By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > રાજકારણ > આમ આદમી પાર્ટી > AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી
આમ આદમી પાર્ટીગુજરાતરાજકારણરાજકોટ

AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી

રાજકોટ ખાતે આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં અરવિંદ કેજરીવાલ અને ઈસુદાન ગઢવીએ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી.

Web Editor Panchat
Last updated: June 17, 2025 10:16 pm
Web Editor Panchat Published June 17, 2025
Share
SHARE

રાજકોટ ખાતે આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં અરવિંદ કેજરીવાલ અને ઈસુદાન ગઢવીએ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી.

વિજય રૂપાણીજીના દુઃખદ અવસાનથી લોકોને ખૂબ જ મોટો આઘાત પહોંચ્યો હતો: અરવિંદ કેજરીવાલ

શ્રદ્ધાંજલિ આપ્યા બાદ વિજય રૂપાણીજીના પત્ની, તેમના પુત્ર અને તેમના પરિવારના અન્ય લોકોને મળ્યો અને મેં મારી સંવેદના વ્યક્ત કરી: અરવિંદ કેજરીવાલ

હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ભગવાન વિજયભાઈ રૂપાણીની આત્માને શાંતિ આપે અને પોતાના ચરણોમાં સ્થાન આપે: અરવિંદ કેજરીવાલ

અમદાવાદ/રાજકોટ/ગુજરાત

તારીખ 12 જુનના રોજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં અવસાન થયું હતું. ત્યારબાદ આજે રાજકોટ ખાતે વિજયભાઈ રૂપાણીની શ્રદ્ધાંજલિ સભાનું આયોજન થયું હતું. આ શ્રદ્ધાંજલિ સભામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવવા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલ, ટ્રેડ યુનિયન અધ્યક્ષ શિવલાલભાઈ બારસિયા અને રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી રાજકોટ પહોંચ્યા હતા. અરવિંદ કેજરીવાલ અને ઇસુદાન ગઢવીએ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી અને ત્યારબાદ તેમના પત્ની, દીકરી અને દીકરાને મળીને સાંત્વના પાઠવી હતી.

ત્યારબાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું, અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ 12 જુનના રોજ ક્રેશ થઈ હતી, જેમાં 240થી વધારે લોકોના મૃત્યુ થયા હતા. આ ખૂબ જ ખોફનાક અને દર્દનાક દુર્ઘટના હતી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીજી પણ આ જ વિમાનમાં યાત્રા કરી રહ્યા હતા અને જેના કારણે વિજય રૂપાણીજી સ્વર્ગવાસ થયા હતા. વિજય રૂપાણીજીને પસંદ કરવાવાળા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ગુજરાત અને પૂરા દેશમાં છે જેના કારણે આ ઘટના બાદ તે તમામ લોકોને ખૂબ જ મોટો આઘાત પહોંચ્યો હતો. હાલ વિજય રૂપાણીજીની શ્રદ્ધાંજલિ સભામાં તેમની આત્માની શાંતિની પ્રાર્થના કરવા માટે હું સામેલ થયો હતો. શ્રદ્ધાંજલિ આપ્યા બાદ વિજય રૂપાણીજીના પત્ની, તેમના પુત્ર અને તેમના પરિવારના અન્ય લોકોને મળ્યો અને મેં મારી સંવેદના વ્યક્ત કરી. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ભગવાન વિજયભાઈ રૂપાણીની આત્માને શાંતિ આપે અને પોતાના ચરણોમાં સ્થાન આપે.

You Might Also Like

વિસાવદર ચૂંટણીમાં AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો ! સ્ટીંગ ઓપરેશનનો સત્ય શુ છે !

સ્વ વિજય રુપાણીનો પાર્થિવ દેહ રાજકીય સન્માન સાથે પંચ મહાભૂતોમાં વિલીન

અમદાવાદમાં AI-171 વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના સ્વજનોને અત્યાર સુધીમાં કુલ 76 પાર્થિવ દેહો સોંપવામાં આવ્યાં

ભારે વરસાદના કારણે ફસાયેલા તલગાજરડાની શાળાના 38 બાળકોનો સરકારના તંત્રની સમયસૂચકતા અને ત્વરિત મદદથી બચાવ થયો

પાણી પુરવઠાની સાઇટ પર ફસાયેલા ૨૪ નાગરિકોને પીપાવાવ કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરી વિકટર ગામની શાળા ખાતે સલામત રીતે ખસેડવામાં આવ્યા

TAGGED:gujaratKAEJARIWALrajkotSHRANDHANJALIvijay rupani
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે
કૃષિ વિશ્વ ગાંધીનગર ગુજરાત
શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર
અમદાવાદ ગુજરાત
કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !
અમદાવાદ કોંગેસ ગુજરાત રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?