By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: જેટલા પણ ભ્રષ્ટાચારી, ગુંડાગર્દી કરવાવાળા લોકો છે એ સૌને જનતાથી મુક્તિ અપાવવા માટે, ભગવાને મને ધરતી પર મોકલ્યો છે: અરવિંદ કેજરીવાલ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > વડોદરા > જેટલા પણ ભ્રષ્ટાચારી, ગુંડાગર્દી કરવાવાળા લોકો છે એ સૌને જનતાથી મુક્તિ અપાવવા માટે, ભગવાને મને ધરતી પર મોકલ્યો છે: અરવિંદ કેજરીવાલ
ગુજરાતરાજકારણવડોદરા

જેટલા પણ ભ્રષ્ટાચારી, ગુંડાગર્દી કરવાવાળા લોકો છે એ સૌને જનતાથી મુક્તિ અપાવવા માટે, ભગવાને મને ધરતી પર મોકલ્યો છે: અરવિંદ કેજરીવાલ

Web Editor Panchat
Last updated: October 8, 2022 8:12 pm
Web Editor Panchat Published October 8, 2022
Share
SHARE

આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ વડોદરામાં ભવ્ય ત્રિરંગા યાત્રામાં ભાગ લીધો હતો.

જ્યારે મારું ગુજરાતમાં આવવાનું નક્કી થયું તો ભાજપવાળાએ મારી વિરુદ્ધ દરેક જગ્યાએ પોસ્ટર લગાવી દીધા : અરવિંદ કેજરીવાલ

જેટલા પણ ભ્રષ્ટાચારી, ગુંડાગર્દી કરવાવાળા લોકો છે એ સૌને જનતાથી મુક્તિ અપાવવા માટે, ભગવાને મને ધરતી પર મોકલ્યો છે: અરવિંદ કેજરીવાલ

હું એક ધાર્મિક માણસ છું, હનુમાનજીનો કટ્ટર ભક્ત છું: અરવિંદ કેજરીવાલ

તમે કંસના સંતાનો છો, જે આ રીતે ભગવાનનું અપમાન કરી રહ્યા છો: અરવિંદ કેજરીવાલ

મારો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો, આ કંસના સંતાનોનો નાશ કરવા માટે ભગવાને મને વિશેષ કાર્ય સાથે મોકલ્યો છે.

જે લોકોએ આ પોસ્ટર લગાવ્યા છે એ લોકો મારી નફરતમાં એટલા આંધળા થઈ ગયા છે કે તેઓએ ભગવાનને પણ છોડ્યા નથી: અરવિંદ કેજરીવાલ

ભગવાન અમારી સાથે છે, લોકો અમારી સાથે છે, જનતા પરિવર્તન ઇચ્છે છે અને તેના કારણે આ લોકો બધી રીતે બોખલાઇ ગયા છે: અરવિંદ કેજરીવાલ

મારા વિરોધીઓ મારી વિરુદ્ધ જે પણ કંઈ કરે છે તેનાથી મને કોઈ વાંધો નથી, પરંતુ તેમણે પોસ્ટર ઉપર ભગવાન માટે અપશબ્દો લખ્યા અને ભગવાનનું અપમાન કર્યું : અરવિંદ કેજરીવાલ

મારા વિરોધીઓને કહેવા માંગુ છું કે, તમે કેજરીવાલને નફરત કરી લો, પરંતું જો તમે ભગવાન વિરુદ્ધ અપશબ્દો લખશો તો જનતા સહન નહીં કરેઃ અરવિંદ કેજરીવાલ

આ વખતે આમ આદમી પાર્ટીનું ઝાડૂ ગુજરાતમાં કમળનું ફૂલ ઉગવા નહીં દેઃ ભગવંત માન

પહેલા ગુજરાતની જનતા પાસે કોઈ વિકલ્પ નહોતો પણ હવે એક વિકલ્પ છે: ભગવંત માન

આગામી 50 દિવસની જવાબદારી ગુજરાતની જનતાએ ઉઠાવવી પડશે અને તે પછી 5 વર્ષની જવાબદારી અમારી રહેશેઃ ભગવંત માન

 

 

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે બે દિવસની ગુજરાત મુલાકાતે પધાર્યા છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનએ દાહોદમાં એક વિશાળ જનસભાને સંબોધી હતી. ત્યારબાદ અરવિંદ કેજરીવાલઅને ભગવંત માન તિરંગા યાત્રામાં ભાગ લેવા વડોદરા પહોંચ્યા હતા.

ગુજરાતમાં હવે પરિવર્તન દૂર નથી, આ સંદેશ સાથે હજારો લોકોએ આમ આદમી પાર્ટીની ત્રિરંગા યાત્રાને વડોદરામાં સફળ બનાવી.

આમ આદમી પાર્ટી દ્વારા વડોદરામાં ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ‘આપ’ ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિત આમ આદમી પાર્ટીના નેશનલ જોઇંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ પણ જોડાયા હતા. વડોદરામાં તિરંગા યાત્રા દરમિયાન ભારે વરસાદ પડી રહ્યો હતો. પરંતુ હવે ગુજરાત પરિવર્તન ઈચ્છે છે, ગુજરાત પરિવર્તન માટે આમ આદમી પાર્ટીને ચાહે છે તે દર્શાવવા, આમ આદમી પાર્ટીને સમર્થન આપવા માટે હજારોની ભીડમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને વડોદરાના ઘણા બધા સ્થાનિક લોકો પણ ભારે વરસાદમાં તિરંગાયાત્રામાં જોડાયા હતા. ગુજરાતમાં હવે પરિવર્તન દૂર નથી, આ સંદેશ સાથે હજારો લોકોએ આમ આદમી પાર્ટીની ત્રિરંગા યાત્રાને વડોદરામાં સફળ બનાવી.

 

જે લોકોએ આ પોસ્ટર લગાવ્યા છે એ લોકો મારી નફરતમાં એટલા આંધળા થઈ ગયા છે કે તેઓએ ભગવાનને પણ છોડ્યા નથી: અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ વડોદરામાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ત્રિરંગા યાત્રામાં સંબોધતા જણાવ્યું હતું કે, આજનાં દિવસે જ્યારે મારું ગુજરાતમાં આવવાનું નક્કી થયું તો ભાજપવાળાએ મારી વિરુદ્ધ દરેક જગ્યાએ પોસ્ટર લગાવી દીધા. તે મારી વિરુદ્ધ ગમે તે કરે, મને તેની સાથે કોઈ જ વાંધો નથી, પરંતુ તેમણે પોસ્ટર ઉપર ભગવાન માટે અપશબ્દો લખ્યા અને ભગવાનનું અપમાન કર્યું. જે લોકોએ આ પોસ્ટર લગાવ્યા છે એ લોકો મારી નફરતમાં એટલા આંધળા થઈ ગયા છે કે તેઓએ ભગવાનને પણ છોડ્યા નથી અને અપશબ્દો લખીને ભગવાનનું અપમાન કર્યું છે. હું એક ધાર્મિક માણસ છું, હનુમાનજીનો કટ્ટર ભક્ત છું. હનુમાનજીની અસીમ કૃપા મારા પર છે. બધી જ આસુરી અને રાક્ષસી શક્તિઓ મારી સામે વિરુદ્ધ એકઠી થઈ ગઈ છે.

ભગવાન અમારી સાથે છે, લોકો અમારી સાથે છે, જનતા પરિવર્તન ઇચ્છે છે અને તેના કારણે આ લોકો બધી રીતે બોખલાઇ ગયા છે: અરવિંદ કેજરીવાલ

આ બધા કંસની ઓલાદ છે. આ બધા લોકો ભગવાનનું અપમાન કરે છે, ભક્તોનું અપમાન કરે છે, બધી જગ્યાએ ગુંડાગર્દી કરે છે, લફંગાઇ કરે છે, મારપીટ કરે છે, હું તેમને કહેવા માંગુ છું કે, મારો જન્મ જન્માષ્ટમીનાં દિવસે થયો હતો, ભગવાને મને એક ખાસ કામ સાથે મોકલ્યો છે, આ કંસની ઓલાદોનો નાશ કરવા માટે. જેટલા પણ ભ્રષ્ટાચારી, ગુંડાગર્દી કરવાવાળા લોકો છે એ સૌને જનતાથી મુક્તિ અપાવવા માટે આપણે સૌ ભેગા મળીને ભગવાનનું આ કાર્ય પૂરું કરીશું. ભગવાન અમારી સાથે છે, લોકો અમારી સાથે છે,જનતા પરિવર્તન ઈચ્છે છે અને તેના કારણે આ લોકો બધી બાજુથી બોખલાઈ ગયા છે. હું તેમને કહેવા માંગુ છું કે, તમે કેજરીવાલને નફરત કરી લો, પરંતું જો ભગવાન વિરુદ્ધ આવા અપશબ્દો લખશો તો જનતા તેને સહન કરશે નહીં.

આ વખતે આમ આદમી પાર્ટીનું ઝાડૂ ગુજરાતમાં કમળનું ફૂલ ઉગવા નહીં દેઃ ભગવંત માન

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ‘ભારત માતા કી જય’ ના નારા સાથે પોતાના ભાષણની શરૂઆત કરી અને કહ્યું કે ગુજરાતમાં અમે જ્યાં પણ જઈએ છીએ ત્યાં બધે આંધી જેવું વાતાવરણ જોવા મળે છે, આ આમ આદમી પાર્ટીના ઝાડૂની આંધી છે. અત્યારે અમે દાહોદથી આવ્યા છીએ અને ગયા અઠવાડિયે અમે ખેડબ્રહ્મા ગયા હતા, સુરેન્દ્રનગર ગયા હતા અને ગાંધીધામ ગયા હતા. દરેક જગ્યાએ લોકો કહી રહ્યા છે કે 27 વર્ષ થઈ ગયા, હવે આ લોકોથી અમારો પીછો છોડાવો. હું કહેવા માંગુ છું કે તેમનાથી પીછો અમે નહીં છોડાવી શકીએ, તમારે જાતે આ લોકોથી પીછો છોડાવવો પડશે.અમારો કોઈ ઔકાત નથી અને આ લોકો અમારાથી ડરતા નથી. આ લોકો આ વરસાદમાં ઉભેલા હજારો લોકોની એકતાથી ડરે છે. આ લોકોને ખબર પડી ગઈ છે કે તેમનું કામ થઈ ગયું છે, આ વખતે ગુજરાતમાં કમળનું ફૂલ નહીં ઉગે કારણ કે આમ આદમી પાર્ટીનું ઝાડૂ કીચડમાં સાફઇ કરશે અને કમળને ઉગવા નહીં દે.

પહેલા ગુજરાતની જનતા પાસે કોઈ વિકલ્પ નહોતો પણ હવે એક વિકલ્પ છે: ભગવંત માન

અમને પંજાબમાં 117માંથી 92 બેઠકો મળી છે અને 92માંથી 82 ધારાસભ્ય એવા છે જેઓ પહેલીવાર ધારાસભ્ય બન્યા છે. આમાં 26 વર્ષની છોકરી અને 28 વર્ષનો છોકરો એવા યુવાનો છે. અમે સામાન્ય લોકોના દીકરા-દીકરીઓને નોકરી પણ આપીએ છીએ અને ધારાસભ્યો પણ સામાન્ય લોકોના દીકરા-દીકરીઓને બનાવીએ છીએ. ગુજરાતમાં 27 વર્ષ થયા છે, આ લોકોએ તમારી ધીરજની ઘણી પરીક્ષા કરી છે, તો આ વખતે તેમની સરકાર બદલો. પહેલા ગુજરાતની જનતા પાસે કોઈ વિકલ્પ નહોતો પણ હવે વિકલ્પ છે. કોંગ્રેસની શું વાત કરવી કારણ કે કોંગ્રેસ અત્યારે કોમામાં જતી રહી છે. અને આ બધા મળેલા છે. અમે પંજાબમાં લગભગ 20000 યુવાનોને કાયમી નોકરી આપી છે. આ બધી સરકારી નોકરી છે, કોઈ આઉટસોર્સિંગ કે કોન્ટ્રાક્ટ જોબ નથી. ગઈકાલે જ મેં 8736 કાચા શિક્ષકોને કાયમી કરવાનો ઓર્ડર આપ્યો છે. પંજાબમાં 14-15-16 ઓક્ટોબરના રોજ પોલીસ ભરતીનું પેપર છે. પંજાબમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટરના પેપર છે પણ ત્યાં પેપર લીક કરવાની કોઈ હિંમત નહીં કરે અને દિલ્હીમાં કોઇ પેપર લીક થતા નથી. બીજી તરફ ગુજરાતમાં એવું કોઈ પેપર નથી જે લીક ના થયું હોય. સરકારી પરીક્ષાઓ માટે યુવાનો ખૂબ મહેનત કરે છે પરંતુ જ્યારે પેપર લીક થાય છે ત્યારે યુવાનોના સપના ચકનાચૂર થઈ જાય છે. ગુજરાતના યુવાનોના સપના અનેકવાર તૂટ્યા છે પરંતુ અરવિંદ કેજરીવાલ ગુજરાતના યુવાનોના સપના સાકાર કરશે.

આગામી 50 દિવસની જવાબદારી ગુજરાતની જનતાએ ઉઠાવવી પડશે અને તે પછી 5 વર્ષની જવાબદારી અમારી રહેશેઃ ભગવંત માન

હું ગુજરાતની જનતાને અપીલ કરવા આવ્યો છું કે આગામી 5 વર્ષ માટે તમને એક જ તક મળશે. તો મતદાનના દિવસના 9 કલાકનો સદુપયોગ કરશો તો તમારી આવનારી પેઢીઓ સારું જીવન જીવી શકશે. આગામી 50 દિવસની જવાબદારી ગુજરાતની જનતાએ ઉઠાવવી પડશે અને તે પછી 5 વર્ષની જવાબદારી અમારી રહેશે. જેઓ અમારા પોસ્ટરો ફાડે છે, હું તે બધાને કહેવા માંગુ છું કે, “હુકુમત વહ કરતે હૈ જિનકા દિલો પર રાજ હોતા હૈ યું તો કહને કે લિએ મુર્ગે કે સર પર ભી તાજ હોતા હૈ”

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?