By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: કોંગ્રેસ ના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ઉપસ્થિતિ માં પરિવર્તન સંકલ્પ બુથ સંમેલન સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાશે
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > કોંગ્રેસ ના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ઉપસ્થિતિ માં પરિવર્તન સંકલ્પ બુથ સંમેલન સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાશે
અમદાવાદગાંધીનગરગુજરાતરાજકારણ

કોંગ્રેસ ના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ઉપસ્થિતિ માં પરિવર્તન સંકલ્પ બુથ સંમેલન સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાશે

Web Editor Panchat
Last updated: September 3, 2022 8:58 pm
Web Editor Panchat Published September 3, 2022
Share
SHARE

કોંગ્રેસ ના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ઉપસ્થિતિ માં પરિવર્તન સંકલ્પ બુથ સંમેલન સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાશે

અમદાવાદના રીવરફ્રન્ટ ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં ગુજરાત સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્યમંત્રી ડૉ. રઘુ શર્માએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય નેતૃત્વ આદરણીય રાહુલ ગાંધી તા. 5મી સપ્ટેમ્બરના રોજ સવારે 11-00 કલાકે ‘પરિવર્તન સંકલ્પ બુથ સ્તરીય સંમેલન’માં બુથના કાર્યકરોને સંબોધન કરશે ત્યારબાદ બપોરે 2-30 કલાકે પૂ. મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થના સભામાં જોડાશે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજીત ઐતિહાસીક ‘ભારત જોડો પદયાત્રા’ પહેલા રાહુલ ગાંધી પૂ. મહાત્મા ગાંધી – સરદાર સાહેબની ધરતી ગુજરાત આવશે અને પૂજ્ય મહાત્મા ગાંધીના આશીર્વાદ મેળવશે. રાજસ્થાનના યશસ્વી મુખ્યમંત્રી અને કોંગ્રેસ પક્ષના સીનીયર નેતાઓ પણ ગુજરાત આવી વિધાનસભા – ૨૦૨૨ ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના જવલંત વિજય માટે માર્ગદર્શન આપશે. ડબલ એન્જિન સરકારની જાહેરાતો કરતી ભાજપ સરકારનું ગુજરાતનું એન્જિન 4 વર્ષમાં બગડી ગયું છે અને દિલ્હીનું એન્જિન ક્યાં સુધી ગુજરાતના એન્જિનને ધક્કો મારશે, વર્ષ 2022ની ચૂંટણીમાં એક એન્જિન નીકળી જશે અને વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં બીજું એન્જિન નીકળી જશે. કોંગ્રેસ પક્ષના સમગ્ર રાજ્યના બુથ સ્તરીય કાર્યકરો ઉત્સાહથી ભરેલા છે. ગુજરાતમાં કોંગ્રેસ 125 બેઠકોનો લક્ષ્યાંક પ્રાપ્ત કરશે. 52 હજાર બુથના યોદ્ધાઓ ગુજરાત ચૂંટણી માટે તૈયાર છે. ડ્રગ, દારૂના નશામાંથી ગુજરાત મુક્ત થાય, મહિલાઓ ઉપર થતાં અત્યાચાર, વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓમાંથી મુક્ત થવા પરિવર્તન માટેનો સંકલ્પ કરશે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ ગમે એટલીવાર આવે ગુજરાત પરંતુ મુકાબલો તો ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ રહેશે, ગુજરાતની ચૂંટણી બાદ AAP ગુજરાતમાંથી ખોવાઈ જશે, જેમ ગોવા, ઉત્તરાખંડ, બંગાળમાંથી ચૂંટણી બાદ ખોવાઈ ગયા હતા. પોટલાં બાંધી નીકળી ગયા છે અને ગુજરાત માંથી પણ નીકળી જશે. પૂરા ગુજરાતમાં અમારા આગેવાનો ‘પરિવર્તન સંકલ્પ બુથ સ્તરીય સંમેલન’ કાર્યક્રમ અંગે કામ કરી રહ્યા છે. કોંગ્રેસ પક્ષ આગામી ચૂંટણીમાં પરિવર્તનના સંકલ્પ સાથે મેદાનમાં ઊતરશે. કોંગ્રેસ પક્ષના તમામ 52 હજાર બુથ ઉપરના યોદ્ધાઓ તૈયાર કરવામાં આવ્યા છે. તાજેતરમાં મહેસાણામાં 7 હજાર મતદારોમાં ગોટાળો જોવા મળે છે ત્યારે કોંગ્રેસ પક્ષ તમામ 182 બેઠકોની મતદાર યાદી ચકાસવામાં આવશે દરેક બેઠક ઉપર અંદાજીત 10 હજાર બોગસ મતદારો છે તેવા બોગસ મતદારો રદ્દ કરવા કોંગ્રેસ કાનૂની અને રસ્તાની લડાઈ લડશે. આદરણીયશ્રી રાહુલ ગાંધીજીના પ્રવાસથી કોંગ્રેસના કાર્યકર-આગેવાનોમાં ઉત્સાહનો સંચાર થશે.
‘પરિવર્તન સંકલ્પ બુથ સ્તરીય સંમેલન ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં આપણા સૌના લોકલાડીલા આદરણીય શ્રી રાહુલ ગાંધીજી તા. 5મી સપ્ટેમ્બર, 2022ને સોમવારના રોજ સવારે 11-00 કલાકે રીવરફ્રન્ટ અમદાવાદ ખાતે યોજાનાર બુથ સ્તરના કાર્યકર સંમેલન ‘મારૂબુથ – મારૂ ગૌરવ’ અને બુથદીઠના કાર્યકર્તાઓને – ‘‘પરિવર્તન સંકલ્પ બુથ સ્તરીય સંમેલન સંબોધિત કરવાના છે. તા. 5મી સપ્ટેમ્બર, 2022ને સોમવારના રોજ સાંજે 6-00 કલાકે પ્રદેશ ઈલેક્શન કમીટી, સ્ક્રીનીંગ કમીટી આવનાર ચૂંટણીમાં ઉમેદવારો ચયન માટેના માપદંડો નક્કી કરવા મીટીંગ કરશે તેવી જાહેરાત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ગત માસમાં ઉદયપુર ખાતે યોજાયેલ નવસંકલ્પ શિબિરના અનુસંધાનમાં કોંગ્રેસ પક્ષના સંગઠનને પાયાના સ્તરે વિસ્તૃત અને સુદ્રઢ બનાવવા માટે મંડલ અને સેક્ટર કક્ષા સુધી રચના કરવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તે અન્વયે મતદારો અને પક્ષના કાર્યક્રમો વચ્ચેનો સેતુ એટલે “બુથ યૌધ્ધા” અને “બુથ યોધ્ધા” ઓથી જ ચૂંટણી જીતી શકાય છે, કોંગ્રેસની સરકાર – જનતાની સરકાર માટે સૌથી અગત્યની પરિણામલક્ષી કામગીરી જવાબદારી – “બુથ યોધ્ધા”ઓની છે, પક્ષની વિચારધારાને વરેલા વફાદાર સૈનિક, સ્થાનિક પરિસ્થિતિનો જાણકારની પસંદગી કરવામાં આવી છે. જે મતદારયાદીમાં ડુપ્લીકેટ મતદારો / ખોટા નામોની તારવણી અતિ મહત્વનું કામ કરશે અને પક્ષની વિચારધારા અને પક્ષના ઉમેદવાર બાબતનું જરૂરી સાહિત્ય અને માહિતી સમયસર મળે તે સુનિશ્ચિત કરશે. પક્ષના કાર્યક્રમો – બેઠકોમાં મતદારોની સહભાગીતા થાય, પક્ષ તરફી માહોલ બનાવવા માટે અગત્યનું ચાલકબળ એટલે “બુથ યૌધ્ધા”. કોંગ્રેસ પક્ષમાં માનનારા મતદારો વધુમાં વધુ મતદાન કરે તેની જવાબદારી “બુથ યૌધ્ધા”ની છે, પરિણામલક્ષી ચૂંટણી લડવા માટે “બુથ યૌધ્ધા” એ આજની તાતી જરૂરીયાત છે, મજબૂત, જુસ્સા અને મક્કમ મનોબળ ધરાવતા સંયોજક શક્તિ અને કુનેહનો ઉપયોગ કરી દરેક બુથ દીઠ બેની પસંદગી કરવામાં આવી છે.

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:Congressjagdish thakorRADHU SHARMArahul gandhi
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?