By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: મેવાણી, તારી વાણીને વિરામ આપ, નહિ તો તને વિરામ આપીશું!
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > મેવાણી, તારી વાણીને વિરામ આપ, નહિ તો તને વિરામ આપીશું!
અમદાવાદગાંધીનગરગુજરાત

મેવાણી, તારી વાણીને વિરામ આપ, નહિ તો તને વિરામ આપીશું!

Web Editor Panchat
Last updated: April 22, 2022 12:27 pm
Web Editor Panchat Published April 22, 2022
Share
SHARE

મેવાણી, તારી વાણીને વિરામ આપ, નહિ તો તને વિરામ આપીશું!

આ જિગ્નેશિયો બહુ બોલ બોલ કરે છે. શું સમજે છે એના મનમાં? સોંપી દો છેક ભુતાન સરહદે આવેલા કોકરાઝારની પોલિસને. સીધો દોર થઈ જશે! મેવાણી, તારી વાણીને હવે વિરામ આપ, નહિ તો તને વિરામ આપી દઈશું. મેવાણી, અલ્યા, સમજ તો ખરો કે ન બોલવામાં નવ ગુણ છે. હા, બોલશે એનાં બોર અમે વેચી નાખીશું, તું ચિંતા શીદને કરે છે? તને વાણીમાં રસ છે, અમને મેવામાં. તુંય ખાને મેવા, તને કોણ ના પાડે છે? અલ્યા, અમારા ભેળો આઇને ખા! તું મેવા ખા, વાણી અમને આપી દે, મૂરખ.

વડા પ્રધાન નરેન્દ્રમોદીને કોણે કહ્યુ પત્થર જેવા ના થાઓ !

અને હા, ખેર છે જીગ્નેશિયાની જેમ બીજું કોઈ આવી રીતે ટ્વીટ કરે તો, બોલે તો, લખે તો, પોસ્ટ કરે તો. તમને તો ચીન સરહદે અરુણાચલ પ્રદેશમાં જ મોકલી દઈશું હા. અને કદાચ આંદામાન પણ મોકલી દઈએ. યાદ છે કે નહિ તમને, અંગ્રેજો કાળાં પાણીની સજા આપતા દેશદ્રોહીઓને? અમે પણ મેવાણી જેવા દેશદ્રોહીઓને નહિ છોડીએ, એમની વાણીને વિરામ આપીશું જ.

થોડું તો સમજો યાર, કેટલું બધું ખરાબ લાગે છે કે જ્યારે મોરિશિયસના વડા પ્રધાન અને અંગ્રેજ વડા પ્રધાન દેશમાં મહેમાન થયા હોય ત્યારે. અમે વિકાસ કરવા અઢાર અઢાર કલાક કામ કરીએ છીએ તેની આ કહેવાતા દલિત નેતાને કશી કિંમત જ નથી. નહિ ચલાવી લઈએ આ બધું હવે. બહુ થયું. આઠ આઠ વર્ષથી અમે તારા જેવાને સહન કરી રહ્યા છીએ. હવે નહિ કરીએ, તમારાથી જેલો ભરી દઈશું, પોલિસની કસ્ટડીઓ ભરી દઈશું. યાદ રાખો. અમારી પાસે પોલિસ છે, લશ્કર છે અને ભગવાન શ્રી રામનો હિન્દુ ધર્મ છે, સમજ્યા ને?

જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !

હે ગાંધી અને સરદારની ગરવી ગુજરાતના ગુજરાતીઓ, કશું પણ બોલવાની હિંમત કરી તો આવી બન્યું સમજો. અમારે હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું છે અને એમાં કોઈ પણ કશું પણ બોલીને મગજમારી કરશે, હવનમાં હાડકાં નાખશે તો નહિ ચાલે, સમજ્યા ને! હિન્દુ રાષ્ટ્રમાં માત્ર અમે કહીએ તે જ બોલવાનું કે લખવાનું. આપણે વિશ્વ ગુરુ બનવાનું છે, જરા સમજો. તમારે તે માટે તમારી વાણીને વિરામ આપવો જ પડશે.

યુવરાજ સિહ જાડેજાએ ફોડ્યો વધુ એક ટ્ટીટર બોંબ

આવી રીતે જ્યારે બબ્બે વડા પ્રધાનો ઘર આંગણે પધાર્યા હોય ત્યારે દેશના પોતાના વડા પ્રધાનને ગોડસેની યાદ અપાવીને બદનામ કરવાનું કાવતરું નહિ ચલાવી લેવામાં આવે. વડા પ્રધાનને શા માટે ગોડસેની યાદ અપાવવામાં આવે છે? નરેન્દ્ર મોદીના આરાધ્ય દેવ ગોડસે છે કે કોઈ રામ કે કૃષ્ણ કે પરશુરામ જેવા ગોડ, ઈશ્વર કે ભગવાન; એની ચિંતા કોઈએ કરવાની જરૂર નથી. તેઓ તો ક્યારનાય, ૨૦૧૪થી, અરે, ૨૦૦૨થી જ ગોડસેને સાવ ભૂલી ગયા છે, ના, ના, વડનગરમાં ચા વેચતા હતા ત્યારથી જ વિસરી ગયા છે ગોડસેને. મને એમ છે કે મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેની જ વાત કરે છે, એટલે જ આ કહ્યું તને.

ભાજપના ગઢમાં મોટુ ગાબડું પાડવાની તૈયારીમાં આપ !

તું એ મહાન, न भूतो न भविष्यति, એવા હિન્દુ ધર્મીની એમને યાદ અપાવીને એમનું દિમાગ બગાડે છે! તેઓ એને કારણે દેશને વિકાસને માર્ગે લઈ જવાનું ક્ષણભેર ભૂલી જાય છે અને દેશને અબજો રૂપિયાનું નુકસાન થાય છે, એટલે જ તેઓ ગરીબી અને બેકારી દૂર કરી શકતા નથી. તેઓ તો બીજી ઓક્ટોબર અને ત્રીસમી જાન્યુઆરીએ કાયમ રાજઘાટ જાય છે અને મહાત્માને વંદન કરે છે એ તું કેમ ભૂલી જાય છે? તું જ્યાં ભણ્યો એ એચ. કે. આર્ટ્સ કોલેજમાં તને અધ્યાપકોએ આવી વાહિયાત ચીજો યાદ રાખવાનું ભણાવ્યું!

જીગ્નેશ મેવાણીની આસામ પોલીસે કેમ ધરપકડ કરી ?

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે બીજા અધ્યાયમાં કહ્યું છે કે સુખદુઃખને સરખાં સમજવાં. सुखदुखे समे कृत्वा । મેવાણી, તું ઘરમાં હોય કે પોલિસ કસ્ટડીમાં. સુખ અને દુઃખ બંને સમાન ગણીને ચાલ. અમે એટલે જ ગુજરાતમાં શાળાઓમાં ગીતાનું શિક્ષણ આપવાના છીએ કે જેથી ભવિષ્યમાં તેઓ નાગરિકો બને તો આવી રીતે સુખદુઃખને સમાન ગણે!

પ્રો. હેમંતકુમાર શાહ,

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:arrestasaamdivybhaskergujarat samacahrjignesh mevanipoliveprofd hemant shahsandeshtv9
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?