By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: મુખ્યમંત્રીના નેતૃત્વમાં ૧૭માં કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવને જ્વલંત સફળતા
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > મુખ્યમંત્રીના નેતૃત્વમાં ૧૭માં કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવને જ્વલંત સફળતા
ગાંધીનગરગુજરાત

મુખ્યમંત્રીના નેતૃત્વમાં ૧૭માં કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવને જ્વલંત સફળતા

Web Editor Panchat
Last updated: June 25, 2022 8:23 pm
Web Editor Panchat Published June 25, 2022
Share
SHARE

મુખ્યમંત્રીના નેતૃત્વમાં ૧૭માં કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવને જ્વલંત સફળતા

 

ત્રણ દિવસમાં ધો.૧માં ૫.૭૨ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો, આજે અંતિમ દિવસે ૧.૮૮ લાખ બાળકોનું નામાંકન થયુ : શિક્ષણમંત્રી  જીતુભાઇ વાઘાણી
……………………
રાજ્યભરમાં શાળાનુ પગથિયુ ચઢી રહેલા બાળકોમાં અત્યારથી જ પર્યાવરણની સમજ કેળવવાના ઉદ્દેશ સાથે મહાનુભાવો દ્વારા પ્રવેશોત્સવની સાથોસાથ વૃક્ષારોપણ કરી ૧,૫૮,૮૨૦ વૃક્ષોનું વાવેતર કરાયુ
……………………
ર લાખ ૩૦ હજાર ભૂલકાંઓનો આંગણવાડી-બાલમંદિરમાં પ્રવેશ

રૂ. ૨૮.૫૩ કરોડનું ભંડોળ અભિયાન દરમ્યાન પ્રાપ્ત થયું

૨.૮૦ લાખથી વધુ કન્યાઓએ ધો.૧માં અને ૧.૧૨ લાખ બાળાઓએ આંગણવાડીમાં પ્રવેશ લીધો

સમગ્ર મહોત્સવ દરમિયાન મહાનુભાવોએ ૨૨,૮૫૭ ગામોની ૩૦,૮૮૦ પ્રાથમિક શાળાઓની મુલાકાત લીધી

ત્રણ દિવસમાં ૨,૩૬૪ શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશન સુવિધા શરૂ કરવામાં આવી

રાજ્યની વિવિધ શાળાઓમાં અંદાજે રૂ. ૨૫.૯૩ કરોડના ખર્ચે ૪૯૪ નવનિર્મિત ઓરડાઓનું લોકાર્પણ કરાયુ

આ અભિયાન ગુજરાતને ૧૦૦ ટકા શિક્ષીત રાજ્ય બનાવવાની દિશામાં મહત્વનું કદમ સાબિત થશે

તા.૨૩ થી ૨૫ જૂનના ત્રિદિવસીય અભિયાનમાં મુખ્યમંત્રીશ્રી-મંત્રીશ્રીઓ સહિતના પદાધિકારીઓ ઉપરાંત ૩૫૬ વરિષ્ઠ અધિકારીઓએ શિક્ષણ સેવાયજ્ઞમાં યોગદાન આપ્યું
……………………
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં તા.૨૩ થી ૨૫ જૂન દરમ્યાન રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ– શાળા પ્રવેશોત્સવની ૧૭ મી શૃંખલામાં ૫ લાખ ૭૨ હજાર બાળકોનો ધોરણ-૧માં પ્રવેશ જનભાગીદારીના ઉમંગ-ઉત્સાહમય વાતાવરણમાં કરાવવામાં આવ્યો છે. જેમાં ધોરણ-૧માં ર,૮૦,૪૭૮ દિકરીઓ તથા ર,૯૧,૯૧૨ કુમારોનું શાળાઓમાં નામાંકન થયું છે. તે ઉપરાંત ત્રણ દિવસમાં ૧,૦૫૯ કુમાર અને ૭૧૬ કન્યા મળી કુલ ૧,૭૭૫ દિવ્યાંગ બાળકોના નામાંકન થયા છે. આ અભિયાન અંતર્ગત રાજ્યની આંગણવાડીઓ- બાલમંદિરમાં પ્રારંભિક શિક્ષા માટે ર,૩૦,૭૩૨ ભૂલકાંઓનો પ્રવેશ કરાવવામાં આવ્યો છે. જે અંતર્ગત ત્રણ દિવસમાં કુલ ૨,૮૦,૪૭૮ કન્યાઓએ ધો.૧માં અને ૧.૧૨ લાખ બાળાઓએ આંગણવાડી- બાલમંદિરમાં પ્રવેશ મેળવ્યો છે. એટલુ જ નહિ, રાજ્યભરમાં શાળાનુ પગથિયુ ચઢી રહેલા બાળકોમાં અત્યારથી જ પર્યાવરણની સમજ કેળવવાનો અભિગમ અપનાવી મહાનુભાવો દ્વારા પ્રવેશોત્સવની સાથોસાથ વૃક્ષારોપણ કરી ૧,૫૮,૮૨૦ વૃક્ષોનું વાવેતર કરાયુ છે તેમ શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ છે.

શિક્ષણમંત્રી  વાઘાણીએ આપેલી વિગતો અનુસાર રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન રાજ્યના ૨૨,૮૫૭ ગામોની કુલ ૩૦,૮૮૦ પ્રાથમિક શાળાઓને આ કાર્યક્રમ અંતર્ગત આવરી લઇ ૧૦૦ ટકા નામાંકનની દિશામાં નક્કર કદમ ભર્યુ છે. ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તા સુધારણા સાથે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા ઉદાતભાવથી તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૦૩-૦૪ શરૂ કરેલા કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવના જનઅભિયાનની ૧૭મી શૃંખલા આજે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન અને નેતૃત્વમાં સફળતાપૂર્વક સંપન્ન થઇ છે.

મંત્રીએ ઉમેર્યુ કે, શિક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાની રાજ્ય સરકારની આ મુહિમને ખૂબ સારો જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે ત્યારે નાગરિકો દ્વારા આજે ત્રીજા દિવસે પણ અવિરત લોકસહકાર-દાન આપવામાં આવ્યુ છે. શાળા સંકુલોમાં માળખાગત સુવિધા વૃધ્ધિ માટે તેમજ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા સમાજ અગ્રણીઓ- સખાવતીઓએ આ અભિયાન દરમ્યાન દાનની જે સરવાણી વહાવી છે તે રૂ. ર૮.૫૩ કરોડ જેટલી થઈ છે. ત્રણ દિવસમાં રોકડ રૂ.૨.૫૪ કરોડ અને ચીજવસ્તુ સ્વરૂપમાં અંદાજે રૂ.૨૬ કરોડની રકમનો લોકસહકાર મળી અંદાજે રૂ.૨૮.૫૩ કરોડનો લોકસહકાર આ કાર્યક્રમ અંતર્ગત મળ્યો છે.

મંત્રીએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસમાં રાજ્યની વિવિધ શાળાઓમાં મળી અંદાજે રૂ. ૨૫.૯૩ કરોડના ખર્ચે ૪૯૪ નવનિર્મિત ઓરડાઓનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત બે દિવસમાં રાજ્યભરમાં ૨૩૬૪ શાળામાં ટ્રાન્સપોર્ટેશન સુવિધા શરૂ કરવામાં આવી છે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ સ્તરથી જ કવોલિટી એજ્યુકેશનનો પાયો સુદ્રઢ કરતા કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવના આ ૧૭માં અભિયાનની ત્રિદિવસીય શૃંખલામાં ખુબ જ સારો જનપ્રતિસાદ સાંપડ્યો છે. જે રાજ્યમાં એક પણ વ્યક્તિ શિક્ષણથી વંચિત ન રહે અને ગુજરાતને ૧૦૦ ટકા શિક્ષીત રાજ્ય બનાવવાની દિશામાં મહત્વનું સાબિત થશે.

You Might Also Like

FSI -૨૦૨૩ના અહેવાલ મુજબ નોટિફાઇડ વન વિસ્તાર બહારના વૃક્ષ આવરણમાં કુલ ૨૪૧ થી વધુ ચો.કિ.મીના વધારા સાથે ગુજરાત દેશભરમાં અગ્રેસર

ભુપેન્દ્ર પટેલ આ રસ્તા ચોમાસાના કારણે નહી પણ કમિશનના કારણે તુટ્યા છે ! તમે કોને બનાવો છો !

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી કોર્ટે ફગાવી!

ગ્રામીણ વિસ્તારોમાં ગામની સ્વચ્છતા માટે વ્યક્તિ દીઠ માસિક રૂ.૪ની ફાળવણી વધારીને બે ગણી રૂ.૮ કરવામાં આવશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતનું સહકારી મૉડલ બન્યું મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ, મહિલા દૂધ મંડળીઓમાં 21%નો વધારો, આવક ₹9000 કરોડને પાર

TAGGED:bhupendra patelCHILDRENcmeducationgujaratpraveshotsavSchool
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

📢ગુજરાતમાં જો ખતરો હોય તો ફક્ત 🥤એક ગ્લાસ🥤 થી છે !
aap gujarat politics
GP-SMASHની વધુ એક ઉલ્લેખનીય સફળતા: ચાલુ ટ્રેનમાંથી પડી ગયેલી માતાના બંને બાળકોને સુરક્ષિત કરી, માતાની શોધખોળ માટે ત્વરિત કાર્યવાહી
કાયદો ગવર્મેન્ટ ગુજરાત વડોદરા સમસ્યા સુરત
આજે ગર્વ સાથે કહી શકું છું કે, અમારા બોરડી ગામની ગ્રામ પંચાયત સંપૂર્ણ મહિલા સદસ્યોથી રચાયેલી છે – મહિલા સરપંચ શ્રી લીલાબેન મોરી
ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
ક્લાયમેટ ચેન્જથી બદલાઇ રહ્યો છે ચોમાસાનો મિજાજ !! અર્બન હિટ આયલેન્ડ શહેરોમાં ભારે વરસાદનું કારણ બને છે અને પૂરની સ્થિતિનું નિર્માણ કરે છે
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત ભારે વરસાદ
કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે, બન્ને મળીને જનતાને લૂંટે છે : અરવિંદ કેજરીવાલ
અમદાવાદ આમ આદમી પાર્ટી ગુજરાત રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?