By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન રાજ્યભર માં “હર ઘર તિરંગા” અભિયાનનું આયોજન કરાયું આયોજન
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન રાજ્યભર માં “હર ઘર તિરંગા” અભિયાનનું આયોજન કરાયું આયોજન
ગાંધીનગરગુજરાતરાજકારણ

૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન રાજ્યભર માં “હર ઘર તિરંગા” અભિયાનનું આયોજન કરાયું આયોજન

Web Editor Panchat
Last updated: July 19, 2022 5:39 pm
Web Editor Panchat Published July 19, 2022
Share
SHARE

૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન રાજ્યભર માં “હર ઘર તિરંગા” અભિયાનનું આયોજન કરાયું આયોજન
રાજ્યમાં ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં ૫૦ લાખ ઘર અને શહેરી વિસ્તારમાં ૫૦ લાખ ઘર મળીને ૧ કરોડથી વધુ ઘરો ઉપર રાષ્ટ્રધ્વજ- તિરંગો લહેરાવવાના નિર્ધાર સાથે વ્યાપક આયોજન
*
રાજય સરકાર ના પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ હર ઘર તિરંગા અભિયાન અંગે માહિતી આપતા કહ્યુ કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતાના અમૃત મહોત્સવને નવી રીતે ઉજવવાનો સંકલ્પ કર્યો છે. ‘હર ઘર તિરંગા’ એ દેશના દરેક નાગરિકના હૃદય અને દિમાગમાં દેશભક્તિની ભાવનાને ઉચ્ચ સ્તરે લઈ જવાનો કાર્યક્રમ છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાન અંગે વિડિયો કોન્ફરન્સિંગનુ આયોજન કર્યુ હતુ જેમા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહભાગી થયા હતા. ગુજરાતમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં ૫૦ લાખ ઘર અને શહેરી વિસ્તારમાં ૫૦ લાખ ઘર એમ કુલ મળીને ૧ કરોડ થી વધુ ઘરો ઉપર રાષ્ટ્રધ્વજ- તિરંગો લહેરાવવાના નિર્ધાર સાથે વ્યાપક આયોજન કર્યું છે. ગુજરાતમાં સ્કૂલ, કોલેજ, સરકારી કચેરી, ઉદ્યોગો, સહકારી સંસ્થાનો સહિતના સાર્વજનિક સ્થળો પર અઢી લાખની સંખ્યામાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. તે ઉપરાંત મહાનગરોમાં વોર્ડ વાઇઝ તેમજ ગામડાઓમાં પંચાયત ઘર પર રાષ્ટ્રધ્વજ ઉપલબ્ધ કરાવવામાં આવશે. રાજ્યના ૫૦થી વધારે ખાદી ગ્રામ ઉદ્યોગ કેન્દ્ર તથા ગુર્જરી એમ્પોરિયમ, શોપિંગ મોલ અને બસ સ્ટેશન જેવા જાહેર સ્થળો પરથી પણ રાષ્ટ્રધ્વજની ખરીદી નાગરિકો કરી શકશે.
તેમણે વધુ માં કહ્યું હતું કે આ કાર્યક્રમ વિશ્વનો પહેલો એવો કાર્યક્રમ હશે જે ક્યારેય કોઈ રાષ્ટ્રે તેની સ્વતંત્રતા કે અન્ય કોઈ દિવસની ઉજવણી માટે કર્યો ન હોય. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશની આન, બાન અને શાન સમા રાષ્ટ્રધ્વજ પ્રત્યે દરેક નાગરિકના મનમાં રહેલો સન્માન ભાવ ઉજાગર થાય તેવા શુભ આશયથી હર ઘર તિરંગા કાર્યક્રમ તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન કરવાનું આહવાન કર્યું છે. દરેક ઘર સુધી રાષ્ટ્રધ્વજ પહોંચે તે માટે રાજ્ય સરકારે સુપેરે આયોજન કર્યું છે. ભારત સરકારે નિશ્ચિત કરેલી એજન્સી મારફત ૫૦ લાખ રાષ્ટ્રધ્વજ ખરીદવામાં આવશે. આ ઉપરાંત જેમ પોર્ટલ ઉપર ઉપલબ્ધ એજન્સીઓ મારફત પણ રાષ્ટ્રધ્વજની ખરીદી કરવામાં આવશે. શહેરી ક્ષેત્ર માટે ૩૦ લાખ અને ગ્રામીણ વિસ્તારો માટે ૨૦ લાખ રાષ્ટ્રધ્વજ ઉપલબ્ધ કરાવવામાં આવશે. હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત નાગરિકો રાષ્ટ્રધ્વજની ખરીદી કરી તેમના ઘર ઉપર ફરકાવે તે માટે રાજ્યભરમાં જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે.

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:amit shahamrut mahotsavcollegegujarat tiranga yatrahar ghar tiranga abhiyanjitu vaghaniNarendra ModiSchooltiranga yattra
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?