By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: પોતાના વોટની તાકાતથી લોકો સોતેલા સૌરાષ્ટ્રથી ‘સોનાના સૌરાષ્ટ્ર’ તરફ આગળ વધશે અને આમ આદમી પાર્ટીને એક મોકો અવશ્ય આપશે: રાઘવ ચઢ્ઢા
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > રાજકોટ > પોતાના વોટની તાકાતથી લોકો સોતેલા સૌરાષ્ટ્રથી ‘સોનાના સૌરાષ્ટ્ર’ તરફ આગળ વધશે અને આમ આદમી પાર્ટીને એક મોકો અવશ્ય આપશે: રાઘવ ચઢ્ઢા
ગુજરાતરાજકારણરાજકોટ

પોતાના વોટની તાકાતથી લોકો સોતેલા સૌરાષ્ટ્રથી ‘સોનાના સૌરાષ્ટ્ર’ તરફ આગળ વધશે અને આમ આદમી પાર્ટીને એક મોકો અવશ્ય આપશે: રાઘવ ચઢ્ઢા

Web Editor Panchat
Last updated: October 11, 2022 4:36 pm
Web Editor Panchat Published October 11, 2022
Share
SHARE

પોતાના વોટની તાકાતથી લોકો સોતેલા સૌરાષ્ટ્રથી ‘સોનાના સૌરાષ્ટ્ર’ તરફ આગળ વધશે અને આમ આદમી પાર્ટીને એક મોકો અવશ્ય આપશે: રાઘવ ચઢ્ઢા

ભાજપે સોતેલું સૌરાષ્ટ્ર બનાવ્યું પણ અરવિંદ કેજરીવાલજી ‘સોનાનું સૌરાષ્ટ્ર’ બનાવશે: રાઘવ ચઢ્ઢા

ભાવનગરએ ખૂબ જ મોટા મોટા નેતાઓ આપ્યા પણ ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ સરકારોએ ભાવનગરને કઈ આપ્યું નથી: રાઘવ ચઢ્ઢા

ગુજરાતના શિક્ષણ મંત્રી ભાવનગરથી આવે છે પરંતુ ભાવનગરની સ્કૂલોની હાલત 27 વર્ષમાં દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે: રાઘવ ચઢ્ઢા

હોસ્પિટલો અને સ્વાસ્થ સેવાઓના નામે ભાવનગરના લોકો સાથે મજાક થઈ રહ્યો છે: રાઘવ ચઢ્ઢા

નાની નાની બીમારીઓના ઈલાજ માટે પણ લોકોએ અમદાવાદ અને રાજકોટ તરફ ભાગવું પડે છે: રાઘવ ચઢ્ઢા

હોસ્પિટલની મોટી બિલ્ડીંગ દૂરથી દેખાય છે, પરંતુ એની અંદર ના ડોક્ટર મળે છે, ના દવા મળે છે, ના નર્સ હોય છે અને ના બેડ હોય છે: રાઘવ ચઢ્ઢા

હું દસ વર્ષ પહેલાં ભાવનગર આવ્યો હતો અને એ સમયે ભાવનગરના રસ્તાની હાલત જેટલી ખરાબ હતી એનાથી વધુ આજે ખરાબ છે: રાઘવ ચઢ્ઢા

ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે રોડ રસ્તા હોય કે ઉદ્યોગો હોય કે રોજગાર હોય, દરેક મુદ્દે ભાવનગરના લોકો સાથે કપટ થયું છે: રાઘવ ચઢ્ઢા

આ ખૂબ જ દુઃખની વાત છે કે મોટા મોટા નેતાઓ મંત્રી બનીને આગળ વધ્યા છે પરંતુ તેઓએ ક્યારેય પણ પોતાના ભાવનગર જિલ્લા વિશે નથી વિચાર્યું: રાઘવ ચઢ્ઢા

‘સોનાનું સૌરાષ્ટ્ર’ બનાવવા માટે હું સૌરાષ્ટ્રના એક એક માણસને વિનંતી કરવા અને તેમનો સાથ માંગવા હું આવ્યો છું: રાઘવ ચઢ્ઢા

સૌરાષ્ટ્રના દરેક લોકોએ પૂરી મહેનત સાથે આમ આદમી પાર્ટી સાથે જોડાવું પડશે અને આખા ગુજરાતમાં જે પરિવર્તનની વાતો થઈ રહી છે એમાં સૌથી આગળ સૌરાષ્ટ્રના લોકોએ રહેવું પડશે: રાઘવ ચઢ્ઢા

પોતાના વોટની તાકાતથી લોકો સોતેલા સૌરાષ્ટ્રથી ‘સોનાના સૌરાષ્ટ્ર’ તરફ આગળ વધશે અને આમ આદમી પાર્ટીને એક મોકો અવશ્ય આપશે: રાઘવ ચઢ્ઢા

અરવિંદ કેજરીવાલ પોતે કરેલા કામ પર વોટ માંગે છે: રાઘવ ચઢ્ઢા

ગુજરાતના લોકો કોંગ્રેસ અને ભાજપના 62 વર્ષના શાસનને ઉખાડીને ફેંકી દે અને આમ આદમી પાર્ટીને એક મોકો આપે: રાઘવ ચઢ્ઢા

અરવિંદ કેજરીવાલ 300 યુનિટ વીજળી મફત આપી, પાણી મફત આપ્યું, મોહલ્લા ક્લિનિક અને સારી સારવાર આપી, અદ્ભુત હોસ્પિટલ બનાવી, શાનદાર શિક્ષણ આપ્યું, મહિલાઓને મફત મુસાફરી કરાવી, દિલ્હીની વૃદ્ધોને મફત મંદિરોનાં દર્શન કરાવ્યા: રાઘવ ચઢ્ઢા

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ તથા ગુજરાત પ્રદેશ સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, આજે હું ભાવનગરની ઐતિહાસિક ધરતી પર ઉપસ્થિત છું અને ભાવનગરના મહારાજ કૃષ્ણકુમારસિંહજીના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. તેમની લાગણી અને તેમની દેશભક્તિને હું સલામ કરું છું અને ભાવનગરમાં હું મારા કાર્યક્રમની શરૂઆત કરું છું. ભાવનગરએ ફક્ત ગુજરાતને જ નહીં પરંતુ સમગ્ર દેશને મોટી હસ્તીઓ આપી. ભાવનગરએ ખૂબ જ મોટા મોટા નેતાઓ અને મોટા વિદ્વાન લોકો આપ્યા છે. આજે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી અને કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રી પણ ભાવનગરથી આવે છે. પરંતુ એ અફસોસની વાત છે કે ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ સરકારોએ ભાવનગરને કઈ આપ્યું નથી.

આ બદનસીબી છે કે ગુજરાતના શિક્ષણ મંત્રી ભાવનગરથી આવે છે પરંતુ ભાવનગરની સ્કૂલોની હાલત 27 વર્ષમાં દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. હોસ્પિટલો અને સ્વાસ્થ સેવાઓના નામે અહીંયા લોકો સાથે મજાક થઈ રહ્યો છે. હોસ્પિટલની મોટી બિલ્ડીંગ દૂરથી દેખાય છે, પરંતુ એની અંદર ના ડોક્ટર મળે છે, ના દવા મળે છે, ના નર્સ હોય છે અને ના બેડ હોય છે. નાની નાની બીમારીઓના ઈલાજ માટે પણ લોકોએ અમદાવાદ અને રાજકોટ તરફ ભાગવું પડે છે, એવી આજે ભાવનગરની પરિસ્થિતિ છે. આટલા મોટા મોટા મંત્રી અને નેતા આપ્યા બાદ ભાવનગરમાં રોડ રસ્તાની હાલત તો સારી હોવી જોઈતી હતી. હું દસ વર્ષ પહેલાં ભાવનગર આવ્યો હતો અને એ સમયે ભાવનગરના રસ્તાની હાલત જેટલી ખરાબ હતી એનાથી વધુ આજે ખરાબ છે. રસ્તા કરતા ખાડા વધુ નજર આવે છે. રસ્તાઓ પર જંગલી પશુ ફરતા રહે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે રોડ રસ્તા હોય કે ઉદ્યોગો હોય કે રોજગાર હોય દરેક મુદ્દે ભાવનગરના લોકો સાથે કપટ થયું છે.

આ ખૂબ જ દુઃખની વાત છે કે મોટા મોટા નેતાઓ મંત્રી બનીને આગળ વધ્યા છે પરંતુ તેઓએ ક્યારેય પણ પોતાના ભાવનગર જિલ્લા વિશે નથી વિચાર્યું. ભાજપને 27 વર્ષની અહંકારી સરકારે સૌરાષ્ટ્ર સાથે સોતેલો વ્યવહાર કર્યો છે. ભાજપે સોતેલું સૌરાષ્ટ્ર બનાવ્યું પણ અરવિંદ કેજરીવાલજી ‘સોનાનું સૌરાષ્ટ્ર’ બનાવશે. ‘સોનાનું સૌરાષ્ટ્ર’ બનાવવા માટે હું સૌરાષ્ટ્રના એક એક માણસને વિનંતી કરવા અને તેમનો સાથ માંગવા હું આવ્યો છું. સૌરાષ્ટ્રના દરેક લોકોએ પૂરી મહેનત સાથે આમ આદમી પાર્ટી સાથે જોડાવું પડશે અને આખા ગુજરાતમાં જે પરિવર્તનની વાતો થઈ રહી છે એમાં સૌથી આગળ સૌરાષ્ટ્રના લોકોએ રહેવું પડશે. પોતાના વોટની તાકાતથી લોકો સોતેલા સૌરાષ્ટ્રથી ‘સોનાના સૌરાષ્ટ્ર’ તરફ આગળ વધશે અને આમ આદમી પાર્ટીને એક મોકો અવશ્ય આપશે.

ગુજરાતનું વાર્ષિક બજેટ રૂ. 2.5 લાખ કરોડ છે, એટલે કે, ગુજરાત સરકારે દર વર્ષે હોસ્પિટલ બનાવવા, સ્કૂલ બનાવવા, રોડ બનાવવા, દવાખાના, ફ્લાયઓવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પાછળ રૂ. 2.5 લાખ કરોડનો ખર્ચ કર્યો છે. મારે ભાવનગરની જનતાને પૂછવું છે કે તમને આમાંથી કોઈ પૈસા તમને મળ્યા? શું તમને એક પાવલી મળી? જો તમને આ 2.5 લાખ કરોડ રૂપિયામાંથી એક પણ પાવલી મળી નથી, તો પૈસા ગળી જનાર આ નેતા કોણ છે? તમારા પૈસાને ખાઈ જનાર નેતા કોણ છે?

ગુજરાતની કુલ વસ્તી સાડા છ કરોડ છે અને ગુજરાતનું વાર્ષિક બજેટ અઢી લાખ કરોડ રૂપિયા છે, તો ગુજરાત સરકાર દર વર્ષે કાગળ પર માથાદીઠ 38000 રૂપિયા ખર્ચે છે, મારે તમને પૂછવું છે કે શું આ પૈસા કોઈને પહોંચે છે? વિકાસના નામે આ વિશ્વાસઘાત ગુજરાત સરકારે તમારી સાથે કર્યો છે. હવે 27 વર્ષની અહંકારી સરકારને હટાવવા માટે ગુજરાતની જનતાએ સાથે મળીને આમ આદમી પાર્ટીની સરકાર બનાવવી પડશે. અરવિંદ કેજરીવાલજી કહે છે કે, મેં દિલ્હીના દરેક વ્યક્તિને 300 યુનિટ વીજળી મફત આપી, દર મહિને 20,000 લિટર પાણી મફત આપ્યું, મોહલ્લા ક્લિનિક અને સારી સારવાર આપી, અદ્ભુત હોસ્પિટલ બનાવી, દરેક બાળકને શાનદાર શિક્ષણ આપ્યું, મહિલાઓ માટે મફત મુસાફરી કરાવી, દિલ્હીની વૃદ્ધોને મંદિરોનાં મફત દર્શન કરાવ્યા અને તે બધા કામના આધારે અરવિંદ કેજરીવાલજી વોટ માંગે છે.

જો તમે આંકડાઓ પર નજર કરશો તો તમને ખબર પડશે કે ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે અને 27 વર્ષ પહેલા લગભગ 35 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર હતી. એટલે કે ગુજરાતની જનતાએ કોંગ્રેસને 35 વર્ષ અને ભાજપને 27 વર્ષ આપ્યા. જેમ દિલ્હી અને પંજાબના લોકોએ દાયકાઓ જૂની પરંપરાગત પાર્ટીઓને ઉથલાવી દીધી અને નવી જન્મેલી નાની ગરીબ આમ આદમી પાર્ટીને તક આપી, તેવી જ રીતે તમારે અરવિંદ કેજરીવાલજીને તક આપવી જોઈએ. હું તમને ખાતરી આપું છું કે તમે આમ આદમી પાર્ટીને એકવાર નહીં પણ વારંવાર વોટ આપશો.

જો છેલ્લા 62 વર્ષથી આ પાર્ટીઓ તમારી જિંદગી બહેતર નથી બનાવી શકી અને ગરીબી નથી મિટાવી શકી તો આવનારા સમયમાં પણ એ આ કામ નહીં કરી શકે. તો મારી ગુજરાતની જનતાને વિનંતી છે કે જો તમે 35 વર્ષ કોંગ્રેસની અને 27 વર્ષ ભાજપને આપ્યા છે, તો હવે ફક્ત પાંચ વર્ષ અરવિંદ કેજરીવાલજીને આપીને જુઓ. જો પાંચ વર્ષમાં તમને અમારું કામ પસંદ ન આવે તો પાંચ વર્ષ પછી અમને વોટ ન આપતા. પરંતુ અત્યારે એક વખત આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજીને એક મોકો આપીને જુઓ. દિલ્હીમાં 15 વર્ષ જૂની સરકારને હટાવીને દિલ્હીના લોકોએ આમ આદમી પાર્ટી ને મોકો આપ્યો અને પંજાબના લોકોએ 50 વર્ષ જૂની કોંગ્રેસ અને અકાલીદલ ની સરકારને ઉખાડીને ફેંકી દીધી અને આમ આદમી પાર્ટીને મોકો આપ્યો. તો હવે આ જ રીતે ગુજરાતના લોકો કોંગ્રેસ અને ભાજપના 62 વર્ષના શાસનને ઉખાડીને ફેંકી દે અને આમ આદમી પાર્ટીને એક મોકો આપે.

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?