By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: સત્તા કરતા પાર્ટીને સર્વોપરી માનતા ડો અનિલ જોશિયારાની વિદાય,
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > સત્તા કરતા પાર્ટીને સર્વોપરી માનતા ડો અનિલ જોશિયારાની વિદાય,
અમદાવાદગુજરાતરાજકારણ

સત્તા કરતા પાર્ટીને સર્વોપરી માનતા ડો અનિલ જોશિયારાની વિદાય,

Web Editor Panchat
Last updated: March 14, 2022 5:34 pm
Web Editor Panchat Published March 14, 2022
Share
joshiyara shrandhanjali
જોશિયારાનુ નિધન
SHARE

 

સત્તા કરતા પાર્ટીને સર્વોપરી માનતા ડો અનિલ જોશિયારાની વિદાય,

પુર્વ આરોગ્ય પ્રધાન ડો અનિલ જોશિયારાની વસમી વિદાય થઇ છે, તેઓ કોરોનાના શિકાર બન્યા હતા, બે મહિનાથી પહેલા અમદાવાદ અને પછી ચેન્નાઇમાં સારવાર હેઠળ દાખલ કરાયા,
જ્યા તેઓ ફાની દુનિયાને વિવાદ કરી દીધી છે, 24 એપ્રિલ 1953માં તેમનો જન્મ થયો હતો, તેઓએ ડોક્ટર તરીકે અભ્યાસ કર્યો હતો,અને 1995માં તેઓએ રાજકારણમાં પ્રવેશ કર્યો અને 1997 સુધી તેઓ આરોગ્ય પ્રધાન રહ્યા,
, 1998માં તેઓ સ્વર્ગિય ઉપેન્દ્ર ત્રિવેદી સામે હારી ગયા હતા, ત્યારે 2002થી લઇને સતત 2017ના વિધાનસભા સુધી ભીલોડા અજેય રહ્યા હતા.

ભાજપની ઓફરને વારં વાર ઠુકરાવતા જોશિયારા
ભાજપની હમેશાથી રણનિતિ રહી છે કે વિપક્ષના મજબુત, શક્તિશાળી, અને પ્રજામાં જનાધારા ઘરાવતા નેતાઓ જોડવાની,, જેમાં સામ દામ દંડ અને ભેદનો ઉપયોગ કરાય છે,
પણ જોશિયારા નોખી માટીનો માનવી હતા,, જ્યારે જ્યારે તેમને ભાજપે અથવા એમ કહીએ કે તત્કાલિન સીએમ નરેન્દ્રમોદીએ પણ તેમને સત્તા રુપી દાણો ચાપી જોયો હતો,
વર્ષ 2012માં ગુજરાત વિધાનસભાની ચુટણી સમયે ડો અનિલ જોશિયારાને ભાજપમાં જોડવા માટે તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્રમોદીએ વિધાનસભા કાર્યાલયમાં બોલાવીને તેમને
મંત્રીપદની ઓફર આપી હતી, જોકે તેઓએ સવિનય આ ઓફરને ઠુકરાવી દીધી હતી, એમણે એટલુ જ કહ્યુ હતુ કે તમે મારા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા આપો,, મારે કોઇ મંત્રી પદ જોઇતુ નથી, હુ જ્યાં છુ બરાબર છુ
ફરી 2014ની લોકસભાની ચુટણી આવી ત્યારે ફરી વાર નરેન્દ્રમોદીએ તેમને પ્રધાન પદનુ ઇજન આપ્યુ, સાથે સ્થાનિક સામાજીક આગેવાનોનુ પણ દબાણ તેમના ઉપર ભાજપમાં જોડાવવા માટે લાવવામાં આવ્યું
પણ તેમના માટે સત્તા નહી પણ ગાંધીની વિચારધારા સર્વોપરી હતી,

कोंग्रेस पक्ष के भीलोडा विधानसभा के सीनियर विधायक श्री अनिल जोशियारा जी के निधन के समाचार बेहद दुःखद है। उनके निधन से कोंग्रेस पक्ष और आदिवासी समाज ने सनिष्ठ आगेवान खो दिया है

ईश्वर दिवंगत आत्मा को अपने श्री चरणो मे स्थान दे और शोक संतप्त परिजनो को इस दुःख की घड़ी मे संबल दे। pic.twitter.com/rieZvb4ti0

— Jagdish Thakor (@jagdishthakormp) March 14, 2022

રાજનિતિક ગુરુ સાથે કર્યો બગાવત
રાજ્યસભાની 2017ની ચૂટણી દરમિયાન ગુજરાત કોગ્રેસના સર્વેસર્વા ગણાતા જન્નતનસી અહેમદ પટેલને હરાવવાનો બીડુ જોશિયારાના રાજનિતિક ગુરુ ગણાતા એવા પુ્ર્વ મુખ્ય પ્રધાન શંકર સિહ વાધેલાએ ઝડપ્યુ હતું
વાધેલાએ તત્કાલિન ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ અમિત શાહ સાથે હાથ મિલાવ્યા હતા, તેમનુ મિશન હતું અહેમદ પટેલને બેઆબરુ કરવાનો,,એ સમયે શંકર સિહ વાધેલાની યોજના મુજબ 14 ધારાસભ્યોએ કોગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ છે,
જેમાં શંકર સિહ વાધેલા, મહેન્દ્ર સિહ વાધેલા, અમિત ચૌધરી, રાધવજી પટેલ, કરમસી પટેલ,ધર્મેન્દ્ર સિહજાડજા, રામ સિહ પરમાર,સી કે રાઉલજી ,ભોળા ભાઇ ગોહિલ સહિતના ધારાસભ્યોએ પોલીટિકલ પેકેજને વ્હાલુ કર્યુ, જેનુ પરિણામ 2017ની વિધાનસભા ઇલેક્શનમાં જોવા મળ્યુ,, જેમાં તેઓ હારી ગચા,,
આ સમયમાં પણ શંકર સિહ વાધેલાએ સેટિંગ ગોઠવવા માટે ડો અનિલ જોશિયારાનો સંપર્ક કર્યો હતો, પણ જોશિયારા તેમનુ દાવ ઉંધો પાડ્યો અને અહેમદ પટેલ એટલે કે વફાદાર રહ્યા,,

સાથી મિત્ર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન, આદિવાસી સમાજના મોભી, ગુજરાત સરકારના પૂર્વ આરોગ્યમંત્રી અને ભિલોડાના કર્મશીલ ધારાસભ્યશ્રી ડૉ. અનિલભાઈ જોષીયારાના દુઃખદ અવસાન પર પરિવારના સજ્જન ગુમાવ્યાના ઊંડા દુઃખ અને શોકની લાગણી સાથે ભાવપૂર્વક શ્રધ્ધાંજલિ અર્પુ છું. (1/3) pic.twitter.com/OHZr7BZkFc

— Sukhram Rathava (@SukhramRathava) March 14, 2022

જોશિયારાની આરોગ્ય પ્રધાન બનવા સુધીની રોમાંચક રહ્યુ

ખુબ સરળ નિખાલશ અને આદિવાસી સમાજ માટે પ્રજા વત્સલ તરીકે જાણીતા ડ઼ો જોશિયારાને રાજનિતિમાં લાવનાર શંકર સિહ વાધેલા હતા,, ગુજરાતમાં ભાજપની સરકાર 1995માં પ્રથમ વખત બની, જેમાં શકર સિહ વાધેલા અને કેશુભાઇ પટેલનો સિહ ફાળો હતો ત્યારે ભાજપ પટેલોના પ અને ક્ષત્રિયોના ક્ષ એટલે કે પક્ષ તરીકે ઓળખાતી,
શંકરસિહ વાધેલાએ ત્યારે ભીલોડા સિટ ઉપરથી ડો જોશિયારાને ચૂટણી લડાવ્યા, ત્યારે ભાજપને 121 બેઠકો સાથે જીત મળી, જેની સાથે ભાજપમાં મુખ્યમંત્રી પદ અને પ્રધાન પદ લઇને ભાંજગણ શરુ થઇ,અને ભાજપે કેશુભાઇ પટેલને મુખ્ય મંત્રી બનાવ્યા, જેનાથી કપડવંજના સાંસદ શંકર સિહ વાધેલા નારાજ થયા,
તેમની પ્રબળ ઇચ્છા મુખ્ય મંત્રી બનવાની હતી, તેમણે એ પ્રમાણે પ્લાનિંગ પણ કર્યુ હતુ, છતાં અટલ અને અડવાણીની જોડીએ શંકર સિહના અરમાનો ઉપર પાણી ફેરવી દીધુ હતુ, શંકર સિહ સમી સમી ગયા, પણ બોલ્યા નહી,,પણ સરકાર ને પાડવા માટે પ્લાનિંગ શરુ કરી દીધુ, પોતાના વિશ્વાસુઓ સાથે બેઠકો શરુ કરી,,
46 ધારાસભ્યો સાથે તેઓએ શંકર સિહે બળવો કર્યો જેમાં ખજુરાહો કાંડ થયો,, જેમાં અનિલ જોશિયારા પણ સામેલ હતા, જેમાં શંકર સિહ કોગ્રેસના ટેકા થી મુખ્ય પ્રધાન બન્યા, તેમની સરકારમાં અનિલ જોશિયારાને આરોગ્ય પ્રધાન પદ મળ્યુ,, તેઓ 1998 સુધી રહ્યા

કોગ્રેસ માટે જોશિયારા વિકલ્પ કોણ હોઇ શકે
આદિવાસી નેતા તરીકે ડો અનિલ જોશિયારા કોગ્રેસ પાસે એવા શસ્ત્ર હતા જેનો તોડ ભાજપ પાસે ન હતો, ભાજપે વારં વાર તેમની સામે પ્રયોગ કર્યા પણ તે અસફળ રહી,, હવે આ સીટ ખાલી થશે ત્યારે કોગ્રેસ પાસે હાલ કોઇ બીજો આદિવાસી નેતા નથી, જેથી તેમનો વિકલ્પ શોધવો અધરો બનાવાનુ છે
આમ તો અશ્વિન કોટવાલ જેવા નેતાઓ છે, ત્યારે તુષાર ચૌધરી જેવા નેતાઓ છે, પણ હાલ તો કોગ્રેસ પાસે જોશિયારાના પરિવારમાંથી કોઇને ટીકિટ આપવાની ગણતરી કરી શકે છે,, ડો અનિલ જોશિયારાની ખોટ કોગ્રેસમાં ક્યારેય પુરી નહી કરી શકાય

 

ડો અનિલ જોશિયારાના નિધન ઉપર સીએમ સહિત સમગ્ર વિધાનસભાએ શોક વ્યક્ત કર્યો
ડો અનિલ જોશિયારાના નિધન ઉપર સીએમ ભુપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો તો કોગ્રેસના તમામ આગેવાનોએ પણ શોક વ્યક્ત કર્યો,,વિધાનસભામાં પણ શોક ઠરાવ કરાયો હતો. મહત્વપુર્ણ વાત એ છે કે સીએમ ભુપેન્દ્ર પટેલના ટ્ટીટમાં ડો અનિલ જોશિયારા માટે દુખ વ્યક્ત કરાયુ, પણ જોશિયારાનુ  ફોટો મુકવામાં પણ સૌજન્યતા ન દાખવી શક્યા, સમાન્ય રીતે સીએમ જાતે ટ્ટીટ કરતા નથી, પણ સીએમઓમાં રહેલી સોશિયલ મિડીયાની ટીમ ટ્ટીટ કરતી હોય છે,,જેમની જવાબદારી હતી કે તે પ્રોપર ટ્ટીટ કરે,,જો કે રાજકિય અસંવેદના આ ટ્ટીટમાં દેખાય છે,, જેની નોધ પણ સમાન્ય જનતાએ લીધી છે,

 

દાદા તમે પણ ભેદભાવ રાખો છો?? તમારા માટે તો બધા ધારાસભ્ય સરખા નહીં??

— Khushi Chauhan (@KhushiC18255711) March 14, 2022

 

Cm સાહેબ જોસિયારા નો ફોટો કેમ નથી મુક્યો? જોસિયારા કોંગ્રેસ માં હતા એટલે???

— Khushi Chauhan (@KhushiC18255711) March 14, 2022

You Might Also Like

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ મોરબીમાં ઝૂલતો પુલ નદીમાં તૂટી પડવાની દુર્ઘટનામા દુઃખ અને સંવેદનાની લાગણી વ્યક્ત કરી.

ઘોડાસર ની શાળા દ્વારા અમૂર્ત મહોત્સવ ની કરાઈ ઉજવણી

સત્યમેવ જયતે ” તથા ” સેવા સુરક્ષા શાંતિ ” ના સ્લોગન ને ડાઘ લગાડતી ઘટના કોંગ્રેસે ગણાવી

કોંગ્રેસના કયા નેતાએ રધુ શર્મા ઉપર હોદ્દાનો વેપાર કર્યા હોવાનો લગાવ્યો આરોપ

યુપીમાં એક સીએમ સાથે ત્રણ ડેપ્યુટી સીએમ !

TAGGED:cmbhupendrapatelCongresscoronadeathdr.aniljoshiyarajoshiyaradeathmlajohiyara
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?