By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ‘વન કવચ’ પહેલ દ્વારા પર્યાવરણ સુરક્ષામાં અગ્રેસર બન્યું ગુજરાત, જાપાનીઝ પદ્ધતિથી 400 હેક્ટરમાં તૈયાર થશે ગાઢ જંગલ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ‘વન કવચ’ પહેલ દ્વારા પર્યાવરણ સુરક્ષામાં અગ્રેસર બન્યું ગુજરાત, જાપાનીઝ પદ્ધતિથી 400 હેક્ટરમાં તૈયાર થશે ગાઢ જંગલ
અમદાવાદગુજરાત

‘વન કવચ’ પહેલ દ્વારા પર્યાવરણ સુરક્ષામાં અગ્રેસર બન્યું ગુજરાત, જાપાનીઝ પદ્ધતિથી 400 હેક્ટરમાં તૈયાર થશે ગાઢ જંગલ

Web Editor Panchat
Last updated: June 4, 2025 7:44 pm
Web Editor Panchat Published June 4, 2025
Share
SHARE

5 જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ


*
જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી છોડનો ઉછેર થાય છે 10 ગણો ઝડપી, પરંપરાગત જંગલો કરતાં હોય છે 30 ગણાં ગીચ
*
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ‘વન કવચ’ પહેલ હેઠળ શહેરી વનીકરણ મામલે અન્ય રાજ્યો માટે ઉદાહરણરૂપ બન્યું ગુજરાત
*
ગાંધીનગર, 4 જૂન: ભારતમાં પર્યાવરણ સંરક્ષણ અને નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંકો પરિપૂર્ણ કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સ્થાનિક સ્તરે જાપાનીઝ મિયાવાકી પદ્ધતિને પ્રોત્સાહન આપ્યું છે. મિયાવાકી પદ્ધતિ જાપાનના વનસ્પતિશાસ્ત્રી ડૉ. અકીરા મિયાવાકી દ્વારા વિકસાવવામાં આવી છે જેનો ઉદ્દેશ ઓછી જમીનમાં ઝડપથી સઘન વનરાજી ઊભી કરવાનો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે રાજ્યમાં ઝડપથી વૃક્ષો ઉગાડવા માટે વન કવચ બનાવવાનું બીડું ઝડપ્યું છે. આ વન કવચ શહેરી, ઉપ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ગ્રીન આવરણ બનાવીને હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે. આનાથી વિવિધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનું જતન થાય છે અને ખેડૂતોની રોજગારીમાં પણ વધારો થાય છે.

ઉલ્લેખનીય છે કે, પર્યાવરણ સંરક્ષણ અંગે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી દર વર્ષે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં મિયાવાકી પદ્ધતિથી વન કવચ ઊભા કરવાની પહેલ પર્યાવરણ સંરક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

વન કવચ પહેલ હેઠળ રાજ્યનો 400 હેક્ટર વિસ્તાર ગાઢ જંગલોમાં થશે પરિવર્તિત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્ષમ નેતૃત્વ હેઠળ ગુજરાતમાં વન કવચ પહેલનું સફળ અમલીકરણ થયું છે અને તેના પરિણામે પર્યાવરણમાં નોંધપાત્ર સુધારો થયો છે. વર્ષ 2023-24માં, ગુજરાતમાં 85 સ્થળોએ 100 હેક્ટર વિસ્તારમાં વન કવચ તૈયાર કરવામાં આવ્યું હતું, જ્યારે 2024-25માં 122 સ્થળોએ વધુ 200 હેક્ટર ક્ષેત્રમાં વન કવચ વિકસાવવામાં આવી રહ્યું છે. તો 2025-26 માટે આ લક્ષ્ય 400 હેક્ટરનું રાખવામાં આવ્યું છે. વન કવચ પહેલ હેઠળ ગુજરાતે વનીકરણ માટે આ નવીન અભિગમ અપનાવીને ગ્રીન ફ્યુચર અને ટકાઉ વિકાસ માટે રાજ્યની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવી છે.

પરંપરાગત જંગલોની સરખામણીમાં વધુ કાર્બન શોષે છે મિયાવાકી જંગલો
મિયાવાકી પદ્ધતિથી ઓછા સમયમાં એક મોટા વિસ્તારમાં વિશાળ જંગલ ઊભું કરી શકાય છે. આ જંગલો પ્રતિ હેક્ટર 10,000 સ્વદેશી રોપાઓ વાવીને વિકસાવવામાં આવે છે, જેમાં 1 મીટર x 1 મીટરના અંતરની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિથી બનતું ગાઢ જંગલ પરંપરાગત વાવેતર કરતાં 10 ગણું ઝડપી વિકાસ પામે છે અને તે 30 ગણાં વધુ ગીચ હોય છે.

એકબીજાથી નજીક વાવવાને કારણે આ રોપાઓ જાણે સૂર્યપ્રકાશ મેળવવા માટે સ્પર્ધા કરતા હોય તેમ ઝડપથી વૃદ્ધિ પામે છે અને તેનાથી એક મોટા છત્ર જેવો આકાર બને છે. આ આવરણને કારણે નીંદણને નિયંત્રિત કરી શકાય છે અને જમીનમાં ભેજ જળવાઈ રહેતો હોવાથી છોડનું સ્વાસ્થ્ય પણ સુધરે છે. આ પદ્ધતિથી ઊગેલાં વૃક્ષ પરંપરાગત જંગલોની સરખામણીમાં વધુ કાર્બન શોષે છે અને વાતાવરણમાં રહેલાં પ્રદૂષણને ઘટાડે છે. એટલું જ નહીં, પરંપરાગત જંગલોને પરિપક્વ થવામાં સદીઓ લાગે છે, જ્યારે વન કવચ ફક્ત 20થી 30 વર્ષમાં ગાઢ બની જાય છે.

પર્યાવરણીય લાભો ઉપરાંત, વન કવચ સામાજિક જોડાણ અને ઇકો-ટુરિઝમને પણ પ્રોત્સાહન આપે છે. આ વન કવચમાં વન કુટિર, બાળકો માટે રમતગમત ક્ષેત્ર અને રળિયામણાં સ્થળોનો સમાવેશ થાય છે, જે વૃક્ષો અને જૈવવિવિધતાના મહત્વ વિશે જનજાગૃતિ વધારવામાં મદદ કરે છે. આ પદ્ધતિથી ઊભાં કરવામાં આવેલા જંગલોથી પક્ષીઓ, જીવજંતુઓ અને પ્રાણીઓનું જતન થાય છે અને નાનાં સસ્તન પ્રાણીઓને પણ ફાયદો થાય છે. આ ઉપરાંત, કેટલાંક ખેડૂતો મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને સારું વળતર પણ મેળવી રહ્યા છે.

વન કવચ પહેલ દ્વારા શહેરી વનીકરણ મામલે ઉદાહરણરૂપ બન્યું ગુજરાત
પર્યાવરણને વધુ સુંદર બનાવવા માટેની ગુજરાતની વન કવચ પહેલ અન્ય રાજ્યો માટે ઉદાહરણરૂપ બની છે. મિયાવાકી પદ્ધતિથી બિનફળદ્રુપ કે પડતર જમીન પર વૃક્ષો ઉગાડી શકાય છે તેથી રાજ્યમાં વન કવચ પહેલ વેગ પકડી રહી છે. સ્થાનિક ઑથોરિટી મિયાવાકી જંગલોના વિકાસ માટે જમીન અને સંસાધનોની ફાળવણી કરી રહી છે. અમદાવાદથી માંડીને સુરત સુધી વિસ્તરી રહેલા વન કવચ હવાની ગુણવત્તામાં સુધારો કરી રહ્યા છે અને પર્યાવરણીય જાગૃતિ લાવવાનું કામ પણ કરી રહ્યા છે. વન કવચથી શહેરી વનીકરણ બાબતે ગુજરાત અગ્રેસર બન્યું છે અને પ્રતિબદ્ધતા અને નવીન અભિગમ સાથે શહેરો પણ લીલાંછમ બની શકે છે એ સાબિત કરી બતાવ્યું છે.

You Might Also Like

વિસાવદર પેટા ચૂંટણીમાં AAPનો મોટો ખુલાસો: BJP ઉમેદવાર કિરીટ પટેલ ફ્રોડ

ગાંધીનગરમાં નિર્માણ પામ્યું ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત

પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના

ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત

Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

“પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” જેવા મહત્વાકાંક્ષી વિષય આધારિત વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ અભિયાનમાં ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે મેદાન માર્યું
Uncategorized
મુ્ખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
ગુડ ગર્વનન્સ માટે રાજ્ય સરકારની માહિતી અધિકાર અધિનિયમ – ૨૦૦૫ ના અમલમાં આમૂલ પરિવર્તન લાવતી ક્રાંતિકારી સૂચનાઓ
Uncategorized
પીએમ મોદી વૃક્ષારોપણ
વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન, 2025 ગુરૂવારે “એક પેડ માં કે નામ 2.0” અંતર્ગત ગાંધીનગરમાં નવા સચિવાલય પ્રાંગણમાં મુખ્યમંત્ર ભૂપેન્દ્ર પટેલ માતૃવન – વન કવચમાં વૃક્ષારોપણ કરશે
Uncategorized
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા ભાજપ રાજકારણ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?