By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: સુરતમાં ભાજપ સર્જિત પૂર આવ્યું: . ગોપાલ ઇટાલીયા
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > રાજકારણ > આમ આદમી પાર્ટી > સુરતમાં ભાજપ સર્જિત પૂર આવ્યું: . ગોપાલ ઇટાલીયા
આમ આદમી પાર્ટીગુજરાતભાજપરાજકારણસુરત

સુરતમાં ભાજપ સર્જિત પૂર આવ્યું: . ગોપાલ ઇટાલીયા

Web Editor Panchat
Last updated: June 30, 2025 8:33 pm
Web Editor Panchat Published June 30, 2025
Share
SHARE

AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ સુરતના પાસોદરા અને સીમાડા નાકા વિસ્તારમાં પૂર અસરગ્રસ્ત સોસાયટીઓની મુલાકાત લીધી

સુરતમાં ભાજપના લોકોએ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે, માટે પૂર આવ્યું: ગોપાલ ઇટાલીયા

ત્રણ દાયકાથી ભાજપનું શાસન છે તેમ છતાં પણ સુરતમાં ચોમાસામાં પૂરને રોકવા માટે કોઈ આયોજન કરવામાં આવતું નથી: ગોપાલ ઇટાલીયા

સુરત સહિત ગુજરાતના તમામ મોટા શહેરોમાં દર વર્ષે ચોમાસામાં ભાજપ સર્જિત પૂર આવે છે: ગોપાલ ઇટાલીયા

જુનાગઢ, અંકલેશ્વર, વડોદરા સહીત જ્યાં જ્યાં પણ પુર આવે છે, એ તમામ પુરનું કારણ ભાજપના લોકોએ કરેલા ગેરકાયદેસર બાંધકામ છે: ગોપાલ ઇટાલીયા

સમગ્ર આમ આદમી પાર્ટી પૂરની સ્થિતિમાં સુરતવાસીઓ સાથે ઉભી છે: ગોપાલ ઇટાલીયા

કતારગામમાં ટીપીની લડાઈમાં અનેક લોકો બેઘર થાય તે રીતે સરકારી તંત્ર દબાણ કરી રહ્યું છે: ગોપાલ ઇટાલીયા

અમદાવાદ/સુરત/ગુજરાત

ભાજપના અણગઢ વહીવટને કારણે એક જ વરસાદમાં સુરત આખું પાણીમાં હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને સ્થાનિકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આજે ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ સુરતના પાસોદરા વિસ્તારના સાંઈ શ્રદ્ધા સોસાયટી અને વાલમ નગર સોસાયટી, સીમાડા નાકાના પૂરગ્રસ્ત લોકો સાથે મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરિક્ષણ કર્યું અને જનતાને મળી તેમની મુશ્કેલીઓ વિશે જાણકારી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાની સાથે સાથે શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ નાવડિયા, પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી, કોર્પોરેટર મહેશભાઈ અણઘણ, સુરત લોકસભા પ્રમુખ રજનીકાંત વાઘાણી, શહેર મહામંત્રી તુલસી લાલૈયા, સોશિયલ મીડિયા કૃણાલ રામાણીએ પૂરગ્રસ્ત વિસ્તારમાં અસરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી હતી અને તેમની સમસ્યાઓ જાણી હતી.

આ દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા એ એ પોતાની વાત કરતાં જણાવ્યું હતું કે, સુરત સહીત ગુજરાતના તમામ શહેરોમાં હંમેશા ભાજપ સર્જિત પૂર આવતું હોય છે. સુરતમાં ભાજપના લોકોએ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે એટલા માટે પૂર આવ્યું છે. જુનાગઢ, અંકલેશ્વર, વડોદરા સહીત જ્યાં જ્યાં પણ પુર આવે છે, એ તમામ પૂરનું કારણ ભાજપના લોકોએ કરેલા ગેરકાયદેસર બાંધકામ છે. તો સમગ્ર ગુજરાતમાં જ્યાં પણ પૂર આવે છે, ત્યાં ભાજપના લોકોએ ગેરકાયદેસર બાંધકામ કર્યા હોય છે, તેના કારણે દર વર્ષે પૂર આવતું હોય છે. ફક્ત શહેરોમાં પૂર કેમ આવે છે? વરસાદ બહુ પડતો હોય તો પછી ગામડામાં પણ પૂર આવવું જોઈએ, પરંતુ એવું નથી થતું કારણ કે ભાજપના લોકોએ ગળા ડૂબ ભ્રષ્ટાચાર કર્યો છે અને આ ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર બાંધકામના કારણે પાણીના નિકાલની વ્યવસ્થા અટવાઈ ગઈ છે જેના કારણે પૂર આવે છે.

સુરતમાં આવેલ ખાડી પૂરમાં અનેક નાના નાના અને ગરીબ પરિવારોને તકલીફ પડી રહી છે. વર્ષોથી સુરતમાં મનપાથી લઈને રાજ્ય સરકારથી કેન્દ્ર સરકાર સુધી તમામ જગ્યાએ ભાજપનું શાસન છે. તેમ છતાં પણ જો દર વર્ષે જનતાએ પૂરનો ભોગ બનવું પડતું હોય તો તેનો સ્પષ્ટ મતલબ થાય છે કે ભાજપના તંત્ર દ્વારા સુરતના પૂરને પહોંચી વળવા માટે કોઈ આયોજન કરવામાં આવતું નથી. ભાજપના માણસોને સુરતના પૂરથી કોઈ ફરક ન પડતો હોય, તે ખૂબ જ દુર્ભાગ્યની બાબત છે. સુરતની જનતાએ 2020-21ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરો જીતાવીને આમ આદમી પાર્ટીને એક પ્લેટફોર્મ આપ્યું હતું તો આ માટે આમ આદમી પાર્ટી હંમેશા સુરતની જનતાને આભારી રહેશે. આ મુશ્કેલ સમયમાં જ્યારે સુરતની જનતાને આમ આદમી પાર્ટીના સાથ અને સહયોગની જરૂરત છે ત્યારે આમ આદમી પાર્ટી સુરતની જનતા સાથે ઉભી છે. આ સિવાય કતારગામમાં ટીપીની લડાઈમાં અનેક લોકો બેઘર થાય તે રીતે સરકારી તંત્ર દબાણ કરી રહ્યું છે. ત્યાં પણ અમે પીડિત પરિવારોની મુલાકાત લઈશું. જ્યાં પણ દુઃખનો સમય હશે ત્યાં હું જનતાની સેવા કરવા માટે હંમેશા ઉભો રહીશ.

You Might Also Like

AAPનું ગુજરાત જોડો અભિયાન શરૂ, અરવિંદ કેજરીવાલ કરશે શરૂઆત

પાવગઢમાં પાર્કિંગમાં નામે લૂંટ ચલાવવા લુખ્ખાઓને કોને આપી પરવાનગી

રાજ્યમાં ભારે વરસાદની આગાહી, એનડીઆરએફની ટીમો તૈનાત, 21 ડેમો હાઇએલર્ટ પર

વિદ્યાર્થીઓ ને હાઈસ્કૂલ માં અભ્યાસ કરવા જવા માટે જીવના જોખમે બે બે ફૂટ પાણીભરેલ ખાડા વાળા ચેકડેમપર થી શાળાએ જવા મજબૂર

ઐતિહાસિક શૌર્યના પ્રતીક સમા ‘ઘેલા સોમનાથ મહાદેવ મંદિર’ ખાતે પણ શરૂ થશે અત્યાધુનિક લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો

TAGGED:BJPfloodgopal italiagujaratsurat
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

કરોડોના મનરેગા કૌભાંડ ખુલ્લા પડ્યા બાદ પણ ભાજપના મંત્રી પર પગલાં લેવામાં આવ્યા નથી: ચૈતર વસાવા
આમ આદમી પાર્ટી કાયદો ગુજરાત ભાજપ રાજકારણ
રાજ્યના કલેક્ટરો અસમર્થ ! નાની સમસ્યાઓ માટે સીએમ સુધી પહોચવું પડે છે ફરિયાદીઓને ! સીએમએ કરી તાકીદ
ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને કેમ અપાયું છ મહિનાનું એક્સટેંશન !
કાયદો ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
સરકારની ડૂંગળી સહાય યોજના ખેડૂતો માટે કે વેપારીઓ માટે !
ઈકોનોમી કૃષિ વિશ્વ ગુજરાત
2025-26ના પ્રથમ ક્વાર્ટરમાં ગુજરાત સરકારની માલિકીની કંપનીઓનો શેર બજારમાં ડંકો વાગ્યો: BSE સેન્સેક્સ અને નિફ્ટીને પાછળ છોડ્યા
અમદાવાદ ઈકોનોમી ગુજરાત બિઝનેસ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?