By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ‘સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0’નો ધ્યેય સંપૂર્ણ કચરા મુક્ત શહેર બનાવવાનો છે. નરેન્દ્ર મોદી, વડાપ્રધાન
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ‘સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0’નો ધ્યેય સંપૂર્ણ કચરા મુક્ત શહેર બનાવવાનો છે. નરેન્દ્ર મોદી, વડાપ્રધાન
અમદાવાદદિલ્હીરાજકારણ

‘સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0’નો ધ્યેય સંપૂર્ણ કચરા મુક્ત શહેર બનાવવાનો છે. નરેન્દ્ર મોદી, વડાપ્રધાન

Web Editor Panchat
Last updated: September 9, 2022 7:03 pm
Web Editor Panchat Published September 9, 2022
Share
SHARE

આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા ‘સ્વચ્છ અમૃત મહોત્સવ’ જાહેર

ભારતીય સ્વચ્છતા લીગમાં વિવિધ શહેરોના યુવાનો સ્વચ્છતાની સ્પર્ધામાં ભાગ લેશે

અમદાવાદની ટીમ સહિત 1850થી વધુ શહેરોની ટીમે નોંધણી કરાવી

‘સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0’નો ધ્યેય સંપૂર્ણ કચરા મુક્ત શહેર બનાવવાનો છે.
નરેન્દ્ર મોદી, વડાપ્રધાન

સ્વચ્છ ભારત મિશન-શહેરીના આઠ વર્ષની ઉજવણી કરવા માટે, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ સત્તાવાર રીતે ‘સ્વચ્છ અમૃત મહોત્સવ’ શરૂ કરવાની જાહેરાત કરી છે, જે 17મી સપ્ટેમ્બર, 2022, સેવા દિવસથી 2 ઓક્ટોબર 2022 સુધી ચાલશે. આ મહોત્સવ ‘કચરાથી મુક્ત શહેરો’ બનાવવાના વિઝન પ્રત્યે નાગરિકોની કામગીરી અને પ્રતિબદ્ધતાને ગતિશીલ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આ પખવાડિયા માટેનો સત્તાવાર લોગો જાહેર કર્યો છે જેનું નામ છે- ‘સ્વચ્છ અમૃત મહોત્સવઃ એક ઔર કદમ સ્વચ્છતા કી ઓર’. આ નિર્ણય, વિશ્વના સૌથી મોટા સ્વચ્છતા કાર્યક્રમમાં જન આંદોલનને વધુ તીવ્ર બનાવવા અને તેને પુનઃજીવિત કરવાના સંકલ્પને દર્શાવે છે.

સકારાત્મક પગલાં માટે યુવા ઊર્જાનો ઉપયોગ કરવાના વડા પ્રધાનના વિઝનને અનુરૂપ, કેન્દ્રીય મંત્રીએ 17મી સપ્ટેમ્બરના રોજ શહેરોના યુવાનો વચ્ચે યોજાનારી આંતર-શહેર સ્પર્ધા, ‘ભારતીય સ્વચ્છતા લીગ(ઇન્ડિયન સ્વચ્છતા લીગ – ISL)’ શરૂ કરવાની જાહેરાત કરી છે. તેના પ્રકારની આ પ્રથમ સ્પર્ધા છે. ISL ની પ્રથમ આવૃત્તિ માટે, સમગ્ર દેશમાંથી 1,850 થી વધુ શહેરની ટીમોએ સ્પર્ધામાં ભાગ લેવા માટે સત્તાવાર રીતે નોંધણી કરાવી છે. દરેક ટીમ કચરા મુક્ત બીચ, ટેકરીઓ અને પ્રવાસન સ્થળો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પોતાની આગવી સ્વચ્છતા પહેલ દ્વારા આ લીગમાં સ્પર્ધા કરશે.

સહભાગી શહેરોની સૌથી વધુ ટકાવારી ધરાવતા રાજ્યોમાં ઓડિશા, આસામ, છત્તીસગઢ, પંજાબ, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, ત્રિપુરા, કેરળ, આંધ્રપ્રદેશ અને જમ્મુ અને કાશ્મીર છે. અમુક મોટા શહેરોની ટીમોમાં હેરિટેજ અમદાવાદ, મુંબઈ સમ્રાટ, દિલ્હી સ્વચ્છતા પ્રહરી અને NDMC વોરિયર્સ, નમ્મા ચેન્નાઈ, અદમ્ય બેંગલુરુ, અને હૈદરાબાદ સ્વચ્છ ચેમ્પિયન્સનો સમાવેશ થાય છે જેમણે લીગમાં પહેલેથી જ નોંધણી કરાવી છે. 60 લાખથી વધુ વસ્તી ધરાવતા 47 શહેરો અને 20 રાજ્યોની રાજધાની આ સ્પર્ધામાં સામેલ છે.

વિવિધ ભૌગોલિક વિસ્તારોના શહેરો અને દેશના પ્રતિષ્ઠિત પ્રવાસી સ્થળો , જેમ કે લેહ, કન્યાકુમારી, કોહિમા, દ્વારકા, કોણાર્ક, પોર્ટ બ્લેર, રામેશ્વરમ, ગયા, પોંતા સાહિબ, કર્તા, ઉજ્જૈન, નાસિક, વારાણસી, પહેલગામ વગેરેએ તેમની ટીમો રજીસ્ટર કરીને સ્પર્ધા માટે ટીમના કેપ્ટન નિયુક્ત કર્યા છે.

ત્યારબાદ આગળના પગલા તરીકે, નાગરિકોને 11મી સપ્ટેમ્બર 2022 થી સત્તાવાર MyGov પોર્ટલ પર તેમની સંબંધિત શહેરની ટીમમાં જોડાવા માટે આમંત્રિત કરવામાં આવે છે. નાગરિક નોંધણી માટેની લિંક નીચે મુજબ છે: https://innovateindia.mygov.in/swachhyouthrally/. આ લિંક 17મી સપ્ટેમ્બર 2022 ના રોજ સાંજે 6 વાગ્યા સુધી લાઇવ રહેશે. આ પહેલે યુવા વર્ગમાં પહેલેથી જ ઘણો ઉત્સાહ અને રસ પેદા કર્યો છે. આ પખવાડિયા દરમિયાન વિવિધ અન્ય રસપ્રદ કાર્યક્રમો પણ યોજવામાં આવશે, જેમ કે સ્ટાર્ટ-અપ ચેલેન્જ ફોરમ, ટોયકેથોન-કચરામાંથી રમકડા બનાવવા, ટેક્નોલોજી પ્રદર્શન, સ્વચ્છ શહેર સંવાદ, વગેરે. આખરે 2 ઓક્ટોબર, ગાંધી જયંતિના રોજ સ્વચ્છ ભારત દિવસે તેનું સમાપન થશે.

સ્વચ્છ અમૃત મહોત્સવ અને ભારતીય સ્વચ્છતા લીગ (ISL) પર અપડેટ્સ માટે, સ્વચ્છ ભારત મિશનની સત્તાવાર વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્રોપર્ટીઝને અનુસરો:
ફેસબુક:Swachh Bharat Mission – Urban | ટ્વિટર: @SwachhBharatGov |
યુટ્યુબ : Swachh Bharat Mission-Urban | ઇન્સ્ટાગ્રામ :sbm_urban

You Might Also Like

હર્ષ સંઘવીની પોલીસે ગેંગરેપના પોસ્ટર લગાવી સીએમ ભુપેન્દ્ર પટેલની નાક કાપી ! ગેંગ રેપ માટે પોલીસ જવાબદાર નહી

“ગુજરાત કોંગ્રેસ સમિતિ ખાતે નવા વરાયેલા માનનીય પ્રમુખ અમિતભાઈ ચાવડા નું સન્માન સમારોહ યોજાઈ ગયો”

અદાણીના મુંદ્ના પોર્ટને પર્યાવરણ ભંગની કારણ બતાવો નોટિસને 15 વર્ષ થયા !

17 સાંસદોને સંસદ રત્ન પુરસ્કાર, ગુજરાતમાંથી એકેય નહીં: કોંગ્રેસ જેડીયુ આરજેડી,ટીએમસી અને સમાજવાદી પાર્ટીના એક પણ સાંસદનો સમાવેશ નહી

*શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત સુરતવાસીઓને રૂ.૪૩૫.૪૫ કરોડના વિકાસ પ્રકલ્પો મુખ્યમંત્રીના હસ્તે મળ્યા

TAGGED:bhupendra patelcmo gujaratindia swachhta leagueNarendra Modiswachh bharat missionswachh bharat mission urban
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

h g koshia ,comisner food and drug,gujarat
અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પુરીયસ દવા વેચતાં ઇસમોના ઘરે-મેડિકલ એજન્‍સીઓ પર પડાયા દરોડા !
ahmedabad gandhinagar govt gujarat health
શૌચાલયના દસ રુપિયા અને ગુજરાત ફર્સ્ટના મહિલા રિપોર્ટર દિવ્યા ગઢીયા પંચાલ બોલ્યા,ચેનલ ચુપ -યુરિનલ માટે પઠાણી ઉઘરાણી થાય છે !
ahmedabad govt gujarat સમસ્યા
સરકાર એક મહિનામાં વંગડી ડેમનું કામ શરૂ નહીં કરે તો દ્વારકા જિલ્લામાં કોઈ પણ સરકારી કાર્યક્રમ અમે થવા દઈશું નહીં: ઈસુદાન ગઢવી
aap gujarat politics ગુજરાત દેવભૂમિ દ્વારકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને દેશનું AI ઇનેબલ્ડ ગવર્નન્સ લીડર બનાવવા AI અમલીકરણનો એક્શન પ્લાન મંજૂર કર્યો
gandhinagar govt gujarat ગુજરાત ટૅક & ઑટો
શારદાબેન હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન ગંભીર બેદરકારી – બાળકના હાથનું ફ્રેક્ચર, દર્દીજનો સાથે ગેરવર્તન
ahmedabad congress gujarat health
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?