By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: કેજરીવાલની દિલ્લી અને પંજાબની શિક્ષણનીતિ અને આરોગ્યનીતિ આજે વિશ્વભરમાં વખણાય છે
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > કેજરીવાલની દિલ્લી અને પંજાબની શિક્ષણનીતિ અને આરોગ્યનીતિ આજે વિશ્વભરમાં વખણાય છે
અમદાવાદગુજરાતરાજકારણ

કેજરીવાલની દિલ્લી અને પંજાબની શિક્ષણનીતિ અને આરોગ્યનીતિ આજે વિશ્વભરમાં વખણાય છે

Web Editor Panchat
Last updated: September 14, 2022 6:15 pm
Web Editor Panchat Published September 14, 2022
Share
SHARE

અલગ અલગ પાર્ટી અને સામાજિક ક્ષેત્રે કામ કરનાર આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા.

2007 અને 2012માં કોંગ્રેસ પાર્ટીનાં શહેરા વિધાનસભાના ઉમેદવાર તખ્તસિંહ સોલંકી આમ આદમી પાર્ટીમાં જોડાયા : ઇસુદાન ગઢવી

કોંગ્રેસમાંથી 2017થી 2022માં બહુચરાજીનાં પ્રભારી રહી ચૂકેલા ચૂનીભાઇ પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાયા : ઇસુદાન ગઢવી

ભાજપના સાણંદ નગરપાલિકાનાં કોર્પોરેટર સવિતાબેન વાણીયા આમ આદમી પાર્ટીમાં જોડાયા : ઇસુદાન ગઢવી

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના, ગુજરાત પ્રદેશનાં સહ કન્વીનર જગદીશભાઇ ચાવડા આમ આદમી પાર્ટીમાં જોડાયા. : ઇસુદાન ગઢવી

સાણંદ શહેરનાં પૂર્વ NSUI પ્રમુખ વૃશાંક વાણીયા કેજરીવાલજીની કામની રાજનીતિથી પ્રભાવિત થઇને ‘આપ’માં જોડાયા.: ઇસુદાન ગઢવી

કેજરીવાલની દિલ્લી અને પંજાબની શિક્ષણનીતિ અને આરોગ્યનીતિ આજે વિશ્વભરમાં વખણાય છે :ચૂનીભાઇ પટેલ

ગુજરાતમાં પણ દિલ્લી અને પંજાબ જેવી પ્રગતિ થાય તે માટે આમ આદમી પાર્ટીનાં સૈનિક બન્યા છીએ : તખ્તસિંહ સોલંકી

સમગ્ર ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી ચરણસીમા પર પહોંચી ગઇ છે : જગદીશભાઇ ચાવડા

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ  મીડિયાને જણાવ્યું કે,અરવિંદ કેજરીવાલની કામની રાજનીતિથી પ્રેરાઇને ચૂનીભાઇ પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. છેલ્લા 15 વર્ષ સુધી બાયડમાં તાલુકા પંચાયતમાં વિવિધ હોદ્દા પર રહ્યા હતા. કોંગ્રેસમાંથી 2017થી 2022માં પણ બહુચરાજીનાં પ્રભારી પણ રહી ચૂક્યા છે. 2012માં અપક્ષ વિધાનસભા બાયડમાંથી ચૂંટણી લડ્યા હતા. તેમણે 30000થી વધુ મતો તેમણે મેળવ્યા હતા. તેઓ સહકારી સેવા મંડળીનાં ચેરમેન રહી ચૂક્યા છે તથા સાથે સાથે APMC બાયડનાં સભ્ય પણ રહ્યા છે.

 

પંચમહાલ ક્ષેત્રની શહેરા વિધાનસભાના તખ્તસિંહ સોલંકી આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. તેઓ વર્ષોથી રાજનીતિમાં છે તેમણે ખૂબ સમાજસેવા કરી છે. 1982થી કોંગ્રેસમાં જોડાયેલા હતા. 2007 અને 2012માં તેઓ શહેરા વિધાનસભામાંથી ચૂંટણી લડ્યા હતા. વિધાનસભા ચૂંટણી વર્ષ 2007માં તેમણે 45602 મતો અને વર્ષ 2012માં 47,743 મતો મેળવ્યા હતા.

 

ભાજપ ના સદસ્ય નગરપાલિકા સાણંદનાં સવિતાબેન વાણીયા આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. તેઓ હાલ ભાજપનાં સાણંદ મહાનગરપાલીકાનાં હાલનાં કાર્યરત કોર્પોરેટર છે. ત્રણ ટર્મથી એમનો પરીવાર સાણંદ નગરપાલિકામાં કોર્પોરેટ રહી ચૂક્યો છે, તેઓ અરવિંદ કેજરીવાલની નીતિઓથી પ્રેરાઇથી આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.

 

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના ગુજરાત પ્રદેશનાં સહ કન્વીનર જગદીશભાઇ ચાવડા આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. વર્ષ 2017થી તેઓએ સંગઠનમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર ઓફિસરની નોકરીમાંથી રાજીનામુ આપીને, સતત આંદોલનો કર્યા. તેઓ યુવાનો માટે લડ્યા છે, બેરોજગારો માટે લડ્યા છે, ખેડૂતો માટે લડ્યા છે. સમાજ અત્યાર સુધી તેઓ કોઇ પોલીટીકલ પાર્ટીમાં જોડાયા નહોતા. આજે વિધિવત આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.

 

સાણંદ શહેરનાં પૂર્વ NSUI પ્રમુખ વૃશાંક વાણીયા પણ અરવિંદ કેજરીવાલજીની કામની રાજનીતિથી પ્રભાવિત થઇને આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.

 

ત્યારબાદ આમ આદમી પાર્ટીનાં નેશનલ જોઇંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ ચૂનીભાઇ પટેલ, તખ્તસિંહ સોલંકી, સવિતાબેન વાણીયા, જગદીશભાઇ ચાવડા અને વૃશાંક વાણીયાનું ખેસ પહેરાવીને આમ આદમી પાર્ટીમાં જોડાવવા બદલ સ્વાગત કર્યું હતુ.

આ અંગે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા તખ્તસિંહ સોલંકીએ કહ્યું, આજે સમગ્ર ગુજરાતમાં અને દિલ્લી-પંજાબમાં કેજરીવાલજીનાં નેતૃત્વમાં દિલ્લી અને પંજાબની આમ જનતાને આરોગ્ય, વીજળી, શિક્ષણ આપી અને છેક છેવાડાનાં આમ આદમીને પ્રોત્સાહિત કરીને બંને રાજ્યોમાં પ્રગતિ કરી છે. ગુજરાતમાં પણ આ પ્રગતિ થાય તે માટે આમ આદમી પાર્ટીનાં સૈનિક બન્યા છીએ.

આ અંગે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ચૂનીભાઇ પટેલે કહ્યું, માનનીય કેજરીવાલ સાહેબની દિલ્લી અને પંજાબની શિક્ષણનીતિ અને આરોગ્યનીતિ આજે વિશ્વભરમાં વખણાય છે અને મનિષ સિસોદિયાજી ની પણ વિવિધ જનતા લક્ષી, ખેડૂતોલક્ષી, યુવાનલક્ષી અને રોજગારલક્ષી યોજનાઓથી આકર્ષિત થઇને આમ આદમી પાર્ટીમાં જોડાયો છું જેની હું સહર્ષ લાગણી અનુભવું છું. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બને તે માટે તમામ પ્રયત્નો કરી અને કેજરીવાલજીનું સમગ્ર ભારતમાં પ્રભુત્વ સ્થપાય તેવા ઉદ્દેશ્ય સાથે હું આમ આદમી પાર્ટીમાં જોડાયો છું. જેનું મને ગૌરવ છે.

આ અંગે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા જગદીશભાઇ ચાવડાએ કહ્યું,સમગ્ર ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી ચરણસીમા પર પહોંચી ગઇ છે. ગુજરાતની અંદર બેરોજગારી, ભ્રષ્ટાચાર જેવા વિવિધ મુદ્દાઓ જોઇને લાઇલાજ બની રહ્યા છે. ત્યારે સમગ્ર ભારતમાં માત્ર એક વિકલ્પ સમાન મને કોઇ લાગી રહ્યું હોય તો એકમાત્ર આમ આદમી પાર્ટી. અરવિંદ કેજરીવાલજીનાં કાર્યોથી પ્રેરીત થઇને, એમનું દિલ્લી મોડલમાં એમનાં શૈક્ષણિક મોડલ જોઇને, પાર્ટીનાં મંત્રીને ભ્રષ્ટ્રાચારને કારણે જેલમાં મોકલી દીધા. આ કામગીરીને પગલે આમ આદમી પાર્ટીમાં જોડાઉં છું. ઇસુદાન ગઢવી અને ગોપાલભાઇ ઇટાલિયાનાં નેતૃત્વ હેઠળ જે પણ કામગીરી મળશે તેમાં કામ કરશું. જે પણ આ દેશ કે રાજ્યમાં જનતાની સેવા કરવા માંગે છે એમણે આમ આદમી પાર્ટીમાં જોડાવવું જોઇએ.

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:aam aadmi partyarwind kejriwalchunibhai pateleducationhealthisudan gadhvijagdish chavdapatli badlu
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?