વિસાવદરમાં ભાજપ કોંગ્રેસના કોઈ પ્લાન સફળ થયા નહીં માટે હવે તે લોકોએ મોટી સંખ્યામાં દારૂની પેટીઓ ઉતારી: રાજુભાઈ કરપડા AAP
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દારૂની પેટીઓ પકડી, શું આ કામ પોલીસનું નથી?: રાજુભાઈ કરપડા AAP
AAP કાર્યકર્તાઓ પ્રચાર કરે કે દારૂની પેટીઓ પકડે?: રાજુભાઈ કરપડા AAP
ભાજપ કોંગ્રેસ બંનેનું સપનું હતું કે તેઓ ગોપાલ ઇટાલીયાને હરાવે, પરંતુ આ સપનું પૂરું થશે નહીં: રાજુભાઈ કરપડા AAP
ગોપાલ ઇટાલીયાને બદનામ કરવા માટે ભાજપ-કોંગ્રેસે પૈસાની લ્હાણી કરી, કાર્યકર્તા-પદાધિકારીઓને તોડવાની કોશિશ કરી પણ સફળ થયા નહિ: રાજુભાઈ કરપડા AAP
વિસાવદરની જનતાને અપીલ, ગોપાલ ઇટાલીયાની સાથે રહો અને તાનાશાહી અને ભ્રષ્ટાચારી લોકોને ઘર ભેગા કરો: રાજુભાઈ કરપડા AAP
અમદાવાદ/જુનાગઢ/ગુજરાત
આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાએ વિસાવદર ચૂંટણીના એક અત્યંત ગંભીર મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે વિસાવદર ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના દારૂના અને પૈસાના ખેલને અમે ઉજાગર કર્યા છે. ગઈકાલે વિસાવદરની સાયોના હોટલમાં જે ઘટના ઘટી એના આગલા દિવસે આમ આદમી પાર્ટી વિરુદ્ધ વિડીયો બનાવનાર એક વ્યક્તિએ હળદેવભાઇને શાયોના હોટલમાં બોલાવ્યા હતા અને આ કોઈ આક્ષેપ નથી પરંતુ ટેલિફોનિક વાતચીત છે અને સબૂતો છે. તો આ રીતે પહેલા હળદેવભાઇને પાંચ લાખ રૂપિયાની વાત કરીને તેમને સાયોના હોટલમાં લઈ જવામાં આવ્યા ત્યારબાદ હળદેવભાઈને કહેવામાં આવ્યું કે તમે આવતીકાલે આવજો તમને પૈસા આપીશું અને તમે ગોપાલભાઈ ઇટાલીયા વિરોધ વિડીયો બનાવજો. આ ઘટના અમે ઉજાગર કરી ત્યારબાદ કોંગ્રેસે પોતાનો બચાવ કરવાની કોશિશ કરી પરંતુ જ્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે હરદેવભાઇ રૂમમાં જાય છે, લલિત વસોયા રૂમમાં જાય છે અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ અગાઉ વિડિયો બનાવનાર વ્યક્તિ પણ રૂમમાં જાય છે.
હકીકતમાં જો આ બધા કામ ભાજપે કર્યા હોત અને હળદેવભાઇને ગોપાલભાઈ વિરુદ્ધ વિડીયો બનાવવાનુ કહીને અને ભાજપના સમર્થનમાં વોટ આપવાનું જો કહ્યું હોત તો લોકો સમજી જાત કે આ ભાજપની ચાલ છે કારણ કે ભાજપની ઈમેજ એટલી ખરડાઈ ગઈ છે કે હવે લોકો ભાજપની આવી વાતોમાં વિશ્વાસ કરે તેમ નથી એટલા માટે ભાજપે કોંગ્રેસને આગળ કરી અને આ રીતે લોકોને ખરીદવાનું શરૂ કર્યું. એક રાજનૈતિક પાર્ટીના પદ પર છું માટે મારે કોઈ ખરાબ શબ્દો ઉપયોગ ન કરવો જોઈએ પરંતુ મારે આજે મજબૂરીમાં કહેવું પડે છે કે કોંગ્રેસે ગઈકાલે દલાલની ભૂમિકા નિભાવી છે. તો આ રીતે ભાજપના ઢાલ બનીને અમુક કોંગ્રેસના નેતાઓએ કામ કર્યું છે.
વાત અહીંયા અટકતી નથી, ભાજપે ગઈકાલે જે દારૂ મંગાવ્યો એની દારૂની માહિતી અમારા એક વ્યક્તિને મળી. ત્યારબાદ અમારા માણસે રોડ પરથી ઉભા ઉભા જોયું કે દારૂની પેટીઓ ઉતરી રહી છે પછી એ વાડાના રૂમના દરવાજાને તાળું મારવામાં આવ્યો ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી કે અહીંયા શંકાસ્પદ રીતે દારૂ ઉતારવામાં આવ્યો છે એવી અમને શંકા છે. તો પછી પોલીસ આવી પછી એ વાડીમાં ભેંસ દોહવા માટે એક બહેન આવે છે જે અગાઉના વીડિયોમાં પણ દેખાયા હતા તે બહેન આવીને દરવાજો ખોલે છે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જીઆરડી જવાનોની સાથે રાખીને એ રૂમમાં પ્રવેશ કરે છે. અને ત્યાં મોટી સંખ્યામાં દારૂ પકડાય છે.
વાત અહીંયા નથી અટકતી. કોંગ્રેસનું સપનું હતું કે તેઓ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાને હરાવે. પરંતુ કોંગ્રેસ તેમાં સફળ થઈ નહીં. ભાજપને એવું હતું કે તેઓ પોતાના ઉમેદવારને જીતાડી દેશે પરંતુ તેઓને પણ દેખાઈ રહ્યું છે કે ભાજપ પોતાના ઉમેદવારને જીતાડી શકતી નથી. માટે આમ આદમી પાર્ટીને આ લોકો ફક્ત બદનામ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે, ષડયંત્ર કરી રહ્યા છે. આ લોકોએ આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે પૈસાની લાહણી કરી, કાર્યકર્તાઓને તોડવાની કોશિશ કરી, પદાધિકારીઓને તોડવાની કોશિશ કરી અને ત્યારબાદ પણ તે લોકોને સંતોષ ન થયો એટલા માટે તે લોકોએ ગામેગામ દારૂ વેચવાનો નિર્ણય કર્યો. ગઈકાલે અમે બે લાખ રૂપિયાની કોંગ્રેસની પોલ ખોલી અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના બે કાર્યકર્તાઓ પાસે ફક્ત 50 હજાર રૂપિયા મળ્યા એમાં તો એસીપીએ પ્રેસ કોન્ફરન્સ કરી પરંતુ ભાજપના અને કોંગ્રેસના નેતાઓએ બે લાખ રૂપિયા આપીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ફોડવાની કોશિશ કરી અને તેનું સ્ટિંગ ઓપરેશન પણ અમે કર્યું તે મુદ્દા પર ACP કોઈ પ્રેસ કોન્ફરન્સ નથી કરતા, તો અમારો સવાલ છે કે શું પોલીસ ન્યુટ્રલ થઈને કામ કરે છે કે ભાજપનો હાથો બનીને કામ કરે છે.ગઈકાલે જેના ત્યાં દારૂ પકડાયો તે ભાજપ સાથે જોડાયેલ વ્યક્તિ દિનેશ મેહતરના પિતાએ ત્રણ મહિના પહેલા વિડીયો બનાવીને કહ્યું હતું કે મારા દીકરાની ઓફિસ દારૂનો અડ્ડો બની ગઈ છે. હવે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગાડીઓના પીછા કરીને દારૂ પકડાવે તો હકીકતમાં આ કામ શું પોલીસનું નથી? પોલીસે હકીકતમાં જે દિશામાં તપાસ કરી હોય તે દિશામાં તપાસ કરતી નથી.
અમે વિસાવદરની જનતાને વિનંતી કરીએ છીએ કે આમ આદમી પાર્ટી આ તમામ લોકો સામે લડી લેવાની તાકાત ધરાવે છે. ગમે તેટલા ષડયંત્ર થાય પરંતુ ગોપાલ ઇટાલીયા ભાજપ-કોંગ્રેસ સામે ઝૂકવાના નથી, અમારા એક એક કાર્યકર્તાઓ ક્રાંતિકારી છે, અમે લોકશાહી બચાવવાની લડાઈઓ લડી લઈશું કારણ કે અમારા લોહીમાં પ્રમાણિકતા છે. અમે તાકાતથી લડીશું અને તાકાતથી જવાબ આપીશું. વિસાવદરના મતદારોને અમે વિનંતી કરીએ છીએ કે હવે 19 તારીખે ગોપાલભાઈ ઇટાલીયાની સાથે રહો અને આ તાનાશાહી અને ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે અને ભ્રષ્ટાચારી લોકોને ઘર ભેગા કરવા માટે ઝાડુંના નિશાન સામે મત આપીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાને વિજય બનાવો.