By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિત્તે ભાજપા ગુજરાત સહિત સમગ્ર ભારતમાં સેવાકીય કાર્યો યોજાશે. ગોરઘન ઝડફીયા
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિત્તે ભાજપા ગુજરાત સહિત સમગ્ર ભારતમાં સેવાકીય કાર્યો યોજાશે. ગોરઘન ઝડફીયા
ગાંધીનગરગુજરાતરાજકારણ

નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિત્તે ભાજપા ગુજરાત સહિત સમગ્ર ભારતમાં સેવાકીય કાર્યો યોજાશે. ગોરઘન ઝડફીયા

Web Editor Panchat
Last updated: September 16, 2022 8:00 pm
Web Editor Panchat Published September 16, 2022
Share
SHARE

 

વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ભાજપા ગુજરાત પ્રદેશ સહિત સમગ્ર ભારતમાં સેવા પખડવાડિયા અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યો યોજાશે. ગોરઘનભાઇ ઝડફીયા

સેવા પખવાડીયા અંતર્ગત યોજાનાર વિવિઘ કાર્યક્રમ અંગે પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરઘનભાઇ ઝડફીયાએ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પત્રકાર પરિષદ સંબોધી માહીતી આપી.

17 સપ્ટેમ્બરથી 579 મંડલમાં બલ્ડ ડોનેશન કેમ્પ યોજાશે-
ગોરઘન ઝડફીયા

21 સપ્ટેમ્બરના રોજ મહિલા મોરચા અને ડોકટરસેલ દ્વારા 12 થી 20 વર્ષની આશરે 75 હજાર દિકરીઓ હિમોગ્લોબિન ટેસ્ટ કરવામાં આવશે.

1લી ઓક્ટોબરના રોજ કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીજીના વરદ હસ્તે હેલો કમલશક્તિ કાર્યક્રમનું લોન્ચિંગ કરાશે.

ગુજરાતના પનોતા પુત્ર અને જેમણે આત્મનિર્ભર ભારત,લોકલ ફોર વોકલ અને મેક ઇન ઇન્ડિયા થકી દેશને મજબૂત કરવાની દિશા આપનાર પ્રઘાનસેવક  નરેન્દ્રભાઇ મોદી સાહેબનો 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ગુજરાત સહિત સમગ્ર ભારતમાં સેવા પખડવાડિયા અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યો યોજાનાર છે તે અંગે માહિતી પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી ગોરઘનભાઇ ઝડફીયાએ પત્રકારશ્રીઓને આપી.

ગોરઘનભાઇ ઝડફીયાએ  જણાવ્યું કે,ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર તેમના કોઇ પણ શુભ દિવસે સેવાકીય કાર્યકરતો હોય છે ત્યારે દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે એક સેવા પખવાડિયા અંતર્ગત વિવિઘ સેવાકિય કાર્ય ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા કરવામાં આવશે. સમગ્ર દેશભરમાં ભાજપ દ્વારા વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડીયા થકી સેવાકીય કાર્યો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

17 સપ્ટેમ્બરના રોજ 579 મંડલમાં બલ્ડ ડોનેશન કેમ્પ યોજી વિશ્વરેકોર્ડ બનાવવામાં આવશે.વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબનાજુદા-જુદા પેઇન્ટીંગ દુબઇના ચિત્રકાલાકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે તે ચિત્રોની પ્રદર્શની રવિશંકર આર્ટ ગેલેરી ખાતે રાજયના મુખ્યમંત્રીના વરદ હસ્તે ખુલ્લી મુકાશે. આ ગેલેરીનું પ્રદર્શન અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ખાતે પણ રાખવામાં આવનાર છે. 20મી સપ્ટેમ્બરના રોજ કિસાન મોરચા દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાની ઉપસ્થિતિમાં તમામ 182 વિઘાનસભા બેઠકને આવરીલેતા નમો કિસાન પંચાયત કાર્યક્રમ રાજયના આશરે 14 હજારથી પણ વધુ ગામોમાં 30 તારીખ સુઘી બેઠકો યોજવામાં આવશે. આ બેઠકમાં સરકારના વિવિઘ કામોની માહીતી રજૂ કરવામાં આવશે. 21મી સપ્ટેમ્બરના રોજ 750 સ્થાનો પર 13 થી 20 વર્ષની દિકરીઓનું હિમોગ્લોબીન અંગેનું ટેસ્ટીંગ અને તે અંગેની સારવાર કરવામાં આવશે. આ કાર્યક્રમ મહિલા મોરચા અને ગુજરાત ડોકટર સેલના સંયુકત ઉપક્રમે યોજાશે.

દરેક સ્થાને આશરે 100 દિકરીઓનું હિમોગ્લોબીનનું ટેસ્ટીંગ થાય તેવા પ્રયત્ન કરવામાં આવશે. 25મી સપ્ટેમ્બર પંડિત દિન દયાળજીની જન્મજંયતી નિમિત્તે તમામ બુથ પર પંડિત દિન દયાળજીની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી તેમના જીવન અંગે માહિતી આપવામાં આવશે તેમજ ગુજરાતની અનુ.જાતિ સમાજની મહિલાઓ માટે નારી શક્તિ વંદના કાર્યક્રમ આશરે દસ હજાર જેટલા મહિલાઓની ઉપસ્થિતિમાં યોજાશે.25 મી સપ્ટેમ્બરના રોજ અનુ.જાતી આરક્ષિત 40 વિઘાનસભા વિસ્તારમાં સુપર સ્પેશીયાલિસ્ટ ડોકટરો દ્વારા મેગા નિદાન કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે.

મહિલા મોરચા દ્વારા તારીખ પહેલી ઓક્ટોબરના રોજ હેલો કમલશક્તિ થકી મહિલાઓ સાથે સંવાદ અમદાવાદના જીએમડીસી કન્વેનશલ હોલ ખાતે કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીજીની ઉપસ્થિતિમાં યોજાશે. તેમજ વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજયમા પહેલી અને બીજી ઓક્ટોબરના રોજ સમગ્ર રાજયમા સફાઇ ઝુંબેશ ચલાવવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજયના ચૂંટાયેલા તથા સંગઠનના કાર્યકરો શ્રમયજ્ઞ દ્વારા સફાઇ ઝુંબેશ હાથ ઘરાશે. તારીખ 2જી ઓક્ટોબરના રોજ ગાંધી જયંતીના દિવસે ભાજપાના તમામ ચૂંટાયેલા અને સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા સામૂહિક ખાદી ખરીદી તથા ગ્રામીણ કારીગરો દ્વારા બનાવેલ ચીજ વસ્તુઓની ખરીદી કરાશે. ભાજપના કાર્યકરો વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના કાર્યો પરથી પ્રેરણા લે તે હેતુથી પ્રદેશ કાર્યાલય ખાતે તેમજ જિલ્લાના કાર્યાલય પર વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના બાળપણથી લઇ વડાપ્રઘાન સુઘીની સફર અંગેની પ્રર્દશની યોજાશે.આમ વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના જન્મદિવસ થકી વિવિધ સેવાકીય કાર્યો થકી જન્મદિવસ ઉજવી તેમના દિર્ઘઆયુષ્યની કામની સૌ સાથે મળીને કરીશું.

આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ પ્રવકતા યમલભાઇ વ્યાસ,પ્રદેશ મીડિયા વિભાગના કન્વીનર ડો.યજ્ઞેશભાઇ દવે, પ્રદેશ મીડિયા વિભાગના સહ કન્વીનર ઝુબિન આશરા ઉપસ્થિત રહ્યા હતા.

વિવિધ કાર્યક્રમોની ટુંકમા માહિતી નીચે પ્રમાણે છે.

તારીખ કાર્યક્રમ
17 સપ્ટેમ્બર યુવા મોરચાના નેતૃત્વમાં પક્ષ દ્વારા 579 મંડલ કેન્દ્રો પર “મેગા બ્લડ ડોનેશન કેમ્પ”નું આયોજન તેમજ વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના જુદા-જુદા પેઇન્ટીંગ દુબઇના ચિત્રકાલાકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે તે ચિત્રોની પ્રદર્શની રવિશંકર આર્ટ ગેલેરી ખાતે રાજયના મુખ્યમંત્રીના વરદ હસ્તે ખુલ્લી મુકાશે અને માન.નરેન્દ્રભાઈ મોદીના જીવન અને કાર્યો માટેની પ્રદર્શની દરેક જિલ્લા/મહાનગરોમાં જનતા માટે ખુલ્લી મુકવામાં આવશે.
20 સપ્ટેમ્બર નમો કિસાન પંચાયત લોન્ચીંગ
21 સપ્ટેમ્બર 75 હજાર દિકરીઓનું હિમોગ્લોબિન ચેકઅપ તથા દવા વિતરણ કાર્યક્રમ
25 સપ્ટેમ્બર પંડિત દિન દયાળ ઉપાધ્યાજીની જન્મજંયતિ નિમિત્તે પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરાશે તથા મન કિ બાતનો કાર્યક્રમ , અનુ.જાતિ સમાજની મહિલાઓ માટે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાશે. અનુ.જાતી આરક્ષિત 40 વિઘાનસભા વિસ્તારમાં સુપર સ્પેશીયાલિસ્ટ ડોકટરો દ્વારા મેગા નિદાન કેમ્પનું આયોજન કરાશે.
1લી ઓક્ટોબર હેલો કમલશક્તિ થકી મહિલાઓ સાથે સંવાદ, તેમજ 1લી અને 2જી ઓક્ટોબરના રોજ સમગ્ર રાજયમાં સફાઇ ઝુંબેશ.
2જી ઓક્ટોબર ભાજપાના તમામ ચૂંટાયેલા અને સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા સામૂહિક ખાદી ખરીદી કરશે.

 

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:bhupendra pateldindyal upadhyaygordhan zadfiyajubin ashramega medical campNarendra Modinarendra modi birthdaySMRUTI IRANIyagnesh vyasyamal vyas
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?