By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ગાંધીનગર ટાઉનહોલ ખાતે ભરવાડ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા આયોજીત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > ગાંધીનગર ટાઉનહોલ ખાતે ભરવાડ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા આયોજીત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ
ગાંધીનગરગુજરાતરાજકારણ

ગાંધીનગર ટાઉનહોલ ખાતે ભરવાડ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા આયોજીત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ

યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે સરકારના પ્રયાસોમાં સમાજનો સહયોગ મળે તો વિકાસની ગતિ બમણી થઈ જાય છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Web Editor Panchat
Last updated: June 5, 2025 9:38 pm
Web Editor Panchat Published June 5, 2025
Share
SHARE

ગાંધીનગર ટાઉનહોલ ખાતે ભરવાડ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા આયોજીત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ
————
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભરવાડ સમાજના ૫૦ જેટલા યુવાનોને પગભર બનાવવા જે.સી.બી.નું વિતરણ કરાયું
————
યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે સરકારના પ્રયાસોમાં સમાજનો સહયોગ મળે તો વિકાસની ગતિ બમણી થઈ જાય છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
————
:: મુખ્યમંત્રી ::
* “ધંધા રોજગારની સાથે પર્યાવરણનો વિચાર કરવો એ હવેના સમયની માંગ છે”
* ‘એક પેડ માં કે નામ’ થકી આખા દેશમાં ૧૭ કરોડ ૫૦ લાખથી વધુ વૃક્ષો વાવી ગુજરાતે બીજા નંબરનું સ્થાન પ્રાપ્ત કર્યું છે તે રાજ્ય માટે ગર્વની વાત
————
ભરવાડ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા ગાંધીનગરના ટાઉનહોલ ખાતે આયોજિત ૫૦ જે.સી.બી.ના વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભરવાડ સમાજના ૫૦ જેટલા આર્થિક રીતે જરૂરિયાતમંદ યુવાનોને પગભર બનાવવા એક પણ રૂપિયાના ડાઉન પેમેન્ટ વગર જે.સી.બી.નું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી સંગઠનના આ કાર્યને બિરદાવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી હરહંમેશ કહે છે કે, યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે સરકારના પ્રયાસોમાં સમાજનો સહયોગ મળે તો વિકાસની ગતિ બમણી થઈ જાય છે.

મુખ્યમંત્રી પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, સમાજ-જીવન માટે ખૂબ ઉપયોગી ઘણા સંકલ્પો વડાપ્રધાનશ્રીએ આપ્યા છે. આપણે પણ જે કોઈ કાર્ય કરીએ તેમાં પર્યાવરણને પ્રાધાન્ય આપવું જરૂરી છે. આપણા ધંધા-રોજગારમાં અને જીવનશૈલીમાં પર્યાવરણનો વિચાર કરીશું તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સાકાર થશે. દરેક ગામ દરેક સમાજ જ્યારે આગળ આવશે ત્યારે જ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનશે.

આપણને જે પણ કુદરતી સંપદા આપણા વડીલો પાસેથી મળેલી છે એ સંપદાને આપણે નવી પેઢીને કેવી રીતે આપી શકીએ તેના માટેનો વડાપ્રધાનશ્રી હર હંમેશ પ્રયત્ન કર્યો છે. પાણીનો દુરુપયોગ ન થાય, પાણીને કેવી રીતે જમીનમાં ઉતારી તેનો સંચય કરી શકાય એના માટે વિચારવું જોઈએ એમ પણ મુખ્યમંત્રી

ભારપૂર્વક કહ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ પ્લાસ્ટિક મુક્ત ગુજરાતથી પ્લાસ્ટિક મુક્ત ભારતના વિચાર સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ રોજિંદી જીવનશૈલીમાંથી કેવી રીતે બંધ કરી શકાય તે માટે પ્રયત્ન કરવા પણ અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટેના ઉપાયના ભાગરૂપે વડાપ્રધાનશ્રીએ ગયા વર્ષે શરૂ કરેલું ‘એક પેડ માં કે નામ’ અભિયાન જન આંદોલન બની ગયું છે. રાજ્યભરમાં ગયા વર્ષે ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત ૧૭ કરોડ ૫૦ લાખથી વધુ વૃક્ષો વાવી ગુજરાતે સમગ્ર દેશમાં બીજા નંબરનું ગૌરવ સ્થાન પ્રાપ્ત કર્યું છે તેનો પણ મુખ્યમંત્રીશ્રીએ ગૌરવપૂર્વક ઉલ્લેખ કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વ પ્રયાવરણ દિવસ-2025થી ‘એક પેડ માં કે નામ 2.O’ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત વધુને વધુ વૃક્ષો વાવીને ગ્રીન કવર વધારવા સૌને અપીલ કરી હતી.

વડાપ્રધાન “ગ્યાન” શક્તિ એટલે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને વિકસિત ભારતના ચાર સ્તંભ ગણાવ્યા છે તેના પર વિશેષ ભાર મૂકીને વિકસિત ગુજરાત માટે આગળ વધવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આ અવસરે મહંતશ્રી રામબાપુ, મહંતશ્રી ઘનશ્યામપૂરી બાપુ, લઘુ મહંતશ્રી નામદેવ ભગત, મહંતશ્રી કેહુ ભગત, મહંતશ્રી નારણદાસ બાપુએ સૌને આશીર્વાદ આપ્યા હતા.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ભવાનભાઈ ભરવાડ, લાખાભાઈ ભરવાડ સહિત ભરવાડ સમાજના અગ્રણીઓ તેમજ જિલ્લા પ્રમુખ અનિલ પટેલ તથા આશિષ ભટ્ટ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ

શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૩ ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ

TAGGED:bharwadsamajbhupendrapatelgandhinagargujarat
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

SC સમાજના પીડાના પ્રશ્નો લઈને વિધાનસભામાં લડીશું – ગરીબનો અવાજ હવે દબાશે નહીં: ગોપાલ ઇટાલીયા
Uncategorized
“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬
ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી નો ગૃહકલેશ ફરી જાહેર માં આવ્યો સામે !
આણંદ ગુજરાત રાજકારણ
ગુજરાતના લોકોમાં સહકારનો વારસો, સહયોગ અને સેવા ભાવના છે, એ જ રાષ્ટ્રની પ્રગતિનો માર્ગ છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
એસ.ટી. બસોની સફાઈ માટે રાજ્યના ૩૩ ડેપો ખાતે ‘ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન’ ઇન્સ્ટોલ કરાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?