By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: યુક્રેન પર એક્શનમાં PM મોદી
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ઇન્ડિયા > યુક્રેન પર એક્શનમાં PM મોદી
ઇન્ડિયાદેશ વિદેશ

યુક્રેન પર એક્શનમાં PM મોદી

Web Editor Panchat
Last updated: March 5, 2022 1:47 pm
Web Editor Panchat Published February 24, 2022
Share
SHARE

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. આ બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ જયશંકર અને એનએસએ અજીત ડોભાલ પણ હાજર રહ્યા હતા. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદી આજે રાત્રે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ વાત કરી શકે છે.

રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે. જેના કારણે ત્યાંનું એરસ્પેસ બંધ કરવામાં આવ્યું છે, જેના કારણે ભારતીય નાગરિકોને લેવા જઈ રહેલી એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટને પણ પરત ફરવું પડ્યું હતું. જો કે કેન્દ્ર સરકારે યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે પ્લાન-બી પર કામ શરૂ કરી દીધું છે.

ન્યૂઝ એજન્સી ANIના સૂત્રો તરફથી જણાવાવમાં આવ્યું છે કે, મીટિંગમાં યુક્રેનથી ભારતીય નાગરિકોને સુરક્ષીત પરત લાવવા અન્ય વિકલ્પો વિશે ચર્ચા કરવામાં આવી છે. તે સાથે જ સંકટના કારણે દેશના હિત પર થતા પ્રભાવની પણ સમીક્ષા કરવામાં આવી છે.

 

ન્યૂઝ એજન્સી ANIના સૂત્રોના જણાવ્યા પ્રમાણે મીટિંગની સાથે આ સંકટના કારણે દેશના હિતો પર થનારા પ્રભાવની પણ સમીક્ષા કરવામાં આવી હતી. હકિકતમાં યુક્રેન અને રશિયા બંને સાથે ભારતની એક સમાન સામરિક અને કૂટનીતિના સંબંધો છે. ભારત બંને દેશો પાસેથી હથિયારોની ખરીદી કરે છે. આ સંજોગોમાં સંકટના કારણે દેશની રક્ષા ખરીદ પ્રભાવિત થવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલ સરકારે દરેક ઉચ્ચ અધિકારીઓને આ મુદ્દે ડાયરેક્ટ અથવા ઈનડાયરેક્ટ રીતે જાહેરમાં નિવેદન આપવાની ના પાડી છે.

સરકારે કહ્યું છે કે તેના નાગરિકોને બહાર કાઢવા માટે વૈકલ્પિક માર્ગો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ત્યાં સુધી, સરકારે યુક્રેનમાં હાજર ભારતીય નાગરિકો અને અહીં તેમના પરિવારોને તેમની શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. બીજી તરફ કિવમાં ભારતીય રાજદૂતે પણ લડાઈને કારણે એમ્બેસી બંધ ન કરવાની જાહેરાત કરી છે.

ઈરાક યુદ્ધ વખતે પણ ભારતીયોને પરત લાવ્યા છીએ,
કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરને કહ્યું કે, સરકારે ઈરાક, કુવૈત જેવા સ્થળોથી પણ ભારતીયોને પરત લાવ્યા છે. વિદેશ મંત્રાલય યુક્રેનમાંથી વિદ્યાર્થીઓ સહિત લગભગ 18,000 ભારતીય નાગરિકોને પરત લાવવા માટે પગલાં લઈ રહ્યું છે. યુક્રેનમાં એરસ્પેસ બંધ છે, તેથી પ્લાન-બી ચાલી રહી છે અને ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

મુરલીધરને કહ્યું, મેં યુક્રેનમાં મલયાલી વિદ્યાર્થીઓ સાથે ફોન પર વાત કરી છે. યુક્રેનના દક્ષિણી પ્રદેશોમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓએ અમને જણાવ્યું છે કે તેઓને ખોરાક, પાણી અને વીજળી મળી રહી છે. કેન્દ્ર સરકાર તમામ ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરશે, તેથી વિદ્યાર્થીઓ અને વાલીઓએ ગભરાવું જોઈએ નહીં.

સ્થિતિ ચિંતાજનક છે,પણ ઇન્ડિયન એમ્બેસીની ખાસ નજર 
યુક્રેનમાં ભારતીય રાજદૂતે કહ્યું છે કે કિવમાં ભારતીય દૂતાવાસ બંધ કરવામાં આવશે નહીં. તે પહેલાની જેમ કામ કરવાનું ચાલુ રાખશે. અમે આ મુશ્કેલ પરિસ્થિતિનો ઉકેલ શોધવા માટે મિશન મોડ પર કામ કરી રહ્યા છીએ. રાજદૂતે કહ્યું, પરિસ્થિતિ ખૂબ જ તંગ અને અનિશ્ચિત છે. આ અત્યંત ચિંતાજનક છે.

એરસ્પેસ બંધ છે, પણ રેલ્વે માર્ગનો પણ વિકલ્પ ; માર્ગો પણ ધ્વસ્ત
ભારતીય રાજદૂતે કહ્યું, “યુક્રેનમાં એરસ્પેસ બંધ છે, રેલ્વે શિડ્યુલ સંપૂર્ણપણે અવ્યવસ્થિત છે અને રસ્તાઓ તૂટી ગયા છે.” હું અપીલ કરું છું કે, ભારતીય નાગરિક જ્યાં પણ હોય, શાંતિથી રહે અને ધીરજથી પરિસ્થિતિનો સામનો કરે. અમે વિદેશી ભારતીયોનો સંપર્ક કરી રહ્યા છીએ અને તેમને યુક્રેનમાં હાજર ભારતીય નાગરિકોને મદદ કરવા વિનંતી કરી રહ્યા છીએ.

You Might Also Like

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !

ભારતીય શિક્ષણ પદ્ધતિમાં જ્ઞાન સાથે સંસ્કાર પણ અનિવાર્ય છે – મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના નગરોમાં વધુ માર્ગ સલામતી અને સારા રસ્તાની સુવિધા આપવાનો જનહિત નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કર્યું

મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત

TAGGED:FeaturedForeign AffairsindiaIndia On UkraineMEANarendra Modirussiaukraine
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે
કૃષિ વિશ્વ ગાંધીનગર ગુજરાત
શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર
અમદાવાદ ગુજરાત
કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !
અમદાવાદ કોંગેસ ગુજરાત રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?