By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ગુજરાતમાં પીવાના પાણીની તંગી શરુ, સરકારે બનાવ્યો ખાસ એક્શન પ્લાન
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > ગુજરાતમાં પીવાના પાણીની તંગી શરુ, સરકારે બનાવ્યો ખાસ એક્શન પ્લાન
ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં પીવાના પાણીની તંગી શરુ, સરકારે બનાવ્યો ખાસ એક્શન પ્લાન

Web Editor Panchat
Last updated: April 13, 2022 6:12 pm
Web Editor Panchat Published April 13, 2022
Share
SHARE

ગુજરાતમાં શરુ થયો ટેન્કર રાજ,

કચ્છમાં ટેન્કરોથી પહોચાડાઇ રહ્યા છે પશુઓ માટે પાણી

રાજ્યમાં પાણી માટે ટોલ ફ્રી નંબર જાહેર કરતી રાજ્ય રાજ્ય સરકાર

કમાભાઇ રાઠોડની રાજકીય તાકાત સામે ભાજપ થયુ નતમસ્તક !

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો
રાજ્યના નાગરિકોને ઉનાળા દરમિયાન પીવાના પાણીની કોઇપણ તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ : પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી
……………………………
જૂથ પાણી પુરવઠા, હેડપંપની મરામત સહિતની પીવાના પાણી સંબંધિત
ફરિયાદ માટે ૧૯૧૬ ટોલ ફ્રી નંબર કાર્યરત
……………………………
 ભુજ-ભચાઉ ઓવરબ્રિજનું કામ રૂ ૧૦૮ કરોડના ખર્ચે હાથ ધરી સત્વરે પૂર્ણ કરાશે
 તારાપુર-બગોદરા સિક્સલેન હાઇવેના ફ્રેઝ-૧નું કામ પૂર્ણ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ટૂંક સમયમાં લોકાર્પણ
 સોમનાથ દર્શન માટે મુંબઈ-કેશોદ-મુંબઈ એર ફ્લાઇટ આગામી તા.૧૬મી એપ્રિલથી શરૂ કરાશે
 દર માસના બીજા શનિવારે યોજાતા સેવા સેતુ કાર્યક્રમમાં ૪.૯૯ લાખ અરજીઓનો સમયસર નિકાલ

 

ભુપેન્દ્ર પટેલ સરકારના વખાણ કરીને પીએમ મોદીએ કર્યા એક તીર થી અનેક શિકાર !


……….
પ્રવક્તા મંત્રી  જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે કે રાજ્યના નાગરિકોને ઉનાળા દરમિયાન પીવાના પાણીની કોઇપણ પ્રકારની તકલીફ ન પડે એ માટે રાજ્ય સરકારે સધન આયોજન કર્યું છે. ગ્રામ્યસ્તરે જૂથ પાણી પુરવઠા યોજનાઓ દ્વારા અપાતા પીવાના પાણી અને હેન્ડપંપ રિપેરિંગ સહિતની ફરિયાદોના નિકાલ માટે ૧૯૧૬ ટોલ ફ્રી નંબર કાર્યરત કરાયો છે જેના પર નાગરિકોને પોતાની રજૂઆત કરી શકશે જેનો સત્વરે નિકાલ કરાશે.
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયોની મીડિયાને વિગતો આપતા મંત્રી ઉમેર્યું છે કે ઉનાળાની સિઝનમાં નાગરિકોને પીવાંના પાણીની કોઈ તકલીફ ન પડે એ માટેનું સુચારું આયોજન કરવા સંબંધિતોને મુખ્યમંત્રીએ સૂચના આપી છે. સાથે સાથે પાણીનો બગાડ ન કરવા પણ નાગરિકોને અપીલ કરાઇ છે. ટેન્કરો દ્વારા પાણી આપવા અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ કહ્યું છે કે હાલ કચ્છ જિલ્લામાં ૩૬ ટેન્કરો દ્વારા ૧૧૪ ફેરા થકી આશરે ૨૧ ગામોમાં પશુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ

મંત્રી વાઘાણીએ ઉમેર્યું કે ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર ઓવરબ્રિજનું કામ રૂપિયા ૧૦૮ કરોડના ખર્ચે હાથ ધરાશે. આ બ્રિજ અંગે વિવિધ જમીન સંપાદન સહિતના ટેકનિકલ પ્રશ્નો હતા તે હલ થયા છે એટલે હવે આ કામ સત્વરે શરૂ કરીને ટૂંક સમયમાં પૂર્ણ કરાશે. જેના પરિણામે ભૂજ અને ભચાઉના નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ આવશે. આ જ રીતે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો તારાપુર-બગોદરા સિક્સલેન હાઇવેના ફ્રેઝ-૨માં રૂપિયા ૬૫૧ કરોડના ખર્ચે કામ શરૂ થનાર છે. ફેઝ-૧ના કામ પૂર્ણ થયા છે તેનું લોકાર્પણ આગામી સમયમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરાશે.

ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ

પ્રવક્તા મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આવેલા પ્રથમ જ્યોર્તિલિંગ એવા શ્રી સોમનાથ મહાદેવના ભારતભરના યાત્રાળુઓને સરળતાથી દર્શન થઇ શકે તે માટે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય દ્વારા આગામી તા. ૧૬ એપ્રિલથી મુંબઇ-કેશોદ-મુંબઇ વિમાની સેવાનો પ્રારંભ કરવામાં આવશે. સપ્તાહમાં મંગળ, ગુરૂ અને શનિ એમ ત્રણ દિવસીય આ વિમાની સેવાનો કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીશ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા તેમજ ગુજરાતના નાગરિક ઉડ્ડયન મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવશે.
ગુજરાતના ખેડૂતો પાસેથી રેકોર્ડ બ્રેક ચણાની ખરીદી રેકોર્ડ બ્રેક ભાવે થઇ રહી છે તેમ જણાવી મંત્રીશ્રીએ કહ્યુ હતુ કે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી પ્રતિ ક્વિન્ટલ રૂા.૫૨૩૦ એટલે કે પ્રતિ મણ રૂા.૧૦૪૬ના ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી રહી છે. શરૂઆતમાં ૧૮૭ કેન્દ્રો જ્યારે અત્યારે જરૂરિયાત મુજબ ૧૧૭ કેન્દ્રો પરથી ચણાની ખરીદી કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે ૬.૬૫ લાખ મેટ્રિકટનથી વધુ ચણાની ટેકાના ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. આ વર્ષે ગુજરાતમાં ૫.૫૦ થી ૬ લાખ ટન ચણા ઉત્પાદનનો અંદાજ છે. જરૂરિયાત પડશે તો ગુજકોમાસોલને વધુ ચણાની ખરીદી કરવા માટે પણ સૂચના અપાશે તેમ મંત્રીએ ઉમેર્યુ હતું.

હિમ્મતનગર વિધાનસભામાં ચાલશે પરિવારવાદ ! કે મળશે મેરિટ ઉપર ટીકીટ

મંત્રીશ્રીએ કહ્યું હતું કે મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી સરકારમાં ૫૬ જેટલી સેવાઓ સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી પ્રજાને ઘેર બેઠા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સેવા સેતુ કાર્યક્રમ પ્રથમ તબક્કામાં કુલ ૪,૯૯,૯૭૯ અરજીઓ આવી હતી જેમાંથી ૪,૯૯,૯૧૪ અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો છે. રાજ્યમાં જામનગર, પોરબંદર, નર્મદા અને દાહોદ જિલ્લામાં વિવિધ મહાનુભાવોના કાર્યક્રમ હોવાથી સેવાસેતુ સેતુ કાર્યક્રમ યોજી શકાયા નથી જે આગામી સમયમાં પૂર્ણ કરવામાં આવશે તેમ પણ મંત્રીએ ઉમેર્યું હતું.

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:bhachaubhupendra patelcattlegujaratjitu bhai waghanikutchtenker raajtoll freewater crisis
Share This Article
Facebook Twitter Email Print
1 Comment
  • Pingback: પ્રાથમિક બાળકોને મનમગતી વસ્તુઓ માટે આપવા માંગતા હોય તો મુખ્યપ્રધાન કાર્યાલયનો સંપર્ક કરો - Panchat TV

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?