By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: આપ’ની સરકાર બનતાની સાથે જ અલગ અલગ સમાજ અને વર્ગના આંદોલનકારીયો પર થયેલ ખોટા કેસોને પાછા ખેંચવામાં આવશે: ગોપાલ ઇટાલિયા
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > આપ’ની સરકાર બનતાની સાથે જ અલગ અલગ સમાજ અને વર્ગના આંદોલનકારીયો પર થયેલ ખોટા કેસોને પાછા ખેંચવામાં આવશે: ગોપાલ ઇટાલિયા
અમદાવાદગુજરાતરાજકારણ

આપ’ની સરકાર બનતાની સાથે જ અલગ અલગ સમાજ અને વર્ગના આંદોલનકારીયો પર થયેલ ખોટા કેસોને પાછા ખેંચવામાં આવશે: ગોપાલ ઇટાલિયા

Web Editor Panchat
Last updated: October 12, 2022 11:03 pm
Web Editor Panchat Published October 12, 2022
Share
SHARE

‘આપ’ની સરકાર બનતાની સાથે જ અલગ અલગ સમાજ અને વર્ગના આંદોલનકારીયો પર થયેલ ખોટા કેસોને પાછા ખેંચવામાં આવશે: ગોપાલ ઇટાલિયા

ભ્રષ્ટ ભાજપની સરકાર અને તાનાશાહ નેતાઓ દ્વારા અલગ અલગ સમાજના વર્ગ અને વિસ્તારને વારંવાર અન્યાય કરવામાં આવ્યો છે: ગોપાલ ઇટાલિયા

કોઈ સમાજ કોઈ વ્યક્તિ આંદોલન પર ઉતરે છે તો તે આંદોલનને દબાવી દેવા માટે ખોટી ખોટી કલમો લગાવીને તેમને જેલમાં મોકલવા આવે છે: ગોપાલ ઇટાલિયા

જો સત્તામાં બેઠેલા લોકો જનતાની વાત સાંભળતા હોય તો કોઈએ આંદોલન કરવાની જરૂર પડે નહીં: ગોપાલ ઇટાલિયા

ભ્રષ્ટ ભાજપ સરકારે માલધારી સમાજના લોકો અને ખાસ કરીને યુવાનો અને મહિલાઓ ઉપર ખોટા કેસ કર્યા અને જેલમાં મોકલ્યા: ગોપાલ ઇટાલિયા

તાપી અને ડાંગ વિસ્તારમાં તાપીપાર વિસ્તારમાં ખોટી રીતે જમીન સંપાદન થઈ રહ્યું છે, તેના વિરુદ્ધ પણ આદિવાસી સમાજના લોકો લડાઈ લડી રહ્યા છે, એમના પર ખોટી FIR કરવામાં આવી છે: ગોપાલ ઇટાલિયા

દલિત સમાજના આંદોલન દરમિયાન હોનહાર યુવાનો પર ભાજપની તાનાશાહ સરકારે ખોટા કેસ કર્યા હતા: ગોપાલ ઇટાલિયા

ઠાકોર સમાજે પણ આંદોલન કર્યું હતું અને એ આંદોલનને પણ તોડી પાડવા માટે સરકારે પ્રયાસ કર્યા હતા: ગોપાલ ઇટાલિયા

રાજપૂત સમાજના પ્રશ્નોને લઈને કરણી સેનાના લોકો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું અને આંદોલનની અંદર પણ ભ્રષ્ટ ભાજપે ખોટા કેસ કરીને સમાજના યુવાનોને જેલમાં પૂરવાનું કામ કર્યું હતું: ગોપાલ ઇટાલિયા

સમગ્ર દેશમાં ચર્ચા જગાવનાર પાટીદાર આંદોલનને પણ તોડવાની કોશિશ કરવામાં આવી હતી, પાટીદાર યુવાનો ઉપર અનેક ખોટા કેસો કરવામાં આવ્યા હતા: ગોપાલ ઇટાલિયા

લોકરક્ષક ભરતીમાં પણ અન્યાય થયો હતો, તેના વિરોધમાં પણ લોકોએ આંદોલન કર્યું અને આ આંદોલનને પણ તોડી નાખવા માટે ભાજપના તાનાશાહ નેતાઓએ ખોટી FIR કરીને તેમને જેલમાં મોકલવાનું નિમ્ન કક્ષાનું કામ કર્યું હતું: ગોપાલ ઇટાલિયા

બાહોશ પોલીસે પણ પોતાના ગ્રેડ પે માટે આંદોલન કર્યું હતું અને જ્યારે પોલીસે આંદોલન કર્યું હતું ત્યારે પોલીસ પર જ ખોટી FIR કરવામાં આવી હતી, લોકોને જેલમાં પૂરવામાં આવ્યા અને તેમની ખોટી બદલીઓ કરવામાં આવી: ગોપાલ ઇટાલિયા

ખેડૂતો દ્વારા પણ પાણીના મુદ્દે અને જમીન સંપાદનના મુદ્દે આંદોલનો થયા હતા ત્યારે ભ્રષ્ટ ભાજપના નેતાઓએ ખેડૂતો ઉપર પણ ખોટી FIR કરી: ગોપાલ ઇટાલિયા

તમામ સમાજ આમ આદમી પાર્ટી સાથે જોડાઈને ભ્રષ્ટ ભાજપની શાન ઠેકાણે લાવવા માટે અને ભાજપના નેતાઓને ઘર ભેગા કરવા માટે કમર કસી રહ્યા છે: ગોપાલ ઇટાલિયા

અલગ અલગ સમાજ અને સંગઠનોના તરફથી ઘણા બધા નવા સૂચનો અને માર્ગદર્શન પણ મળ્યા, એ માટે હું આમ આદમી પાર્ટી વતી તમામ સમાજનો આભાર માનું છું: ગોપાલ ઇટાલિયા

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જાહેરાત કરતા કહ્યું હતું કે , ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક શક્તિશાળી વિકલ્પના રૂપમાં ઉભરી આવી છે જનતાએ નક્કી કરી લીધું છે કે આ વખતે આમ આદમી પાર્ટીની સરકાર બનવાની છે, જ્યારે નવી સરકાર બનવાની હોય તો લોકોની આશાઓ અને અપેક્ષાઓ નવી સરકાર તરફ વધી જતી હોય છે. આટલા દિવસોમાં અલગ અલગ સમાજ અને સંગઠનોના તરફથી ઘણા બધા નવા સૂચનો મળ્યા અને માર્ગદર્શન પણ મળ્યા. કારણ કે આ લોકોને વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી તેમની વાત સાંભળશે. આજે તમામ સમાજ, સંગઠનો અને સામાન્ય લોકો પોતાની પીડા અને પ્રશ્નો આમ આદમી પાર્ટી સમક્ષ રજૂ કરી રહ્યા છે. છેલ્લા થોડા સમયમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા અને અમારા રાષ્ટ્રીય નેતા ઈશુદાન ગઢવી દ્વારા અનેક જનતા લક્ષી નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં ભ્રષ્ટ ભાજપની સરકાર અને તાનાશાહ નેતાઓ દ્વારા અલગ અલગ સમાજના વર્ગને અને વિસ્તારને વારંવાર અન્યાય કરવામાં આવ્યો છે. અને અન્યાય પછી જો કોઈ ભાજપના નેતાઓને રજૂઆત કરે કે માંગણી કરે ત્યારે તેમની માંગણીઓ પણ સાંભળવામાં આવતી નથી. સચિવાલયમાં અને તેમની ઓફિસોમાં બોલાવીને લોકોને અપમાનિત કરવામાં આવે છે. જ્યારે કોઈ સમાજ કોઈ વ્યક્તિ આંદોલન પર ઉતરે છે તો તે આંદોલનને દબાવી દેવા માટે ખોટી ખોટી કલમો લગાવીને તેમને હેરાન કરવામાં આવે છે. પાછલા દિવસમાં ગુજરાતમાં ઘણા આંદોલનો થયા અને આ આંદોલનો પાછળ સમાજની મજબૂરી હોય છે. જો સત્તામાં બેઠેલા લોકો જનતાની વાત સાંભળતા હોય તો કોઈએ આંદોલન કરવાની જરૂર પડે નહીં. ના છૂટકે લોકો આંદોલન કરે છે તો તેમને જેલમાં પૂરી દેવામાં આવે છે .

પાછલા દિવસમાં ઘણા આંદોલન થયા અને આંદોલનને તોડી પાડવા લોકો પર ખોટા કેસ કરવામાં આવ્યા છે. માલધારી સમાજએ પોતાના અધિકારો માટે આંદોલન કર્યું અને અનેક જગ્યાએ શાંતિપૂર્ણ રીતે રેલી કાઢી. માલધારી સમાજની વાત સાંભળવાની જગ્યાએ ભ્રષ્ટ ભાજપ સરકારે માલધારી સમાજના લોકો અને ખાસ કરીને યુવાનો અને મહિલાઓ ઉપર ખોટા કેસ કર્યા છે. માલધારી સમાજની મહિલાઓને પણ જેલમાં પૂરવાનું કામ ભ્રષ્ટ ભાજપએ કર્યું છે.

આદિવાસી સમાજ ઘણા સમયથી પોતાની જમીન, જળ અને જંગલ માટે લડાઈ લડી રહ્યો છે અને ખાસ કરીને કેવડિયા કોલોની વિસ્તારમાં જમીન સંપાદન મુદ્દે આદિવાસી સમાજે આંદોલન કર્યું હતું અને હમણાં તાપી અને ડાંગ વિસ્તારમાં તાપીપાર વિસ્તારમાં ખોટી રીતે જમીન સંપાદન થઈ રહ્યું છે તેના વિરુદ્ધ પણ આદિવાસી સમાજ લડાઈ લડી રહ્યો છે. આંદોલનને પણ તોડી નાખવા માટે ખોટી FIR કરવામાં આવી છે.

થોડા સમય પહેલા દલિત સમાજ એ પણ પોતાના અધિકારો માટે આખા ગુજરાતમાં એક મોટું આંદોલન ઊભું કર્યું હતું અને એ સમયે પણ દલિત સમાજના હોનહાર યુવાનો પર ભાજપની તાનાશાહ સરકારે ખોટા કેસ કર્યા હતા. આ સિવાય ઠાકોર સમાજે પણ આંદોલન કર્યું હતું અને એ આંદોલનને પણ તોડી પાડવા માટે સરકારે પ્રયાસ કર્યા હતા. આ સિવાય રાજપૂત સમાજના પ્રશ્નોને લઈને કરણી સેનાના લોકો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું અને આંદોલનની અંદર પણ ભ્રષ્ટ ભાજપે ખોટા કેસ કરીને સમાજના યુવાનોને જેલમાં પૂરવાનું કામ કર્યું હતું.

આ સિવાય સમગ્ર દેશમાં ચર્ચા જગાવનાર પાટીદાર આંદોલનને પણ તોડવાની કોશિશ કરવામાં આવી હતી. પાટીદાર યુવાનો ઉપર અનેક ખોટા કેસો કરવામાં આવ્યા હતા. આ સિવાય લોકરક્ષક ભરતીમાં પણ અન્યાય થયો હતો. તેના વિરોધમાં પણ લોકોએ આંદોલન કર્યું અને આ આંદોલનને પણ તોડી નાખવા માટે ભાજપના તાનાશાહ નેતાઓએ ખોટી FIR કરીને તેમને જેલમાં મોકલવાનું નિમ્ન કક્ષાનું કામ કર્યું હતું. ગુજરાતની બાહોશ પોલીસે પણ પોતાના ગ્રેડ પે માટે આંદોલન કર્યું હતું અને જ્યારે પોલીસે આંદોલન કર્યું હતું ત્યારે પોલીસ પર જ ખોટી FIR કરવામાં આવી હતી. આંદોલનમાં કેટલાક લોકોને જેલમાં પૂરવામાં આવ્યા અને તેમની ખોટી બદલીઓ કરવામાં આવી.

આ સિવાય ખેડૂતો દ્વારા પણ પાણીના મુદ્દે અને જમીન સંપાદનના મુદ્દે આંદોલનો થયા હતા. કેટલાક વિસ્તારમાં પ્રાઇવેટ કંપનીઓની દાદાગીરી વિરુદ્ધ આંદોલન થયા છે તો કેટલાક વિસ્તારમાં પવનચક્કી વિરુદ્ધ આંદોલન થયા છે. કેટલાક વિસ્તારોમાં ટેકાના ભાવ મુદ્દે પણ આંદોલન થયા છે. પરંતુ ખેડૂતોએ જ્યારે પણ આંદોલન કર્યા ત્યારે ભ્રષ્ટ ભાજપના નેતાઓએ ખેડૂતો ઉપર પણ ખોટી FIR કરી છે.

આ તમામ સમાજ તથા તમામ વર્ગના લોકોએ આમ આદમી પાર્ટી સમક્ષ વારંવાર રજૂઆત કરી છે કે આ તમામ સમાજ અને સંગઠનના લોકો પર જે ખોટા કેસો થયા છે તેને પાછા ખેંચવા જોઈએ. તો આમ આદમી પાર્ટીએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે જ તમામ વર્ગ અને તમામ સમાજના લોકો પર જે ખોટા કેસો કરવામાં આવ્યા છે તે તમામ કેસોને રદ કરવામાં આવશે. અને જે નિર્દોષ લોકોને હેરાનગતિ થઈ છે તે તમામ લોકોને ન્યાય અપાવવામાં આવશે. ગુજરાતના તમામ સમાજ આમ આદમી પાર્ટી સાથે જોડાઈને ભ્રષ્ટ ભાજપની શાન ઠેકાણે લાવવા માટે અને ભાજપના નેતાઓને ઘર ભેગા કરવા માટે કમર કસી રહ્યા છે. હું આમ આદમી પાર્ટી વતી તમામ સમાજનો આભાર માનું છું.

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?