By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: કેજરીવાલ મોડલ જોવા ભાજપના નેતાઓ દિલ્હી જઈ રહ્યા છે, તે આમ આદમી પાર્ટીની જીત છેઃ ગોપાલ ઈટાલિયા
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > કેજરીવાલ મોડલ જોવા ભાજપના નેતાઓ દિલ્હી જઈ રહ્યા છે, તે આમ આદમી પાર્ટીની જીત છેઃ ગોપાલ ઈટાલિયા
અમદાવાદગુજરાત

કેજરીવાલ મોડલ જોવા ભાજપના નેતાઓ દિલ્હી જઈ રહ્યા છે, તે આમ આદમી પાર્ટીની જીત છેઃ ગોપાલ ઈટાલિયા

Web Editor Panchat
Last updated: June 28, 2022 9:13 pm
Web Editor Panchat Published June 28, 2022
Share
SHARE

કેજરીવાલ મોડલ જોવા ભાજપના નેતાઓ દિલ્હી જઈ રહ્યા છે, તે આમ આદમી પાર્ટીની જીત છેઃ ગોપાલ ઈટાલિયા

 

ભાજપ આજે આમ આદમી પાર્ટીની પરિવર્તન ની રાજનીતિ અપનાવી રહી છેઃ ગોપાલ ઈટાલિયા

ભાજપના નેતાઓએ ગુજરાતમાં શિક્ષણનું વ્યાપારીકરણ કર્યું છેઃ ગોપાલ ઈટાલિયા

આમ આદમી પાર્ટી શિક્ષણને દેશ સેવા માને છેઃ ગોપાલ ઈટાલિયા

ગુજરાતમાં શિક્ષણનું વ્યાપારીકરણ થયું છે અને દિલ્હીમાં શિક્ષણ દ્વારા દેશની સેવા થઈ રહી છેઃ ગોપાલ ઈટાલિયા

ગુજરાતમાં ભાજપના નેતાઓએ ખાનગી શાળાઓ શરૂ કરીને શિક્ષણનો ધંધો કર્યો છેઃ ગોપાલ ઈટાલિયા

ગુજરાતના નેતાઓ પણ કેમ કરી રહ્યા છે ગુવાહાટીનો પ્રવાસ

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ મીડિયાને સંબોધતા કહ્યું કે, દેશમાં શિક્ષણ ક્રાંતિની શરૂઆત દિલ્હીથી થઈ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા જી ના નેતૃત્વમાં દિલ્હીમાં શિક્ષણ ક્રાંતિની વાતો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ગુંજતી રહી છે. આજે દેશમાં ક્યાંય પણ સારી શાળાઓ અને સારી શિક્ષણ વ્યવસ્થા અને આરોગ્ય વ્યવસ્થાની વાત થાય છે, તો ચોક્કસ દિલ્હીના કેજરીવાલ મોડલની વાત થાય છે, આમ આદમી પાર્ટી દ્વારા દેશમાં પહેલીવાર આવી અદ્ભુત વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા જે વ્યવસ્થા પરિવર્તન આવ્યું છે તેણે સમગ્ર દેશને એક ઉદાહરણ આપ્યું છે. અરવિંદ કેજરીવાલ જી એ આખા દેશના નેતાઓ અને પાર્ટીઓને એક રસ્તો બતાવ્યો છે કે જો નિયત સાફ હોય તો પરિવર્તન નિશ્ચિત છે.

 

કયા પાટીદાર નેતાએ કહ્યુ કે બિન અનામત આયોગ અને નિગમને બંધ કરો

અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીની સ્થાપના સમયે કહ્યું હતું કે અમે રાજનીતિ કરવા નથી પરંતુ રાજનીતિ બદલવા આવ્યા છીએ. ધીરે ધીરે, સંઘર્ષ કરતા-કરતા, આમ આદમી પાર્ટી આગળ વધીને સાચી સાબિત થઈ છે. સરકારી શિક્ષણ પ્રણાલી અને સરકારી આરોગ્ય વ્યવસ્થા જેવા મુદ્દાઓ ક્યારેય ભાજપના મુદ્દા ન હતા પરંતુ આજે ભાજપને આમ આદમી પાર્ટીના પરિવર્તન ની રાજનીતિને અનુસરવાની ફરજ પડી છે, આ અમારી સફળતા છે. વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને આજે અમારા મુદ્દાઓ પર કામ કરવાની ફરજ પડી છે, કારણ કે આમ આદમી પાર્ટીના લાખો કાર્યકર્તાઓ એ શિક્ષણ અને આરોગ્યની વ્યવસ્થામાં પરિવર્તન લાવવા માટે દિવસ-રાત મહેનત કરી છે. લોકો ને જાગૃત કરવાનું કામ કર્યું છે.

શંકર સિહ વાધેલાએ કેમ કહ્યુ કે પ્રતિભા પાટીલ અને રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ બનાવવાથી પબ્લિકનુ ભલું ના થયું

હું ગુજરાતના ભાજપના નેતાઓને અભિનંદન આપું છું જેઓ દિલ્હીની સરકારી શાળા અને સરકારી હોસ્પિટલ જોવા જઈ રહ્યા છે અને કહેવા માંગુ છું કે જો તમે ગુજરાતની ખરાબ વ્યવસ્થા જાણો છો તો દિલ્હીની સારી શિક્ષણ વ્યવસ્થા અને આરોગ્ય વ્યવસ્થામાંથી કંઈક શીખીને આવજો. ગુજરાતમાં ભાજપના નેતાઓ તેમના માતા-પિતાના નામે ટ્રસ્ટ શરૂ કરીને, ખાનગી શાળાઓ શરૂ કરીને શિક્ષણનો વેપાર કરી રહ્યા છે. હું બીજેપીના નેતાઓને બીજી એક વાત કહેવા માંગુ છું કે ત્યાં ફક્ત ફરીને અને માત્ર ફોટો પડાવી ને પાછા ના આવો અને ગુજરાતમાં આવીને લોકોમાં ખોટો ભ્રમ ન ફેલાવો.

આમ આદમી પાર્ટી શિક્ષણને દેશ સેવાનું માધ્યમ માને છે. અમારું માનવું છે કે શિક્ષણ દ્વારા આપણે સમાજ અને સમગ્ર દેશને આગળ લઈ જઈ શકીએ છીએ. જ્યારે બીજી તરફ ભાજપ શિક્ષણને ધંધો માને છે. એટલે ગુજરાતમાં શિક્ષણનું વ્યાપારીકરણ થયું છે અને દિલ્હીમાં શિક્ષણ દ્વારા રાષ્ટ્રની સેવા થઈ રહી છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મિલેનિયા ટ્રમ્પ જ્યારે દિલ્હી આવ્યા હતા ત્યારે તેમણે પણ દિલ્હીની સરકારી શાળાઓના વખાણ કર્યા હતા, તેથી ભાજપના લોકો પણ આ જ રીતે સકારાત્મક વલણ રાખીને દિલ્હીની શાળાઓની સમીક્ષા કરે તેવી આશા છે. આપણા માટે વધુ એક ગર્વ જેવી વાત છે કે ભાજપ સરકારે આજ સુધી ક્યારેય વિરોધ પક્ષની એકપણ સરકારી શાળાની હોસ્પિટલ જોવા માટે કોઈ કામ કર્યું ન હતું, તેથી ઈતિહાસમાં પહેલીવાર આવું થઈ રહ્યું છે, તે સારી વાત છે.

ભાજપના નેતાઓ પહેલા આમ આદમી પાર્ટીની ટીકા કરતા હતા અને કહેતા હતા કે દિલ્હી એક નાનું શહેર છે અને અરવિંદ કેજરીવાલ એક શહેરના મેયર છે અને આમ આદમી પાર્ટી માત્ર શહેરી પાર્ટી છે, આવી ઘણી બકવાસ વાતો કરી છે, પરંતુ આજે ભાજપના નેતા પોતે કેજરીવાલ મોડેલની શાળા અને હોસ્પિટલ જોવા જઈ રહ્યા છે, આ કેજરીવાલ મોડેલ, આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના લાખો કાર્યકરોની મહેનતની જીત છે.

આ મહત્વની પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ કોષાધ્યક્ષ કૈલાશદાન ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

યુવરાજ સિહ જાડેજાએ હવે અગ્નિપથ યોજનાને લઇને મોદી સરકાર માટે કહી આટલી મોટી વાત !

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બલ્ક ડ્રગ પાર્ક નું કર્યું ભૂમિપૂજન

ગાડીઓ અને ચા નાસ્તાની ગેરબંધારણીય સુવિધાઓ તાત્કાલિક પાછી લઈ લેવા લીગલ નોટિસ આપતા અમી બેન રાવત

ગોધરા અને કાલોલ તાલુકાના કુલ ૪ કરોડ ૮૧ લાખના ૨૮૬ કામોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરાયું

ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો

કિશોરીઓને માસિક ચક્ર અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપી સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું

TAGGED:AAPBJPdelhiFeaturedgujaratkejariwalkejriwal delhi
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
50 વર્ષ બાદ પહેલીવાર ભરૂચમાં આવું પૂર આવ્યું, નર્મદાનું જળસ્તર ઐતિહાસિક 41 ફૂટને પાર પહોંચ્યું
ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?