By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: મુખ્યમંત્રીએ દશનામ સમાજના સાધુ-સંન્યાસીઓનું શાલ ઓઢાડી સન્માન કર્યુ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > Uncategorized > મુખ્યમંત્રીએ દશનામ સમાજના સાધુ-સંન્યાસીઓનું શાલ ઓઢાડી સન્માન કર્યુ
Uncategorized

મુખ્યમંત્રીએ દશનામ સમાજના સાધુ-સંન્યાસીઓનું શાલ ઓઢાડી સન્માન કર્યુ

Web Editor Panchat
Last updated: September 2, 2022 8:15 pm
Web Editor Panchat Published September 2, 2022
Share
SHARE

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગોસ્વામી સમાજનું ગાંધીનગરમાં સ્નેહમિલન યોજાયું

મુખ્યમંત્રીએ દશનામ સમાજના સાધુ-સંન્યાસીઓનું શાલ ઓઢાડી સન્માન કર્યુ

મુખ્યમંત્રી-

એજ્યુકેશનથી ઇન્ડસ્ટ્રીઝ સહિતના તમામ ક્ષેત્રે ગુજરાત દેશનું અગ્રેસર રાજ્ય
અત્યારે અમુક લોકો ગુજરાતના વિકાસની છબીને ધુંધળી કરવામાં લાગ્યા છે
કોઇ એવું ક્ષેત્ર નથી જ્યાં ગુજરાતે નવા પ્રકલ્પો-નવી સિદ્ધિ ન પ્રાપ્ત કર્યા હોય
ગુજરાત માનવ વિકાસના-જન સુખાકારીના તમામ પાસાંઓમાં બીજાને રાહ ચિંધી શકે તેટલું સક્ષમ રાજ્ય છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, હેલ્થ, એજ્યુકેશન, ઇન્ફ્રાસ્ટ્રકચર, ઇન્ડસ્ટ્રીઝ અને એનર્જી સહિતના તમામ ક્ષેત્રે ગુજરાત દેશનું અગ્રેસર રાજ્ય છે. ગુજરાતની અદ્યતન આરોગ્ય સુવિધાઓનો લાભ તો આસપાસના રાજ્યના લોકો ખૂબ મોટી સંખ્યામાં લેવા આવે છે અને નિરોગી-નિરામય બની પોતાના વતન રાજ્યમાં પરત ફરે છે, તેમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રી ગાંધીનગરમાં આયોજીત ગોસ્વામી સમાજના સ્નેહમિલનમાં સંબોધન કરી રહ્યાં હતાં. તેમણે અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાતની પ્રગતિ-વિકાસની વિસ્તૃત વિગતો જણાવી હતી.
અત્યારે અમુક લોકો ગુજરાતના વિકાસની છબીને ધૂંધળી કરવામાં લાગ્યા છે અને ગુજરાતના સર્વાંગી વિકાસને નકારી રહ્યાં છે, પરંતુ ગુજરાતની જનતા આવી વાતોથી ભરમાશે નહી કે આવી વાતોમાં આવશે નહી તેમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાત બે દાયકાથી સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રને અનુસરીને દેશનું મોડલ સ્ટેટ બન્યું છે. કોઇ એવું ક્ષેત્ર નથી જ્યાં આપણે નવા પ્રકલ્પો-નવી સિદ્ધિ પ્રાપ્ત ન કરી હોય. માનવ વિકાસ-જન સુખાકારીના તમામ પાસાંઓમાં ગુજરાત અન્ય રાજ્યોને રાહ ચિંધી શકે તેટલું સક્ષમ અને આદર્શ રાજ્ય છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતને છેલ્લા ૮ વર્ષની ડબલ એન્જીનની સરકારનો લાભ મળી રહ્યો છે. નાના-મોટા દરેક સમાજ વર્ગની દરકાર લઇ ગુજરાતની ભાજપા સરકાર સૌના ઉત્કર્ષ, આર્થિક-સામાજીક ઉન્નતિ માટે કર્તવ્યરત છે.
મુખ્યમંત્રીશ્રીએ આ તકે ગોસ્વામી સમાજના સાધુ-સંન્યાસીઓનું શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું અને આશીર્વાદ મેળવ્યા હતાં.
બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ઉદય કાનગડે જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિ સનાતની પરંપરાઓને ચુસ્તપણે અનુસરનારી છે. આ પરંપરાઓના રક્ષણ-સંવર્ધન માટે કાર્યરત ગોસ્વામી સમાજ હંમેશા ભાજપા સરકારની પડખે રહ્યો છે.
દોલતગીરી બાપુએ જણાવ્યું કે, શ્રાવણ મહિનામાં તપ-જપ કરી, તે પૂણ્ય ભેગું કરી ગોસ્વામી સમાજના સંતો-સંન્યાસીઓ મુખ્યમંત્રીશ્રીને આશીર્વાદ આપવા પધાર્યા છે. મુખ્યમંત્રીના મુદુ અને મક્કમ સ્વભાવ અને સરળ વ્યક્તિત્વની તેમણે પ્રશંસા કરી હતી.
આ સમારોહમાં અમદાવાદ જિલ્લા પ્રમુખ હર્ષદગીરી, બક્ષીપંચ મોરચાના પૂર્વ અધ્યક્ષ ભગવાનદાસ પંચાલ, ધર્મેન્દ્રગીરીજી, મયંક નાયક,યુવા નેતા રોહિત સાધુ  સહિતના મહાનુભાવો તેમજ ગોસ્વામી સમાજના અગ્રણી-ભાઇઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.

You Might Also Like

SC સમાજના પીડાના પ્રશ્નો લઈને વિધાનસભામાં લડીશું – ગરીબનો અવાજ હવે દબાશે નહીં: ગોપાલ ઇટાલીયા

ભારતીય શિક્ષણ પદ્ધતિમાં જ્ઞાન સાથે સંસ્કાર પણ અનિવાર્ય છે – મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના નગરોમાં વધુ માર્ગ સલામતી અને સારા રસ્તાની સુવિધા આપવાનો જનહિત નિર્ણય

“પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” જેવા મહત્વાકાંક્ષી વિષય આધારિત વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ અભિયાનમાં ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે મેદાન માર્યું

ગુડ ગર્વનન્સ માટે રાજ્ય સરકારની માહિતી અધિકાર અધિનિયમ – ૨૦૦૫ ના અમલમાં આમૂલ પરિવર્તન લાવતી ક્રાંતિકારી સૂચનાઓ

TAGGED:bhagvandas panchalbhupendra patelcm gujaratcmo gujaratdharmendragirijidolatgiri bapugoswamiharshadgiri goswamimayank nayakobc morcho bjpuday kangad
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે
કૃષિ વિશ્વ ગાંધીનગર ગુજરાત
શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર
અમદાવાદ ગુજરાત
કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !
અમદાવાદ કોંગેસ ગુજરાત રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?