By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: 27 વર્ષથી રાજ કરતી ભાજપ સરકાર પાસે ગુજરાતના વેપારીઓની સમસ્યા સાંભળવાનો સમય નથી:અરવિંદ કેજરીવાલ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > સુરત > 27 વર્ષથી રાજ કરતી ભાજપ સરકાર પાસે ગુજરાતના વેપારીઓની સમસ્યા સાંભળવાનો સમય નથી:અરવિંદ કેજરીવાલ
ગુજરાતરાજકારણસુરત

27 વર્ષથી રાજ કરતી ભાજપ સરકાર પાસે ગુજરાતના વેપારીઓની સમસ્યા સાંભળવાનો સમય નથી:અરવિંદ કેજરીવાલ

Web Editor Panchat
Last updated: September 10, 2022 2:01 pm
Web Editor Panchat Published September 10, 2022
Share
SHARE

સુરતના ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીના વેપારીઓની સમસ્યાઓ સાંભળ્યા બાદ અરવિંદ કેજરીવાલજીએ સુરતના વેપારીઓને વચન આપ્યું.

‘આપ’ની સરકાર બન્યા બાદ ગુજરાતના વેપારીઓને 24 કલાક વીજળી આપીશું: અરવિંદ કેજરીવાલ

પહેલાં દિલ્હીમાં પણ પાવર કટ ઘણો થતો હતો, આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ 24 કલાક વીજળી આવે છેઃ અરવિંદ કેજરીવાલ

27 વર્ષથી રાજ કરતી ભાજપ સરકાર પાસે ગુજરાતના વેપારીઓની સમસ્યા સાંભળવાનો સમય નથી: આપ

સુરતના વેપારીઓને પાવર કટના કારણે ભારે નુકસાન થઈ રહ્યું છે: આપ

ભાજપે ગુજરાત મોડલના નામે માત્ર જુઠ્ઠાણા ફેલાવ્યા છે: આપ

એશિયાનું સૌથી મોટું ટેક્સટાઈલ હબ કહેવાતા સુરત શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગના વેપારીઓ વારંવાર વીજ કાપનો સામનો કરી રહ્યા છે અને આ બાબતે અનેક વખત ફરિયાદ કરવા છતાં વહીવટીતંત્ર તેમની વાત સાંભળતું નથી. વેપારીઓનું કહેવું છે કે જો આ જ સમસ્યા ચાલુ રહેશે તો તમામ વેપારીઓને ભારે નુકસાન વેઠવું પડશે. સુરતમાં છેલ્લા 30 મહિનાથી વીવિંગ ટેક્સટાઈલના વેપારીઓ વીજ પુરવઠો ખોરવાતા ભારે પરેશાન છે. અનેક વખત ફરિયાદો કરવા સાથે વેપારીઓએ વીજ વિભાગની કચેરીએ ઘેરાવ અને વિરોધ પ્રદર્શન કર્યા હતા, પરંતુ આજદિન સુધી કોઈએ વેપારીઓની વાત સાંભળી નથી.

આ ગંભીર સમસ્યા પર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ એક ટ્વિટ દ્વારા પોતાનું નિવેદન આપતા કહ્યું કે, “પહેલાં દિલ્હીમાં પણ પાવર કટ ખૂબ જ થતો હતો. હવે વીજળી 24 કલાક આવે છે. તમામ વેપારી ભાઈઓથી મારું વચન છે, દિલ્હીની જેમ ગુજરાતમાં પણ તમને 24 કલાક વીજળી આપીશું.

ખૂબ જ નવાઈની વાત છે કે ભાજપ હંમેશા ગુજરાત મોડલની વાત કરે છે, પરંતુ આજે આપણે સૌ જોઈ શકીએ છીએ કે અત્યાર સુધી ગુજરાત મોડલના નામે માત્ર જુઠ્ઠાણા ફેલાવવામાં આવ્યા છે, કારણ કે આજ સુધી ગુજરાતમાં વેપાર, રોજગાર, શિક્ષણ, આરોગ્ય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મહત્વના મુદ્દા પર ભાજપે પાછલા 27 વર્ષમાં કોઈ કામ કર્યું નથી. પરંતુ આજે ધીમે ધીમે ગુજરાત મોડલની વાસ્તવિકતા લોકો સામે આવી રહી છે. ગુજરાત વર્ષોથી વેપારની ભૂમિ તરીકે જાણીતું છે, પરંતુ આજે 27 વર્ષ સુધી શાસન કરનાર ભાજપ સરકાર ગુજરાતના વેપારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે કોઈ પગલાં ભરી રહી નથી તે ખૂબ જ દુઃખની વાત છે.

સુરત વીવર્સ એસોસિએશનના પ્રમુખ અને કાપડના વેપારી વિજયભાઈ માંગુકિયાએ જણાવ્યું હતું કે, પાવર કટની સમસ્યાના કારણે વેપારીઓને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. વીજ પુરવઠામાં પાવર કટના કારણે મશીનોમાંની મોટરો બળી જાય છે. વીજળીનું બિલ વધારે છે અને કપડાંનું ઉત્પાદન ઓછું છે. વેપારીઓએ જણાવ્યું હતું કે વીજ પુરવઠો દરમિયાન એક વખત પાવર કટ થવાને કારણે વિવિંગ યુનિટ ફરી શરૂ થવાથી 2 હજાર રૂપિયાનું નુકસાન થાય છે. સુરતના કીમ, કરંજ, પીપોદરા, સાયણ, ગોથાણ, જોલવા, સચિન અને પલસાણા સહિતના અનેક ઔદ્યોગિક વિસ્તારોના વેપારીઓ વીજ કાપની સમસ્યાથી પરેશાન છે.

પરંતુ હવે ગુજરાતના વેપારીઓએ વધુ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અરવિંદ કેજરીવાલે વચન આપ્યું છે કે ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ ગુજરાતમાં રહેણાંક વિસ્તારોની સાથે-સાથે વેપારીઓને પણ 24 કલાક વીજળી આપવામાં આવશે. આમ આદમી પાર્ટી હંમેશા લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરતી આવી છે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ ગુજરાતની તમામ જનતાના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે.

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:AAParvind kejrivalbhupendra pateleducationGOPAL ITALIYAGUJARAT MODELhealthINDUSTRYisudan gadhviSURAT TEXTILETEXTILE CITY
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?