By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ભ્રષ્ટ ભાજપે પોલીસ દ્વારા જવાનો ઉપર લાઠીચાર્જ કરાવડાવ્યો : ઈસુદાન ગઢવી
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > ભ્રષ્ટ ભાજપે પોલીસ દ્વારા જવાનો ઉપર લાઠીચાર્જ કરાવડાવ્યો : ઈસુદાન ગઢવી
ગાંધીનગરગુજરાતરાજકારણ

ભ્રષ્ટ ભાજપે પોલીસ દ્વારા જવાનો ઉપર લાઠીચાર્જ કરાવડાવ્યો : ઈસુદાન ગઢવી

Web Editor Panchat
Last updated: September 14, 2022 5:56 pm
Web Editor Panchat Published September 14, 2022
Share
SHARE

પૂર્વ સૈનિકોના આંદોલનમાં શહીદ થયેલ સૈનિકને શ્રદ્ધાંજલિ પાઠવવા ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા મોડી રાત્રે ગાંધીનગર પહોંચ્યા હતા.

ભ્રષ્ટ ભાજપે પોલીસ દ્વારા જવાનો ઉપર લાઠીચાર્જ કરાવડાવ્યો : ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ પૂર્વ સૈનિકોની તમામ સમસ્યાઓનું સમાધાન કરવામાં આવશે: ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ ગાંધીનગરમાં શહીદ કાનજીભાઈની પ્રતિમા બનાવવામાં આવશે: ઈસુદાન ગઢવી

પૂર્વ સૈનિકોની પીડા એ અમારી પીડા છે: ઈસુદાન ગઢવી

ભ્રષ્ટ ભાજપના રાજમાં જવાન પણ દુઃખી છે અને કિસાન પણ દુઃખી છે : ઈસુદાન ગઢવી

જવાનોને પોતાની માંગણીઓ અને પરિવારની માંગણીઓ માટે પણ શહીદ થવું પડે છે : ઈસુદાન ગઢવી

જવાનો લડતા લડતા પોતાની આખી અમૂલ્ય જિંદગી આપે છે અને એના પરિવારને આપણે કશું આપી શકતા નથી : ઈસુદાન ગઢવી

જવાનોને માંગણીઓ માટે પોતાના જીવ ગુમાવવા પડે છે એ ખૂબ દુઃખદ ઘટના છે : ઈસુદાન ગઢવી

ભાજપ સરકાર બળજબરીપૂર્વક કાનજીભાઈ મૃતદેહ હટાવાની કોશિશ કરી રહી છે: ગોપાલ ઇટાલિયા

સરકાર શહીદના પરિવારને દુઃખ પર દુઃખ આપવાનું કામ કરી રહી છે: ગોપાલ ઇટાલિયા

દરેક અન્યાયનો ન્યાય ન મળે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે: ગોપાલ ઇટાલિયા

 

ગઈકાલે પૂર્વ સૈનિકો પોતાની માંગણીઓને લઈને ગાંધીનગરમાં પહોંચ્યા હતા. ત્યારે ભ્રષ્ટ ભાજપ સરકારે તેમના પર બેરહમીપૂર્વક લાઠીચાર્જ કરાવ્યો હતો અને તેમાં એક પૂર્વ સૈનિકનું દુઃખદ અવસાન થયું, આ ઘટના પર આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, ભ્રષ્ટ ભાજપના રાજમાં જવાન પણ દુઃખી છે અને કિસાન પણ દુઃખી છે. વર્ષો પહેલાં જય જવાન જય કિસાનનો નારો આપ્યો હતો,પરંતુ આજે બંને દુઃખી છે.

આજે દુઃખદ સમાચાર એ છે કે ગાંધીનગરમાં પૂર્વ સૈનિકો પોતાની માંગને લઈને સરકારની સામે માંગણી કરી રહ્યા હતા, ત્યારે ભ્રષ્ટ ભાજપે પોલીસ દ્વારા જવાનો ઉપર લાઠીચાર્જ કરાવડાવ્યો હતો અને એક જવાનનું મૃત્યુ થયું. જવાનોને પોતાની માંગણીઓ અને પરિવારની માંગણીઓ માટે પણ શહીદ થવું પડે છે એ કેટલી દુઃખદ ઘટના છે. હું જે જવાન મૃત્યુ પામ્યા છે, શહીદ થયા છે તેમની આત્માને ભગવાન શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું અને ભ્રષ્ટ ભાજપને, જવાન વિરોધી ભાજપને સદબુદ્ધિ ભગવાન આપે એવી પ્રાર્થના કરું છું. આજે જવાનો લડતા લડતા પોતાની આખી અમૂલ્ય જિંદગી આપે છે અને એના પરિવારને આપણે કશું આપી શકતા નથી અને એની માગણી માટે એમણે પોતે ચાલુ સરકારની સામે પોતાના જીવ ગુમાવવા પડે છે એ ખૂબ દુઃખદ ઘટના છે.

પૂર્વ સૈનિકોના પ્રદર્શન દરમિયાન શહીદ થયેલ કાનજીભાઈને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી તથા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાએ ત્યાં હાજર સંખ્યાબંધ પૂર્વ સૈનિકો સાથે વાતચીત કરી હતી અને તેમના આંદોલન અને પોલીસ સાથે થયેલા ઘર્ષણ વિશે સંપૂર્ણ માહિતી મેળવી હતી. ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ પૂર્વ સૈનિકોને સંબોધતા જણાવ્યું કે, 73 વર્ષની ઉંમરે કાનજીભાઈ પોતાના અને આવનારા ભવિષ્યના સૈનિકો માટે આંદોલનમાં ઉતર્યા હતા પણ કમનસીબે એ આજે આપણી વચ્ચે નથી. પણ એમની શહીદી એળે નહીં જાય. આમ તો હું કોઈ રાજનીતિક વાત કરવા માટે નથી આવ્યો પણ હું એ ચોક્કસ ખાતરી આપું છું કે આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ તમામ પૂર્વ સૈનિકોની સમસ્યાઓનું સમાધાન લાવીશું અને ગાંધીનગરમાં કાનજીભાઈની યાદમાં તેમની એક પ્રતિમા પણ બનાવીશું.

1922 માં મહાત્મા ગાંધીજી કદાચ આપણા બધાની જેમ જ ગામેગામ ફરીને મીટીંગો કરતા હશે, આંદોલનો કરતા હશે. ગાંધીજીએ આ બધું અંગ્રેજોથી આઝાદી મેળવવા માટે કરતા હતા અને આજે આઝાદીના 75 વર્ષ પછી પણ દેશના સૈનિકોએ આ પ્રમાણે પોતાનું આંદોલન કરવું પડે છે અને જીવ ગુમાવવો પડે છે એ ખૂબ જ દુઃખદ વાત છે. પૂર્વ સૈનિકોની જે પણ પીડા છે, તે અમારી પીડા છે અને હું આમ આદમી પાર્ટી તરફથી ખાતરી આપું છું કે, પૂર્વ સૈનિકોના આંદોલનમાં કાયદાકીય રીતે જે પણ મદદ જોઈતી હોય તે આપવા માટે અમે તૈયાર છીએ. જેટલા કહો એટલા આમ આદમી પાર્ટીના વકીલો પૂર્વ સૈનિકોની સેવામાં ઉપલબ્ધ રહેશે.

ત્યારબાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, આ દુઃખની બાબત છે કે કાનજીભાઈના મૃતદેહને અહીંયાથી લઈ જવા માટે ખૂબ જ બળજબરી કરવામાં આવી રહી છે. કાનજીભાઈના મૃતદેહને અહીંયાથી ખસેડવા માટે સરકાર ષડયંત્ર રચી રહી છે. મૃતકના પરિજનોને સહકાર આપવાની જગ્યા પર સરકાર દુઃખની ઉપર દુઃખ આપવાનું કામ કરી રહી છે. પૂર્વ સૈનિકોની આ લડાઈમાં સમગ્ર આમ આદમી પાર્ટીનો પરિવાર તેમની સાથે છે. દરેક અન્યાયનો ન્યાય ન મળે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે.

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:gopal italiaisudan gadhvikanji mothliyapolice lathichargepurv sainik
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?