By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: રાજ્યમાં કાપડ, ટેકનોલોજી, રસાયણ, ફાર્મા સહિતના ઉદ્યોગોમાં તેલુગુ લોકોનું વિશેષ યોગદાન.ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > રાજ્યમાં કાપડ, ટેકનોલોજી, રસાયણ, ફાર્મા સહિતના ઉદ્યોગોમાં તેલુગુ લોકોનું વિશેષ યોગદાન.ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
ગાંધીનગરગુજરાતધર્મ દર્શન

રાજ્યમાં કાપડ, ટેકનોલોજી, રસાયણ, ફાર્મા સહિતના ઉદ્યોગોમાં તેલુગુ લોકોનું વિશેષ યોગદાન.ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

Web Editor Panchat
Last updated: February 5, 2023 4:13 pm
Web Editor Panchat Published February 5, 2023
Share
SHARE

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એસ.જી.હાઇવે સ્થિત બાલાજી મંદિર ખાતે ‘અમદાવાદ આંધ્ર મહાસભા’ ના 75 વર્ષ પૂર્ણ થવા પર હિરક જયંતિ મહોત્સવની ઉજવણી પ્રસંગે ડાયમંડ જ્યુબીલી સોવેનિયરનું વિમોચન કર્યું હતું.
આ ડાયમંડ જ્યુબીલી સોવેનિયરના વિમોચન પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દેશની આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે જ અમદાવાદ આંધ્ર મહાસભા (AAMS) ના અસ્તિત્વના 75 વર્ષ પૂર્ણ થયા છે અને સંસ્થા તેના હિરક જયંતિ મહોત્સવની ઉજવણી કરી રહી છે તે આનંદની બાબત છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં નાત-જાત, ઊંચનીચ, ધર્મ અને ભાષાના ભેદભાવ વગરની સર્વ ધર્મ સમભાવની કાર્ય પ્રણાલી વિકસાવી છે. તેમણે શરૂ કરેલા સેવાકાર્યો અને પ્રજાકીય કાર્યોમાં હંમેશા પ્રજાનો સાથ સહકાર અને પ્રભુના આશીર્વાદ સાંપડ્યા છે.
અમદાવાદ બાલાજી મંદિર દિવ્ય સંકુલના નિર્માણકાર્યમાં પણ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈનું માર્ગદર્શન પ્રાપ્ત થયું છે તથા વડાપ્રધાને આ મંદિર માં પ્રથમ દર્શન કરીને ભગવાન બાલાજીના આશીર્વાદ મેળવ્યા હતા.

અમદાવાદ આંધ્ર મહાસભા (AAMS)ના કાર્યો અને ગુજરાતના વિકાસમાં તેલુગુ પરિવારોના પ્રદાન અંગે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ‘અમદાવાદ આંધ્ર મહાસભા’ રક્તદાન, અન્નદાન, વિદ્યાદાન સહિતના અનેક સામાજિક કાર્યો સાથે જોડાયેલી સંસ્થા છે. આપણી સામાજિક- સાંસ્કૃતિક પરંપરાઓ હંમેશા સૌને સાથે લઈને ચાલનારી રહી છે અને ‘અમદાવાદ આંધ્ર મહાસભા’ તેનું સુપેરે પાલન કરી રહી છે. વિવિધ રીત- રિવાજોનું પાલન કરતા અને વિવિધ ભાષાઓ બોલતા લોકો દેશમાં ‘વિવિધતામાં એકતા’ ના મૂળ મંત્રને સાર્થક કરે છે.
ગુજરાતમાં વર્ષોથી વસેલા તેલુગુ પરિવારોનો ગુજરાતના સર્વાંગી વિકાસમાં મહામૂલો ફાળો રહેલો છે. રાજ્યમાં કાપડ, ટેકનોલોજી, રસાયણ, ફાર્મા સહિતના ઉદ્યોગોમાં વર્ષોથી તેલુગુ લોકો પોતાનું વિશેષ યોગદાન આપતા રહ્યાં છે. ગુજરાતમાં વસેલા અન્ય રાજ્યના પરિવારો આ રીતે વર્ષોથી પરિશ્રમ દ્વારા સમાજ અને રાજ્યના વિકાસમાં યોગદાન અર્પણ કરીને ખરાં અર્થમાં ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ’ના વિચારને સાર્થક કરી રહ્યા છે.

મુખ્યમંત્રી એ વધુમાં જણાવ્યું હતું કે, ભારતની ભાતીગળ સંસ્કૃતિ
આઝાદીની લડાઈના સમયથી લઈને આજ સુધી આધ્યાત્મિક ચેતનાના બળ પર વિવિધ પડકારો સામે ટકી રહી છે તથા દિવસેને દિવસે વધુ મજબૂત અને વિકસિત બની છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વ હેઠળ દેશની ધાર્મિક અને રાષ્ટ્રીય એકતા વધુ મજબૂત બની છે. દેશના વિવિધ ધાર્મિક અને આધ્યાત્મિક સંસ્થાનો દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે અને લોકોને દેશના વિકાસની મુખ્યધારામાં જોડી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ આજે દેશને ‘આત્મનિર્ભર ભારત’ અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ બનાવવાના ઉમદા ધ્યેય સાથે દેશના સૌ સમુદાય એકસાથે મળીને પ્રયાસ કરી રહ્યાં છે તે અનુકરણીય છે.
આજે ‘વસુધૈવ કુટુંમ્બકમ’ ની ભાવના સાથે ભારત દેશ અમૃતકાળમાં વિશ્વ ગુરુ બનવા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે ગુજરાત અને દેશના સૌ રાજ્યો આ જ રીતે વધુને વધુ સાથ સહકાર દ્વારા રાષ્ટ્ર ઉત્થાન માટે વધુ ને વધુ પ્રયત્નશીલ બનશે એમ તેમણે ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે , બે દિવસ સુધી અમદાવાદ બાલાજી મંદિર ખાતે ચાલનારા આ હિરક મહોત્સવ પ્રસંગની ઉજવણી દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સમાજના વિવિધ પ્રતિભાશાળી લોકોના સન્માનના કાર્યક્રમો યોજાશે.

આ પ્રસંગે અમદાવાદ આંધ્ર મહાસભા (AAMS)ના સભ્યો, ટ્રસ્ટીગણ, દાતાઓ અને તેમના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં અમદાવાદમાં વસતાં તેલુગુ પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

સરકાર એક મહિનામાં વંગડી ડેમનું કામ શરૂ નહીં કરે તો દ્વારકા જિલ્લામાં કોઈ પણ સરકારી કાર્યક્રમ અમે થવા દઈશું નહીં: ઈસુદાન ગઢવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને દેશનું AI ઇનેબલ્ડ ગવર્નન્સ લીડર બનાવવા AI અમલીકરણનો એક્શન પ્લાન મંજૂર કર્યો

“ગુજરાત કોંગ્રેસ સમિતિ ખાતે નવા વરાયેલા માનનીય પ્રમુખ અમિતભાઈ ચાવડા નું સન્માન સમારોહ યોજાઈ ગયો”

આવો.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં : બાર જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવના મંદિરે

અદાણીના મુંદ્ના પોર્ટને પર્યાવરણ ભંગની કારણ બતાવો નોટિસને 15 વર્ષ થયા !

TAGGED:AAMSઆઝાદીના અમૃત મહોત્સવઆંધ્ર મહાસભા'નરેન્દ્રભાઈ મોદીબાલાજી મંદિરભગવાન બાલાજીભૂપેન્દ્ર પટેલમુખ્યમંત્રીહિરક જયંતિ મહોત્સવ
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

h g koshia ,comisner food and drug,gujarat
અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પુરીયસ દવા વેચતાં ઇસમોના ઘરે-મેડિકલ એજન્‍સીઓ પર પડાયા દરોડા !
ahmedabad gandhinagar govt gujarat health
શૌચાલયના દસ રુપિયા અને ગુજરાત ફર્સ્ટના મહિલા રિપોર્ટર દિવ્યા ગઢીયા પંચાલ બોલ્યા,ચેનલ ચુપ -યુરિનલ માટે પઠાણી ઉઘરાણી થાય છે !
ahmedabad govt gujarat સમસ્યા
શારદાબેન હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન ગંભીર બેદરકારી – બાળકના હાથનું ફ્રેક્ચર, દર્દીજનો સાથે ગેરવર્તન
ahmedabad congress gujarat health
17 સાંસદોને સંસદ રત્ન પુરસ્કાર, ગુજરાતમાંથી એકેય નહીં: કોંગ્રેસ જેડીયુ આરજેડી,ટીએમસી અને સમાજવાદી પાર્ટીના એક પણ સાંસદનો સમાવેશ નહી
politics આમ આદમી પાર્ટી ઇન્ડિયા કોંગેસ દેશ વિદેશ
*શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત સુરતવાસીઓને રૂ.૪૩૫.૪૫ કરોડના વિકાસ પ્રકલ્પો મુખ્યમંત્રીના હસ્તે મળ્યા
bjp govt gujarat રાજકારણ સુરત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?