By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: વળતરના નાણાં નહી મળતા સરકારી બાબુઓને ખેડુતોએ કેવી રીતે સબક શિખવાડ્યુ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > વળતરના નાણાં નહી મળતા સરકારી બાબુઓને ખેડુતોએ કેવી રીતે સબક શિખવાડ્યુ
અમદાવાદગુજરાત

વળતરના નાણાં નહી મળતા સરકારી બાબુઓને ખેડુતોએ કેવી રીતે સબક શિખવાડ્યુ

Web Editor Panchat
Last updated: August 8, 2022 6:46 pm
Web Editor Panchat Published August 8, 2022
Share
SHARE

વળતરના રુ 225 નહી આપ્યા તો ખેડુતોએ સરકારી બાબુઓને કેવી રીતે સબક શિખવાડ્યુ

ખેડૂતોનો પ્રકોપ લોકોએ આ પહેલા પણ જોયો જ છે. જ્યારે પંજાબમાં એક વર્ષ કરતાં વધારે સમય સુધી આંદોલન ચાલ્યું હતું. ત્યારે હવે ફરીથી ગુજરાતમાં પણ ખેડૂતોએ પરચો આપ્યો છે, બન્યું એવું કે ગાંધીનગરમાં સચિવાલયમાં સરદાર સરોવર નિગમના પાંચમા માળે આવેલી લેન્ડ શાખામાં આવેલા કેટલાક ખેડૂતો શાખામાં રહેલી જંગમ મિલકત, જેવી કે ખુરશી, કોમ્પ્યુટર, મોનિટર, પ્રિન્ટર, સીપીયુ સહિતની મત્તા ઉઠાવીને લઈ જવા લાગતાં ઊહાપોહ મચ્યો હતો.

જ્યારે આ ખેડૂતોને કચેરી કર્મચારીઓએ પૂછ્યું કે કેમ સામાન લઈ જાઓ છો? તો ખેડૂતોએ કહ્યું, અમારું વળતર આપવામાં આવ્યું નથી, એટલે કોર્ટે સામાન જપ્ત કરવા માટે હુકમ કર્યો છે. આ વાત સાંભળતાં જ સરદાર સરોવર નિગમ સહિત સચિવાલયમાં હાહાકાર મચી ગયો હતો. આ ઘટના રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે સચિવાલયમાં શનિવારે સાંજે ચારેક વાગ્યાની આસપાસ બની હતી. જ્યારે વડોદરાના અભોળ ગામના ખેડૂત દામોદર પટેલ સાથે વાત કરી ત્યારે એમણે કહ્યું હતું કે અમે અત્યાર સુધી વળતર માટે બહુ રઝળ્યા, પણ ના મળ્યું, એટલે કોર્ટ વોરંટ લઈને બે વખત વળતર લેવા આવ્યા, પરંતુ બંને વખતે નિગમે રૂપિયા આપ્યા નથી, એટલે અમે ત્રીજી વખત આવ્યા છીએ.

આ ખેડૂતનું કહેવું છે કે 1986થી 225 રૂપિયા બાકી હતા. આજે તેમની ઓફિસનો સામાન લઈ જઈએ છીએ. કોર્ટના જપ્તી વોરંટ સાથે આવેલા વકીલ આર. ડી. પરમારે પણ આ વિશે વાત કરી કે વડોદરાના અભોળ ગામની જમીન વર્ષ 1988માં સંપાદિત કરાઈ હતી. જમીનનું વળતર પ્રતિ આરે આપવામાં આવ્યું હતું. જિલ્લા અદાલતે આ વળતરમાં વધારો કરી 1725 કર્યા અને બાદમાં હાઈકોર્ટે એમાં 100 રૂપિયાનો ઘટાડો કરી 1625 રૂપિયા વળતર આપવા હુકમ કર્યો હતો. સંપાદન ખાતાએ રૂ. 1400 ભર્યા અને 225 આપ્યા નથી એટલે કોર્ટે સામાન જપ્ત કરવાનો હુકમ કર્યો છે. સાથે જ વિગતો મળી રહી છે કે 35 વર્ષ અગાઉ સરકારે જમીન સંપાદન કરી હતી, જેની રકમ જો જે-તે સમયે જ ચૂકવી દેવામાં આવી હોત તો જે-તે સમયની 225 જેટલી રકમ આજે લાખોમાં ના પહોચી હોત. જમીન સંપાદન કાયદાની જોગવાઈ મુજબ વર્ષ પ્રમાણે વળતરની ગણતરી કરવામાં આવે છે.

આર. ડી. પરમારે વિસ્તૃત માહિતી આપી કે 35 વર્ષ અગાઉ જે રકમ રૂપિયા 225 હતી, તેના વળતર સહિતની ગણતરીને આધારે આજે આ રકમ કુલ રૂપિયા 68 લાખ 92 હજાર 924 સુધી પહોંચી છે. અભોળ ગામના ખેડૂત આશાભાઈ ચૌહાણે કહ્યું હતું કે, 20 વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો છે, પણ અમારું વળતર જ અમને આપતા નહોતા. અમારી જમીન નહેરમાં ગઈ એટલે અમારે વળતર તો લેવાનું જ હતું. વળતર આપ્યું નથી એટલે અમે કોર્ટનો જપ્તી વોરંટ લઈને આવ્યા છે અને જપ્તી કરીએ છીએ. 68 લાખ રૂપિયા બાકી હતા. ઉલ્લેખનીય છે કે વડોદરાના પાદરા તાલુકાના અભોળ ગામના ખેડૂતોએ વર્ષ 1987માં પોતાની જમીન સંપાદિત કરવા માટે મંજૂરી આપી હતી. જમીન સંપાદન ખાતા તથા સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા જે-તે સમયે અભોળ ગામના લોકોની જમીન સંપાદિત કરી અને નર્મદા કેનાલ બનાવવાનું આયોજન હતું.

આગળની માહિતી મળી રહી છે કે જમીન સંપાદિત કરી અને કેનાલ બનાવ્યા બાદ સરકાર દ્વારા આ ખેડૂતોને વર્ષ 1990માં વળતર ચૂકવવા માટે હુકમ બહાર પાડવામાં આવ્યા. વર્ષ 1990ની 25 જુલાઈ અને 30 જુલાઈના રોજ વળતર હુકમ બહાર પાડી પ્રતિ આરે પિયત જમીનના રૂપિયા 225 અને બિનપિયત જમીનના પ્રતિ આરે રૂપિયા 150 આપવાનું નક્કી કરાયું હતું. જોકે અપૂરતી વળતર રકમ હોવાને કારણે ગામના ખેડૂતો દ્વારા વડોદરા સાતમા એડિશનલ સિનિયર સિવિલ જજ સમક્ષ લેન્ડ રેફરન્સ કેસ નં. 738/1992, 739/1992, 742/1992 – 744/1992થી કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં સરકાર દ્વારા સંપાદિત જમીનનું નજીવું વળતર ચૂકવવાનો મુદ્દો રજૂ કરાયો હતો

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:COMPANSATIONcourtFarmerFeaturedgandhingarlandSARDAR SAROVAR NIGARVadodara
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?