By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ભાજપના ભ્રષ્ટ નેતાઓ ના કારણે ગુજરાત આજે 3.50 લાખ કરોડના દેવામાં ડૂબી ગયું છેઃ ઇસુદાન ગઢવી
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ભાજપના ભ્રષ્ટ નેતાઓ ના કારણે ગુજરાત આજે 3.50 લાખ કરોડના દેવામાં ડૂબી ગયું છેઃ ઇસુદાન ગઢવી
અમદાવાદગુજરાત

ભાજપના ભ્રષ્ટ નેતાઓ ના કારણે ગુજરાત આજે 3.50 લાખ કરોડના દેવામાં ડૂબી ગયું છેઃ ઇસુદાન ગઢવી

Web Editor Panchat
Last updated: July 15, 2022 7:14 pm
Web Editor Panchat Published July 15, 2022
Share
SHARE

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ‘આપ’ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ જનસભામાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા.

દિલ્હી અને પંજાબમાં મફત વીજળી મળી શકે છે તો ગુજરાતમાં કેમ નહીં?: ઇસુદાન ગઢવી

ભાજપના ભ્રષ્ટ નેતાઓ ના કારણે ગુજરાત આજે 3.50 લાખ કરોડના દેવામાં ડૂબી ગયું છેઃ ઇસુદાન ગઢવી

દિલ્હીમાં સાફ નિયત વાળી સરકાર છે, જેના કારણે દિલ્હી ની જનતાને શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહી છેઃ ઇસુદાન ગઢવી

ગુજરાતમાં ભ્રષ્ટ ભાજપ સરકારના કારણે આજે સમગ્ર ગુજરાત પૂરના સંકટનો સામનો કરી રહ્યું છે: ઇસુદાન ગઢવી

ગુજરાત સરકારે ફરી એકવાર વીજળી ના ભાવમાં વધારો કરીને પ્રજા પર કરોડો નો બોજ નાખ્યો છેઃ સાગર રબારી

ગુજરાતની જનતાને મોંઘવારી માંથી માત્ર આમ આદમી પાર્ટી જ રાહત આપી શકે છેઃ સાગર રબારી

 

ડીસા,બનાસકાંઠા/ગુજરાત

આમ આદમી પાર્ટી દ્વારા બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના રીસાલા ચોક ખાતે “જનસંવાદ” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારી એ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. જેમ દરેક જનસભામાં દરેક જિલ્લામાંથી આમ આદમી પાર્ટી ને આમ જનતા નો સહયોગ મળે છે એમ આ વખતે પણ બનાસકાંઠા માં ડીસા શહેરના અને આજુબાજુના વિસ્તારો માંથી યુવાનો, વૃદ્ધો, વડીલો અને મહિલાઓ મોટી સંખ્યામાં આ જનસંવાદ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. લોકો નો આ જ સહયોગ ગુજરાતમાં આમ આદમી પાર્ટી ની ઐતિહાસિક જીત સાબિત કરે છે.

આ જનસંવાદ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને અન્ય પ્રદેશ નેતાઓ નું હાર અને શાલ ઓઢાડીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

જનસંવાદ કાર્યક્રમમાં હાજર રહેલ જનમેદની માંથી લોકો એ પોતાની વેદના અને પ્રશ્નો આમ આદમી પાર્ટીના નેતાઓ સમક્ષ મૂક્યા હતા, અને ‘આપ’ નેતાઓ દ્વારા તેના ઉકેલો અને પ્રશ્નોના ઉત્તર આપવામાં આવ્યા હતા.

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ જનસંવાદ કાર્યક્રમને સંબોધતા કહ્યું કે, આજે ભાજપ જનતાના પૈસા લૂંટીને ખૂબ જ અમીર પાર્ટી બની ગઈ છે અને એ જ પૈસાથી તેઓ શિવસેનાના ધારાસભ્યોને ખરીદીને મહારાષ્ટ્રમાં પોતાની સરકાર બનાવે છે. બદલામાં જનતાને શું મળ્યું? વીજળી ના ભાવમાં વધારો. ગુજરાતમાં પણ આજે વીજળી ના ભાવમાં વધારો થયો છે. ગુજરાતના લોકો પ્રતિ યુનિટ 7 થી 8 રૂપિયા ચૂકવી રહ્યા છે. આખા દેશમાં ક્યાંય વીજળી એટલી મોંઘી નથી. જ્યારે દિલ્હીમાં 73% લોકો નું વીજળીનું બિલ આજે શૂન્ય આવે છે.

મફત વીજળી આપવા છતાં દિલ્હી પર કોઈ દેવું વધ્યું નથી. બીજી તરફ ભાજપે ગુજરાતને પોકળ કરી નાખ્યું છે. આજે ગુજરાત રાજ્ય પર 3.50 લાખ કરોડનું દેવું છે. દર વર્ષે આ લોનમાં 30 થી 35 હજાર કરોડનો વધારો થાય છે. ગુજરાતમાં જ્યારે પણ બાળકનો જન્મ થાય છે ત્યારે તે 48000 રૂપિયાનો દેવાદાર બની જાય છે. મને ડર છે કે ભાજપને કારણે આપણા દેશની હાલત શ્રીલંકા જેવી ન થઈ જાય. 2014માં જ્યારે ભાજપ સત્તામાં આવ્યુ ત્યારે ભારત પર 56 લાખ કરોડનું દેવું હતું અને આજે દેશ પર 139 લાખ કરોડનું દેવું છે.

ઇસુદાન ગઢવી એ ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે કેરળમાં જ્યાં શિક્ષિત લોકો વસે છે ત્યાં આજ સુધી ભાજપને 5%થી વધુ વોટ મળ્યા નથી અને પંજાબમાં પણ ભાજપનો સફાયો થયો છે. અને આખી દુનિયાએ દિલ્હીનો ઈતિહાસ જોયો છે, આજે દિલ્હીમાં ભાજપ અને કોંગ્રેસ નામ માટે જ રહી ગયા છે. આ વખતે ગુજરાતની જનતાએ એ જ કરવાનું છે અને ગુજરાતમાં ભાજપનો સફાયો કરવાનો છે.

ગુજરાતમાં જે ઝડપે આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે તે જોઈને હવે સ્પષ્ટ થઈ ગયું છે કે જનતાએ આમ આદમી પાર્ટી ને પસંદ કરી છે. આવનારા સમયમાં જનતા ભાજપ અને કોંગ્રેસ ને કારમી હાર આપવા તૈયાર છે. આમ આદમી પાર્ટી અને ગુજરાતની જનતા ની આ ભાગીદારી ગુજરાતના ઈતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે લખવામાં આવશે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારી એ જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, વરસાદી વાતાવરણ વચ્ચે આટલી મોટી ભીડ નું આવવું આમ આદમી પાર્ટી માટે સારી નિશાની છે અને જનતાના આવા સમર્થનને કારણે જ ભાજપ કોંગ્રેસમાં ભય ફેલાયો છે. આપણે વારંવાર સાંભળીએ છીએ કે 27 વર્ષથી બીજેપી સતત જીતી રહી છે પરંતુ આવનારી ચૂંટણી માત્ર આમ આદમી પાર્ટી માટે જ નહીં પરંતુ લોકો માટે પણ કસોટી છે. ગુજરાત ને ભાજપ થી બચાવવા આમ આદમી પાર્ટીની સાથે સાથે જનતાએ પણ આ વખતે મહેનત કરવી પડશે.

ગુજરાતની જનતાએ નક્કી કરવાનું છે કે તેમને કેવા પ્રકારની સરકાર જોઈએ છે. તમારે નક્કી કરવાનું છે કે તમારે સખત-પ્રમાણિક સરકાર જોઈએ છે કે ભ્રષ્ટ સરકાર જોઈએ છે. તમારે નક્કી કરવાનું છે કે ગુજરાતમાં આ વખતે સરકાર શિક્ષિત લોકોની બને કે અભણ લોકોની. દિલ્હીની જનતાએ શિક્ષિત લોકોની સરકાર પસંદ કરી, જેના કારણે આજે દેશની શ્રેષ્ઠ વ્યવસ્થા દિલ્હીમાં છે. 2 દિવસ પહેલા ફરી વીજળી ના ભાવમાં વધારો થયો છે, તો બીજી તરફ દિલ્હી અને પંજાબમાં જ્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યાં લોકોને મફતમાં વીજળી આપવામાં આવી રહી છે, આ શક્ય બન્યું છે કારણ કે ત્યાં સાફ નિયત વાળી પ્રામાણિક આમ આદમી પાર્ટીની સરકાર છે.

આ જાહેરસભામાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારી ઉપરાંત પ્રદેશ ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરી, પ્રદેશ સંગઠન મંત્રી રમેશ નાભાણી, સ્પોર્ટ્સ વિંગ પ્રદેશ પ્રમુખ રવિ પ્રજાપતિ, બનાસકાંઠા લોકસભા પ્રમુખ વિજયભાઈ દવે, બનાસકાંઠા જિલ્લા પ્રમુખ રમેશ પટેલ, બનાસકાંઠા જિલ્લા ઉપપ્રમુખ નવીન પટેલ અને બનાસકાંઠા જિલ્લાના હોદ્દેદારો તથા બનાસકાંઠા લોકસભાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:AAPBANASKANTHAIsudan Gadhavi
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?