By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વગવર્મેન્ટગાંધીનગરગુજરાત

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન

Web Editor Panchat
Last updated: June 11, 2025 6:47 pm
Web Editor Panchat Published June 11, 2025
Share
SHARE

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
:કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ ની વિશેષ ઉપસ્થિતિ:


———
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૯ મેથી શરૂ થયેલા રાષ્ટ્રવ્યાપી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનું બારડોલીમાં સમાપન થશે
———-
* ખેડૂત સંમેલન અંતર્ગત બાગાયતી પાક અને કેળા તથા શાકભાજી માટેના સેન્ટર ઓફ એક્સેલન્સ – પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટર – પાક સંગ્રહ ગોડાઉનના ઈ-લોકાર્પણ
* બારડોલીમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સુગર કેનનું ઈ-ખાતમુહૂર્ત થશે
———-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવાર, તા ૧૨મી જૂને સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી વર્ષના ઉપલક્ષ્યમાં યોજાનાર ખેડૂત સંમેલનની અધ્યક્ષતા કરશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતીનું આ વર્ષ દેશભરમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પના સાકાર કરતા કાર્યક્રમોથી ઉજવાઈ રહ્યું છે. એટલું જ નહીં, વડાપ્રધાનશ્રીએ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન તા. ૨૯મી મે થી ૧૨ જૂન સુધી દેશના રાજ્યોમાં યોજીને ખેડૂત અને ખેતીને આત્મનિર્ભર બનાવવાનો પણ માર્ગ ચીંધ્યો છે.

આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો શિવરાજસિંહ ચૌહાણ એ ૨૯ મે એ ઓરિસ્સાથી રાષ્ટ્રીય પ્રારંભ કરાવ્યો હતો તેનું સમાપન હવે કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ગુરુવાર તા. ૧૨મી જૂને સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ખેડૂત સંમેલન સાથે થવાનું છે.

વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર ખેડૂત-આત્મનિર્ભર ખેતીના આપેલા ધ્યેયને સિદ્ધ કરીને કૃષિ ટેકનોલોજી ગામડે ગામડે પહોંચાડવા અને ખેડૂતોને માઇક્રો ન્યુટ્રીયન્ટના યોગ્ય ઉપયોગ સહિતની ટેકનોલોજી વિશે માહિતગાર કરવા યોજવામાં આવેલા આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનમાં ગુજરાતના ૩૧ જિલ્લાઓના ૨૨૫૦ ગ્રામ્ય ક્લસ્ટર દ્વારા ચાર લાખથી વધુ ખેડૂતોને આવરી લેવાયા છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ આ અવસરે રાજ્યના ખેડૂતો માટે પોરબંદર જિલ્લામાં તૈયાર થયેલા બાગાયતી પાકોના સેન્ટર ઓફ એક્સેલન્સ, પેટલાદ તાલુકામાં કેળા અને શાકભાજી માટેના સેન્ટર ઓફ એક્સલન્સ તેમજ કચ્છમાં કાર્યરત થયેલા પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરના ઈ-લોકાર્પણ કરશે.

આ ઉપરાંત કુલ ૨૫ હજાર મેટ્રિક ટન સંગ્રહ ક્ષમતા ધરાવતા ૧૪ ગોડાઉનના ઈ-લોકાર્પણ અને બારડોલીમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સુગરકેનનું ઈ-ખાતમુર્હત પણ આ ખેડૂત સંમેલનમાં કરવામાં આવશે.

ગુરુવારે તા. ૧૨મી જૂને સવારે ૧૦:૦૦ કલાકે બારડોલીના સાંકરી બી.એ.પી.એસ. મંદિર કોમ્પ્લેક્સમાં રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા યોજાનારા આ ખેડૂત સંમેલનમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજી ભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે.
———–

You Might Also Like

ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ

શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૩ ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

TAGGED:150JANMJAYANTISARDARVALLABH PATELSHIVRAJCHAUHAN
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

SC સમાજના પીડાના પ્રશ્નો લઈને વિધાનસભામાં લડીશું – ગરીબનો અવાજ હવે દબાશે નહીં: ગોપાલ ઇટાલીયા
Uncategorized
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી નો ગૃહકલેશ ફરી જાહેર માં આવ્યો સામે !
આણંદ ગુજરાત રાજકારણ
ગુજરાતના લોકોમાં સહકારનો વારસો, સહયોગ અને સેવા ભાવના છે, એ જ રાષ્ટ્રની પ્રગતિનો માર્ગ છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
એસ.ટી. બસોની સફાઈ માટે રાજ્યના ૩૩ ડેપો ખાતે ‘ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન’ ઇન્સ્ટોલ કરાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
ભારતીય શિક્ષણ પદ્ધતિમાં જ્ઞાન સાથે સંસ્કાર પણ અનિવાર્ય છે – મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
ગુજરાત વડોદરા શિક્ષણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?