By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: વડતાલ મંદિરમાં શ્રીજી કેમ બન્યા રસોઈયા
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > વડતાલ મંદિરમાં શ્રીજી કેમ બન્યા રસોઈયા
ગુજરાતધર્મ દર્શન

વડતાલ મંદિરમાં શ્રીજી કેમ બન્યા રસોઈયા

Web Editor Panchat
Last updated: February 5, 2023 5:44 pm
Web Editor Panchat Published February 5, 2023
Share
SHARE

 

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મૂખ્ય તીર્થધામ વડતાલ ખાતે મહાસુદ પૂનમના રોજ
ભવ્યાતિભવ્ય દિવ્ય શાકોત્સવ વડતાલ પિઠાધીપતિ ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ
તથા સંતો મહંતોના સાનિધ્યમાં દબદબા ભેર રીતે ઉજવાયો હતો. આ પ્રસંગે વડતાલ મંદિરના
પૂજારી બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજીએ મંદિરના દેવોને રસોયાના વાઘા ધરાવ્યા હતા. જેનો
હજ્જારો હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે મંદિરના
સભામંડપમાં પૂ.જ્ઞાનજીવન સ્વામી (કુંડળધામ)એ ૭૩ મી રવિસભા અંતર્ગત ધન્ય પુનમીયા
નરનાર રે…. એ વિષય પર કથામૃતનું રસપાન કરાવ્યું હતું. જ્યારે ગોમતીતીરે રૂા.૩૦૦ કરોડના
ખર્ચે આકાર પામનાર નૂતન અક્ષરભુવનના પ્રથમ સ્તંભ આરોહણ આચાર્ય મહારાજશ્રી તથા
સંપ્રદાયના વરિષ્ઠ સંતો તથા હરિભક્તોની ઉપસ્થિતિમાં પૂજાવિધિ યોજાઈ હતી.

વડતાલ મંદિરના કોઠારી ર્ડા.સંત સ્વામીએ જણાવ્યું હતું કે, વડતાલ મંદિરમાં સંપ્રદાયનો
સુપ્રસિધ્ધ શાકોત્સવ મહાસુદ પૂનમના રોજ યોજાયો હતો. આ પ્રસંગે સવારે શણગાર આરતી બાદ
મંદિરના સભામંડપમાં સંપ્રદાયના સુપ્રસિધ્ધ કથાકાર પૂ.જ્ઞાનજીવન સ્વામી (કુંડળધામ) ધ્વારા
પ્રેમાનંદ સ્વામીના કિર્તન ધન્ય ધન્ય પુનમીયા નરનાર રે… આવે વડતાલે …. એ કિર્તન પર
કથામૃતનું રસપાન કરાવ્યું હતું. આ પ્રસંગે વડતાલ મંદિરના ચેરમેન દેવ સ્વામી, સત્સંગ
મહાસભાના પ્રમુખ શા.નૌતમપ્રકાશદાસજી, બાપુ સ્વામી, બ્રહ્મસ્વરૂપ સ્વામી, સત્સંગભૂષણ
સ્વામી (આણંદ), હરિઓમ સ્વામી, બાલકૃષ્ણ સ્વામી (સરધાર), રામદાસજી સ્વામી
(યુ.એસ.એ.), પ્રભુચરણ સ્વામી (વેડરોડ સુરત), પ્રિયદર્શન સ્વામી (હરિનગર – વડોદરા)
સહિત સંપ્રદાયના સંતો-મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અંતર્ગત ૭૩ મી
રવિસભાના યજમાન અ.નિ.રમીલાબેન ઈન્દુભાઈ પટેલ, હરમાનભાઈ બેચરભાઈ પટેલ પરિવાર
(સંધાણા), પટેલ ઈન્દુભાઈ, પટેલ દક્ષેશ, પટેલ અલ્પેશ, પટેલ તરૂણભાઈ, પટેલ જતીનભાઈનું
આચાર્ય મહારાજે ફુલહાર પહેરાવી અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે બાપુ સ્વામી તથા પૂ.નૌતમ
સ્વામીએ પ્રાસંગીક ઉદ્‌બોધન કર્યું હતું. દરમ્યાન આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે પૂનમ
ભરવા આવતા તથા શાકોત્સવમાં પધારેલ ભક્તોને આર્શીવચન પાઠવતા જણાવ્યું હતું કે, ભગવાન
શ્રીહરિના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ખાતે રૂા.૩૦૦ કરોડના ખર્ચે તૈયાર થનાર નૂતન
અક્ષરભુવનના પ્રથમ સ્તંભ સ્થાપન પ્રસંગે આપ સૌ ભક્તો ઉપસ્થિત રહ્યા છો તે આનંદ અને
ગર્વની વાત છે. મહારાજે વડતાલને પોતાનું કેન્દ્ર બનાવ્યું છે. જ્યાં પ્રગટ સ્વરૂપ શ્રીહરિકૃષ્ણ
મહારાજ બિરાજે છે. ત્યાં ઉજવાતો કોઈપણ ઉત્સવ સમૈયા જેવો છે. વડતાલ મંદિરને ર૦૦ વર્ષ
પૂર્ણ થવાના થોડા મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે દ્વિશતાબ્દી મહોત્સવને નિમિત્ત બનાવી જે ઉત્સવો
ઉજવાય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે આલોક અને પરલોકના સુખ માટે દેવો પધરાવ્યા છે.
પોતાનું શાશ્વત સ્વરૂપ શ્રીહરિકૃષ્ણ મહારાજ પધરાવ્યું છે. તે વડતાલધામમાં જે સેવા કરે છે તેને
અવિનાશી સુખ મળે છે. અને પ્રાપ્ત થશે તે વાત નિર્વિવાદ છે.
ત્યારબાદ ગોમતીતીરે નૂતન અક્ષરભુવનના પ્રથમ સ્તંભ આરોહણ આચાર્યશ્રી
રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલ ત્રિદિનાત્મક હરિયાગની
પૂર્ણાહુતિ યોજાઈ હતી. આ પ્રસંગે ચેરમેન પૂ.દેવપ્રકાશ સ્વામી, પૂ.નૌતમ સ્વામી, સહિત
સંપ્રદાયના વરિષ્ઠ સંતો-ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂ.શ્યામવલ્લભ
સ્વામીએ કર્યું હતું.
(બોક્સ) ભક્તોએ મંદિરમાં દર્શન કરી લોયાનાં શાકોત્સવની અનુભુતી કરી.
વડતાલ મંદિરમાં યોજાયેલ દિવ્ય શાકોત્સવ પ્રસંગે મંદિરમાં બિરાજેલા શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી
લક્ષ્મીનારાયણ દેવ સહિત આદિ દેવો સમક્ષ ચૂલા ઉપર રીંગણનું શાક, રોટલા બનાવવાની સામગ્રી
ઉત્સવના પ્રતીકરૂપે મુકવામાં આવી હતી. આ દિવ્ય દર્શનનો હરિભક્તોએ લાભ લઈ ર૦૦ વર્ષ
પહેલા લોયામાં ઉજવાયેલા શાકોત્સવની અનુભુતી કરી હતી.
(બોક્સ) શાકોત્સવમાં વપરાયેલ સામગ્રી
રપ૦૦ કિલો ગુલાબી રીંગણ, ૧પ૦૦ કિલો બાજરીના લોટના રોટલા, ૧૦૦૦ કિલો
ચુરમાના લાડુ, ૧પ૦ કિલો ડ્રાયફુટ, ર૦૦૦ કિલો વઘારેલી ડ્રાયફુટ ખીચડી, ૩પ૦૦ લીટર
છાશ, ર૦૦ કિલો આથેલા મરચાં, ૪૦૦ કિલો ગોળ, ૩પ૦ કિલો ઘી, ૧૦૦ ડબ્બા તેલ
વિવિધ પ્રકારના મસાલા – ૧ હજાર કિલો
વિવિધ પ્રકારના શાકભાજી ર હજાર કિલો
૧૦૦ ઉપરાંત ગામડાઓના ૧૦૦૦ હરિભક્તો તથા સુરત-ચરોતરની આસપાસના પ૦૦ ઉપરાંત
મહિલાઓ ધ્વારા રોટલીની સેવાઓ આપી હતી.

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:.નૌતમ સ્વામીSWAMINARAAN MANDIRvadtalદેવપ્રકાશ સ્વામી
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?