By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: સાડા ત્રણ કરોડ લોકોને મહિને ૫ કિલો અનાજ આપવું પડતું હોય, એ ગુજરાતને કઇ રીતે મોડેલ સ્ટેટ કહેવાય?
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > સાડા ત્રણ કરોડ લોકોને મહિને ૫ કિલો અનાજ આપવું પડતું હોય, એ ગુજરાતને કઇ રીતે મોડેલ સ્ટેટ કહેવાય?
ગાંધીનગરગુજરાતરાજકારણ

સાડા ત્રણ કરોડ લોકોને મહિને ૫ કિલો અનાજ આપવું પડતું હોય, એ ગુજરાતને કઇ રીતે મોડેલ સ્ટેટ કહેવાય?

Web Editor Panchat
Last updated: March 4, 2023 7:29 pm
Web Editor Panchat Published March 4, 2023
Share
SHARE

કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ ગૃહમાં રજુઆત કરતા કહ્યું હતું કે મહામહિમ રાજયપાલના પ્રવચનમાં એમણે રાષ્ટ્રપિતા ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ, ઇન્દુલાલ યાજ્ઞિક અને રવિશંકર મહારાજ એમ ગુજરાતના આ ૪ પનોતા પુત્રોને યાદ કર્યા, એ નામોની યાદીમાં હું વિઠ્ઠલભાઇ પટેલનું નામ મૂકવા માગું છું. જેમના નામ સાથે આ સન્માનનીય સભાગૃહનું નામ જોડાયેલું છે. આ પાંચેય ગુજરાતના પનોતા પુત્ર વિઠ્ઠલભાઇ પટેલ, સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી, રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિક એ એવા મહાપુરુષો હતા કે જેમના જાહેરજીવનના કેન્દ્રમાં ગુજરાતનો, દેશનો અને સમાજનો જે આખરી ઇન્સાન છે. છેવાડાનો માણસ છે. છેલ્લામાં છેલ્લો વ્યક્તિ છે. એ એમના જાહેર જીવનના કેન્દ્રમાં હતો. આજે ગુજરાતના ૫૫ લાખ ખેતમજૂરો, પગાર નહીં પણ ઇન્સેન્ટીવ પર જીવતી ગુજરાતની હજારો આશાવર્કર બહેનો, અઢીસો કે ત્રણસો રૂપિયા માટે ઝેરી ગેસ હોવા છતાં જે સફાઇ કામદારે ગટરમાં ઉતરવું પડે છે એવા સફાઇ કામદારો, એવા દલિતો કે જેમને માથે મેલું ઉપાડવું પડે છે. જેમણે ૧૪ કલાક, ૧૬ કલાક કેમિકલની ફેકટરીમાં મજૂરી કરવી પડે છે. આ વાયબ્રન્ટ અને સ્વર્ણિમ સિવાયનું આ શ્રમજીવીઓનું જે ગુજરાત છે. એની ખાસ કોઈ ઝલક કે ઝાંખી આ મહામહિમ રાજ્યપાલના પ્રવચનમાં જોવા મળતી નથી.

રાજયપાલના પ્રવચનમાં જો કે એક વાતનો ઉલ્લેખ છે કે ગુજરાતમાં ૩.૪૭ કરોડ એટલે કે લગભગ સાડા ત્રણ કરોડ લોકોને આ રાજયની સરકારે મહિને ૫ કિલો અનાજ આપવું પડે છે. જે રાજયમાં લગભગ સાડા ત્રણ કરોડ લોકોને મહિને ૫ કિલો અનાજ આપવું પડતું હોય, એને કઇ રીતે મોડેલ સ્ટેટ કહીએ છીએ એ સમજાતું નથી. એટલું જ નહીં, બિહાર પછી ઓછા વજનવાળા અને કુપોષિત બાળકોની અંદર ગુજરાત બીજા નંબર ઉપર છે. લગભગ અઢી કરોડ લોકો રાશનની લાઇનમાં ઉભા રહે છે. એ સાડાત્રણ કરોડ લોકો છે જેને મહિને ૫ કિલો અનાજ આપીએ છીએ. જેના દીકરા કે દીકરી એ ડીગ્રીનું સર્ટિફિકેટ હાથમાં લઇને નોકરીની લાઇનમાં ઉભો છે અને એને ખબર પડે છે કે કરાઇની અંદર તો કોઇ નકલી પી.એસ.આઇ. ઘૂસી ગયો છે. આ એ ગરીબ પરિવારો છે કે જેમણે પેટે પાટા બાંધી, કાળી મજૂરી કરીને પોતાના સંતાનોને, પોતાના દીકરા દીકરીઓને ભણાવ્યા, એવી આશાએ કે એમને સરકારી નોકરી મળશે. પણ, હજી રાજયની જનતા સમક્ષ, ગુજરાતની જનતા સમક્ષ ખુલાસો થતો નથી કે રાજયમાં ૧૩ પરીક્ષાના પેપર ફૂટ્યા, ૨૩ ફૂટ્યા કે ૪૩ ફૂટ્યા, ધારાસભ્યનું પદ ખાલી પડે તો ૬ મહિનામાં ચૂંટણી થાય.
તેમણે વધુમાં કહ્યું હતું કે રાજ્યપાલના પ્રવચનમાં એવી અપેક્ષા હતી કે આવતા ૫ વર્ષની અંદર ખાલી પડેલા તમામ સરકારી પદો પર ભરતી કરવામાં આવશે કે કેમ ? એનું કોઇ આયોજન છે કે કેમ એવી અપેક્ષા હતી. ધારાસભ્યનું પદ ખાલી પડે તો ૬ મહિનામાં ચૂંટણી આવે, પણ દાયકાઓથી ખાલી પડેલા સરકારી પદોમાં ગુજરાતમાં ભરતી થતી નથી. એ મુદ્દે રાજયપાલ ના પ્રવચનમાં કંઇ જોવા મળતું નથી એ પણ બહુ દુઃખ સાથે કહેવું પડે છે. ગુજરાતની અંદર ૧૩ લાખ જેટલી બહેનોને આપણે વિધવા પેન્શન આપ્યું. એક હજાર રૂપિયા વિધવા પેશન આપણી વિધવા બહેનોને આપવામાં આવે છે, પણ ૩ હજાર રૂપિયામાં તેલનો ડબ્બો, ૧૧૦૦, ૧૨૦૦ રૂપિયામાં ગેસનો બાટલો, સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટની ચાલી કે ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય તો પણ એની જીવન જરૂરિયાત માટે બીજા ૪, ૫ હજારનો ખર્ચ થાય. આવી પ્રચંડ મોંધવારીની અંદર જે ગુજરાતને આપણે વાયબ્રન્ટ કહીએ છીએ. લાખો, કરોડો રૂપિયાના મૂડીરોકાણની વાત થઇ એની વિધવા બહેનોને લઘુત્તમ વેતનની સમકક્ષ પણ વિધવા પેન્શન ચૂકવવામાં આવતું નથી. રાજયપાલના પ્રવચનમાં અનેક પ્રકારના ગામોનો ઉલ્લેખ થયો. એવી અપેક્ષા હતી કે એકાદું ગામ આ રાજયની સરકાર આભડછેટ મૂક્ત ગામ જાહેર કરે. એ પણ રાજયપાલના પ્રવચનમાં જોવા મળ્યું નથી.

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:ઇન્દુલાલ યાજ્ઞિકગાંધીજીજીગ્નેશ મેવાણીજીગ્નેશ મેવાનીરવિશંકર મહારાજવિઠ્ઠલભાઇ પટેલસરદાર વલ્લભભાઇ પટેલ
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?