By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશનનો ‘રજત જયંતિ’ મહોત્સવ અડાલજ ખાતે યોજાયો
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશનનો ‘રજત જયંતિ’ મહોત્સવ અડાલજ ખાતે યોજાયો
ઈકોનોમીગાંધીનગરગુજરાત

ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશનનો ‘રજત જયંતિ’ મહોત્સવ અડાલજ ખાતે યોજાયો

Web Editor Panchat
Last updated: February 26, 2023 2:47 pm
Web Editor Panchat Published February 26, 2023
Share
SHARE

ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશનનો ‘રજત જયંતિ’ મહોત્સવ અને સ્થાપક ચેરમેન  ઘનશ્યામભાઈ અમીનનો ‘અમૃત મહોત્સવ’ આજરોજ અન્નપૂર્ણાધામ, અડાલજ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે સહકાર મંત્રી જગદીશભાઇ વિશ્વકર્માએ રાજ્યભરમાંથી આવેલા વિવિધ ક્રેડિટ સોસાયટીઓના પ્રતિનિધિઓ પાસેથી આ ક્ષેત્રમાં સુચારું કામગીરી કરવા માટે શું શું તકલીફો પડે છે, તેની માહિતી તેમના સ્વમુખે મેળવી હતી.તેઓએ સર્વે સોસાયટીના પ્રતિનિધિઓને ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપની કોઈપણ સમસ્યા કે સહકાર ક્ષેત્રના વિકાસ માટે કોઈ ઉમદા વિચાર હોય તો તે બાબતે અવશ્ય અમારી સરકારનું ધ્યાન દોરવું. જેથી કરી આપણે એક ઉમદા સહકારી ક્ષેત્રનું નિર્માણ કરી શકીએ.
તેમણે ઉમેર્યું હતું કે, સહકારી ક્ષેત્રને કઈ દિશામાં લઈ જવાનું છે, તે આપણે સૌએ સાથે મળીને નક્કી કરવાનું છે.એ દિશામાં સહકાર ક્ષેત્રનો વિકાસ કરવાનો છે. હજુ પણ વધુને વધુ સહકારી ક્રેડિટ સોસાયટીઓ અને મંડળીઓની રચના થાય તેવું ઉમદા વાતાવરણ ઉભું કરવાનું છે. સહકારીતા એક એવો મજબૂત પાયો છે કે, જે ગ્રામ્ય વિસ્તારના વિકાસમાં ખૂબ મહત્વની ભૂમિકા અદા કરે છે. સહકારી મંડળીઓ થકી જ આજે ગ્રામ્ય વિસ્તારના નાના-મોટા ધંધા રોજગાર કરતા અને મજૂર વર્ગ વ્યાજખોરોના ચુંગલમાંથી બચી શક્યા છે. ગુજરાત સહકારી ક્ષેત્રે દેશભરમાં નંબર વન છે, એનો આનંદ વ્યક્ત કરી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આજે રાજ્યમાં ૬૨૦૦ જેટલી મંડળીઓ કાર્યરત છે. જેના ૪૮ લાખ જેટલા સભાસદો છે. રૂપિયા ૧ હજાર કરોડથી પણ વધુની ડિપોઝિટ છે.

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઘનશ્યામભાઈ અમીનની સહકારી ક્ષેત્રેની કામગીરી ખૂબ જ ઉમદા છે. તેમણે પોતાનું સમગ્ર જીવન સહકારી ક્ષેત્રની પ્રગતિ માટે સમર્પિત કર્યું છે. આ ક્ષેત્રના વિધવાન, સારા લેખક સાથે સાથે સહકારી ક્ષેત્રેની વિવિધ સમસ્યાઓ અને પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવા માટે તેઓએ સેતુરૂપ ભૂમિકા અદા કરી છે. તેની સાથે તેમણે ગુજરાતની નાની નાની ક્રેડિટ સોસાયટી અને મંડળીઓને એકઠી કરી આ ફેડરેશન બનાવવાની ઉમદા કામગીરી કરી છે. તેમણે ઘનશ્યામભાઈના દીર્ઘાયુ આયુષ્ય અને સ્વસ્થ સ્વાસ્થ્ય માટેની શુભકામનાઓ પણ પાઠવી હતી. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ શાસનધુરા સંભાળી તેની સાથે સહકાર વિભાગ એક વિભાગ તરીકે દેશમાં અસ્તિત્વમાં આવ્યું છે. સહકાર ક્ષેત્રની પ્રગતિ થાય તે માટે તેમણે આ વિભાગની જવાબદારી આ ક્ષેત્રે અનુભવી અને ગુજરાતના સપૂત શ્રી અમિતભાઈ શાહને સોંપી છે. સહકાર ક્ષેત્રનો વધુને વધુ મજબૂત કરી રાજ્યની વિકાસ ગતિને વધુ તેજ બનાવવા આ સરકાર કટિબદ્ધ છે.
આ પ્રસંગે મહાનુભાવો ના હસ્તે ફેડરેશનના સ્મૃતિગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું. રાજ્યની વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર સોસાયટીઓનું શિલ્ડ તથા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. સોસાયટીઝની વેબસાઈટ નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના વોઇસ ચેરમેન મહેશભાઈ પટેલે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને ફેડરેશનની કામગીરી અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. ફેડરેશનના એ.ઇ. ઓ. રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ ફેડરેશનની સ્થાપના થી ડિઝિટલ સુધીની યાત્રાની રસપ્રદ માહિતી આપી હતી.
આ પ્રસંગે ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, રાજ્યસભાના સાંસદ નરહરિભાઈ અમીન, મહારાષ્ટ્ર સ્ટેટ કો.ઓપ.ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશનના ચેરમેન ઓમપ્રકાશ કોઇટે, નિવૃત્ત રજિસ્ટાર જે. જે. શાહ, આણંદના એ.ઇ. ઓ. સુરેશભાઈ પટેલ સહિત, ફેડરેશનના હોદ્દેદારો, રાજ્યની વિવિધ મંડળી અને સોસાયટીના પ્રતિનિધિઓ અને આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:Narendra ModiThe Gujarati State Co-Operative Creditors Federationઘનશ્યામભાઈ અમીનજગદીશભાઈ વિશ્વકર્માધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશનનરહરિભાઈ અમીનરજત જયંતિ' મહોત્સવરાઘવજીભાઈ પટેલસહકારી ક્ષેત્ર
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?