By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: નિકાસકારો-કંપનીઓએ ઘઉંના ખરીદ ઓર્ડરો રદ કરી નાખ્યા : સંખ્યાબંધ કોર્ટ કેસ થવાના ભણકારા
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ઇન્ડિયા > નિકાસકારો-કંપનીઓએ ઘઉંના ખરીદ ઓર્ડરો રદ કરી નાખ્યા : સંખ્યાબંધ કોર્ટ કેસ થવાના ભણકારા
ઇન્ડિયાઈકોનોમી

નિકાસકારો-કંપનીઓએ ઘઉંના ખરીદ ઓર્ડરો રદ કરી નાખ્યા : સંખ્યાબંધ કોર્ટ કેસ થવાના ભણકારા

Web Editor Panchat
Last updated: May 25, 2022 2:16 pm
Web Editor Panchat Published May 25, 2022
Share
SHARE

નિકાસકારો-કંપનીઓએ ઘઉંના ખરીદ ઓર્ડરો રદ કરી નાખ્યા : સંખ્યાબંધ કોર્ટ કેસ થવાના ભણકારા

કેન્દ્ર સરકારે થોડા દિવસો પૂર્વે ઘઉંમાં રાતોરાત નિકાસબંધી ફરમાવી દીધા બાદ ઘઉંનાં ઘરઆંગણાના વેપાર હજુ નોર્મલ થઇ શક્યા નથી. વેપારીઓને નિકાસકારો વચ્ચે વિવાદો ઉભા થયા છે અને તેને પગલે સમગ્ર મામલો કોર્ટમાં જવાના સંકેતો સાંપડ્યા છે. કેન્દ્ર સરકારે રાતોરાત ઘઉંની નિકાસબંધી લાગુ પાડી દીધી હોવાના કારણે સંખ્યાબંધ નિકાસકારોએ વેપારીઓ સાથે કરેલા ખરીદી કરારના માલ ઉપાડવાનું નકારી કાઢ્યું છે

જેને કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ સમગ્ર મામલે નિકાસકારો અને વેપારીઓ વચ્ચે આંતરિક વિવાદ ઉભા થયા છે. ઘઉંની ખરીદીના કરારનું પાલન કરવામાં મલ્ટી નેશનલ કંપનીઓ અને નિકાસકારોએ હાથ ઉંચા કરી દેતા વેપારીઓએ સમગ્ર મામલો અદાલતમાં લઇ જવાની તૈયારી શરુ કરી દીધી છે. મલ્ટી નેશનલ કંપનીઓ એવી દલીલ કરી રહી છે કે સરકારે નિકાસબંધી કરી દીધી હોવાથી તેઓ હવે નિકાસ કરી શકે તેમ નથી એટલે કરાર મુજબ ખરીદી કેવી રીતે કરી શકે. ઉતર પ્રદેશનાં વેપારીઓ દ્વારા મુંબઈ સ્થિત નિકાસકાર કંપની કે.એન.એગ્રોને કાનૂની નોટીસ પણ ફટકારી દેવામાં આવી છે.

ઘઉંની ખરીદીના કરાર કર્યા બાદ ઓર્ડર કેન્સલ કરી નાખવાના મામલે આ નોટીસ ફટકારવામાં આવી છે. ખરીદી ઓર્ડર રદ થતા વેપારીને થયેલી નુકશાનીનાં નાણા ચૂકવવા માંગ કરવામાં આવી છે. ઉતરપ્રદેશની જેમ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોનાં વેપારીઓ નિકાસકારો તથા મલ્ટી નેશનલ કંપનીઓ સામે આ પ્રકારે કાનૂની કેસ કરે તેવી શક્યતા વેપારીઓ દર્શાવી રહ્યા છે.

મધ્યપ્રદેશના ઘઉંના એક બ્રોકરે જણાવ્યું હતું કે મોટાભાગની મલ્ટી નેશનલ કંપનીઓએ વેપારીઓ સાથેના ખરીદીના ઓર્ડર રદ કરી નાખ્યા છે. સંખ્યાબંધ વેપારીઓનો માલ કંડલામાં પડ્યો છે. સર્વસંમત માર્ગ કાઢવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અન્યથા અનેક કેસ કોર્ટમાં જવાની શક્યતા છે. નાના વેપારીઓની હાલત વધુ ખરાબ છે કારણ કે તેઓને કાનૂની કેસ પરવડી શકે તેમ નથી.

You Might Also Like

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !

ગિફ્ટ સિટીમાં ઇન્ફોસીસના નવા ડેવલોપમેન્ટ સેન્ટરનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત

ગુજરાત વિધાનસભામાં ચાલતા બજેટ સત્રની વચ્ચે સીએમ ભુપેન્દ્ર પટેલ દિલ્હી શું કામ પહોંચ્યા?

ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશનનો ‘રજત જયંતિ’ મહોત્સવ અડાલજ ખાતે યોજાયો

TAGGED:court caseindiakharidi raddmodi govtvepariwheat
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે
કૃષિ વિશ્વ ગાંધીનગર ગુજરાત
શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર
અમદાવાદ ગુજરાત
કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !
અમદાવાદ કોંગેસ ગુજરાત રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?