By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: રૂ.૨૫૦ કરોડના ખર્ચે ‘ટાઈડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટ’નું ખાતમુહૂર્ત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > રૂ.૨૫૦ કરોડના ખર્ચે ‘ટાઈડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટ’નું ખાતમુહૂર્ત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
ગાંધીનગરગુજરાત

રૂ.૨૫૦ કરોડના ખર્ચે ‘ટાઈડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટ’નું ખાતમુહૂર્ત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

Web Editor Panchat
Last updated: April 15, 2022 7:41 pm
Web Editor Panchat Published April 15, 2022
Share
SHARE

નવસારી જિલ્લાના વાઘરેચ ખાતે કાવેરી નદી પર રૂ.૨૫૦ કરોડના ખર્ચે ‘ટાઈડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટ’નું ખાતમુહૂર્ત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
—–
બિલીમોરામાં રૂ.૫૫ કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઈ-લોકાર્પણ
——
મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ

 

મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !

 


—–
 જળ આત્મનિર્ભરતા દ્વારા ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ની સંકલ્પના સાકાર કરીશું
 રાજ્યમાં પાણીની મુશ્કેલી ન રહે તે માટે ભૂગર્ભ જળભંડારોને સમૃદ્ધ બનાવી સુદ્રઢ જળવ્યવસ્થાપનની પ્રતિબદ્ધતા છે:
 બિલીમોરા અને આસપાસના દસ ગામોની ૩૫૦૦ એકર જમીનને સિંચાઈનું પાણી ઉપલબ્ધ થશે
 રાજ્યમાં શ્રેણીબદ્ધ જળસંચય, જળસિંચન અને જળસંગ્રહ આયામોથી રાજ્યમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા આવ્યા છે
:મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ કેમ ફસાયા ધર્મ સંકટમાં !

વાઘરેચ પરિયોજના માત્ર એક વર્ષના સમયગાળામાં પૂર્ણ કરવામાં આવશે: જળસંપત્તિ અને સિંચાઈ મંત્રી ઋષિકેષભાઈ પટેલ
——–
વાઘરેચ રેગ્યુલેટર પ્રોજેક્ટથી બિલીમોરા નગરપાલિકા સહિત ગણદેવી તાલુકાના ૧૦ ગામો થશે લાભાન્વિત
——-
કાવેરી નદીમાં ૧૩ કિ.મી અને ખરેરા નદીમાં ૫ કિ.મી. લંબાઈમાં ૧૦૦ મિલિયન ક્યુબિક ફીટ મીઠા પાણીનો સંગ્રહ થશે: જૂની ખરેરા નદી પુનર્જીવિત થશે
——-
નવસારીઃશુક્રવારઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના ગણદેવીના બિલીમોરા સ્થિત કાવેરી નદી પર રૂ.૨૫૦ કરોડના ખર્ચે ‘વાઘરેચ ટાઈડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટ’નું ખાતમુહૂર્ત કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ‘આઝાદીના અમૃત્ત કાળમાં રાજ્ય સરકારે રાજ્યને અમૃત્તમય મીઠું પાણી પૂરૂં પાડવાનું લક્ષ્ય સેવ્યું છે. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જના પડકારોથી સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે, ત્યારે રાજ્યમાં પાણીની મુશ્કેલી ન રહે તે માટે ભૂગર્ભ જળભંડારોને સમૃદ્ધ બનાવી સુદ્રઢ જળવ્યવસ્થાપનની પ્રતિબદ્ધતા છે’,

 


આ પ્રસંગે મધ્યપ્રદેશના રાજ્યપાલમંગુભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
મુખ્યમંત્રીના હસ્તે ‘વાઘરેચ ટાઈડલ રેગ્યુલેટર યોજનાની ઈ-તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું, ઉપરાંત બિલીમોરા નગરપાલિકા વિસ્તારમાં રેલવે ફાટક નં.૧૦૮-૧૦૯ ઉપર રાજ્યના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના અનુદાનથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.૫૫ કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું ઈ-લોકાર્પણ સંપન્ન થયું હતું.
વાઘરેચ ખાતે નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા આયોજિત વિશાળ જનસમારોહને સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં શ્રેણીબદ્ધ ચેકડેમ, બોરીબંધ, સુજલામ-સુફલામ અને અન્ય બહુહેતુક યોજનાઓ, કેનાલ અને પાઈપલાઈન નેટવર્ક, સૌની યોજના, ટાઈડલ પ્રોજેક્ટ્સ જેવા જળસંચય, જળસિંચન અને જળસંગ્રહ આયામોથી રાજ્યમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા આવ્યા છે. ખેડૂતોના ખેતરે ખેતરે પાણી પહોંચ્યું છે એમ જણાવી જળ આત્મનિર્ભરતા દ્વારા આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ની સંકલ્પના સાકાર કરીશું એવો મત વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ વાઘરેચ રેગ્યુલેટર પ્રોજેક્ટથી બિલીમોરા નગરપાલિકા સહિત ગણદેવી તાલુકાના ૧૦ ગામોને થનારા માતબર લાભ અંગે હર્ષ વ્યક્ત કરતાં કહ્યું કે, કાવેરી નદીમાં ૧૩ કિ.મી અને ખરેરા નદીમાં ૫ કિ.મી. લંબાઈમાં ૧૦૦ મિલિયન ક્યુબિક ફીટ મીઠા પાણીનો સંગ્રહ થશે તેમજ જૂની ખરેરા નદી પુનર્જીવિત થશે. બિલીમોરા અને આસપાસના દસ ગામોની ૩૫૦૦ એકર જમીનને સિંચાઈનો ફાયદો થશે. દરિયાની ભરતીના પાણી નદીમાં પ્રવેશતાં અટકશે, જેના લીધે સપાટી પરની તેમજ ભૂગર્ભ જળની ખારાશ અને ખેતી લાયક ફળદ્રુપ જમીનને નુકસાન થતું અટકશે એમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ વાઘરેચ રેગ્યુલેટર પ્રોજેક્ટ જળસમૃદ્ધિની ગેરંટી આપતી યોજના બનશે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, દક્ષિણ ગુજરાત જળસમૃદ્ધ નદીઓ ધરાવતો વિસ્તાર છે, પરંતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયાઈ ખારાશને કારણે ‘પાસે કૂવો છતાં તરસ્યા’ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ સમસ્યા સામે લડવા આ ટાઈડલ ડેમ આશીર્વાદરૂપ બનશે.
મુખ્યમંત્રીશ્રીએ પાણીને વિકાસનો મુખ્ય આધાર ગણાવતા કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જળશક્તિનો મહિમા કરીને તેને જનશક્તિ સાથે જોડી છે, ત્યારે રાજ્યમાં પીવાના, ઘર વપરાશ અને સિંચાઈના પાણીની સમસ્યા કે મુશ્કેલી લોકોને ન રહે તે માટે જળ વ્યવસ્થાપનના ઉમદા પ્રયાસો સાથે રાજ્ય સરકાર સતત સજાગ છે તેની ભૂમિકા આપી હતી.

પટેલ-પાટીલના પાવરને ડીમ કરવા મેદાને ઉતરશે હાર્દીક !

મુખ્યમંત્રીએ દરિયાની ખારાશ અટકાવવાના પ્રયાસોની સાથોસાથ વિષમય રાસાયણિક કૃષિના સ્થાને ઓછા પાણીએ તથા રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવી સાચા અર્થમાં ધરતીમાતાને હરિયાળી બનાવવા પ્રેરક આહવાન કર્યું હતું.
મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે પ્રેરક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે, ઓફિસમાં બેસીને કોઈ પણ વિકાસ યોજનાને આકાર આપવા કરતા સ્થળ પર જઈને વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવી યોજનાઓને મૂર્તિમંત કરવાથી ગુણવત્તાયુક્ત પરિણામો મળે છે એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને અનુસરીને ગુજરાત સરકારે વાઘરેચની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખી સ્થાનિક વિસ્તારની જનતાના વિશાળ હિતમાં આ પ્રોજેકટ સાકાર થશે. જેનો લાભ મળતા લોકોની પાણીની સમસ્યાઓ ભૂતકાળ બની જશે.
સ્થાનિક જનતાની વર્ષોજૂની લાગણી અને માંગણીઓને વાચા આપી છે એમ જણાવી રાજ્યપાલશ્રીએ ગુજરાત સરકારની વિકાસને વેગ આપવાની પ્રતિબદ્ધતાને બિરદાવી હતી.
આરોગ્ય, જળસંપત્તિ અને સિંચાઈ મંત્રીશ્રી ઋષિકેષભાઈ પટેલે જણાવ્યું હતું કે, ચોમાસામાં ભરતીના કારણે બિલીમોરા શહેર તેમજ આજુબાજુના કાંઠા વિસ્તારના ગામોમાં ખારાશ આવતી અટકાવવાની આ સરકારે ચિંતા કરી છે. વાઘરેચ પરિયોજના માત્ર એક વર્ષના સમયગાળામાં પૂર્ણ કરવામાં આવશે. જેનાથી ૧ર જેટલા ગામોને આવનારા સમયમાં પીવાનું શુદ્ધ મીઠું પાણી મળી રહેશે. આદિજાતિ વિસ્તારના વિકાસ માટે આગામી પાંચ વર્ષમાં એક લાખ કરોડનું પેકેજ બનાવાયું છે. આ બજેટમાં પાંચસો કરોડના ખર્ચે ચેકડેમ, વિયર બનાવી વરસાદી પાણીનો સંગ્રહ કરવાનું સુચારૂ આયોજન કરાયું છે.

 

ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ

આ અવસરે આદિજાતિ વિકાસમંત્રી નરેશભાઈ પટેલે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે બિલીમોરા નગરપાલિકા વિસ્તારમાં રેલવે ઓવરબ્રીજનું લોકાર્પણ અને વાઘરેચ ખાતે ટાઈડલ રેગ્યુલેટર ડેમનું ખાતમુહૂર્ત કરી આ વિસ્તારની પ્રજાની માગણી પૂરી કરી છે. લોકોની સુખાકારીના કામો કરવા માટે રાજ્ય સરકાર હંમેશા તત્પર છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
નવસારીના સાંસદશ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, વાઘરેચના ડેમ માટેના સતત પ્રયત્નોના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ યોજના આજે સાકાર થશે. આ ડેમ બનવાથી તેર કિલોમીટર વિસ્તારમાં આવતા ગામોમાં પીવાનું શુધ્ધ પાણી મળશે. અહીંના કાંઠા વિસ્તારમાં પીવાનું પાણી મળી રહે તે માટે અલગથી યોજના બનાવાશે.

You Might Also Like

સ્વ વિજય રુપાણીનો પાર્થિવ દેહ રાજકીય સન્માન સાથે પંચ મહાભૂતોમાં વિલીન

અમદાવાદમાં AI-171 વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના સ્વજનોને અત્યાર સુધીમાં કુલ 76 પાર્થિવ દેહો સોંપવામાં આવ્યાં

ભારે વરસાદના કારણે ફસાયેલા તલગાજરડાની શાળાના 38 બાળકોનો સરકારના તંત્રની સમયસૂચકતા અને ત્વરિત મદદથી બચાવ થયો

પાણી પુરવઠાની સાઇટ પર ફસાયેલા ૨૪ નાગરિકોને પીપાવાવ કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરી વિકટર ગામની શાળા ખાતે સલામત રીતે ખસેડવામાં આવ્યા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

TAGGED:bhugarbhbhupendra patelbilimoradem projectkalpsarkaverimangu bhai patelmangubhaipatelregulatertidal
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે
કૃષિ વિશ્વ ગાંધીનગર ગુજરાત
શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર
અમદાવાદ ગુજરાત
કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !
અમદાવાદ કોંગેસ ગુજરાત રાજકારણ
વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?