By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી નું કેમ કરાયું સન્માન
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી નું કેમ કરાયું સન્માન
ગાંધીનગરગુજરાતરાજકારણ

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી નું કેમ કરાયું સન્માન

Web Editor Panchat
Last updated: January 1, 2023 9:14 pm
Web Editor Panchat Published January 1, 2023
Share
SHARE

 

શ્રી આંજણા ( ચૌઘરી) સેવા મંડળ, ગાંધીનગરનો સ્નેહ મિલન સમારંભ ગુજરાત વિઘાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌઘરીના અધ્યક્ષ સ્થાને ઘ્રુવ પાર્ટી પ્લોટ, ગીફટ સીટી રોડ, શાહપુર, ગાંધીનગર ખાતે યોજાયો હતો.
સમાજના ભાઇ-બહેનો એકબીજાને મળે તે ખૂબ આનંદની વાત છે, તેવું કહી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, સમય અનુસાર સમાજમાં પરિવર્તન આવું ખૂબ જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે, આવનારો સમય સોફટ પાવરનો છે, આ સોફટ પાવર રાજકીય, ધાર્મિક, સામાજિક જેવી અનેક ક્ષત્રોમાં અગ્રેસર બનશે. સોફટ પાવર એટલે કે, આપણે એકબીજાને હસતા હસતા મળીએ, પોતાના નજીકના માણસોને મળીએ ત્યારે તેનું માન સન્માન કરીએ, કર્મચારીઓ સાથે પણ હસતા હસતા મળીએ ત્યારે આપની તાકાતમાં અને સન્માનમાં વધારો થશે. આજે સોફટ પાવર થકી જ આપણે સમાજને આગળ લઈ જઈ શકીશું.
સમાજનું અહિત થાય તેવું કાર્ય સમાજના કોઈપણ બંધુએ ના કરવું જોઈએ, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, સમાજની એકતા અને સંગઠન મજબૂત હોવું જેટલું જરૂરી છે, તેટલું જ મહત્વનું સમાજમાં શિક્ષણ સહિત અનેક બાબતોનો વિકાસ કરી શકાય તેવી બાબતોને પ્રાઘાન્ય આપવું પણ જરૂરી છે.
ધોરણ ૧ થી ૧૨ મા સારા માર્ક મેળવીને સમાજનું સન્માન મેળવનાર સર્વે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી પદ્મશ્રી અને જાણીતા લેખક શ્રી દેવેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓને આજે અહીં ઇનામ મળ્યું નથી. તેમણે નિરાશ થવાની જરૂર નથી, કારણ કે, ૪૦% મેળવનાર વ્યક્તિ ૯૦ ટકા મેળવનાર વ્યક્તિને નોકરી રાખી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, ગાંધીજીએ પણ એસ.એસ.સી.માં ૪૦ ટકા મેળવ્યા હતા, તો પણ દેશના રાષ્ટ્રપિતાનું સન્માન મેળવ્યું છે. અમિતાભ બચ્ચન આજે પોતાના અવાજથી જે રીતે ખ્યાતિ મેળવી શક્યા છે, તેમનો આ અવાજ પણ એક સમયે નાપાસ થયો હતો, આવા અનેક વ્યક્તિઓના દષ્ટાંત આપી ઇનામ ન મેળવનાર વિદ્યાર્થીઓનું મનોબળ મજબૂત કર્યું હતું.

પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલે ઉમેર્યું હતું કે, સમાજમાં રહી સમાજનો વિકાસ કરવો ખૂબ જરૂરી છે અને સમાજનો વિકાસ કરવા માટે અન્ય સમાજમાં રહેલી શૈક્ષણિક, સામાજિક રીતરિવાજો કે અન્ય સારી બાબતોનો આપણે સ્વીકાર કરવો જોઈએ.બાળકોના જીવન ઘડતરમાં શું ધ્યાન રાખવું જોઈએ તેની દષ્ટાંતપૂર્વક વાત કરી હતી. તેમજ આગામી સમયમાં જીવનસાથીની પસંદગી કરનાર નવયુવાનોને આ પસંદગી દરમિયાન કઈ બાબતને પ્રાધાન્ય આપવું જોઈએ તેનાથી પણ દષ્ટાંતપૂર્વક વાત કરીને વાકેફ કર્યા હતા.
આ સ્નેહમિલન સમારંભમાં સમાજના વર્ષ- ૨૦૧૯ થી ૨૦૨૨ ના તેજસ્વી વિઘાર્થીઓ, વર્ગ-૧ના અધિકારીશ્રીઓ, ર્ડાકટરશ્રીઓ અને ખાસ એવોર્ડ વિજેતાશ્રીઓનું સન્માન વિઘાનસભાના અઘ્યક્ષ શંકરભાઇ ચૌઘરી સહિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં પાર્ટી પ્લોટના દાતા અને પૂર્વ કોર્પોરેટર શ્રી શંકરભાઇ ચૌઘરી, મંડપના દાતા અને શિક્ષાપત્રી ગૃ્રપના વિષ્ણુભાઇ ચૌઘરી, નિમેષભાઇ ચૌઘરી અને હિતેષભાઇ ચૌઘરી, ભોજનદાતા શ્રી દિનેશભાઇ ચૌઘરી, લવજીભાઇ ચૌઘરી અને નારાયણભાઇ ચૌઘરી સહિત દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ શેઠ હરિભાઇ ચૌઘરી, માણસાના પૂર્વ ઘારાસભ્ય અમિતભાઇ ચૌઘરી, વિજાપુર એપીએમસીના વાયસ ચેરમેન અને પ્રમુખ ગ્રૃપના કનુભાઇ ચૌઘરી, ગાંધીનગર જિલ્લા પંચાયતના સદસ્ય શનાભાઇ ચૌઘરી, અર્બુદા બચત મંડળના પ્રમુખ જીતુભાઇ ચૌઘરી ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્નેહમિલન સમારંભને સફળ બનાવવા માટે સમાજના પ્રમુખ ભીમજીભાઇ એમ. પટેલ અને મહામંત્રી ભગવાનભાઇ સી. ચૌઘરી સહિત મંડળના સર્વે સભ્યો અને સમાજના નવયુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણયમનું નિધન

બીએસએફનો જવાન વિવેક રાવલનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:gujarat assemblyGUJARAT VIDHANSBHAshankar chaudhriઅખિલ આંજણા કેળવણી મંડળઅમિતભાઇ ચૌઘરીકનુભાઇ ચૌઘરીભગવાનભાઇ સી. ચૌઘરીશનાભાઇ ચૌઘરીહરિભાઇ ચૌઘરી
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?