ અનિવાર્ય બન્યું છે
સૌના અધિકાર, ન્યાય અને સમતાને મજબૂતીથી હમેશાં પહેલ આપવા વાળા રાહુલ ગાંધી આજે દેશના લાખો યુવાનો, ગરીબો, શ્રમિકો અને વંચિતો માટે આશાનું નવું શિખર બન્યા છે. દેશમાં લોકશાહીને જીવંત રાખીને ભારતીય રાજકારણને નવી દિશા આપનાર એવા શ્રી રાહુલ ગાંધીને જન્મદિવસે હાર્દિક શુભકામનાઓ. પરમકૃપાળુ પરમેશ્વર તેમને સદાય સત્કર્મની શક્તિ, દીર્ઘાયુ અને અખૂટ પ્રેરણા આપે તેવી પ્રાર્થના.