SC સમાજે આપ્યું ગોપાલ ઇટાલીયાને સમર્થન
મોટાકોટડા ખાતે 200થી વધુ લોકો AAPમાં જોડાયા
ભાજપને મોટો ફટકો: અનુસૂચિત જાતિના 200થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા
વિસાવદરમાં ‘આપ’ ઉમેદવાર ગોપાલ ઇટાલીયાના સમર્થનમાં સમસ્ત અનુસૂચિત જાતિનું સંમેલન યોજાયું
’આપ’ ઉમેદવાર ગોપાલ ઇટાલીયા સહિત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા.
ગુજરાતમાં હજારો દલિતો ન્યાયથી વંચિત, પણ હવે બદલાવનો સમય આવ્યો છે: ગોપાલ ઇટાલીયા
SC સમાજના પીડાના પ્રશ્નો લઈને વિધાનસભામાં લડીશું – ગરીબનો અવાજ હવે દબાશે નહીં: ગોપાલ ઇટાલીયા
ભાજપે સત્તામાં આવતા જ બાબાસાહેબનાં ફોટા હટાવ્યા: ઈસુદાન ગઢવી
ભાજપના રાજમાં દલિતો પર એટલી અત્યાચારની ઘટનાઓ ઘટે છે કે ગામેગામનું જો લિસ્ટ લઈને બેસીએ તો ક્યારેય એ વાત પૂરી જ નહીં થાય: ગોપાલ ઇટાલીયા
અનુસૂચિત જાતિ સમાજના પ્રશ્નોને મુદ્દે હું વિસાવદરથી લઈને વિધાનસભા સુધી લડત લડીશ: ગોપાલ ઇટાલીયા
જે લોકોના મનમાં જાતિવાદનું ઝેર ભરાયું છે તે લોકોને ભાજપની સરકારનું સમર્થન છે: ગોપાલ ઇટાલીયા
એક પણ વોટ કોંગ્રેસને આપશો તો એ વોટ ભાજપને જ જશે: ઈસુદાન ગઢવી
ભાજપ-કોંગ્રેસે ભલે ગુંડારાજને સ્વીકાર્યું હોય, પણ આમ આદમી પાર્ટી આપે છે સામાન્ય માણસને નેતૃત્વ: ગોપાલ ઇટાલીયા
પાણી, રસ્તા, લાઈટ – અનુસૂચિત વિસ્તારોમાં હજુ પણ વંચિત કોણે રાખ્યાં?: ગોપાલ ઇટાલીયા
આજે 100 વારનો પ્લોટ છોડો, લોકોને રાશન પણ પૂરતું મળતું નથી: ઈસુદાન ગઢવી
સમાજનું ભવિષ્ય બદલી શકનાર દલિત આગેવાનોને હવે ‘આપ’માં અવસર – ગુંડાઓ નહિ નેતાઓ ઊભા કરીએ છીએ: ગોપાલ ઇટાલીયા
એટ્રોસિટીનો કેસ થયો હોય કે બહેનો-દીકરીઓ પર દુષ્કર્મનો કેસ થયો હોય એવા લોકોને પણ આજે તાત્કાલિક જામીન મળી જાય છે: ગોપાલ ઇટાલીયા
ભેસાણની કોલેજની અભદ્ર ઘટનાને એક વર્ષ થઈ જવા આવ્યું તેમ છતાં પણ હજુ સુધી કોઈ FIR દર્જ થઈ નથી: ગોપાલ ઇટાલીયા
અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક બાબાસાહેબે બતાવેલા સિદ્ધાંતોના આધારે આગળ વધે છે: ઈસુદાન ગઢવી
અમદાવાદ/જૂનાગઢ/ગુજરાત
આજરોજ વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામ ખાતે ‘આપ’ ઉમેદવાર ગોપાલ ઇટાલીયાના સમર્થનમાં સમસ્ત અનુસૂચિત જાતિનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રભારી ગોપાલ રાય અને ‘આપ’ પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી, આપ વિસાવદર વિધાનસભા ઉમેદવાર ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા, કિસાન સેલ પ્રદેશ પ્રમુખ રાજુ કરપડા, પ્રદેશ મહામંત્રી સાગર રબારી, સૌરાષ્ટ્ર કાર્યકારી પ્રમુખ રાજુ સોલંકી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવિણ રામ, યુવા નેતા યુવરાજસિંહ જાડેજા, આપ નેતા હરેશ સાવલિયા સહિત મોટી સંખ્યામાં પ્રદેશના નેતાઓ તથા સ્થાનિક પદાધિકારીઓ સહિત હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ અને વિસાવદરના લોકોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિસાવદરના તમામ દલિત સમાજના લોકોએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાને સમર્થન આપવાની જાહેરાત કરી હતી.
આ સંમેલનમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણમાં એવું લખીને ગયા હતા કે સરકાર પાંચ વર્ષ રહેશે અને નોકરી કાયમી રહેશે પરંતુ ગુજરાતમાં એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે સરકાર કાયમી થઈ ગઈ છે અને નોકરી પાંચ વર્ષની થઈ ગઈ છે. આ પરિસ્થિતિને બદલવા માટે આપણે સાથે મળીને સામૂહિક પ્રયાસ કરવો પડશે. અત્યારે વિસાવદરમાં 400 નેતાઓનું ધાડું ઉતર્યું છે અને તમામ મંત્રી, સાંસદ સભ્યો, ધારાસભ્યો વિસાવદરમાં આંટા મારે છે. જે ગામમાં તલાટી મંત્રી પણ જોવા નહોતા મળતા ત્યાં અત્યારે કેબિનેટ મંત્રી જોવા મળી રહ્યા છે. પરંતુ લોકોએ પૂછવું જોઈએ કે તમે લોકો શું અમારી પીડા ઓછી કરવા આવ્યા છો કે અમારા માથે નવી ઉપાધી નાખવા આવ્યા છો?
ગામમાં મજૂરી કરતા ગરીબ લોકો સપનું જોતા હોય છે કે અમે ભલે મજૂરી કરી રહ્યા છીએ પરંતુ અમે અમારા બાળકોને ભણાવવા માંગીએ છીએ પરંતુ હાલ ગામની શાળાઓમાં શિક્ષકો નથી, કોમ્પ્યુટર નથી. કોઈ વ્યવસ્થા નથી તો આ ગરીબ બાળકોને ક્યાં ભણાવવામાં આવશે? આવા અનેક સવાલોના જવાબ આ સરકારના કોઈપણ કેબિનેટ મંત્રી પાસે પણ નથી. ભેસાણની સરકારી કોલેજમાં તો અત્યંત શરમજનક ઘટના ઘટી હતી. એક પ્રોફેસરે વિદ્યાર્થીનીઓને દબાણ કર્યું હતું કે જો પરીક્ષામાં પાસ થવું હોય તો અમે કહીએ તેમ કર નહીંતર નપાસ કરવામાં આવશે. આ અભદ્ર ઘટનાને એક વર્ષ થઈ જવા આવ્યું તેમ છતાં પણ હજુ સુધી આ ઘટનાની કોઈ એફઆઇઆર દર્જ થઈ નથી. ગરીબ માણસો સરકારી કોલેજોમાં પોતાના દીકરા દીકરીઓને ભણાવવા મોકલે છે અને ત્યાં પ્રોફેસરો આપણી દીકરીઓ પાસે આ રીતના કામ કરાવવામાં તેની ડિમાન્ડ કરે છે આ અત્યંત શરમજનક વાત છે. જો ભાજપના રાજમાં પોલીસ એફ.આઇ.આર પણ નહીં લખે તો કોને મત દેવો અને કોની પાસે હવે આશા રાખવી એ મોટો સવાલ પેદા થયો છે. પરંતુ હવે આ બાબતે મોટો નિર્ણય લેવાનો સમય આવી ગયો છે.
ગુજરાતમાં દલિતો પર અનેક અત્યાચારની ઘટના થતી હોય છે. જ્યારે ઉનાની ઘટના ઘટી ત્યારે આખો દેશ સમસમી ઉઠ્યો અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી પોતે ઉના પધાર્યા હતા. અમરેલીમાં પણ એક ઘટના બની હતી જેમાં હજારો નિર્દોષ દલિત યુવાનોને જેલમાં પૂરી દીધા હતા, થાનગઢમાં દલિતો પર ગોળીબાર થયો હતો, એક પી એસ આઈ એ ખૂલે આમ છાતી ઉપર ગોળી મારી દીધી પરંતુ એ પી એસ આઇ ને આખરે સરકારે બચાવી લીધા અને આજ દિન સુધી થાનગઢના પીડિતોને ન્યાય નથી મળ્યો. ભાનુભાઈ વણકરે દલિત સમાજના જમીનના હક મુદ્દે વિધાનસભામાં આત્મદાહ આપ્યો હતો, ગુજરાતમાં ક્યારેય ન ઘટી હોય તેવી એકમાત્ર ઘટના ભાનુભાઈના કિસ્સામાં આપણને જોવા મળી કે વિધાનસભાના પરિસરમાં એક માણસે આત્મહત્યા કરી લીધી પરંતુ આ સરકારના પેટનું પાણી પણ ન હલ્યું. દલિતો પર એટલી અત્યાચારની ઘટનાઓ ઘટે છે કે ગામેગામનું જો લિસ્ટ લઈને બેઠી એ તો ક્યારેય એ વાત પૂરી જ નહીં થાય.
જે લોકોના મનમાં જાતિવાદનું ઝેર ભરાયું છે અને છે લોકો જોઈ નથી શકતા કે ગરીબોના દીકરાઓને શિક્ષણ મળે અને તેઓ આગળ વધે, તે લોકોને ભાજપની સરકારનું સમર્થન છે. ગુંડાઓ, બદમાશો ,ગમે તેવા ખૂન ખરાબા કરે તેમ છતાં પણ તે લોકોને અઠવાડિયામાં જામીન મળી જાય છે. એટ્રોસિટીનો કેસ થયો હોય બહેનો દીકરીઓ પર દુષ્કર્મ કરવાના કેસ થયા હોય એવા લોકોને પણ આજે તાત્કાલિક જામીન મળી જાય છે અને જો એક ગરીબ માણસ હેલ્મેટ વગર પણ નીકળે તો પોલીસે ને દબડાવી નાખે છે. આજે ગુજરાતમાં ગરીબો માટે અલગ કાયદો છે અને અમીનો માટે અલગ કાયદા છે. આ પરિસ્થિતિને બદલવા માટે અમે તમારો સાથ માંગવા માટે આવ્યા છીએ હું ઈચ્છું છું કે આજે જો દલિત સમાજ અમને સાથ આપે તો આપણે સાથે મળીને આ પરિસ્થિતિને બદલી શકીએ છીએ.
આજે ભાજપ અને કોંગ્રેસે સારા માણસો માટે રાજકારણને રહેવા દીધું નથી ,ગુંડાઓ હોય, તોડબાજ હોય, માથાભારે લોકો હોય, બદમાશ હોય, કટકી કરનારા હોય, જમીન માફિયા હોય કે બે નંબરના રૂપિયાવાળા વ્યક્તિ હોય આવા જ લોકોની આજે રાજકારણમાં બોલબાલા છે .જ્યારે એક ગામમાંથી આવેલો સામાન્ય છોકરો કંઈ કરવાની ભાવના રાખતો હોય તો રાજકારણમાં એની કોઈ જગ્યા રહેવા દીધી નથી. આમ આદમી પાર્ટી એક નવા પ્રકારની પાર્ટી છે અને આમ આદમી પાર્ટી છેવાડાના માણસને પ્રતિનિધિત્વ કરવાની તક આપે છે. આજે અમારી પાર્ટીમાં અમૃતભાઈ મકવાણા છે જેને આમ આદમી પાર્ટીએ સંગઠન મંત્રીનો હોદ્દો આપ્યો. તે એક પ્રોફેસર કક્ષાના વ્યક્તિ છે અને ગુજરાત સરકાર તરફથી તેમને એવોર્ડ પણ મળ્યો છે. તેઓ સતત સંઘર્ષમાં અમારી સાથે જોડાયેલા છે અને આજે તેમને સંગઠન મંત્રી બનાવીને તેમના માર્ગદર્શનથી સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર જિલ્લામાં વિસ્તારનું કામ તેમને સોંપ્યું છે. આપણે જ્યારે કહેતા હોઈએ છીએ કે એક સમાજ આગળ આવવો જોઈએ અને એક સમાજનું ભલું થવું જોઈએ તો ત્યારે જરૂરી છે કે એ સમાજના લોકોને નેતૃત્વનું કામ મળે. ભાજપ ક્યારેય પણ આગેવાન પેદા થવા દેતું નથી તેમાંથી ફક્ત ગુંડા જ પેદા થાય છે.પોતાના સમાજની વેદનાને દિલમાં લઈને ફરનાર વ્યક્તિને નેતૃત્વ કરવાની તક ભાજપ કે કોંગ્રેસ આપશે નહીં પરંતુ ફક્ત આમ આદમી પાર્ટી જ આવી તક આપી શકે એમ છે અને આજે એટલા માટે જ આમ આદમી પાર્ટી તમારા સહયોગની માંગ કરવા આવી છે. હું એવી આશા રાખું છું કે આપ સૌના આશીર્વાદ અમને મળશે તો અમે આખા ગુજરાતમાં ખૂબ સારું કામ કરી શકીશું.
હું પણ ગામડામાંથી આવ્યો છું તો મેં જોયું છે કે જ્યાં અનુસૂચિત જાતિનો વિસ્તાર હોય ત્યાં પાણી ન પહોંચતું હોય, સ્ટ્રીટ લાઈટો ન હોય, રોડ રસ્તાની વ્યવસ્થા ન હોય આવા અનેક ભેદભાવ થતા હોય છે. આ ભેદભાવને હું જોઈ શકું છું અને સમજી પણ શકું છું અને આ ભેદભાવને ખતમ કરવા માટે અમે કામ પણ કરવા માંગીએ છીએ માટે અમને એક તક આપવામાં આવે તેવી હું આપ સૌને ફરી એકવાર વિનંતી કરું છું. આ વિસ્તારમાં અનુસૂચિત જાતિ સમાજને ખેતી માટે જે સહકારી મંડળીઓ બની છે અને જે જમીન ફાળવવામાં આવી હતી, તે જમીનોના અનેક પ્રશ્નો અમે સાંભળ્યા છે અને ઘણી જમીન ખાલસા થઈ ગઈ છે અને અત્યારે એ જમીન મંડળીના ચોપડામાંથી નીકળી ગઈ છે અને સરકારના ચોપડામાં બોલે છે, એવા અનેક પ્રશ્નો છે આવા તમામ પ્રશ્નોને હું જ્યારે અલગ અલગ ગામમાં ગયો ત્યારે આગેવાનોની સાથે બેસીને મેં આવા તમામ પ્રકારના પ્રશ્નોને સમજ્યા છે .આ પ્રશ્નો બાબતે ચૂંટણી જીત્યા પછી આપણે ફરીથી ભેગા મળી ને બેસીશું ત્યારે અનુસૂચિત જાતિ સમાજના જે પણ પ્રશ્નો છે તે પ્રશ્નો મુદ્દે એક ધારાસભ્ય તરીકે લડાઈ હું વિસાવદરના ચોકથી લઈને વિધાનસભા સુધી લડીશ. અમારી પાર્ટી હંમેશા સંવિધાનના રસ્તે અને બાબા સાહેબે બતાવેલા રસ્તે ચાલવાવાળી પાર્ટી છે.\
ત્યારબાદ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, જ્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બની ત્યારે દરેક કચેરીઓમાં બે વ્યક્તિના ફોટા રાખવામાં આવતા હતા એક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો ફોટો અને બીજો ફોટો હતો શહીદ ભગતસિંહનો ફોટો. કારણ કે અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક બાબાસાહેબે બતાવેલા સિદ્ધાંતોના આધારે આગળ વધવા માંગે છે અને પાર્ટીને પણ બાબા સાહેબના સિદ્ધાંતોના આધારે આગળ વધારવા માંગે છે અને ગરીબો વંચિતો અને શોષીતો માટે કામ કરવા માંગે છે. દિલ્હીમાં હમણાં ભાજપની સરકાર બની તે સમયે તેમણે સત્તામાં આવીને પહેલું કામ કર્યું કે આમ આદમી પાર્ટીએ દરેક સરકારી કચેરીઓમાં બાબાસાહેબ આંબેડકર લગાવ્યા હતા તે ફોટાઓને હટાવવાનું કામ ભાજપે સૌથી પહેલા કર્યું. બાબાસાહેબ આંબેડકર ફક્ત દલિતોના નેતા નથી. જો આજે દેશના દરેક નાગરિકો ઋણી હોય તો બાબા સાહેબના ઋણી છે. કારણ કે આજે બાબાસાહેબે જે બંધારણ આપ્યું છે તેના કારણે એક ચા વેચનાર પણ પ્રધાનમંત્રી બની શકે છે. પરંતુ આજે તેઓ બાબા સાહેબના સિદ્ધાંતોને અનુસરતા નથી તે પણ એક હકીકત છે.
બીજી મહત્વપૂર્ણ વાત કે જો તમે એક પણ વોટ કોંગ્રેસને આપશો તો એ કોંગ્રેસને આપેલો વોટ ભાજપને જ જશે અને જો આ રીતે એક પણ વોટ ભાજપને જશે તો એ બાબાસાહેબનું અપમાન હશે. શું આજે કોઈપણ વ્યક્તિને 100 વારના પ્લોટ મળ્યા છે? પ્લોટ છોડો આજે તો લોકોને રાશનની દુકાન પર રાશન પણ પૂરતું મળતું નથી. આ તમામ પરિસ્થિતિઓને બદલવા માટે આપણે આજે તમામ લોકો ભેગા થયા છીએ અને મારી વિનંતી છે કે આપ તમામ લોકો એક બનીને ઝાડું પર બટન દબાવો અને મજબૂત મતદાન કરાવીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલીયાને આ ચૂંટણીમાં વિજય બનાવો તેવી મારી વિનંતી છે.