By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: સોમનાથ, દ્વારકા, અંબાજી, ડાકોરના મંદિરોમાં શ્રધ્ધાળુઓની સંખ્યા વધી : દાનપેટીઓ છલકાઇ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > સોમનાથ, દ્વારકા, અંબાજી, ડાકોરના મંદિરોમાં શ્રધ્ધાળુઓની સંખ્યા વધી : દાનપેટીઓ છલકાઇ
ગાંધીનગરગુજરાત

સોમનાથ, દ્વારકા, અંબાજી, ડાકોરના મંદિરોમાં શ્રધ્ધાળુઓની સંખ્યા વધી : દાનપેટીઓ છલકાઇ

Web Editor Panchat
Last updated: May 25, 2022 5:50 pm
Web Editor Panchat Published May 25, 2022
Share
SHARE

સોમનાથ, દ્વારકા, અંબાજી, ડાકોરના મંદિરોમાં શ્રધ્ધાળુઓની સંખ્યા વધી : દાનપેટીઓ છલકાઇ

સોમનાથ મંદિરની આવક 50.95 કરોડ, દ્વારકામાં 13 કરોડ, ડાકોરમાં 14.02 કરોડ અને અંબાજીમાં 47.76 કરોડની આવક
અમદાવાદ,તા. 25 : કોરોનાએ બે વર્ષ સુધી લોકોને ભયભીત રાખ્યા બાદ હળવો થઇ ગયો છે અને તમામ નિયંત્રણો પણ ઉઠી ગયા છે ત્યારે મંદિરો, ધાર્મિક સ્થળોએ યાત્રાળુઓની સંખ્યા વધી જવાને પગલે દાનપેટીઓ છલકાવા લાગી છે. લોકોની ધાર્મિક શ્રધ્ધા વધી ગઇ હોય તેમ મંદિરોએ શ્રધ્ધાળુઓની સંખ્યાની સાથોસાથ દાનનો પ્રવાહ પણ ઘણો વધી ગયો છે. સોમનાથ, દ્વારકા અને ડાકોરના મંદિરોમાં કોરોના કાળમાં દાનનો પ્રવાહ સાવ ધીમો પડી ગયો હતો તેના બદલે હવે મોટો વધારો સૂચવે છે.

કોરોના કાળમા મંદિરો કેટલાક મહિના બંધ રહ્યા બાદ નવેસરથી ખુલ્યા ત્યારે પણ અનેક નિયંત્રણો કારણે ભાવિકોની સંખ્યા ઓછી રહેતી હતી પરંતુ હવે તમામ અંકુશો દૂર થઇ ગયા હોવાના કારણે હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટવા લાગ્યા છે. દેશના વિખ્યાત અને બાર જ્યોર્તિલીંગ પૈકીનું પ્રથમ એવા સોમનાથ મંદિરની 2021-22નાં વર્ષની આવક 50.95 કરોડ પર પહોંચી ગઇ છે. આગલા વર્ષે તે 23.25 કરોડ હતી.

દ્વારકાધીશ મંદિરની આવક 2019-20માં 11.03 કરોડ અને 2020-21માં 6.44 કરોડ હતી તે વધીને 2021-22માં 13 કરોડે પહોંચી ગઇ છે. ડાકોરનાં રણછોડરાય મંદિરની 2021-22ની આવક 14.02 કરોડ થઇ છે જે 2020-21માં 7.25 કરોડ થઇ ગઇ હતી. એકમાત્ર અંબાજી મંદિર એવું છે જ્યાં દાનની આવક હજુ કોવિડ પૂર્વેનાં સમય સુધી પહોંચી શકી નથી. બનાસકાંઠાના ડેપ્યુટી કલેક્ટર આર.કે. પટેલે જણાવ્યું હતું કે 2020-21માં 31.92 કરોડની આવક હતી, 2019-20માં 51.63 કરોડનું દાન મળ્યું હતું. 2021-22માં આ આંકડો 47.76 કરોડ થયો છે.

ગત વર્ષની સરખામણીએ આવક વધી હોવા છતાં કોરોના અગાઉના સ્તરે પહોંચી શકી નથી. સોમનાથ મંદિર ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ કહ્યું કે શ્રધ્ધાળુઓની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. અત્યારે સરેરાશ રોજ 10 હજાર શ્રધ્ધાળુઓ આવે છે અને શનિ-રવિમાં આ સંખ્યા 15,000 સુધી પહોંચી જાય છે.

You Might Also Like

વિસાવદર ચૂંટણીમાં AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો ! સ્ટીંગ ઓપરેશનનો સત્ય શુ છે !

સ્વ વિજય રુપાણીનો પાર્થિવ દેહ રાજકીય સન્માન સાથે પંચ મહાભૂતોમાં વિલીન

અમદાવાદમાં AI-171 વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના સ્વજનોને અત્યાર સુધીમાં કુલ 76 પાર્થિવ દેહો સોંપવામાં આવ્યાં

ભારે વરસાદના કારણે ફસાયેલા તલગાજરડાની શાળાના 38 બાળકોનો સરકારના તંત્રની સમયસૂચકતા અને ત્વરિત મદદથી બચાવ થયો

પાણી પુરવઠાની સાઇટ પર ફસાયેલા ૨૪ નાગરિકોને પીપાવાવ કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરી વિકટર ગામની શાળા ખાતે સલામત રીતે ખસેડવામાં આવ્યા

TAGGED:crowddanpetigujaratjyotirlingsomnath temple
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે
કૃષિ વિશ્વ ગાંધીનગર ગુજરાત
શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર
અમદાવાદ ગુજરાત
કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !
અમદાવાદ કોંગેસ ગુજરાત રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?