By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: પોન્ઝી સ્કીમ- ચિટ ફંડમાં નાણાં ગુમાવનારને નાણાં પરત મળે અને આર્થિક ગુન્હેગારોને જેલ હવાલે કરવા ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ કાયદો લાગુ કરાશે
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > પોન્ઝી સ્કીમ- ચિટ ફંડમાં નાણાં ગુમાવનારને નાણાં પરત મળે અને આર્થિક ગુન્હેગારોને જેલ હવાલે કરવા ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ કાયદો લાગુ કરાશે
Uncategorizedઅમદાવાદગુજરાતરાજકારણ

પોન્ઝી સ્કીમ- ચિટ ફંડમાં નાણાં ગુમાવનારને નાણાં પરત મળે અને આર્થિક ગુન્હેગારોને જેલ હવાલે કરવા ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ કાયદો લાગુ કરાશે

Web Editor Panchat
Last updated: September 23, 2022 7:46 pm
Web Editor Panchat Published September 23, 2022
Share
SHARE

પોન્ઝી સ્કીમ- ચિટ ફંડમાં નાણાં ગુમાવનારને નાણાં પરત મળે અને આર્થિક ગુન્હેગારોને જેલ હવાલે કરવા ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ કાયદો લાગુ કરાશે
છત્તીસગઢમાં કોંગ્રેસની સરકારે કાયદો લાગુ કરીને જે રીતે પીડિતોને ન્યાય આપવાની શરૂઆત કરી છે તે જ રીતે ગુજરાતમાં પણ કોંગ્રેસ અમલ કરાવશે.

પોન્ઝી સ્કીમ- ચિટ ફંડમાં નાણાં ગુમાવનારને નાણાં પરત મળે અને આર્થિક ગુન્હેગારોને જેલ હવાલે કરવા ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ કાયદો લાગુ કરાશે. છત્તીસગઢમાં કોંગ્રેસની સરકારે કાયદો લાગુ કરીને જે રીતે પીડિતોને ન્યાય આપવાની શરૂઆત કરી છે તે જ રીતે ગુજરાતમાં પણ કોંગ્રેસ અમલ કરાવશે. ગુજરાતભરમાં ૧૦,૦૦૦ કરોડથી વધુના પોન્ઝી અને ચિટફંડના કૌભાંડો અંગે ભાજપ સરકાર કેમ મૌન ? તેવો પ્રશ્ન ઉઠાવતા પ્રદેશ કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, પોન્ઝી સ્કીમ- ચિટ ફંડમાં નાણાં ગુમાવનારને નાણાં પરત મળે અને આર્થિક ગુન્હેગારોને જેલ હવાલે કરવા ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ કાયદો લાગુ કરશે. છત્તીસગઢમાં કોંગ્રેસની સરકારે કાયદો લાગુ કરીને જે રીતે પીડિતોને ન્યાય આપવાની શરૂઆત કરી છે તે જ રીતે ગુજરાતમાં પણ કોંગ્રેસ અમલ કરાવશે. પોન્ઝી સ્કીમમાં લાખો કરોડો રૂપિયા ગુમાવનાર પીડિતોની ગુજરાતમાં લાખોની સંખ્યા છે. અંદાજે 10000 કરોડ રૂપિયાની રકમના છેતરપિંડીના ગુનાઓમાં પીડીતોને એક પણ રૂપિયો પરત મળતો નથી. એજન્ટો નહીં પરંતુ મુખ્ય ગુનેગારોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલાશે. પોન્ઝી સ્કીમના મુખ્ય સૂત્રધારોની મિલકત જપ્ત કરીને પીડિતોને બેંક ખાતામાં રૂપિયા પરત અપાશે. કોંગ્રેસ ગુજરાતમાં સત્તા પર આવશે એ પછી મુખ્યમંત્રીની દેખરેખ હેઠળ એસ.આઈ.ટી.ની રચના કરશે.
દેશભરમાં થયેલા પોન્ઝી અને ચિટફંડના કૌભાંડોથી ગુજરાતના હજારો બેરોજગાર યુવાનો જેમને આ કંપનીઓ અને સરકારની નિષ્ફળતાએ જાળમાં ફસાવ્યા હતા તેમને બચાવવા તપાસ એજન્સીએ સખત પગલા ભરવા જોઈએ. જમીની વાસ્તવિકતા જોઈએ તો ગુજરાત પોલીસ પણ ઘણા કિસ્સાઓમાં મોટા કૌભાંડીઓને પકડવાની જગ્યાએ સામાન્ય એજન્ટોને પકડી ધમકાવી ખોટી દિશામાં કામગીરી કરે છે. સંપતિ એજન્ટો પાસે નથી હોતી તે કરોડોના કૌભાંડ કરનારા માલિકો પાસે છે તો તેવા લોકોને પકડવાની જગ્યાએ સામાન્ય એજન્ટોને ફસાવી ન્યાય કેવી રીતે મળી શકે? સરકારની અયોગ્ય તપાસ અને કૌભાંડીઓને છાવરવાની નીતિ જેના કારણે જરૂરી તપાસ થતી નથી. ગુજરાત પોલીસ ૩૫૦ કરોડ થી વધુની વિવિધ કંપનીઓ ની સંપતિઓ જપ્ત કરી હોવાની વિગતો મળે છે. તેમ છતાં લાખો પીડિતો દાવા રજૂ કરી ચૂક્યા છતાં સરકારની નિષ્ફળતા અને સંવેદનશીલતા ના હોવાના પરિણામ નાગરિકોને તેમની બચત આજ સુધી પરત મળી રહી નથી. ઓસ્કાર, સમ્રુદ્ધજીવન, કલકમ, જય વિનાયક, ટ્વિંકલ સ્ટાર – રોયલ ટ્વિંકલ – સિટ્રસ (મિરાહ ગ્રુપ), ગોરસ, વિશ્વામિત્રી, મૈત્રેય, PACL, સહારા, માઈક્રો ફાયનાન્સ, આદર્શ, ફાલકન, હલધર આ સિવાય પણ અસંખ્ય એવા નામો છે જેના કૌભાંડીઓ સામે તપાસ એજન્સીઓનો ઉપયોગ થવો જોઈએ જેથી ભોગ બનનારને ન્યાય મળે. આવી કંપનીઓ સામે શું કાર્યવાહી કરવામાં આવી તે ગુજરાત સરકારે જાહેર કરવું જોઈએ.
છતીસગઢ રાજ્યની કોંગ્રેસ સરકારની કામગીરી જોવા આમંત્રણ પાઠવીએ છીએ. જ્યાં વર્ષ ૨૦૧૮ની ચૂંટણીમાં કોંગ્રેસે છતીસગઢના લાખો રોકાણકારોને ચિટફંડ અને પોન્ઝી કૌભાંડોમાં ગુમાવેલી બચત પરત આપવાનું વચન આપ્યું હતું. જેના પરિણામે આજે સમગ્ર દેશમાં છતીસગઢ પ્રથમ એવું રાજય બન્યું છે જેણે પોન્ઝી અને ચિટફંડના પીડિતોને કરોડો રૂપિયા ઓનલાઇન તેમના ખાતાઓમાં પાછા અપાવ્યા છે. તે રીતે જ ગુજરાતમાં ૨૦૨૨ની વિધાનસભા ચુંટણી પછી ગુજરાતમાં બનનાર કોંગ્રેસ સરકાર દરેક ચીટફંડ – પોન્ઝી સ્કીમ કંપનીઓના રોકાણકારોનો એક એક રૂપિયો તેમની જીવન ભરની જમા પૂંજી પાછી અપાવી સરકારી સંસ્થાઓનો શું ઉપયોગ કરી શકાય તેનું મજબુત ઉદાહરણ પૂરું પાડશે. સરકારી તપાસ એજન્સીઓ લોકોનો અવાજ દબાવવા નહીં લોકોને ન્યાય આપવા માટે બનાવવામાં આવી છે તે ભાજપ સરકાર ભૂલી ગઈ છે. વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતા ભાજપ સરકારના અહંકારી અને ભ્રષ્ટ શાસન પાઠ ભણાવશે.

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:Congressmanish doshiચીટફંડ – પોન્ઝી સ્કીમ
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?