By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ગુજરાતમાં પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકોમાં બાળમૃત્યુદર વર્ષ 2019માં પ્રતિ 1000 લાઇવ બર્થ્સ માટે 28 હતો જે 2022માં ઘટીને 23 થયો છે
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > ગુજરાતમાં પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકોમાં બાળમૃત્યુદર વર્ષ 2019માં પ્રતિ 1000 લાઇવ બર્થ્સ માટે 28 હતો જે 2022માં ઘટીને 23 થયો છે
ગાંધીનગરગુજરાતજાણવા જેવું

ગુજરાતમાં પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકોમાં બાળમૃત્યુદર વર્ષ 2019માં પ્રતિ 1000 લાઇવ બર્થ્સ માટે 28 હતો જે 2022માં ઘટીને 23 થયો છે

Web Editor Panchat
Last updated: October 16, 2022 4:54 pm
Web Editor Panchat Published October 16, 2022
Share
SHARE

બાળકોનું જીવન બચાવવા માટે જલ જીવન મિશનને મળી આંતરરાષ્ટ્રીય સરાહના

ગુજરાતમાં પણ બાળમૃત્યુદરમાં ઘટાડો થવા માટે જલ જીવન મિશનનું મહત્વપૂર્ણ યોગદાન

નોબલ પુરસ્કાર વિજેતા પ્રો. ક્રેમરનો દાવો, જલ જીવન મિશન (JJM)થી ભારતમાં બાળમૃત્યુદરમાં મોટો ઘટાડો થયો છે
ગુજરાતમાં પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકોમાં બાળમૃત્યુદર વર્ષ 2019માં પ્રતિ 1000 લાઇવ બર્થ્સ માટે 28 હતો જે 2022માં ઘટીને 23 થયો છે

બાળકોનું જીવન બચાવવામાં સ્વચ્છ ભારત અભિયાનની સફળતા પછી હવે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના જલ જીવન મિશનને પણ આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રશંસા મળી છે. નોબલ પુરસ્કાર વિજેતા અમેરિકન પ્રોફેસર માઇકલ ક્રેમરનો દાવો છે કે સ્વચ્છ ભારત અભિયાનથી ભારતમાં દર વર્ષે ત્રણ લાખથી વધુ બાળકોના જીવ બચાવવામાં આવી રહ્યા છે, તો બીજી બાજુ જલ જીવન મિશન પણ બાળમૃત્યુ દરમાં મોટો ઘટાડો લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આ પહેલા સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમે (UNDP) જલ જીવન મિશનની નોંધપાત્ર પ્રગતિની પ્રશંસા કરતા કહ્યું હતું કે આ યોજનાને વિશ્વના અન્ય પછાત દેશોમાં લાગૂ કરવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2019માં સમગ્ર દેશમાં ગ્રામ્ય વિસ્તારોમાં નલ સે જલ અભિયાન શરૂ કર્યું હતું. અત્યારસુધીમાં દેશના 4 રાજ્ય અને 2 કેન્દ્રશાસિત પ્રદેશશ 100 ટકા નલ સે જલ જાહેર થઈ ચૂક્યા છે અને ટુંક સમયમાં ગુજરાતનું નામ પણ તેમાં સામેલ થવા જઇ રહ્યું છે. ગુજરાતમાં 99.79 ટકા નલ સે જલનું કામ પૂરું થઈ ચૂક્યું છે. રાષ્ટ્રીય સ્તરે વાત કરીએ તો કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતની દેખરેખમાં ઝડપથી યોજનાઓને લાગૂ કરીને ભારતના લગભગ 54 ટકા ઘરોને સ્વચ્છ પીવાના પાણીની યોજનાઓ સાથે સાંકળવામાં આવ્યા છે. 2019માં જ્યારે આ મિશનની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે દેશની લગભગ અડધી ગ્રામ્ય વસ્તી સ્વચ્છ પીવાના પાણીની ઉપલબ્ધતાથી વંચિત હતી.

JJMએ ગુજરાતમાં બાળ મૃત્યુદર ઘટાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી

જલ જીવન મિશનનું ધ્યેય ભારતના તમામ ગામડાઓમાં દરેક ઘરમાં ચોવીસ કલાક ચોખ્ખું પાણી પૂરું પાડવાનું છે. દેશના દરેક ઘરમાં સ્વચ્છ પાણીની પહોંચ સાથે, પાણીજન્ય રોગોને કારણે બાળ મૃત્યુદરમાં તીવ્ર ઘટાડો થયો છે.

જો આંકડાઓ પર નજર કરવામાં આવે તો 2019માં ગુજરાતમાં જેજેએમની શરૂઆત થઈ તે પહેલાં 5 વર્ષથી ઓછી વયના શિશુઓનો મૃત્યુદર પ્રતિ 1000 લાઈવ બર્થ 28 હતો. જે 2022માં ઘટીને 1000 લાઈવ બર્થ પર 23 થઈ ગયો છે. ગુજરાતના આરોગ્ય વિભાગે પણ એ વાત માની છે કે બાળ મૃત્યુદરમાં આ ઘટાડા માટે જલ જીવન મિશનનો મહત્વનો ફાળો છે.

ગુજરાતના આરોગ્ય વિભાગનું માનવું છે કે આવનારા 1-2 વર્ષમાં પાણીજન્ય રોગોથી પીડિત બાળકોની સંખ્યામાં હજુ ઘટાડો થશે કારણ કે જેમ જેમ ઘરમાં સ્વચ્છ પાણી પીવાનું વધશે તેમ તેમ તેની સીધી અસર ઘરમાં રહતા તમામ લોકોના જેમાં ખાસ કરીને માતા અને બાળકના આરોગ્ય પર પડશે. આમ, આ મિશન આવનારા સમય માટે રાજ્ય સ્તરના બાળ મૃત્યુદરને ઘટાડવામાં પણ વધુ મદદરૂપ બનશે.

કેવી રીતે ખાસ છે પ્રો. ક્રેમરનો રિસર્ચ રિપોર્ટ?

ભારતીય અધિકારીઓ સાથેની મુલાકાત દરમિયાન તેમને સંબોધતા પ્રો. ક્રેમરે જણાવ્યું હતું કે તેમના અભ્યાસમાંથી એક મહત્વપૂર્ણ તારણ એ મળી આવ્યુ છે કે જો પરિવારોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે તો બાળ મૃત્યુ લગભગ 30 ટકા ઘટાડી શકાય છે. જેમ કે, ‘હર ઘર જલ’ કાર્યક્રમ ખાસ કરીને બાળકોમાં આરોગ્યના ધોરણોને સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. શિકાગો યુનિવર્સિટી દ્વારા પ્રોફેસર માઈકલ ક્રેમરનું પેપર પ્રકાશિત કરવામાં આવ્યું છે. ક્રેમર રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જો સરકાર તેનું JJM લક્ષ્ય હાંસલ કરે તો દર વર્ષે ભારતમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના લગભગ 1.36 લાખ બાળકોને બચાવી શકાય છે.

ગુજરાતના 99.79 ટકા ગામોમાં પહોંચ્યુ લગભગ દરેક ગામમાં નળમાંથી પાણી

નલ સે જલ કાર્યક્રમ હેઠળ, કેન્દ્ર સરકારે 2024 સુધીમાં ભારતના તમામ ગ્રામીણ વિસ્તારોમાં ઘરોને પર્યાપ્ત અને સુરક્ષિત પીવાનું પાણી પૂરું પાડવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. કેન્દ્ર સરકારના આ લક્ષ્યાં કના બે વર્ષ પહેલા ગુજરાતને 100% નળથી પાણી પહોંચાડતુ રાજ્ય જાહેર કરવામાં આવશે. આજની તારીખ સુધીમાં ગુજરાતના 99.79 ટકા ગ્રામીણ પરિવારો સુધી નળથી પાણી પહોંચાડવામાં આવ્યુ છે. રાજ્ય સરકારનો પ્રયાસ છે કે આ મહિને ગુજરાતને 100 ટકા નલ સે જલ જાહેર કરવામાં આવે.

You Might Also Like

ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ

શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૩ ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ

TAGGED:જલ જીવન મિશનનોબલ પુરસ્કાર વિજેતાપ્રો. ક્રેમરનોબાળમૃત્યુદરમાઇકલ ક્રેમરનોવડાપ્રધાન નરેન્દ્ર મોદીસ્વચ્છ ભારત અભિયાન
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

SC સમાજના પીડાના પ્રશ્નો લઈને વિધાનસભામાં લડીશું – ગરીબનો અવાજ હવે દબાશે નહીં: ગોપાલ ઇટાલીયા
Uncategorized
“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬
ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી નો ગૃહકલેશ ફરી જાહેર માં આવ્યો સામે !
આણંદ ગુજરાત રાજકારણ
ગુજરાતના લોકોમાં સહકારનો વારસો, સહયોગ અને સેવા ભાવના છે, એ જ રાષ્ટ્રની પ્રગતિનો માર્ગ છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
એસ.ટી. બસોની સફાઈ માટે રાજ્યના ૩૩ ડેપો ખાતે ‘ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન’ ઇન્સ્ટોલ કરાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?