By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા નું અંતિમ સત્ર ..સત્ર દરમ્યાન 7 સુધારા વિધેયક રજૂ કરાશે, પ્રશ્નોત્તરીકાળ રદ કરાયો વિપક્ષ નારાજ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા નું અંતિમ સત્ર ..સત્ર દરમ્યાન 7 સુધારા વિધેયક રજૂ કરાશે, પ્રશ્નોત્તરીકાળ રદ કરાયો વિપક્ષ નારાજ
ગાંધીનગરગુજરાતરાજકારણ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા નું અંતિમ સત્ર ..સત્ર દરમ્યાન 7 સુધારા વિધેયક રજૂ કરાશે, પ્રશ્નોત્તરીકાળ રદ કરાયો વિપક્ષ નારાજ

Web Editor Panchat
Last updated: September 20, 2022 8:34 pm
Web Editor Panchat Published September 20, 2022
Share
SHARE

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા નું અંતિમ સત્ર ..સત્ર દરમ્યાન 7 સુધારા વિધેયક રજૂ કરાશે, પ્રશ્નોત્તરીકાળ રદ કરાયો વિપક્ષ નારાજ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર માસ માં યોજનાર છે તે પહેલા ગુજરાતની ૧૪મી વિધાનસભાનું 11મું અને અંતિમ સત્ર મળનાર છે. બે દિવસીય આ સત્ર તોફાની બને એવી પૂરી સંભાવના છે કેમ કે આ વખતે સચિવાલયની બહાર પૂર્વ સૈનિકો ,એલ આર ડી ઉમેદવારો ,માલધારી ,ગૌમાતા ,કિસાનો સહીત સમાજ ના વિવિધ વર્ગ ના લોકો સરકાર સામે આંદોલનો ચલાવી રહ્યા છે..ત્યારે વિપક્ષ માટે રાત નાની અને વેશ ઝાઝા જેવી સ્થિતિ છે કારણ વિપક્ષ માટે પ્રજાકીય પ્રશ્નો ઉઠાવવા માટે સમય પૂરતો નથી જેને લીધે પણ તેઓ નારાજ છે.

રાજ્ય સરકાર આંદોલનકારીઓ ને નાથવામાં નિષ્ફળ ગઈ છે.ત્યારે વિપક્ષ આંદોલનકારીઓ ના મુદ્દે સરકાર ને ગૃહમાં ઘેરશે.આ તમામ સંભાવનાઓ વચ્ચે વિવિધ સમસ્યાઓ ને લઇ વિપક્ષ ના એમ એલ એ પોસ્ટર બેનર સાથે ગૃહ માં વિરોધ કરશે.

ગુજરાત વિધાનસભાના અંતિમ સત્રમાં બે બેઠક બે દિવસ દરમિયાન યોજાશે. આ બંને બેઠક દરમ્યાન 7 જેટલા સુધારા વિધેયક રજૂ કરાશે., જે પૈકી પ્રથમ દિવસે કુલ 4 સુધારા વિધેયક રજૂ કરાશે જ્યારે બીજી બેઠકમાં ત્રણ સુધારા વિધેયક રજૂ કરાશે.. સત્ર દરમિયાન ટૂંકી મુદતના પ્રશ્ન પણ પૂછવામાં આવશે.

ગુજરાત શહેરી વિસ્તારમાં ઢોર નિયંત્રણ (રાખવા અને હેરફેર) કરવા બાબત વિધેયક ને લઇ વિરોધ ચાલી રહ્યો છે.તેમાં સુધારા વધારા કે રદ થઇ શકે છે.

ગુજરાત માલ અને સેવા વેરા (સુધારા) વિધેયક, 2022
જીએસટી કાઉન્સિલ દ્વારા 43મી અને 45મી બેઠકમાં જીએસટી કાયદામાં સુધારા કરાયા છે ત્યારે ગુજરાત ખાતે જીએસટી અધિનિયમ,2017ની જોગવાઈ લાગુ કરવામાં એકરૂપતા જળવાય તે માટે જીએસટી વિધેયકમાં સુધારા જરૂરી બન્યા છે.

ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ (સુધારા) વિધેયક, 2022
ગુજરાત સરકારે આતંકવાદી પ્રવૃત્તિ અટકાવવા અને તેનું નિયંત્રણ કરવા માટે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ, ૨૦૧૫ અધિનિયમિત કર્યો છે જેમાં કેટલાક સુધારા કરાયા છે. આ સુધારામાં સંગઠિત ગુના સિન્ડિકેટના સભ્ય વતી બિન હિસાબી મિલકતનો કબજો ધરાવવા માટેની શિક્ષા નક્કી કરાશે

વિદ્યુત ઉદ્યોગ પુનર્ગઠન અને નિયમન અધિનિયમ, 2022
આ વિધેયકથી ઉદ્યોગ અને ગ્રાહકો પર પાલન કરવાની જવાબદારી ઘટાડવાના હેતુથી ગુજરાત વિદ્યુત ઉદ્યોગ ( પુનર્ગઠન અને નિયમન) અધિનિયમ, ૨૦૦૩માં સુધારો કરાયો છે જેમાં રાજ્ય સરકારને નવા સુધારાથી ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન) અધિનિયમ, ૨૦૦૩ અથવા તે હેઠળ કરેલા કોઈ નિયમ , આદેશ અથવા પાલન ના કરવાનાં કૃત્યોને નિમ્ન, મધ્યમ અથવા ઉચ્ચ કક્ષામાં વર્ગીકરણ કરવાની સત્તા મળશે.

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (સુધારા‌) વિધેયક, 2022
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી અધિનિયમ, 2003માં ગુજરાત રાજ્યની બહાર કેમ્પસ ઊભું કરવાની સત્તા આપતી કોઈ જોગવાઈ ના હોવાથી અધિનિયમની કલમ ૩માં સુધારો કરાયો છે. જેથી હવે ગુજરાત રાજ્યની અંદર અથવા બહારનાં સ્થળોએ વધારાનાં કેમ્પસ સ્થાપી શકશે.
5. ગુજરાત વિનિયોગ અધિનિયમ (રદ કરવા બાબત) વિધેયક, 2022
ભારતની સંસદ દ્વારા અધિનિયમિત કરાયેલા ગુજરાત લેખાનુદાન, 1980 અને ગુજરાત વિનિયોગ અધિનિયમ, 1980ને હવે રાજ્ય વિધાન મંડળ દ્વારા રદ કરવાની જરૂર જણાઈ છે. ચોક્કસ નાણાકીય વર્ષો પછી, વિનિયોગ અધિનિયમ પોતાનું મહત્ત્વ ગુમાવતા હોવાથી ભૂતકાળના વ્યવહારને સુરક્ષિત રાખવા માટે, વિધેયકમાં યોગ્ય અપવાદ દાખલ કરાશે..

You Might Also Like

1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે

AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું

શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના

અમદાવાદ વિમાન દુર્ઘટના – અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા

અમદાવાદ પ્લેન દુર્ઘટના – સિવીલ હોસ્પિટલ તંત્ર અને રાજ્ય સરકાર આ કપરા સમયમાં દરેક પીડિત પરિવારની પડખે: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

૧૯ જૂન – વિશ્વ સિકલ સેલ નાબૂદી દિવસ વહેલા નિદાન અને યોગ્ય સારવારથી સિકલ સેલ મુક્ત બનશે ગુજરાત
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત હેલ્થ
અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપતો રાજ્ય મંત્રીમંડળનો શોકદર્શક પ્રસ્તાવ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
મૃતકોનાં પરિવારજનોની વ્યવસ્થા સાચવવા માટે માર્ગ અને મકાન વિભાગ અહર્નિશ ખડેપગે
અમદાવાદ ગુજરાત
ગુજરાત યોગ બોર્ડના સફળ છ વર્ષ: 1.5 લાખ પ્રશિક્ષકોને તાલીમ, 5000થી વધુ દૈનિક સત્રો, 5 લાખથી વધુ નાગરિકો નિયમિત યોગાભ્યાસ કરતા થયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
સિવિલ હોસ્પિટલમાં પાર્થિવ દેહના પોસ્ટમોર્ટમ, ફોરેન્સિક તપાસ અને સ્ટોરેજની અત્યાધુનિક સુવિધા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?