માહિતી નિયામકની કચેરી, ગાંધીનગર ખાતેના ન્યૂ.મી.રિ. શાખાના વર્ગ – ૪ના કર્મચારી આશુતોષભાઈ પરમારનો વિદાય સમારોહ યોજાયો
****
આશુતોષ પરમારે છેલ્લા ૩૦ વર્ષ કરતા વધુ સમય સુધી રાજ્ય સરકારની નોકરીમાં નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિક રીતે ફરજ બજાવી હતી.
આ પ્રસંગે શાખાના વડા દિલીપભાઈ ગજ્જરે શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, કાકાના હુલામણા નામથી જાણીતા આશુતોષભાઈએ આ કચેરી ખાતે સદાય હસતા ચહેરે ઉત્તમ કામગીરી કરી છે. તેમણે આશુતોષભાઇને નિવૃત્તિ પછીનું જીવન આરોગ્યદાયક, શાંતિપૂર્ણ અને પરિવાર સાથે આનંદમય રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
આ સન્માન સમારંભ દરમિયાન સહાયક માહિતી નિયામક જનકભાઈ દેસાઈ અને શ્રી ધવલભાઈ શાહ સહિત કર્મચારીઓ દ્વારા આશુતોષભાઇને શાલ ઓઢાડી, મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.