By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: વિશ્વ જળ દિવસ: પાણીના વિવેકપૂર્ણ અને કરકસર પૂર્વક ઉપયોગનો કરો સંકલ્પ, સાથે મળી આવો બચાવીએ પાણી
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > લાઈફ સ્ટાઇલ > હેલ્થ > વિશ્વ જળ દિવસ: પાણીના વિવેકપૂર્ણ અને કરકસર પૂર્વક ઉપયોગનો કરો સંકલ્પ, સાથે મળી આવો બચાવીએ પાણી
હેલ્થ

વિશ્વ જળ દિવસ: પાણીના વિવેકપૂર્ણ અને કરકસર પૂર્વક ઉપયોગનો કરો સંકલ્પ, સાથે મળી આવો બચાવીએ પાણી

Web Editor Panchat
Last updated: March 22, 2022 2:05 pm
Web Editor Panchat Published March 22, 2022
Share
SHARE

22 માર્ચ, વિશ્વ જળ દિવસ. પ્રતિદિન પાણીની વધતી જતી માંગ સામે પાણીનો જથ્થો ઓછો મળી રહયો છે. પૃથ્વી પર ત્રણ ભાગ પાણી હોવા છતા આજે પાણીની તંગી વર્તાઈ રહી છે. જળ એ જ જીવન છે જેના વગર લાંબુ જીવી ન શકાય. પાણીનો વિવેક પૂર્વક અને કરકસર પૂર્વક ઉપયોગ કરવાનો આજના જળ દિને સંકલ્પ કરવાનો વખત આવી ગયો છે.

 

 

થોડા સમય પહેલાં વિશ્વનાં 11 એવાં શહેરોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં પીવાનું પાણી જરૂર કરતાં બહુ ઓછું હશે અથવા તો ખતમ થઈ જશે.એ યાદીમાં દક્ષિણ ભારતના બેંગલુરુ શહેરનું નામ પણ સામેલ છે.સંયુક્ત રાષ્ટ્રસંઘના અનુમાન અનુસાર, 2030 સુધીમાં પાણીની માગમાં 40 ટકા સુધીનો વધારો થઈ શકે છે.

આ પરિસ્થિતિમાં પાણીનું યોગ્ય રીતે વ્યવસ્થાપન નહીં કરવામાં આવે તો પાણી માટેની મારામારીમાં દેખીતી રીતે વધારો થશે. આજે વિશ્વમાં 1.5 અબજ નાગરિકોને પીવાનું શુદ્વ પાણી નથી મળતું. વધતા જતા પ્રદુષણના લીધે ભુગર્ભ જળ પ્રદુષિત થઈ રહયું છે અને પાણી જન્‍ય રોગોનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જાય છે.

 

ભારત પણ આ સમસ્‍યાથી બાકાત નથી. આપણા દેશના ભુગર્ભ જળમાં ફ્‌લોરાઈડ, નાઈટ્રેટ, આર્સેનીક, લેડ, જેવા ઝેરી તત્‍વોનું પ્રમાણ વધતું જાય છે. જેના લીધે ભારતના અમુક રાજયોમાં અલગ અલગ રીતની બિમારીઓ વધતી જાય છે. પાણીનો યોગ્ય ઉપયોગ કરાશો તો જ પાણીના આ સંકટમાંથી બહાર આવી શકશો.

યૂએસએડના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આગામી વર્ષે ભારત જળ સંકટવાળો દેશ બની જશે. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ દ્વારા જારી નિર્દેશ અને નિશ્વિત માત્રાની તુલનામાં ગ્રાઉન્ડવોટરનો 70 ટકા વધુ ઉપયોગ થઈ રહ્યો છે. તેનાથી દર વર્ષે જળસ્તર 10 સેમી નીચે જઈ રહ્યું છે. આ કારણે આજે પાણી બચાવવુ જરૂરી છે.

 

જળ એ જ જીવન છે, એનું જતન કરો

માણસ ભોજન લીધા વિના લગભગ 20 દિવસ સુધી જીવતો રહી શકે પણ પાણી વગર ત્રણ-ચારથી વધારે દિવસ જીવવું મુશ્કેલ છે. તેનો એક જ કારણ છે ડિહાઈડ્રેશન. એટલે કે શરીરમાં પાણીની માત્રામાં જોરદાર ઘટાડો.

બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસના જણાવ્યા અનુસાર, ડિહાઈડ્રેશન એવી અવસ્થા હોય છે જ્યારે તમારું શરીર જેટલી માત્રામાં પાણી છોડી રહ્યું હોય છે એટલી માત્રામાં તેને પાણી મળી રહ્યું હોતું નથી.નાનાં બાળકો અને વયોવૃદ્ધોમાં ડિહાઈડ્રેશનનું જોખમ સૌથી વધુ હોય છે. તેના પર યોગ્ય સમયે ધ્યાન આપવામાં ન આવે તો ડિહાઈડ્રેશન જીવલેણ સાબિત થઈ શકે છે.

 

તબીબી નિષ્ણાંતોના મતે દિવસમાં આપણે જેટલીવાર જમીએ તેટલીવાર પાણી તો જરૂર પીવું જોઈએ. પાણી ઓછું પીવાથી કિડની સંબંધી તકલીફો થવાની શક્યતા વધી જાય છે. પાચનતંત્ર ખરાબ થાય છે અને લોહીની ગુણવત્તા બગડે છે.

શા માટે જરૂરી છે પાણી?

  • હોર્મોન બનાવવા માટે પાણીની જરૂર હોય છે.
  • શરીરમાં પાણીથી લાળ બને છે, જે પાચનક્રિયા માટે જરૂરી હોય છે.
  • શરીરનું ઉષ્ણતામાન પાણીના પ્રમાણને આધારે નક્કી થાય છે.
  • શરીરમાંના કોષોમાં પાણીના આધારે વૃદ્ધિ થાય છે અને નવા કોષો તૈયાર થાય છે.
  • શરીરમાંની ગંદકી બહાર લાવવા માટે પાણી જરૂરી હોય છે.
  • હાડકાંઓના સાંધા વચ્ચેની ચિકાશ અને ત્વચામાંની ભીનાશ જળવાઈ રહે એ માટે પાણી જરૂરી હોય છે.
  • શરીરમાં ઓક્સિજનનું જરૂરી પ્રમાણ જાળવી રાખવા માટે પણ પાણી જરૂરી હોય છે.

You Might Also Like

ગુજરાત સરકારની મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતી રાજ્યની દીકરીઓ માટે આશીર્વાદરૂપ

કેન્દ્ર – રાજ્ય સરકાર દ્વારા જુલાઇ માસને ‘ડેન્ગ્યુ વિરોધી માસ’ તરીકે ઉજવાશે

૧૯ જૂન – વિશ્વ સિકલ સેલ નાબૂદી દિવસ વહેલા નિદાન અને યોગ્ય સારવારથી સિકલ સેલ મુક્ત બનશે ગુજરાત

H1N1 અને H3N2 સીઝનલ ફ્લુની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ – આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

TAGGED:judiciouslyWorld Water Day
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને કેમ લખ્યો પત્ર !
ahmedabad congress gujarat ઇન્ડિયા રાજકારણ
ગંભીરા બ્રિજ દુર્ઘટના માટે સીએમ ભુપેન્દ્ર પટેલની સાથે સીએમ મોદી પણ એટલા જ જવાબદાર – યુવરાજ સિંહનો ખુલાસો !
gujarat ગવર્મેન્ટ ભાજપ વડોદરા સમસ્યા
FSI -૨૦૨૩ના અહેવાલ મુજબ નોટિફાઇડ વન વિસ્તાર બહારના વૃક્ષ આવરણમાં કુલ ૨૪૧ થી વધુ ચો.કિ.મીના વધારા સાથે ગુજરાત દેશભરમાં અગ્રેસર
ahmedabad govt gujarat
📢ગુજરાતમાં જો ખતરો હોય તો ફક્ત 🥤એક ગ્લાસ🥤 થી છે !
aap gujarat politics
ભુપેન્દ્ર પટેલ આ રસ્તા ચોમાસાના કારણે નહી પણ કમિશનના કારણે તુટ્યા છે ! તમે કોને બનાવો છો !
ahmedabad govt gujarat heavy rain weather ભારે વરસાદ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?