By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: સુવાદાણાની ઔષધિ અનેક રોગોને કરશે દુર, કરો આ રીતે ઉપયોગ…
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > લાઈફ સ્ટાઇલ > હેલ્થ > સુવાદાણાની ઔષધિ અનેક રોગોને કરશે દુર, કરો આ રીતે ઉપયોગ…
હેલ્થ

સુવાદાણાની ઔષધિ અનેક રોગોને કરશે દુર, કરો આ રીતે ઉપયોગ…

Web Editor Panchat
Last updated: March 23, 2022 11:26 am
Web Editor Panchat Published March 23, 2022
Share
SHARE

સુવાદાણાનો ઉપયોગ મોટાભાગે દવા તરીકે કરવામાં આવે છે. તેમાં વધુ પોષક તત્વો અને એન્ટી ઓક્સીડેન્ટ વધારે હોય છે જે શરીર માટે ફાયદાકારક ગણાય છે. આ કેન્સરના દર્દીઓ માટે પણ ખૂબ અસરકારક છે. શિયાળાની ઋતુમાં આ ખાવાથી અનેક રોગો માંથી મુક્તિ મેળવી શકાય છે.

 

તેને ખાવાથી તાવ, શરદી, ઉધરસ, ચેપ, બવાસીર, અલ્સરથી પણ છુટકારો મળી શકે છે.આયુર્વેદ પ્રમાણે આ સુવા સ્વાદમાં સહેજ કડવા અને તીખા, બળપ્રદ, હૃદય માટે હિતકારી, પાચક, ગરમ, વાયુનાશક, મૂત્રનું પ્રમાણ વધારનાર તેમજ કફ, કૃમિ, શૂળ, આફરો તથા વાયુના વિકારોને મટાડે છે.

પ્રસૂતા સ્ત્રીનું ધાવણ વધારવા, પાચનક્રિયા સુધારવા તથા કીટાણુઓનો નાશ કરવા માટે સુવા ખૂબ જ ઉપયોગી છે. આવો, તો ચાલો જાણી લઈએ સુવાના ફાયદા. નાનાં બાળકોને પેટમાં દુઃખતું હોય ત્યારે સુવા વાટીને થોડાક પ્રમાણમાં પાણી સાથે પીવડાવતાં બાળકને ત્વરિત આરામ થઈ આવે છે. એનાથી વા, કફ, કૃમિ, શૂલ, કબજિયાત અને આફરો પણ મટે છે.

પ્રસૂતાને એનું હિમ પીવડાવવાથી ફાયદો થાય છે. સુવાનું પાણી બાળકને હેડકી તથા ઊલટી બેસાડી દે છે. ઘણા લોકો સુવાનો મુખવાસ તરીકે ઉપયોગ કરે છે. સુવાના તાજાં તથા સૂકાં પાનનો અથવાં બીજનો ઉકાળો પીવાથી બાદી નાશ થાય છે. સ્ત્રીઓમાં સુવા ધાવણ વધારે છે. એનાથી યોનિશૂળ પણ મટે છે. ગર્ભાશયના વિકારો મટાડવા પણ એનો ઉપયોગ થાય છે. સુવાથી પાચનશક્તિ વધે છે.

સુવાથી અર્શ, બરોળનો રોગ મટે છે. પથરી થઈ હોય તો તે પણ સુવાના ઉપયોગથી મટે છે. સુવાનું પાણી પીવાથી પેશાબ સાફ ઊતરે છે. મધ સાથે સુવા પીવાથી ઊલટી બંધ થાય છે. પીઠ તથા મૂત્રપિંડ અને મૂત્રાશયોનાં દર્દ મટે છે. સુવાદાણા પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે. આ સિવાય તે ઝાડામાં પણ મદદગાર સાબિત થાય છે.

તેમાં મોનોટર્પીન્સ અને ફ્લેવોનોઈડ્સ નામના તત્વો રહેલા હોય છે, જે અતિસાર નું કારણ બનેલા જંતુઓને જડમૂળથી બહાર કાઢી નાખે છે. રોજ અડધી ચમચી જેટલો સુવાદાણા નો પાઉડર ખાવાથી પેટમાં થતી તકલીફો દૂર થાય છે અને ઝાડા માં દુર્ગંધ આવતી હોય તો તે પણ દૂર થાય છે.

કબજિયાત જેવી રોગોમાં ફાયદો કરે છે. સુવાદાણા શરદી તાવ ચેપ ઉધરસ માટે ઉપયોગી છે. સુવાવડ પછી સુવાદાણા નો ઉપયોગ વધારે કરવામાં આવે છે. જો તમને કમરનો દુખાવો અને ગર્ભાશયનું સંકોચન બરાબર ન થયું હોય તો અથવા સફેદ પાણી પડતું હોય તો આવી બધી સમસ્યાઓ માં સુવાદાણા એક ઉત્તમ ઔષધિ છે.

સુવાદાણામાં ધાવણની વૃદ્ધિ કરવાની શક્તિ હોય છે. પ્રસૂતિ પછી સ્ત્રીની ભૂખ ઓછી થઈ જાય છે. સુવા, અજમો, પાનની જડ, સફેદ મરી, નાગરમોથી, કુટકી, કરિયાનું, મૂળાનાં બીજ, ગાજરનાં બીજ, સૂંઠ, મરી, પીપર, અક્કલકરો, ઈન્દ્ર જવ, કુચલા, ગળો, પટોળ, અરડૂસી, ધમાસો, કળથી અને ગોળ એ સરખે ભાગે લઈ તેને ખાંડી લીધા બાદ ઉકાળો બનાવવો.

આ ઉકાળો સુવાવડમાં નબળી પડે ગયેલી મહિલાને રોજ ૨૦ ગ્રામ આપવાથી તેની નબળાઈ મટે છે. શરીર પણ પાછું થઈ જાય છે. સુવાદાણા અડધી ચમચી અને ગોળ એક ચમચી ખુબ ચાવીને ખાવાથી ભુખ ખુબ જ લાગે છે. રોજ અડધી ચમચી સુવાનું ચુર્ણ મધ કે ઘી સાથે સવારે ચાટવાથી સ્મૃતિ શક્તિ વધે છે.

સુવાદાણા ના પાંદડાની પેસ્ટ, ફ્લેક્સસીડ અને એરંડાનાં બીજને ૧ ગ્લાસ દૂધમાં મિક્સ કરો. આ સંધિવા, સાંધાનો દુખાવો અને સોજો દૂર કરશે. સુવા, દેવદાર, હિંગ અને સિંધવ એ બધી ચીજો સરખે વજને લઈ આકડાના દૂધમાં બાફી તેનો લેપ અસ્થિવાત, કટિવાત કે સંધિવાત જેવા વાતવિકાર રોગ પર કરવાથી ઘણી રાહત થાય છે.

સુવાનાં બીજ જઠર, શુદ્ધિ કરવા માટે ઉત્તમ છે. એટલે ભોજન કર્યા બાદ એનો મુખવાસ કરવાથી પણ ઘણો સારો લાભ થાય છે. સુવાના બળેલાં બીજ પીવા તથા ચોપડવાથી અર્શને ફાયદો થાય છે. તે પેશાબની સખ્તી મટાડે છે. તેને છાંટવાથી જખમ જલદીથી રૂઝાઈ જાય છે.

સુવાદાણા ૨૦ ગ્રામ, હરડે, પીપર, તજ, વરિયાળી એ દરેક પાંચ પાંચ ગ્રામ લઈ તેમાં અઢી ગ્રામ હિંગ તથા સંચળ ૩૦ ગ્રામ લઈ તેનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણના ઉપયોગથી અતિસાર, પેટનો ગુલ્મ રોગ યકૃત તથા પ્લીક્ષનો વ્યાધિ, કૃમિનો દુઃખાવો, કબજિયાત વગેરેનો નાશ થાય છે. સુવામાં એન્ટિ-ઓક્સિડેન્ટ ના ગુણ રહેલા હોય છે.

જે શરીરમાં રહેલા ઝેર અને ફ્રી રેડિકલ્સને બહાર કાઢવામાં મદદ કરે છે. આને કારણે કેન્સર અને હૃદયરોગ જેવા ગંભીર રોગોનું જોખમ ઓછું થાય છે. કેન્સરની સારવારમાં અસરકારક માનવામાં આવે છે. તેમાં કેટલાક કેન્સર વિરોધી ગુણધર્મો છે, જે કેન્સરને દૂર રાખે છે.

You Might Also Like

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

આ પાંચ ફળો ખાવાથી મળે છે ઘણા ફાયદા તેમજ રોગપ્રતિકારક શક્તિમાં પણ થાય છે વધારો..

મશરૂમથી સ્તન કેન્સરમાંથી મળે છે રક્ષણ, જાણો એના વિશે વિસ્તારથી..

VVIP કરતાં પણ વધુ ઝડપે અંગદાનમાં મળેલાં અંગોને એરપોર્ટ સુધી પહોંચાડવામા આવે છે – હર્ષ સંધવી

આ વ્યક્તિ ને થઇ વિચિત્ર બીમારી જાણો કઈ છે બીમારી અને શું છે લક્ષણો

TAGGED:healthhealthtipslifehacks
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?