By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: વડાપ્રધાનના નેતૃત્વમાં દેશે વિકાસની એક નૂતન તરાહ તરાસી છે-સાંસદ ડો. ભારતીબેન શિયાળ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ભાવનગર > વડાપ્રધાનના નેતૃત્વમાં દેશે વિકાસની એક નૂતન તરાહ તરાસી છે-સાંસદ ડો. ભારતીબેન શિયાળ
ગુજરાતભાવનગરરાજકારણ

વડાપ્રધાનના નેતૃત્વમાં દેશે વિકાસની એક નૂતન તરાહ તરાસી છે-સાંસદ ડો. ભારતીબેન શિયાળ

Web Editor Panchat
Last updated: September 12, 2022 8:47 pm
Web Editor Panchat Published September 12, 2022
Share
SHARE

 

 

 

વિશ્વાસ થી વિકાસ યાત્રા કાર્યક્રમનો પ્રથમ દિવસ

ભાવનગરના મહુવા ખાતે રૂ.૨૫ કરોડના કુલ ૨૨૧ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતાં સાંસદ ડો. ભારતીબેન શિયાળ

વડાપ્રધાનના નેતૃત્વમાં દેશે વિકાસની એક નૂતન તરાહ તરાસી છે-સાંસદ ડો. ભારતીબેન શિયાળ

રાજ્યની ૨૦ વર્ષની વિકાસ યાત્રાથી સમાજના અંતિમ છેવાડાના માનવીને લાભ થયો છે ત્યારે આ ૨૦ વર્ષની વિકાસ યાત્રાની વાત લઈને રાજ્યભરમાં શરૂ થયેલાં ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ કાર્યક્રમ અંતર્ગત આજે પ્રથમ દિવસે ભાવનગરના મહુવા ખાતે સાંસદ ડો. ભારતીબેન શિયાળે રૂ. ૨૫ કરોડના કુલ-૨૨૧ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે કર્યું હતું.

મહુવાના સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સાંસદે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં વિકાસની એક નૂતન વિકાસની તરાહ તરાસી છે.

આપણાં દેશનું વિકાસ મોડલ આજે ફક્ત દેશમાં નહીં પણ વિદેશમાં પણ નોંધ લેવી પડે તે પ્રકારે દેશમાં વિકાસ થયો છે.

તેમણે જણાવ્યું કે, સમાજના અંતિમ છેવાડે બેઠેલાં લોકોના જીવન ધોરણમાં સુધારો આવે તેવી વિકાસયાત્રા તેમના નેતૃત્વમાં સમગ્ર દેશભરમાં અને ગુજરાતમાં ચાલી રહી છે.

મહિલાઓ, બાળકો, યુવાનો, ખેડૂતો, શ્રમજીવીઓ માટે અનેક પ્રકારની યોજનાઓ બનાવી તેમના જીવન ધોરણમાં સુધારો આવે અને તેઓ વિકાસની મુખ્યધારામાં આવે તે માટે સરકાર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.

૩ કરોડથી વધુ લોકોનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. દેશની ૯ કરોડ મહિલાઓ ઉજ્જવલા ગેસથી ચૂલાના ધુમાડામાંથી મુક્ત થઈ છે. તે સાથે મહિલાઓને આત્મસન્માન અને ગૌરવ પણ મળ્યું છે. દેશમાં પાણી, રસ્તા, ગટર, ગાર્ડન સહિતની તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

તેમણે વધુમાં ઉમેર્યું કે, લોકોનો વિશ્વાસ ન મળે ત્યાં સુધી વિકાસ ન થઈ શકે. ભારત જેવો વિવિધતા ધરાવતો દેશ એકતા વગર અને જાગૃતિ વગર આગળ ન વધી શકે. આ માટેનું કામ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુપેરે કરી બતાવ્યું છે.

કોરોના કાળમાં જાગૃતિને કારણે આપણે કોરોનાને મ્હાત આપી શક્યા છીએ તે તેનું સૌથી મોટું જ્વલંત ઉદાહરણ છે તેમ જણાવી તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ દેશભરમાં રસીકરણ અભિયાન ચલાવીને લોકોને બે ડોઝ આપી દીધા છે. કોરોના કાળમાં વિશેષ પેકેજ પણ આપ્યું હતું. દેશના ૮૦ કરોડ લોકોને ઘરે અનાજ પહોંચાડીને તેમને ભૂખ્યા સુવા દીધા નથી. કોરોનાની રસી આપણાં દેશમાં બનતી નહોતી તેને બનાવવાની શરૂઆત કરીને ‘આત્મનિર્ભર ભારત’માટેનું પણ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.

આગામી દિવસોમાં વડાપ્રધાનની ભાવનગર મુલાકાત બાબતે કહ્યું કે, ભાવનગર ખાતે વિશ્વનું સૌથી મોટું સી.એન.જી. ટર્મિનલ આકાર પામવા જઈ રહ્યું છે. વડાપ્રધાને ભારતની આંતરિક સાથે બાહ્ય સુરક્ષા માટે પણ મજબૂત કદમ ઉઠાવ્યાં છે. જેને લીધે આજે ભારતની નોંધ સમગ્ર વિશ્વભરમાં આદર સાથે લેવામાં આવી રહી છે.
આ‌ અવસરે ‘૨૦ વિશ્વાસની વિકાસ ગાથા’ દર્શાવતી માહિતી ખાતાની ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. તાલુકા વિકાસ અધિકારી મહેશ વસાવાએ આભાર વિધિ કરી હતી.
આ પ્રસંગે મહુવા નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન મકવાણા, પ્રાંત અધિકારી કુસુમબેન પ્રજાપતિ, ડી.વાય.એસ.પી. મિહિર બારૈયા, મામલતદાર એન.એસ. પારિતોષ, નગરપાલિકાના સભ્યો, સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ-અધિકારીઓ અને મહુવાના નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં

You Might Also Like

હર્ષ સંઘવીની પોલીસે ગેંગરેપના પોસ્ટર લગાવી સીએમ ભુપેન્દ્ર પટેલની નાક કાપી ! ગેંગ રેપ માટે પોલીસ જવાબદાર નહી

સરકાર એક મહિનામાં વંગડી ડેમનું કામ શરૂ નહીં કરે તો દ્વારકા જિલ્લામાં કોઈ પણ સરકારી કાર્યક્રમ અમે થવા દઈશું નહીં: ઈસુદાન ગઢવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને દેશનું AI ઇનેબલ્ડ ગવર્નન્સ લીડર બનાવવા AI અમલીકરણનો એક્શન પ્લાન મંજૂર કર્યો

“ગુજરાત કોંગ્રેસ સમિતિ ખાતે નવા વરાયેલા માનનીય પ્રમુખ અમિતભાઈ ચાવડા નું સન્માન સમારોહ યોજાઈ ગયો”

આવો.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં : બાર જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવના મંદિરે

TAGGED:bharatsiben shiyalvishvas thi vikas yatra
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

h g koshia ,comisner food and drug,gujarat
અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પુરીયસ દવા વેચતાં ઇસમોના ઘરે-મેડિકલ એજન્‍સીઓ પર પડાયા દરોડા !
ahmedabad gandhinagar govt gujarat health
શૌચાલયના દસ રુપિયા અને ગુજરાત ફર્સ્ટના મહિલા રિપોર્ટર દિવ્યા ગઢીયા પંચાલ બોલ્યા,ચેનલ ચુપ -યુરિનલ માટે પઠાણી ઉઘરાણી થાય છે !
ahmedabad govt gujarat સમસ્યા
શારદાબેન હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન ગંભીર બેદરકારી – બાળકના હાથનું ફ્રેક્ચર, દર્દીજનો સાથે ગેરવર્તન
ahmedabad congress gujarat health
અદાણીના મુંદ્ના પોર્ટને પર્યાવરણ ભંગની કારણ બતાવો નોટિસને 15 વર્ષ થયા !
govt gujarat politics ઇન્ડિયા ઈકોનોમી કચ્છ ગવર્મેન્ટ ગુજરાત બિઝનેસ રાજકારણ સમસ્યા
17 સાંસદોને સંસદ રત્ન પુરસ્કાર, ગુજરાતમાંથી એકેય નહીં: કોંગ્રેસ જેડીયુ આરજેડી,ટીએમસી અને સમાજવાદી પાર્ટીના એક પણ સાંસદનો સમાવેશ નહી
politics આમ આદમી પાર્ટી ઇન્ડિયા કોંગેસ દેશ વિદેશ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?