By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: સાણંદ મહેફીલ કાંડમાં પોલીસે રેસોર્ટના માલિક સામે કેમ નથી કાર્યવાહી ! રાજકીય દબાણ કે અધિકારીઓ સામેલ !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ahmedabad > સાણંદ મહેફીલ કાંડમાં પોલીસે રેસોર્ટના માલિક સામે કેમ નથી કાર્યવાહી ! રાજકીય દબાણ કે અધિકારીઓ સામેલ !
ahmedabadgujaratpolitics

સાણંદ મહેફીલ કાંડમાં પોલીસે રેસોર્ટના માલિક સામે કેમ નથી કાર્યવાહી ! રાજકીય દબાણ કે અધિકારીઓ સામેલ !

Web Editor Panchat
Last updated: July 23, 2025 10:34 pm
Web Editor Panchat Published July 23, 2025
Share
SHARE

સાણંદ મહેફીલ કાંડમાં પોલીસે રેસોર્ટના માલિક સામે કેમ નથી કાર્યવાહી ! રાજકીય દબાણ કે અધિકારીઓ સામેલ !

કોઇ પણ પ્રકારનો હાઇ પ્રોફાઇલ કેસ હોય, ડ્રગ્સ કે દારૂના મહેફિલ કેસ હોય કે પછી મોટા ઘરના નબીરાઓ પકડાતા હોય તેવામાં ભાગે રેડ કરનારી પોલીસ ભીંસમાં મુકાય છે અથવા તો વિવાદમાં આવે છે. આવી જ સ્થિતિ અમદાવાદ ગ્રામ્ય પોલીસ ની થઈ છે. પ્રતિક સાંઘીએ દારૂ સાથે બર્થ-ડેની ઊજવણી માટે બોલાવેલા 70થી વધુ લોકો પૈકી 40 ટકાએ આલ્કોહોલનું સેવન કર્યું ન હોવાનું સાણંદ પોલીસ કહી રહી છે. સૌથી મોટો સવાલ એ છે કે, દારૂની મહેફિલમાં હાજર રહેનારા અને કાર્યવાહી વિના છોડી દેવાયેલા યુવક-યુવતીઓના પોલીસે નિવેદન સુદ્ધાં નોંધ્યા નથી. ગણતરીના સમયમાં જ મહેફિલ કેસની કામગીરી આટોપી લઈને ઘટના માટે મુખ્યત્વે જવાબદાર ગ્લેડ વન રિસોર્ટ ના સંચાલકોને ફરિયાદમાંથી બાકાત રાખતા પોલીસ કાર્યવાહી વિવાદ અને ચર્ચામાં આવી છે. સુત્રોનું કહેવુ છે કે આ સંચાલકો ગુજરાતના બહુ મોટા બિલ્ડર ગ્રુપ સાથે સંકડાયેલા છે, પરિણામે રાજકીય દબાણ સીધોદિલ્હી સુધીનો પોલીસ ઉપર પડી રહ્યો છે, ત્યારે રેસોર્ટ સંચાલકોને બચાવવા પોલીસ હવાતિયા મારી રહી છે, સાથે જો આ સંચાલકોને નહીં બચાવવામાં આવે તો કેટલાક પોલીસ અધિકારીઓના પટ્ટા ઉતરી જાય તેવી સંભાવના પણ વ્યક્ત થઇ થઇ રહી છે.

બિલ્ડરને બચાવવામાં કોને છે રસ !

અમદાવાદ પોલીસે સાણંદના જે રેસોર્ટમાં રેઇડ કરીને વિવાદનો મધપૂડો છેડી દીધો છે, સુત્રોની માનીએ તો જેનુ રેસોર્ટ છે તેનો રાજકીયની સાથે સાથે આઇપીએસ અધિકારીઓ સાથે પણ સારો ઘરોબો છે, કેટલાક ઉચ્ચ કહી શકાય તેવા પોલીસ અધિકારીઓ અહી ગોલ્ફ રમવા નિયમીત આવે છે, આની પહેલા પણ સંખ્યાબધ્ધ પાર્ટીઓ એટલે કે માદક દ્રવ્યો સાથેની ઉજવણીઓ થઇ ચુકી છે,ત્યારે પોલીસે કેમ પગલા ન લીધા,,તે પણ એક સવાલ છે, તે સિવાય અનેક વ્યવસાયિક ઉદ્યોગ ઘરાનાઓ માટે પણ આ પાર્ટી કે ઉત્સવ ઉજવવા માટે ફેવરીટ અડ્ડો છે, ત્યારે સવાલ એ થાય છે કે શુ આમાં જે તે બિલ્ડરના વ્યવસાયિક દુશ્મનોએ સ્થાનિક પોલીસ સાથે મળીને ખેલ પાડ્યો છે, એટલે કે શુ વ્યવસાયિક લડાઇમાં પોલીસ હાથો બની ગઇ છે , તેવી ચર્ચાઓ હાલ ચાલી રહી છે,

સાણંદના ગોલ્ફ રિસોર્ટમાં પોલીસના દરોડા અને કાર્યવાહી

સાણંદ પોલીસ મથકના પીઆઈ એચ. જી. રાઠોડ હાલ રજા પર છે અને તેમના પોલીસ સ્ટેશનનો ચાર્જ પીઆઈ યુ. બી. જોગરાણા પાસે છે. સાણંદ એસડીપીઓ કચેરીના પીએસઆઈ સી. કે. રાવ ને માહિતી મળી હતી કે, ગ્લેડ વન રિસૉર્ટમાં દારૂ પાર્ટી ચાલી રહી છે. અસલાલી પીઆઈ, બોપલ, ચાંગોદર અને અસલાલીના 1-1 પીએસઆઈ તેમજ સ્ટાફને એકઠો કરી રાત્રિના 1.15 કલાકે બેંકવેટ હોલમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન 80થી વધુ યુવક-યુવતીઓ સ્થળ પરથી મળી આવ્યાં હતાં. દરોડા દરમિયાન સિંગલ મોલ્ટ સ્કૉચ વ્હીસ્કી, જીન અને ટકીલાની 14 જેટલી ખાલી-ભરેલી બૉટલ, બીયરની બે બૉટલ, 7 હુક્કા અને સિગરેટના 30 પેકેટ તેમજ ફરસાણ-કોલ્ડ્રીંકસ મળી આવ્યું હતું. આ મામલે સાણંદ પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ જોગરાણા ની રૂબરૂમાં પીએસઆઈ રાવની ફરિયાદ અનુસાર કેસ નોંધવામાં આવ્યો હતો.

એક ધારાસભ્યનો ભત્રિજો બીજાનો જમાઇ પણ સામેલ હોવાન ચર્ચા !
રાજકીય દબાણ તેમજ મોટા માથાઓની સામે અમદાવાદ ગ્રામ્ય પોલીસના અધિકારીઓને ઝૂકવું પડ્યું છે. મધરાત્રિ બાદ રેસોર્ટ માં પડેલી રેડ બાદ લકઝુરિયસ ગાડીઓનો કાફલો સાણંદ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. સ્થાનિક તેમજ ઉચ્ચ અધિકારીઓ પર ભલામણના ફોન શરૂ થતાં કેટલાંક નબીરાઓને રવાના કરવાનો નિર્ણય પોલીસને લેવો પડ્યો હતો. કેમ કે, દબાણ કરનારા BJP MLA તેમજ કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ધારાસભ્ય હતાં. છોડી દેવાયેલા 30થી વધુ નબીરાઓમાં એક અમદાવાદના ભાજપ ધારાસભ્યનો ભત્રીજો હતો. આ ધારાસભ્ય હમણાં જ એક ગંભીર મામલામાં પોલીસને ભલામણ કરવાના મુદ્દે ચર્ચામાં આવ્યા હતા. જ્યારે અન્ય કિસ્સામાં કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા જાણીતા ધારાસભ્યનો જમાઈ હોવાની ચર્ચા છે.

You Might Also Like

શૌચાલયના દસ રુપિયા અને ગુજરાત ફર્સ્ટના મહિલા રિપોર્ટર દિવ્યા ગઢીયા પંચાલ બોલ્યા,ચેનલ ચુપ -યુરિનલ માટે પઠાણી ઉઘરાણી થાય છે !

સરકાર એક મહિનામાં વંગડી ડેમનું કામ શરૂ નહીં કરે તો દ્વારકા જિલ્લામાં કોઈ પણ સરકારી કાર્યક્રમ અમે થવા દઈશું નહીં: ઈસુદાન ગઢવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને દેશનું AI ઇનેબલ્ડ ગવર્નન્સ લીડર બનાવવા AI અમલીકરણનો એક્શન પ્લાન મંજૂર કર્યો

શારદાબેન હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન ગંભીર બેદરકારી – બાળકના હાથનું ફ્રેક્ચર, દર્દીજનો સાથે ગેરવર્તન

“ગુજરાત કોંગ્રેસ સમિતિ ખાતે નવા વરાયેલા માનનીય પ્રમુખ અમિતભાઈ ચાવડા નું સન્માન સમારોહ યોજાઈ ગયો”

TAGGED:'SANANDbjpguajratbjpgujaratbuildergujarat
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આવો.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં : બાર જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવના મંદિરે
gujarat religion દેવભૂમિ દ્વારકા
અદાણીના મુંદ્ના પોર્ટને પર્યાવરણ ભંગની કારણ બતાવો નોટિસને 15 વર્ષ થયા !
govt gujarat politics ઇન્ડિયા ઈકોનોમી કચ્છ ગવર્મેન્ટ ગુજરાત બિઝનેસ રાજકારણ સમસ્યા
17 સાંસદોને સંસદ રત્ન પુરસ્કાર, ગુજરાતમાંથી એકેય નહીં: કોંગ્રેસ જેડીયુ આરજેડી,ટીએમસી અને સમાજવાદી પાર્ટીના એક પણ સાંસદનો સમાવેશ નહી
politics આમ આદમી પાર્ટી ઇન્ડિયા કોંગેસ દેશ વિદેશ
*શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત સુરતવાસીઓને રૂ.૪૩૫.૪૫ કરોડના વિકાસ પ્રકલ્પો મુખ્યમંત્રીના હસ્તે મળ્યા
bjp govt gujarat રાજકારણ સુરત
સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, પાંચ લાખ માંગે છે….: નિર્દોષ ખેડૂતના એક મેસેજથી પોલીસે તેની ૧૦ વિઘા જમીન પરત કરાવી
gandhinagar govt gujarat politics અમરેલી
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?