By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: જુનાગઢ સહકારી બેંક કૌભાંડ: AAP ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો મોટો ખુલાસો, 60 બોગસ મંડળીઓના પર્દાફાશ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > રાજકારણ > આમ આદમી પાર્ટી > જુનાગઢ સહકારી બેંક કૌભાંડ: AAP ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો મોટો ખુલાસો, 60 બોગસ મંડળીઓના પર્દાફાશ
આમ આદમી પાર્ટીગુજરાતરાજકારણ

જુનાગઢ સહકારી બેંક કૌભાંડ: AAP ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો મોટો ખુલાસો, 60 બોગસ મંડળીઓના પર્દાફાશ

સરકારી તંત્ર ભાજપના લોકોના ખિસ્સામાં, હવે જનતા પોતે ખેડૂતોને ન્યાય અપાવે: ગોપાલ ઇટાલિયા

Web Editor Panchat
Last updated: June 7, 2025 7:25 pm
Web Editor Panchat Published June 7, 2025
Share
SHARE

જુનાગઢ સહકારી બેંક કૌભાંડ: AAP ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો મોટો ખુલાસો, 60 બોગસ મંડળીઓના પર્દાફાશ

બોગસ મંડળીના બોગસ વોટ લઈને કિરીટ પટેલ ચેરમેન બન્યા: ગોપાલ ઇટાલિયા

એક વ્યક્તિ 2 સહકારી મંડળીનો સભ્ય ન બની શકે, પરંતુ કિરીટ પટેલ પોતે બે સહકારી મંડળીના સભ્ય: ગોપાલ ઇટાલિયા

60 બોગસ સહકારી મંડળીઓ બનાવીને ચૂંટણીમાં ગોલમાલ કરવામાં આવી: ગોપાલ ઇટાલિયા

કિરીટ પટેલના ચેરમેન બન્યા બાદ ખેડૂતો સાથે કરોડોના કૌભાંડ થયા: ગોપાલ ઇટાલિયા

ખેડૂતોના નામે લોન લઇને લોનના કરોડો-અબજો રૂપિયા ભાજપના લોકો ખાઈ ગયા: ગોપાલ ઇટાલિયા

કિરીટ પટેલના આવ્યા બાદ 100 કરતાં વધુ ગામડાઓમાં કૌભાંડો શરૂ થયા: ગોપાલ ઇટાલિયા

જુનાગઢ સહકારી બેંક દ્વારા એક-એક ગામમાં કરોડોના કૌભાંડ થયા: ગોપાલ ઇટાલિયા

પેપરમાં લાખોની જાહેરાત આપી કિરીટ પટેલ પોતાની વાહ વાહી કરાવે છે, બીજી બાજુ ખેડૂતોના ઘરે લાખોની નોટિસ મોકલે છે: ગોપાલ ઇટાલિયા

જે ખેડૂતો મરી ગયા છે, જેમના બેન્ક એકાઉન્ટ નથી અને જમીન પણ નથી તેવા લોકોના નામે લાખોની લોન: ગોપાલ ઇટાલિયા

નિર્દોષ ખેડૂતોના ઘરે લોનની નોટિસ મોકલતા અનેક ખેડૂતોનો જીવ ગયો: ગોપાલ ઇટાલિયા

ભાજપના કાર્યકર્તાઓને મારો સવાલ, કૌભાંડો કરીને ખેડૂતોના લોહી પરસેવાની કમાણીને ચૂસનાર લોકોને શું તમે મદદ કરશો?: ગોપાલ ઇટાલિયા

જુનાગઢ સહકારી બેંક કૌભાંડના આરોપીઓ આજે ખુલ્લેઆમ કિરીટ પટેલના પ્રચારમાં વ્યસ્ત: ગોપાલ ઇટાલિયા

સરકારી તંત્ર ભાજપના લોકોના ખિસ્સામાં, હવે જનતા પોતે ખેડૂતોને ન્યાય અપાવે: ગોપાલ ઇટાલિયા

અમદાવાદ/મહેસાણા/ગુજરાત

આજે આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયાએ facebook લાઈવમાં ખુલાસો કરતા જણાવ્યું હતું કે, જુનાગઢ જિલ્લા સહકારી બેંકના કૌભાંડ મુદ્દે હું લોકોનું ધ્યાન દોરવા માંગુ છું અને આજે પાકા પાયે પુરાવાઓ લઈને કેટલાક ખુલાસાઓ કરવા માંગો છો. કિરીટભાઈ પટેલ વર્ષ 2019-20માં જુનાગઢ સહકારી બેંકના ચેરમેન બન્યા. જિલ્લા સહકારી બેંકના ચેરમેન બનવા માટે મતદાન થાય છે આ મતદાન અલગ અલગ ગામડાઓમાં રહેલી સહકારી મંડળીઓ કરે છે. તો એક જિલ્લામાં 300 સહકારી મંડળીઓ હોય તો 300 મત છે તેમ કહેવાય. અને જેને વધારે મત મળે તે ડિરેક્ટર બને અને પછી ચેરમેન બને. તો કિરીટ પટેલે આ ચૂંટણી જીતવા માટે કાગળ પર બોગસ 60 સહકારી મંડળીઓ બનાવી. 60 મંડળીઓ એટલે એક જિલ્લાના 60 નવા મત ઊભા થયા. આ તમામ 60 મત કિરીટ પટેલને બોગસ રીતે મળે તે રીતે આ મંડળીઓ ખોટી રીતે શરૂ કરવામાં આવી. નિયમ પ્રમાણે એક વ્યક્તિ આખા ગુજરાતની એક જ મંડળીનો સભ્ય બની શકે પરંતુ કિરીટ પટેલની મંડળીમાં એક જ વ્યક્તિ ત્રણ ત્રણ મંડળીઓનો સભ્ય બનેલો છે.

અહીંયા બે કૌભાંડ થયા છે. એક ગામમાં ધિરાણને લગતી એક જ મંડળી હોઈ શકે અને ઉત્પાદનને લગતી અલગ મંડળી હોય છે. પરંતુ ભીયાળ ગામમાં ધિરાણને લગતી ત્રણ મંડળીઓ ઊભી કરવામાં આવી છે મતલબ એક અસલી છે બાકી બે નકલી છે. પરંતુ આ ત્રણેય મંડળીઓમાં છગનભાઈ કરકર નામનો એક વ્યક્તિ સભ્ય છે. આવી કુલ 54 મંડળીઓનું લીસ્ટ મારા હાથમાં છે અને આ મંડળીઓ ઉપર ફરિયાદ પણ થઈ છે. 2019ના નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં એક સાથે 40-50 મંડળીઓ જુનાગઢમાં બની ગઈ. તેમ છતાં પણ જિલ્લા સહકારી તંત્રને આમાં કંઈ ખોટું દેખાયું નહીં. આ 60 મંડળીઓનું કોઈ ઓફિસ એડ્રેસ નથી કોઈ ધિરાણ નથી કશું જ કામ નથી. તો હવે સવાલ થાય કે આજ નવા 60 મતદારો કોણ હતા તો તેનો જવાબ છે ભાજપના માણસો. તો આવા બોગસ મતોના કારણે ભાજપના નેતા કિરીટ પટેલ જુનાગઢ જિલ્લા સહકારી બેંકમાં ચેરમેન બની ગયા. આ બોગસ મંડળીઓ કાગળ પણ આજે પણ ચાલુ છે.

તો કિરીટભાઈ પટેલના ચેરમેન બન્યા બાદ તમામ તાલુકાઓમાં ખેડૂતોના નામે કરોડોનો ભ્રષ્ટાચાર થવા લાગ્યો. અને આજે કિરીટ પટેલ લાખો-કરોડો રૂપિયાની એડ આપીને પેપરમાં લખાવે છે કે “કિરીટ પટેલે સહકારી મંડળીઓમાં ખોટું થતું અટકાવ્યું” પરંતુ હકીકત એવી છે કે કિરીટ પટેલ પોતે ખોટું કરીને જ ચેરમેન બન્યા છે. આના તમામ પુરાવાઓ મારી પાસે છે પરંતુ કોર્ટ કચેરીમાં જવાનો કોઈ ફાયદો નથી કારણ કે કોર્ટ કચેરીમાં બેસેલા ભાજપના નેતાઓ કાયદા અને વ્યવસ્થાને ખિસ્સામાં લઈને ફરે છે. માટે હું આ તમામ માહિતી જનતાની અદાલતમાં રજૂ કરી રહ્યો છું. હું જે માહિતી લઈને આવ્યો છું તે કોઈ ગુપ્ત માહિતી નથી પરંતુ આ તમામ કાગળિયાઓ સરકારી તંત્ર સામે રજુ થઈ ચૂક્યા છે. સૌથી મોટી ચોંકાવનારી વાત એ છે કે ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલ પોતે બે સહકારી મંડળીઓના સભ્ય છે પરંતુ હકીકતમાં અગાઉ જણાવ્યું તેમ એક માણસ બે સહકારી મંડળીઓમાં સભ્ય ન બની શકે.

તો આ રીતે કિરીટભાઈ પટેલ ચેરમેન બન્યા અને ગામેગામમાં કરોડોના ભ્રષ્ટાચારો થવા લાગ્યા. જે ખેડૂતોને બે લાખ કે ત્રણ લાખના ધિરાણ આપવા પાત્ર હોય તે ખેડૂતોના નામ પર 8 લાખ- 10 લાખથી પણ વધારેની લોનો લેવામાં આવી અને તે પૈસાને ભાજપના લોકોએ બારોબાર ઉઠાવી લીધા. આ ભ્રષ્ટાચારનો પહેલો પ્રકાર છે. બીજો ભ્રષ્ટાચાર એવો છે કે જ્યારે કોઈ ખેડૂતોએ લોન લીધી હોય અને તે પોતાના લોનના પૈસા પાછા આપવા માટે બેંકમાં જાય તો તેના પૈસા તો લઈ લેવામાં આવે પરંતુ તેના ખાતામાં તેની એન્ટ્રી કરવામાં આવે નહીં અને ભાજપના લોકો આ પૈસાને જપ્ત કરી લેતા. ભ્રષ્ટાચારનો ત્રીજો પ્રકાર છે કે જ્યારે ખેડૂત આ બેંક પાસેથી ધિરાણ લે તો તેના ખાતામાં તેને લીધેલા ધિરાણ કરતા વધુ રકમ બતાવવામાં આવે. જેમ કે એક ખેડૂતે ખરેખર બેંકમાંથી ₹3,75,000 નું ધિરાણ ઉપાડ્યું પરંતુ તેના ખાતામાં ₹6,75,000 ઉધાર બતાવવામાં આવ્યા. આવી ઘટનાઓ ફક્ત એક બે ગામડામાં નહીં પરંતુ તમામ તાલુકાઓના 100થી વધારે ગામડાઓમાં આ ઘટનાઓ ઘટી છે. આ તમામ કૌભાંડો કિરીટભાઈ પટેલ ચેરમેન બન્યા તેના બાદ જ શરૂ થયા. હજુ મોટું કૌભાંડ એ છે કે જે ખેડૂતો મરી ગયા છે જે આ દુનિયામાં નથી તે લોકોના નામ પર પણ લોન લેવામાં આવી. આ સિવાય જે ખેડૂતનું બેંકમાં ખાતું જ નથી તેના નામ પર પણ લોન લેવામાં આવી. વધુ એક ગંભીર બાબત સામે આવી કે જે માણસ જમીનનો માલિક ન હોય તેને ધિરાણ ન મળી શકે પરંતુ જેની પાસે જમીન ન હોય તેવા વ્યક્તિના નામ પર પણ લાખો રૂપિયાની લોન લઈ લીધી છે. અને આ બધા રૂપિયા ભાજપના લોકોએ લઈ લીધા અને વાપરી નાખ્યા.

હવે અને ખેડૂતોને નોટિસો પાઠવવામાં આવે છે કે આ લોનના પૈસા ભરો. ઘણા મરેલા લોકોના નામ પર પણ જ્યારે નોટિસો આવે ત્યારે આ કૌભાંડો ખુલવા લાગ્યા. ત્યારબાદ ધીરે ધીરે જે લોકોએ બેંકના લોનના પૈસા ભરી દીધા હોય તે લોકોને પણ નોટિસો આવવા લાગી, જે લોકોએ બેંકમાંથી લોન લીધી નથી અથવા તો બેંકમાં જેનું ખાતું જ નથી તે લોકોના નામ પર પણ નોટિસો આવવા લાગી. આવા જેટલા પણ પ્રકાર જણાવ્યા એવા તમામ પ્રકારના કૌભાંડોની નોટીસો નિર્દોષ ખેડૂતોને મોકલવામાં આવી ત્યારબાદ હજારો ખેડૂતોએ આ મુદ્દે ફરિયાદ કરી અને કૌભાંડ બહાર આવ્યા. એક રાજા ભાઈ નામના વ્યક્તિએ જેણે લોન પણ નથી લીધી તેને પાંચ લાખની નોટિસ ફટકારવામાં આવતા તેને આઘાત લાગ્યો અને હાર્ટ એટેકથી તેનું મૃત્યુ થઈ ગયું. બીજા અનેક લોકોને પણ આ રીતે હાર્ટ એટેક આવ્યા અને કેટલાક લોકોએ આત્મહત્યા કરી લીધી. ચોંકાવનારી અને એક દુઃખદ વાત એ છે કે કિરીટભાઈ પટેલના આવ્યા પછી આજે કૌભાંડો થયા તેને તંત્રનો ખુલ્લો સપોર્ટ છે.

હું કિરીટભાઈ પટેલને પ્રશ્ન પૂછવા માંગુ છું કે, કિરીટભાઈ આજના છાપામાં જે લેખ છપાયો તેમાં તમે જણાવ્યું છે કે ખેડૂતોએ કાંઈ ખોટું કર્યું નથી અને કિરીટભાઈની બેંક પણ કબૂલે છે કે ખેડૂતોએ કાંઈ ખોટું કર્યું નથી અને ખેડૂતોના ખાતામાંથી પૈસા ઉપડી ગયા છે તો પછી મારો સવાલ છે કે કિરીટભાઈ તમારી બેંક ખેડૂતોને નોટિસો શા માટે મોકલી રહી છે? શા માટે તમારી બેંક ખેડૂતોના ઘરે પોલીસ મોકલે છે અને ખેડૂતોને ધમકાવે છે? એક બાજુ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે અને તમે પેપરમાં જાહેરાતો આપી રહ્યા છો.

હું ભાજપના કાર્યકર્તાઓને એટલું કહેવા માંગુ છું કે, ચૂંટણીઓ આવશે અને ચૂંટણીઓ જશે, ક્યારેક મારી પાર્ટી જીતશે તો ક્યારેક તમારી પાર્ટી જીતશે. પરંતુ આ રીતે કૌભાંડો કરીને ખેડૂતોના લોહી પરસેવાની કમાણીને ચૂસીનાર લોકોને શું તમે મદદ કરશો? જો તમારા મત માંગવાથી આવા વ્યક્તિને મત મળશે તો તમને પાપ લાગશે. ગોપાલ ઇટાલીયા કોઈ મોટી હસ્તી નથી પરંતુ મોટી હસ્તી આપણા દેશના ખેડૂતો છે. ચૂંટણી કોઈપણ જીતે કે કોઈપણ હારે પરંતુ હું ભાજપના કાર્યકર્તાઓને કહેવા માંગીશ કે તમે લોકો પાપના ભાગીદાર ન બનો.હજુ મારી પાસે ઘણી માહિતીઓ છે અને હું કેટલાક મોટા પુરાવાઓ સાથે વધુ લોકોને સામે લઈને આવીશ. થોડા દિવસ બાદ હું ફરીથી આ મુદ્દા પર બીજા મોટા ખુલાસાઓ કરીશ. મારી પાસે નામ સાથે અને ઓડિયો વીડિયો દરેક પ્રકારના પુરાવાઓ આવ્યા છે. આ કૌભાંડ એટલું મોટું કૌભાંડ છે કે ખેડૂતોને બરબાદ કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. મારી પાસે આજે અનેક FIRની કોપી છે અને આ FIR દર્જ થઈ વર્ષો થઈ ગયા તેમ છતાં પણ આજ દિન સુધી આરોપીઓની ધરપકડ થઈ નથી. જે આરોપીઓની ધરપકડ થઈ નથી તે લોકો આજે ખુલ્લેઆમ કિરીટ પટેલના પ્રચારમાં ફરી રહ્યા છે અને સ્ટેજ ઉપર પણ જોવા મળે છે. હું થોડા દિવસ પછી એ લોકોના ફોટા પણ બતાવીશ અને લોકો સમક્ષ જાહેર કરીશ કે કિરીટ પટેલનો પ્રચાર કયો કૌભાંડી કરી રહ્યો છે. અને કઈ FIR મા તેનું નામ છે અને તેમ છતાં પણ તેની ધરપકડ કરવામાં આવી નથી. આ ચૂંટણી કરતાં મહત્વનો મુદ્દો ખેડૂત છે કારણ કે ખેડૂતો પહેલાથી જ ખૂબ જ દુઃખી છે અને અનેક પ્રશ્નોથી ઘણા સમયથી પરેશાન છે અને અત્યારે તે લોકો પર મંડળીના કૌભાંડની આ નવી ઉપાધિ નાખવામાં આવી છે જે ખરેખર ખોટું છે. હું તમામ લોકોને કહીશ કે ન્યાય કરજો અને સાચા લોકોનો સાથ આપજો.

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:AAPGujaratbyelectiongopalgopal italaiyajungadhbankkiritpatelvisavadar
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?