By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: અરવિંદ કેજરીવાલજીએ રાજકોટના સ્થાનિક વિસ્તારમાં જઈને આમ આદમી પાર્ટીના ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેંપેન’ની શુભારંભ કર્યો.
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > રાજકોટ > અરવિંદ કેજરીવાલજીએ રાજકોટના સ્થાનિક વિસ્તારમાં જઈને આમ આદમી પાર્ટીના ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેંપેન’ની શુભારંભ કર્યો.
ગુજરાતરાજકારણરાજકોટ

અરવિંદ કેજરીવાલજીએ રાજકોટના સ્થાનિક વિસ્તારમાં જઈને આમ આદમી પાર્ટીના ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેંપેન’ની શુભારંભ કર્યો.

Web Editor Panchat
Last updated: September 3, 2022 5:05 pm
Web Editor Panchat Published September 3, 2022
Share
SHARE

આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ રાજકોટમાં ડોર ટુ ડોર કેંપેનનો પ્રારંભ કર્યો.

અરવિંદ કેજરીવાલજીએ રાજકોટના સ્થાનિક વિસ્તારમાં જઈને આમ આદમી પાર્ટીના ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેંપેન’ની શુભારંભ કર્યો.

રાજકોટના લોકોએ અરવિંદ કેજરીવાલજીનું ખૂબ ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

અરવિંદ કેજરીવાલજીએ ઘરે-ઘરે જઈને લોકોને આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવેલી ગેરંટી વિશે જાણકારી આપી.

અરવિંદ કેજરીવાલજીએ જાતે લોકોનાં રજીસ્ટ્રેશન કર્યા બાદ લોકોને રોજગાર ગેરંટી કાર્ડ, મફત વીજળી ગેરંટી કાર્ડ અને મહિલા ગેરંટી કાર્ડ આપ્યા.

અરવિંદ કેજરીવાલજી એ રાજકોટના લોકો સાથે સામાન્ય નાગરિકની જેમ વાતચીત કરી.

‘અરવિંદ કેજરીવાલજી, તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ’ ના નારા લગાવીને સ્થાનિક લોકોએ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજીને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું.

આમ આદમી પાર્ટી એક ઈમાનદાર પાર્ટી છે; જો આપણે ઈમાનદારીથી કામ કરીશું તો સરકાર માટે ઘણા પૈસા બચશે અને જનતાને ઘણી સુવિધાઓ આપી શકીશું: અરવિંદ કેજરીવાલ.

ગુજરાતમાં ‘આપ’ની સરકાર બન્યા બાદ અમે દરેક બેરોજગારને રોજગાર, મફત વીજળી, મહિલાઓને સન્માનના રાશિ, વિનામૂલ્યે ઉત્તમ શિક્ષણ અને આરોગ્યની સુવિધા આપીશું: અરવિંદ કેજરીવાલ

 

 

 

‘આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ રાજકોટમાં ડોર ટુ ડોર કેંપેનનો પ્રારંભ કર્યો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ રાજકોટ શહેરમાં ડોર ટુ ડોર કેંપેનનો પ્રારંભ કર્યો હતો. આ ડોર ટુ ડોર કેંપેન દરમિયાન અરવિંદ કેજરીવાલજીએ રાજકોટના સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી. આ ડોર ટુ ડોર કેંપેન દરમિયાન આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાને ગેરંટી કાર્ડ આપશે, જેમાં ગુજરાતની જનતાને ખાતરી આપવામાં આવશે કે આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ જે પણ ગેરંટી આપી છે તે તમામ ગેરંટી આમ આદમી પાર્ટી આગામી 5 વર્ષમાં પૂરી કરશે.

અરવિંદ કેજરીવાલજી એ રાજકોટના લોકો સાથે સામાન્ય નાગરિકની જેમ વાતચીત કરી.

રાજકોટના લોકોએ અરવિંદ કેજરીવાલજીનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને તેઓ અરવિંદ કેજરીવાલજીને મળીને ખૂબ જ પ્રભાવિત થયા. ગુજરાતની જનતા માટે એ તદ્દન નવી વાત છે કે એક મુખ્યમંત્રી લોકોની વચ્ચે જઈને લોકોની વાત સાંભળે છે અને લોકો પોતાની વાત તેમને કહે છે. અરવિંદ કેજરીવાલજી દિલ્હીના મુખ્યમંત્રી છે, પરંતુ તેમની સાદગી અને સ્વભાવના કારણે રાજકોટની જનતા તેમને મળીને ખૂબ જ ખુશ હતી કારણ કે અત્યાર સુધી ગુજરાતની જનતાએ જોયું છે કે મોટા નેતાઓ, મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદોએ ક્યારેય પણ જનતાની વચ્ચે જઈને તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો ન હતો પરંતુ આજે રાજકોટની જનતાએ પરિવર્તનનો નવો ચહેરો જોયો, તે હતો અરવિંદ કેજરીવાલજીનો.

આમ આદમી પાર્ટી એક ઈમાનદાર પાર્ટી છે; જો આપણે ઈમાનદારીથી કામ કરીશું તો સરકાર માટે ઘણા પૈસા બચશે અને જનતાને ઘણી સુવિધાઓ આપી શકીશું: અરવિંદ કેજરીવાલ.

લોકો સાથે વાત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે આમ આદમી પાર્ટી ઈમાનદાર પાર્ટી છે. જો તમે ઈમાનદારીથી કામ કરશો તો સરકારના ઘણા પૈસા બચશે અને આ બચેલા પૈસા થી લોકોને ઘણી સુવિધાઓ આપી શકશું. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ અમે દરેક બેરોજગારને રોજગાર આપીશું અને જ્યાં સુધી રોજગાર નહીં મળે ત્યાં સુધી 3000 રૂપિયા બેરોજગારી ભથ્થુ આપીશું. 10,00,000 નવી સરકારી નોકરીઓનું સર્જન કરીશું. જેમ દિલ્હીમાં વીજળી મફત મળે છે અને પંજાબમાં વીજળીનું બિલ હવે શૂન્ય છે, તેવી જ રીતે ગુજરાતમાં પણ દર મહિને 300 યુનિટ વીજળી મફતમાં આપવામાં આવશે અને તમામ જૂના બિલ માફ કરવામાં આવશે. 18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાને દર મહિને ₹ 1000 સન્માન રાશિ આપવામાં આવશે. જે રીતે દિલ્હીમાં સરકારી શાળાઓ પ્રાઈવેટ શાળાઓ કરતાં વધુ સારી બનાવવામાં આવી છે, તેવી જ રીતે ગુજરાતમાં પણ વ્યવસ્થિત સરકારી શાળાઓ બનાવીશું, જેથી લોકોનો શિક્ષણ પાછળ થતો ખર્ચ સમાપ્ત થશે. પ્રાઈવેટ શાળાઓને ફી વધારવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તમામ મેડિકલ સારવાર મફત કરાશે, તમામ દવાઓ, તમામ ટેસ્ટ, તમામ ઓપરેશન્સ મફત થશે, પછી તે કોઈપણ રોગ હોય.

અરવિંદ કેજરીવાલજીએ જાતે લોકોનાં રજીસ્ટ્રેશન કર્યા બાદ લોકોને રોજગાર ગેરંટી કાર્ડ, મફત વીજળી ગેરંટી કાર્ડ અને મહિલા ગેરંટી કાર્ડ આપ્યા.

લોકો સાથે વાત કર્યા બાદ અરવિંદ કેજરીવાલજીએ જાતે જ લોકોના રજીસ્ટ્રેશન માટે આમ આદમી પાર્ટીના રજીસ્ટ્રેશન નંબર પર મિસ કોલ કરી અને ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેઈન’ અંતર્ગત લોકોના નામ, વિધાનસભાનું નામ, ફોન નંબર તેમજ પરીવારની સંખ્યા અને અન્ય માહિતી લઈને લોકોને રોજગાર ગેરંટી કાર્ડ, મફત વીજળી ગેરંટી કાર્ડ અને મહિલા ગેરંટી કાર્ડ આપ્યા હતા.

‘અરવિંદ કેજરીવાલજી, તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ’ ના નારા લગાવીને સ્થાનિક લોકોએ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજીને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું.

‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેઈન’ દરમિયાન, અરવિંદ કેજરીવાલજીને જનતાનો અભૂતપૂર્વ સમર્થન મળ્યો હતો. લોકોએ ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેઈન’માં મોટી સંખ્યામાં જોડાઈને આમ આદમી પાર્ટીમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ. આ દરમિયાન ‘અરવિંદ કેજરીવાલજી, તમે આગળ વધો, અમે તમારી સાથે છીએ’ ના નારા લગાવીને સ્થાનિક લોકોએ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજીને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું અને ખાતરી આપી હતી કે આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે અને પરિવર્તન આવશે.

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:aam admi partyArvind KejriwalBJP Gujaratdoor to door campgainrajkot
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?