By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: કોંગ્રેસની સરકારોએ સમગ્ર સહકારી ક્ષેત્રની સંસ્થાઓને નિષ્ફળ બનાવી તાળા મારવાનું કામ કર્યું. – અમિતભાઇ શાહ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમરેલી > કોંગ્રેસની સરકારોએ સમગ્ર સહકારી ક્ષેત્રની સંસ્થાઓને નિષ્ફળ બનાવી તાળા મારવાનું કામ કર્યું. – અમિતભાઇ શાહ
અમરેલીગુજરાતરાજકારણ

કોંગ્રેસની સરકારોએ સમગ્ર સહકારી ક્ષેત્રની સંસ્થાઓને નિષ્ફળ બનાવી તાળા મારવાનું કામ કર્યું. – અમિતભાઇ શાહ

Web Editor Panchat
Last updated: September 11, 2022 8:12 pm
Web Editor Panchat Published September 11, 2022
Share
SHARE

આજે અમરેલી ખાતે કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહની ગરિમામય ઉપસ્થિતિમાં જિલ્લાની મુખ્ય સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ અંતર્ગત “સહકાર સે સમૃદ્ધિ” પરીસંવાદ કાર્યક્રમ યોજાયો

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ” સહકાર સે સમૃદ્ધિ” નો ખ્યાલ આપ્યો હોવાનું જણાવતા  અમિતભાઇ શાહ

તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કાઠીયાવાડ અને સૌરાષ્ટ્રની તમામ ડેરીઓને મૂડી ભંડોળ પૂરું પાડી જીવંત કરી.અમિતભાઇ શાહ

કોંગ્રેસની સરકારોએ સમગ્ર સહકારી ક્ષેત્રની સંસ્થાઓને નિષ્ફળ બનાવી તાળા મારવાનું કામ કર્યું. – અમિતભાઇ શાહ

1995 માં ધિરાણનો વ્યાજ દર 18% હતો, આજે  મોદીના નેતૃત્વમાં શૂન્ય પ્રતિશત વ્યાજ દરે ખેડૂતોને ધિરાણ મળી રહ્યું છે.અમિતભાઇ શાહ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટમાં વૈકલ્પિક કર 18.5% થી ઘટાડી 15% કર્યો અને સરચાર્જ 12% હતો તે ઘટાડી 4 ટકા કર્યો.અમિતભાઇ શાહ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ખેડૂતો,પશુપાલકો અને સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ લોકોને સમૃદ્ધિ માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે

વિનોબા ભાવેજી તથા શ્રી સ્વામી વિવેકાનંદને નમન કરી શ્રધાંજલિ પાઠવતા અમિતભાઇ શાહ
———
સહકાર એટલે ” સાથે આવવું, સાથે વિચારવું, સાથે સંકલ્પ લેવો અને તે સંકલ્પની સિદ્ધિ માટે સાથે પુરુષાર્થ કરવો. અમિતભાઇ શાહ
———-
અમરેલી ખાતે ગીર ગાયના સંવર્ધન – સંરક્ષણ અને સુધાર માટેનું સેન્ટર આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાને હૃદયથી ધન્યવાદ અને અભિનંદન પાઠવતા  અમિતભાઇ શાહ
જે અમરેલી ખાતે કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહની ગરિમામય ઉપસ્થિતિમાં અને કેન્દ્રિય મંત્રી પરસોત્તમભાઇ રૂપાલા ની ઉપસ્થિતમાં જિલ્લાની મુખ્ય સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા અંતર્ગત “સહકાર સે સમૃદ્ધિ” પરીસંવાદ કાર્યક્રમ યોજાઈ ગયો હતો. આ પ્રસંગે શ્રી શાહે અમર ડેરી દ્વારા ઉત્પાદિત ‘અમર હની’ અને ‘મિનરલ મિક્સચર’ ઉત્પાદનોનું લોન્ચિંગ પણ કર્યું હતું તથા વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને ચેક અર્પણ કર્યા હતા.
તેઓએ દેશના 591 જિલ્લાઓમાં પ્રવાસ કર્યો છે પરંતુ એક પણ જિલ્લો એવો નથી કે ત્યાં આ પ્રકારે એક સાથે જિલ્લાની સાત મુખ્ય સહકારી સંસ્થાઓની સંયુક્ત સભા યોજાઈ હોય. તેઓએ આ માટે તમામ સહકારી સંસ્થાઓના પદાધિકારીઓ અને સભાસદોને અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ કહ્યું કે આજે જ 1893 માં સ્વામી વિવેકાનંદે શિકાગોમાં સર્વ ધર્મ સભામાં હિન્દુ ધર્મનો ભગવો લહેરાવ્યો હતો અને આજે જ શ્રી વિનોબા ભાવેજીનો જન્મદિવસ છે.  શાહે શ્રી વિનોબા ભાવેજી તથા સ્વામી વિવેકાનંદને નમન કરી શ્રધાંજલિ પાઠવી હતી.

અમરેલી જિલ્લાએ શ્રી દકુભાઈ પટેલથી લઈને શ્રી દિલીપભાઈ સંઘાણી જેવા અનેક સહકારી આગેવાનો આપ્યા, આ આગેવાનોએ રાજ્યને અને સહકારી માળખાને મજબૂતાઇ આપી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ” સહકાર સે સમૃદ્ધિ” નો ખ્યાલ આપ્યો અને આ સહકારી વિભાગની સ્થાપના માટેનું સૂચન શ્રી પરસોતમ રૂપાલાજીએ કર્યું હતું.  મોદીજીએ અલગથી સહકારી વિભાગની સ્થાપના કરી દેશના કરોડો ખેડૂતોને સમૃદ્ધ બનાવવાનો પ્રયાસ આદર્યો છે. સહકાર એટલે ” સાથે આવવું, સાથે વિચારવું, સાથે સંકલ્પ લેવો અને તે સંકલ્પની સિદ્ધિ માટે સાથે પુરુષાર્થ કરવો. આજનો આ પરિસંવાદ સહકારની આ વિભાવનાને ચરિતાર્થ કરે છે.
અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકના ડિરેક્ટર્સને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે 1995 થી 2022 સુધીમાં ક્યારેય આ બેંકનો ગ્રાફ નીચે નથી આવ્યો. ડિપોઝિટ જે 19 કરોડ હતી તે વધીને 1880 કરોડ થઈ છે, 1995 માં 32 કરોડનું ધિરાણ આજે 1312 કરોડ, વર્કિંગ કેપિટલ 45 કરોડ હતી તે 2425 કરોડ અને નફો જે 45 લાખ હતો તે આજે 27 કરોડ સુધી પહોંચ્યો છે. 1995 માં ધિરાણનો વ્યાજ દર 18% હતો જે આજે શ્રી મોદીજીના નેતૃત્વમાં શૂન્ય પ્રતિશત વ્યાજ દરે ખેડૂતોને ધિરાણ મળી રહ્યું છે. જ્યારે રાજ્ય અને કેન્દ્રમાં ખેડૂત મિત્ર સરકાર અને સહકાર વિભાગ હોય ત્યારે પરિવર્તન કેવી રીતે શક્ય બને છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. ૧૩૫૦ ખેડૂતોને ગોડાઉન માટે આર્થિક મદદ, ૭૦ હજાર ખેડૂતોને રૂપે ક્રેડિટ કાર્ડ, ૨ લાખ લોકોના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત વીમા આપવામાં આવ્યા છે.
સહકારી ક્ષેત્રના ભૂતકાળને યાદ કરતા કહ્યું કે કોંગ્રેસની સરકારોએ સમગ્ર સહકારી ક્ષેત્રની સંસ્થાઓને નિષ્ફળ બનાવી તાળા મારવાનું કામ કર્યું. વેપારીઓ દ્વારા ખેડૂતોનો ખૂબ શોષણ કરવામાં આવતું હતું પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કાઠીયાવાડ અને સૌરાષ્ટ્રની તમામ ડેરીઓને મૂડી ભંડોળ પૂરું પાડી જીવંત કરી અને આજે તમામ સંસ્થાઓ ધમધોકાર ચાલી રહી છે અને બહેનોના ખાતામાં દર 10 દિવસે પૈસા જમા થઈ રહ્યા છે. ૨૦૦૨માં ૨૫૦૦ લીટર દૂધ પ્રોસેસ થતું હતું કે આજે ૧,૨૫,૦૦૦ લીટર ક્ષમતાએ પહોચ્યું છે. આ બદલાવ જ દર્શાવે છે કે રાજકીય ઈચ્છાશક્તિ હોય તો ધાર્યા પરિણામ લાવી શકાય છે. આજે દર દર 10 દિવસે ખેડૂતોને પાંચથી છ કરોડ અને વર્ષે 204 કરોડ રૂપિયા મળી રહ્યા છે દૂધની સાથે મધમાખી પાલનની તથા અન્ય ઉત્પાદનોના વેચાણથી પણ સભાસદોની સમૃદ્ધિ આગળ વધી રહી છે.
અમરેલી ખાતે ગીર ગાયના સંવર્ધન – સંરક્ષણ અને સુધાર માટેનું સેન્ટર આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાને હૃદયથી ધન્યવાદ અને અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ કહ્યું કે  મોદીજીના નેતૃત્વમાં પ્રાથમિક અને સેવા સહકારી મંડળીઓના કમ્પ્યુટરાઇઝેશન દ્વારા તેને જિલ્લા, રાજ્ય અને નાબાર્ડ સાથે જોડવાનું કાર્ય થયું છે. શ્રી નરેન્દ્રભાઇ મોદી એ પેક્સના કમ્પ્યુટરાઇઝેશન માટે લગભગ ૨૫૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. નવી સહકાર નીતિના માધ્યમથી ટ્રાન્સપોર્ટેશન, ઇન્સયોરન્સ, ટુરિઝમ, હેલ્થ વગેરે ક્ષેત્રમાં પણ નવી મંડળીઓ સ્થાપિત થાય અને તાલીમ સુધારણા માટે સહકારી યુનિવર્સિટી બનાવી સભાસદો સુધી પહોંચાડવા માટે  મોદીજીએ અલગથી ૫૫ કરોડ રૂપિયા ફાળવ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ બજેટમાં વૈકલ્પિક કર 18.5% થી ઘટાડી 15% કર્યો અને સરચાર્જ 12% હતો તે ઘટાડી ૪ ટકા કર્યો છે. આ ઉપરાંત નવી મંડળીઓ, ડેરીઓ વધારવા માટે આજે સમગ્ર દેશમાં મંડળીઓની સંખ્યા અને મંડળીઓની તંદુરસ્તીની તપાસ ઓનલાઇન થઈ શકે અને તેના સુધારણા માટેનું પણ કામ થાય તે માટે રાષ્ટ્રીય સહકાર ડેટાબેઝ બનાવાઈ રહ્યો છે.સેવા સહકારી મંડળી માત્ર ધિરાણ જ નહિ પણ માર્કેટિંગ, ગોડાઉન, વીજળી કનેક્શન અને ગેસ વિત્તરણ એજન્સી જેવા વિવિધ આયામ સાથે બહુ ઉદ્દેશી બને તે માટે મોડેલ બાયલોઝ તૈયાર થઈ રહ્યા છે જે લગભગ સપ્ટેમ્બરના અંત સુધીમાં દરેક મંડળીઓ સુધી પહોંચાડવામાં આવશે. આ પરિવર્તનથી દેશભરની સેવા સહકારી મંડળીઓ નફો કરતી થશે અને જોડાયેલા તમામ લોકો પણ સમૃદ્ધ બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દેશ અને વિશ્વના નાગરિકોના સ્વાથ્યયની અને ખેડૂતોને ઉપજના યોગ્ય ભાવ મળે તેની ચિંતા કરીને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન માટે અનેક પ્રયાસો અને પહેલ કરી રહ્યા છે. આ માટે પ્રાકૃતિક ઉપજના પ્રમાણિકરણ અને માટીની ચકાસણી માટે અમૂલ સહિત સંસ્થાઓ સાથે મળીને દેશભરમાં પ્રયોગશાળા સ્થાપિત કરી રહી છે. વધુ ઉત્પાદન મળે તેવા બીજના સંશોધન માટે પણ મલ્ટી સ્ટેટ કો ઓપરેટિવ સોસાયટીઓ સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત આજે મોટી મોટી કંપનીઓ ખૂબ નફો રળી રહી છે ત્યારે આ નફો સીધો ખેડૂતો ને મળે તે ઉદ્દેશ સાથે કેન્દ્રની ભાજપા સરકાર મલ્ટી સ્ટેટ કો ઓપરેટિવ એકસપોર્ટ હાઉસ પણ બનાવવા જઈ રહી છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ખેડૂતો,પશુપાલકો અને સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ લોકોને સમૃદ્ધિ માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે મોદીજીએ સહકારી ક્ષેત્રને નવો ઉદ્દેશ, નવો આકાર અને નવા લક્ષ્યાંક આપવાનું કાર્ય કર્યું છે.
આગામી પાંચ વર્ષમાં સહકારી ક્ષેત્રની ગણના મોખરાના વિભાગોમાં થાય તેવું સૌ સાથે મળીને સ્થાપિત કરવા અને આ ક્ષેત્રના તમામ લોકોની સમૃદ્ધિને નિશ્ચિત કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા,  આર.સી.મકવાણા, સાંસદ  નારણભાઈ કાછડીયા, ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, ઇફકોના ચેરમેન  દિલીપભાઈ સંઘાણી, ધારાસભ્યજે.વી.કાકડીયા, પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, ભાજપા સહકારિતા સેલના પ્રદેશ સંયોજક  બીપીનભાઈ પટેલ, પ્રદેશ, જિલ્લા અને શહેર ભાજપના પદાધિકારીઓ, જિલ્લા પંચાયતના હોદેદારો, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, સભાસદો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:ADCamit shahBHARAT BODHARABIPIN PATELCO-OPRETATIVEDILIP SANGHANIgsc bankGUJKOMASOLIFFCOPMO NARENDRA MODISEVA SAHKARI MANDLISTATE CO OPRATIVE
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?