By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: કચ્છમાં પાણીના મૂલ્યને સમજીને દરેક ખેડુત ડ્રીપ ઇરીગેશન પધ્ધતિ અપનાવે ડો.નીમાબેન આચાર્ય અધ્યક્ષ ગુજરાત વિધાનસભા
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > કચ્છમાં પાણીના મૂલ્યને સમજીને દરેક ખેડુત ડ્રીપ ઇરીગેશન પધ્ધતિ અપનાવે ડો.નીમાબેન આચાર્ય અધ્યક્ષ ગુજરાત વિધાનસભા
ગાંધીનગરગુજરાતજામનગરરાજકારણ

કચ્છમાં પાણીના મૂલ્યને સમજીને દરેક ખેડુત ડ્રીપ ઇરીગેશન પધ્ધતિ અપનાવે ડો.નીમાબેન આચાર્ય અધ્યક્ષ ગુજરાત વિધાનસભા

Web Editor Panchat
Last updated: September 8, 2022 5:24 pm
Web Editor Panchat Published September 8, 2022
Share
SHARE

કચ્છમાં પાણીના મૂલ્યને સમજીને દરેક ખેડુત ડ્રીપ ઇરીગેશન પધ્ધતિ અપનાવે

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય

મેઘપરના એડમંડ ડેમની જળરાશિનું પૂજન કરીને વિધાનસભા અધ્યક્ષાશ્રીએ સિંચાઇ માટે કેનાલમાં પાણીની પધરામણી કરાવી : ૩૦૦ ખેડુતોને મળશે સિંચાઇનો લાભ

રૂ. ૨.૮૨ કરોડના ખર્ચે ડેમનુ સમારકામ અને ઊંડાઇ વધારવામાં આવતા જળરાશિનું પ્રમાણ વધ્યું : ડેમની ઉંચાઇ ૨ મીટર વધારવા કામગીરી કરાશે

મેઘપર ગામ પાસેના એડમંડ ડેમનું સમારકામ અને ઉંડાઇ વધારવા સહિતની કામગીરી કરાતા આ વરસાદી સિઝનમાં ડેમ બે વાર ઓગની ગયા બાદ સિંચાઇ માટે કેનાલમાં પાણી છોડવાની કામગીરી આજે વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યના હસ્તે કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમણે સિંચાઇનો લાભ મેળવનારા ૩૦૦થી વધુ ખેડુતોને પાણીના વ્યયથી બચવા ફરજિયાત ડ્રીપઇરીગેશન પધ્ધતિથી પીયત કરવા અનુરોધ કર્યો હતો.
એડમંડ ડેમ ખાતે યોજાયેલા જળરાશિ પૂજન તથા કેનાલમાં પાણીના પધારામણા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મેઘપર ગ્રામવાસીઓ તથા આસપાસના વિસ્તારના ખેડુતો હાજર રહ્યા હતા. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષાનું મેઘપર સ્વામિનારાયણ મંદિરના સાંખ્યયોગી બહેનોએ આર્શીવચન આપીને સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય એ સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ ડેમનું નવું નામ ગ્રામજનોએ તથા સંતોએ સરદાર સરોવર કચ્છ એવું પાડ્યું છે તો આજથી જ આ નામથી ડેમને સંબોધિત કરતા જણાવુ છે કે, ગ્રામજનોની માંગણી મુજબ આગામી સમયમાં ડેમની કેપેસીટી વધારવાની કામગીરી અંતર્ગત ૨ મીટર ઉંચાઇ વધારવાનું કામ કરાશે. તેમણે એડમંડ સિંચાઇ પિયત સહકારી મંડળીને હજુ વધુ કિસાનો સિંચાઇનો લાભ મેળવે તે રીતનું આયોજન કરવા જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, કચ્છને ફાળવેલા નર્મદાના વધારાના પાણીની ૪ લીંક કેનાલનું ટુંકસમયમાં ખાતમુહૂર્ત કરાશે. જેનાથી ડેમ-તળાવ ભરવામાં આવશે. તેમણે નર્મદાના પાણીને કચ્છ સુધી પહોંચાડવા અથાગ પ્રયાસ કરનારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને યાદ કરતા જણાવ્યું હતું કે, કચ્છને એક બાળક તરીકે તેમણે ઉછેર્યું છે. ત્યારે નર્મદાના પાણી તથા વરસાદી પાણીનો વ્યય ન થાય તે જોવાની જવાબદારી કચ્છીઓની છે. તેમણે પ્રધાનમંત્રીના જન્મદિને દરેક વ્યકિત એક વૃક્ષ અથવા ગામ દિઠ ૫ હજારથી વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવા સર્વેને અનુરોધ કર્યો હતો. કચ્છમાં વરસાદને વધારવા જમીન વૃક્ષાચ્છાદિત કરવી જરૂરી હોવાથી દરેક કચ્છીઓ પાણી અને વૃક્ષોનું મહત્વ સમજે તે જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે પદાધિકારી, અધિકારી તથા સૌ ગ્રામજનોએ ડેમના કાંઠે વનભોજન કરીને પ્રકૃતિનો આનંદ માણ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી, આગેવાન ભીમજીભાઇ જોધાણી, હરીભાઇ આહિર, ગોવિંદભાઇ હાલાઇ, ગોવિંદભાઇ પટેલ, શાન્તાબેન પટેલ, માવજીભાઇ હિરાણી, શીવજીભાઇ હાલાઇ, મેઘપર ઉપસરપંચ મંજુબેન હાલાઇ ,મયંકભાઇ તથા મોટીસંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

You Might Also Like

શોર્ટ કટ કેવી રીતે પડી શકે છે ભારે-અમદાવાદમાં બની આખો ખોલનારી ઘટના

હાર્દિક પટેલે મુઠ્ઠીભર લોકોની હાજરીમાં ભાજપનો ખેંસ પહેર્યો એ સાબિત કરે છે. એ સાબિત કરે છે કે, શક્તિ પ્રદર્શનના બદલે બુદ્ધિપ્રદર્શન કર્યું – ડૉ. ઈન્દ્રવિજયસિંહ ગોહિલ

લાખો આદિજાતિ માઇભક્તોએ માં અંબાના ચરણોમાં શીશ નમાવ્યું

ગુજરાત સરકારના આ નિર્ણયથી લોકોને મળશે રાહત

“આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો રાજકોટ કાર્યક્રમ યોજાયો

TAGGED:bhimji jodhanigovind halaigovind patelgujarat assemblyGUJARAT VIDHANSBHAharibhai ahirmanjuben halaimanjulaben bhanderimavji hiraninimaben acharyparulebn karashantaben patelshivjibhai halaispeaker
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?